Skip to main content

પાકિસ્તાનમાં લઘુમતિ દમન


પાકિસ્તાનમાં લઘુમતિના પ્રશ્નો શરૂઆતથી જ ખૂબ જ ચર્ચામાં છે. સરકાર દ્વારા લઘુમતિ સાથે ભેદભાવ પૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે.

ખરેખર તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ભેદ એ જ છે કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે તમામ ધર્મને એક જ સમાન સ્થાન આપવામાં આવ્યું છે. રાજનીતિ બિનસાંપ્રદાયિક રહી છે એટલે તમામ ધર્મને સમભાવથી જાવામાં આવે છે. બીજીબાજુ પાકિસ્તાન ઈસ્લામને રાજધર્મ માને છે એટલે ત્યાં તેને મહત્વનું સ્થાન મળે છે અને અન્ય ધર્મનું સ્થાન એટલું સમકક્ષ રહેતું નથી. આ સંજાગોમાં ત્યાં અન્ય ધર્મના લઘુમતિ સમુદાયને સમાનતાનો ભાવ જાવા મળતો નથી. આ કારણોસર જ ત્યાં ધર્મનિંદાના પ્રશ્નો ઉદ્‌ભવે છે એટલે કે અન્ય ધર્મના લોકો જા ઈસ્લામની ટીકા કરે તો તેને ધાર્મિક રીતે મોટો ગુનો ગણીને તેની સામે કેસ ચાલે છે. શરિયતના કાનૂન હેઠળ ફાંસી સુધીની સજા પણ કરવામાં આવતી હોય છે. આશીયાબીબીનો તાજેતરનો કેસ આ અંગે વિશ્વભરમાં ચકચાર જગાવી ચુક્યો છે.

આ તમામ બાબતો વચ્ચે સરકાર જ્યારે લઘુમતિ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે એ ટીકાની બાબત ગણાય. પાકિસ્તાનમાં આમ પણ કટ્ટરવાદ અને ત્રાસવાદ ચરમસીમાએ છે. પરિણામે મુસ્લીમ સિવાયના ધર્મના લોકોને સતામણીનો અનુભવ થાય છે. હિન્દુ, ખ્રિસ્તી, શીખ ધર્મના લોકોની વસતિ પાકિસ્તાનમાં ૩૦ લાખ જેટલી છે. આ તમામ લોકોએ ભયભીત બનીને રહેવું પડે છે. ત્રાસવાદી હુમલાઓ કે કટ્ટરવાદી પરિબળો સામે સરકાર દ્વારા સુરક્ષાનો અભાવ એ મોટી નબળાઈ છે.

આવો જ એક બનાવ સિંધ પ્રાંતમાં એક ડોક્ટર જાડે બન્યો છે, તેની સામે કુરાનનું અપમાન કર્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. થોડા અઠવાડીયા પહેલાં જ પંજાબ પ્રાંતના લઘુમતિ દંપત્તિની સામે પણ આવો જ એક કેસ નોંધાયો છે. તેણે ધર્મનિંદા કરતો એસ.એમ.એસ. કર્યો હોવાના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. આવું જ બે દિવસ પહેલાં ગુરૂનાનક પેલેસમાં બન્યું છે. લાહોર નજીક નારોવાલી ખાતેના આ ધાર્મિક સ્થળ પર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ બધા કોઈ છૂટાછવાયા બનાવો નથી. સતત લઘુમતિઓને ભયમાં રાખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને એટલે તેમની પર આક્રમણ ચાલુ રાખવામાં આવે છે.

આસીયા બીબીના કેસમાં તો તેના પરિવારને ઘરબહાર નીકળવું ભારે પડી ગયું હતું. જ્યારે શરિયત અદાલતના ચુકાદાને વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢ્યો ત્યારે સમગ્ર પાકિસ્તાન જાણે યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયું હોય એમ કટ્ટરવાદી પરિબળોએ પ્રભાવ જમાવી લીધો. બંધનાં એલાન અપાયાં અને લઘુમતિ પર વ્યાપક પ્રમાણમાં હુમલા કરાયા હતા. સરકાર પણ લાચાર બની ગઈ હતી અને આશીયાબીબીને છોડવામાં નહીં આવે એવી જાહેરાત કરવી પડી હતી. વિશ્વભરમાં તેની ભયંકર હદે ટીકા થવા છતાં પાકિસ્તાનના વલણમાં કોઈ ફેર પડ્યો નહોતો.

સિંધ પ્રાંતમાં ડોક્ટર સામે એક મૌલવીએ ફરીયાદ કરી અને તેમાં કુરાનના અપમાનનો આરોપ મૂક્યો એટલે એમાં તેને અપરાધી તરીકે જ જાવામાં આવે. નાગરિકો બધા ટોળાશાહી ઉભી કરે અને ખાસ સમુદાયના લોકો પર પ્રહાર કરે, હિંસા કરે, ડોક્ટરની ધરપકડ કરવામાં આવે, તેના વ્યાપક પડઘા પડ્યા છે. નારોવાલીમાં છેલ્લે જે ઘટના બની છે, તેનાથી શીખ સમાજની ભાવનાઓ પર સીધી અસર થઈ છે. પંદરમી સદીના આ ગુરૂદ્વારા પરહુમલો કરીને તોડફોડ કરવામાં આવી છે, તેના બારી-બારણાં તોડી પાડ્યાં છે અને કિંમતી વસ્તુઓ, ધાર્મિક આસ્થાના પ્રતિકરૂપ વસ્તુઓની ચોરી થઈ છે. એક બાજુ કરતારપુર પથ ચાલુ કરવાની વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે અને બીજીબાજુ આવા ભવ્ય વારસાની તોડફોડ કરવામાં આવી છે. આ ગુનેગારો છૂટથી ફરી રહ્યા છે.

પાકિસ્તાનના બંંધારણમાં ૫ ટકા બેઠકો લઘુમતિને સંસદમાં આપવાની જાગવાઈ છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ થયો નથી. મંદિર, ગુરૂદ્વારા અને દેવળોની જ જા સલામતિ ન હોય તો સંસદમાં સ્થાનનો મુદ્દો તો પછીની બાબત બને છે, આવું જ મુસ્લીમ લઘુમતિ શીયા અને અહમદીયા મુસ્લીમ લોકો સાથે પણ બને છે. માનવ અધિકાર તો આગળનો બીજા આવો જ મહત્વનો પ્રશ્ન છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...