Skip to main content

IOWAના આયોજન સાથે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો વિધિવત આરંભ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી, એ આશરે એક વર્ષ સુધી ચાલતી પ્રક્રિયા છે. જેમાં પ્રમુખ બે પક્ષોના ઉમેદવારો, પોત પોતાના પક્ષોના વિધિવત ઉમેદવાર ચૂંટાવા માટે ચૂંટણીપ્રચાર શરૂ કરતા હોય છે. અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિક નામના બે મુખ્ય રાજકીય પક્ષ છે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રિપબ્લિકન પક્ષના હોવાથી, અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેઓ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રહેશે.

જો કે, ડેમેક્રેટિક પક્ષમાં, રાષ્ટ્રપ્રમુખ પદના પક્ષના ઉમેદવાર બનવા એકથી વધુ લોકો પ્રયાસો કરી રહ્યા છે. આખરે દરેક પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષનો વિધિવત ઉમેદવાર કોણ હશે, તે બાબતે આખરી નિર્ણય લેવાય છે. પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં તે અગાઉ યોજાનાર પ્રાઈમરી અને કોકસેસમાં ચૂંટાનાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે છે. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં યોજાતાં પ્રાઈમરીમાં જુદાં જુદાં રાજ્યોના પક્ષના સભ્યો ઉપસ્થિત થઈને રાષ્ટ્રીય સંમેલન માટેના પ્રતિનિધિઓ ચૂંટે છે. આ વખતે ગુપ્ત મતદાન પ્રક્રિયા વડે રાષ્ટ્રીય સંમેલનના પ્રતિનિધિઓની વરણી થાય છે. જ્યારે કોકસેસમાં પ્રતિનિધિઓની વરણી ઉપસ્થિત સભ્યો હાથ ઊંચો કરીને પોતાનો મત આપીને પ્રતિનિધિઓની વરણી કરે છે. 

રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી માટેનું પ્રથમ કોકસ પરંપરાગત રીતે IOWAમાં યોજાય છે. આ બંને ચૂંટણીમાં સારો દેખાવ કરનાર ઉમેદવાર રાષ્ટ્રીય સંમેલન સુધી પહોંચે છે. ડેમોક્રેટિક પક્ષે ગત ત્રીજી ફેબ્રુઆરી 2020ના રોજ IOWAમાં તેમના પક્ષનું કોકસ યોજ્યું હતું. જેમાં પ્રથમ રાઉન્ડમાં 28 ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, પણ IOWAના કોકસ સુધી માત્ર 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા.

IOWA કોક્સે, ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રીય સંમેલન માટે 41 પ્રતિનિધિઓની વરણી કરી. ડેમોક્રેટિક પક્ષે પરિક્ષણ નહીં કરાયેલી તથા સસ્તી મોબાઈલ એપ્લીકેશનનો ચૂંટણી પરિણામો માટે ઉપયોગ કરતાં, તેમજ પરિણામો જાહેર કરવામાં વિલંબ થતા ડેમોક્રેટિક પક્ષના કોકસમાં વિવાદ ઉભો થયો. આ બધાના પરિણામે ડેમોક્રેટિક પક્ષની પ્રતિષ્ઠાને સહેજ નુકસાન થયું. નવેમ્બર 2020માં અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખની યોજાનારી ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

અમેરિકાના સમાજમાં વિવિધ વર્ગો તથા અમેરિકાના વિશ્વભરના મિત્રો ઉપર સિધી અસર પહોંચાડનાર ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ જોતા, શ્રી ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી બીજી મુદત માટે લડવાના હોવાથી સમગ્ર વિશ્વમાં આ મુદ્દે ભારે ઉત્સુકતા ઉભી થઈ છે. શ્રી ટ્રમ્પ સામે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાથી આ વખતની ચૂંટણીમાં ટ્રમ્પ મતદારોનો સામનો કેવી રીતે કરે છે, તે જોવું રહ્યું.

અમેરિકાનું અર્થતંત્ર વિકાસ તથા રોજગારની નવી તકોના નિર્માણમાં એકંદરે સારી કામગીરી કરી રહ્યું છે. શ્રી ટ્રમ્પે અમેરિકાની સેનાની તાકતનો પ્રયોગ દેશ અને વિદેશમાં પોતાના વિરોધકો સામે કુનેહથી કર્યો છે. છેલ્લી ચૂંટણીમાં શ્રી ટ્રમ્પે અમેરિકાને મહાન બનાવવાનું સૂત્ર આપ્યું હતું અને હવે પછીની ચૂંટણીમાં તેઓ આ વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કરવાના છે.

અગાઉની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં યુક્રેઈનની સંડોવણી અને દરમિયાનગીરી બાબતે અખબારો, સોશિયલ મીડિયામાં ઘણી માહિતી આપવામાં આવી હોવાથી શ્રી ટ્રમ્પને સેનેટમાં ક્લીન ચીટ મળી, તે બનાવને મતદારો કેવી રીતે જુએ છે, તે બાબત રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે. અમેરિકાના નાગરિકોનો મત, દેશની આર્થિક સ્થિતિ તથા ઘરઆંગણાના સામાજિક મુદ્દાઓ ઉપર સીધી અસર કરતો હોય છે.

શ્રી ટ્રમ્પે અમેરિકાના અર્થતંત્રની વર્તમાન સ્થિતિ બાબતે ચોક્કસ સંતોષ લઈ શકે છે. વિપક્ષમાં ભૂતકાળના ઉમેદવાર જો બીદેન IOWA કોકસમાં સારો દેખાવ કરી શક્યા ન હતા. સેનેટર બર્ની સેન્ડર સારા વક્તા છે, પણ તેમની સમાજવાદી નીતિને મૂડીવાદી અમેરિકનો સમર્થન આપતા નથી. આમ વર્ષ 2020ની રાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ ડેમોક્રેટિક ઉમેદવાર કોણ હશે, તે ચિત્ર સ્પષ્ટ થયુ નથી. સૌથી મોટો લોકશાહી દેશ તરીકે ભારત, અમેરિકા સાથેના સંબંધો અને વ્યવહારો વધારવા ઈચ્છે છે.


લેખક પ્રોફેસર ચિંતામણી મહાપાત્ર, પ્રો.વીસી - JNU


શ્રીરંગ (મયુર)

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...