Skip to main content

કેન્દ્ર સરકારે, ભારતના અર્થતંત્રને 5 ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા, રાષ્ટ્રીય માળખાકીય યોજના – એન.આઇ.પી.ની કરેલી દરખાસ્ત અંગે સમીક્ષા

ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં દેશના સામાજીક તથા આર્થિક ક્ષેત્રે મહત્વના પરિવર્તનો લાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.

આ પ્રતિબધ્ધતાના ભાગરૃપે જ 102 લાખ કરોડ રુપિયાના ખર્ચે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન – NIP – એટલે કે માળખાકીય સુવિધાઓ વધારવાની યોજના બજેટમાં સૂચવવામાં આવી છે.

આઝાદી પછીના સમયગાળામાં વિવિધ સરકારોએ ઘણી યોજનાઓ અમલમાં મૂકી અને તેનાથી વિકાસને ગતિ પણ મળી, પણ, આ વખતની માળખાકીય યોજના માળખાકીય વિકાસની સાથે – સાથે , દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની નેમ ધરાવે છે.

પોતાની રીતે આગામી વિશેષતા ધરાવતી NIP યોજના, રોજગારીની નવી તકોના નિર્માણની ખાતરી આપે છે. તથા સર્વસમાવેશક વિકાસ દ્વારા જીવન જીવવામાં સરળતા લાવવાની ખાતરી પણ આપે છે.

ગયા વર્ષે 15 મી ઓગસ્ટે રાષ્ટ્રજોગ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આગામી પાંચ વર્ષમાં માળખાકીય વિકાસ ક્ષેત્રે 100 લાખ કરોડ રુપિયાના રોકાણનો સંકેત આપ્યો હતો. આ ભગીરથ કાર્ય માટે આર્થિક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદે ખાસ કાર્યદળની રચના સપ્ટેબર 2019 માં કરવામાં આવી.

આ ખાસ કાર્યદળે ચાર મહિનાના સમયગાળામાં લાગતાવળગતાઓ સાથે 70 જેટલી મસલતો કર્યા પછી, 102 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો તારવી કાઢ્યા હતા. આ પ્રોજેક્ટોમાં માર્ગ, રેલવે, સિંચાઇ, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

નાણામંત્રાલયે આપેલી માહિતી મુજબ NIP યોજના હેઠળ – બંદરો તથા વિમાનમથકોના પ્રોજેક્ટો માટે 2.5 લાખ કરોડ રુપિયા ડિજીટલ ઇન્ફ્રા પ્રોજેક્ટો માટે 3.2 લાખ કરોડ રુપિયા , કૃષિ ગ્રામીણ વિસ્તારો અને સિંચાઇ માટે – 16 લાખ કરોડ રુપિયા ફાળવવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં હાથ ધરાનારા 102 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો પૈકી 42.7 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો અમલીકરણમાં મુકાયા છે, જ્યારે 32. 7 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો વિચારણા હેઠળ છે. બધા જ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિસ્તારોને આવરી લેતા આ પ્રોજેક્ટોના સમયસર અમલીકરણની કામગીરી સાચે જ પડકારજનક છે, આમ છતા સરકારની કાર્યપ્રત્યેની પ્રતિબધ્ધતા પણ એટલી જ મહત્વની છે.

આ બધા જ પ્રોજેક્ટો આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરી શકાય, તે હેતુથી ખાસ દેખરેખ વ્યવસ્થા ઉભી કરાઇ છે.

આમ છતા એક બાબત ઉલ્લેખનીય છે કે આ બધા જ પ્રોજેક્ટો કેન્દ્ર સરકારના નથી પણ NIP પ્રોજેક્ટોમાં વિવિધ રાજ્ય સરકારો તથા વિદેશી રોકાણકારો સહિત ખાનગી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.

સૂચિત માળખકાયી સુવિધા પ્રોજેક્ટોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને હિસ્સો 39 – 39 ટકા રહેશે, જ્યારે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 22 ટકા રહેશે. સરકાર આગામી વર્ષ – 2025 સુધીમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારીને 30 ટકા સુધી લઇ જવાની નેમ ધરાવે છે.

આ સમગ્ર NIP પ્રોજેક્ટોનો ઉદેશ સમગ્ર ભારતમાં આધુનિક માળખાકીય સુવિધા ઉભી કરવાનો છે. આના સીધા પરિણામે દેશની આર્થિક પ્રવૃત્તિને પણ નવું બળ મળશે.

આ બધાના લીધે મહેસુલી આવક પણ વધશે અને સરકાર વધારાની આવકનો ઉપયોગ મહત્વના ઉત્પાદક અને લોકકલ્યાણના કાર્યોમાં કરી શકશે. સરકારનું માનવું છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે ત્યારે સૂચિત NIP પ્રોજેક્ટ તેનો ઉકેલ, લાવી શકશે.

આગામી 2030 સુધીમાં ભારતને માળખાકીય સુવિધા વિકાસક્ષેત્રે 4.5 ટ્રિલીયન ડોલરના મૂડીરોકાણની જરુર પડશે. આના લીધે 8 ટકાનો આર્થિક વિકાસદર સાધવામાં તથા રોજગારની તકો વધારવામાં પણ મદદ મળશે.

સુચિત NIP પ્રોજેક્ટોમાં આ બધુ જ સાકાર કરવાની ક્ષમતા છે. NIP યોજનાઓ સમયસર પૂરી થવાથી તેની સમગ્ર અર્થતંત્ર ઉપર સકારાત્મક અસર જોવા મળશે. સરકાર સારા ધ્યેય સાથે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે આર્થિક પડકારોનો સામનો કરવા આગળ વધી રહી છે. ત્યારે સમાજના બધા વર્ગોના લોકોએ આ પહેલોને આગળ વધી આવકારવી જોઇએ.

લેખક – શંકર કુમાર, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...