Skip to main content

આઈસીસી વિશ્વ કપ ૨૦૧૯નો પ્રારંભ


સજ્જનોની રમત ગણાતી ક્રિકેટ ઇંગ્લેન્ડ અને વેલ્સના યજમાન પદે છે. ૩૦ મેથી ૧૪ જુલાઈ ૨૦૧૯ દરમિયાન યોજાઈ રહેલા ૧૨મા વિશ્વ કપમાં નવો ગૌરવ પ્રાપ્ત કરશે.

દોઢ મહિના સુધી ચાલનાર આ વિશ્વકપનું આયોજન આંતરાષ્ટ્રીય ક્રિકેટ મંડળ આઈસીસી દ્વારા કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પાંચમી વાર ક્રિકેટ વિશ્વ કપનું આયોજન થઈ રહ્યું છે. આ અગાઉ, ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં ઇંગ્લેન્ડ અને વેલ્સ વિશ્વ કપના યજમાન હતા.

ક્રિકેટ થોડાંક જ દેશોમાં એમાં પણ બ્રિટિશ વસાહતોમાં જ રમાનારી રમત હોવા છતાં પણ તેની લોકપ્રિયતા ખૂબ છે. દર્શકો અને સમર્થકોની સંખ્યા જાતા ફૂટબોલ અને લોન ટેનિસ બાદ ક્રિકેટ ત્રીજા સ્થાને છે. ભારતીય ઉપખંડમાં આ રમત ધર્મ તરીકે પૂજનીય છે અને ક્રિકેટવીરોને ભગવાન સમાન ગણાવામાં આવે છે. ઉપખંડના દેશોના ટીમો વચ્ચેની હરિફાઈ ક્યારેક ધર્માંધતાના સીમાએ પહોંચી જાય છે.

ઉપખંડના ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ મળીને ચાર વિશ્વકપ જીત્યા છે જે પ્રશંસનીય છે. ઉપખંડમાં એક દેશમાં એક ભૂતપૂર્વ ક્રિકેટરને પ્રધાનમંત્રી તરીકે ચુંટાયા છે. જ્યારે મોટાભાગના દક્ષિણ એશિયાઇ દેશોમાં ક્રિકેટર મંત્રી, સાંસદો તરીકે નિમાયા છે એ સાબિત કરે છે આ દેશોમાં ક્રિકેટના સમર્થકોની સંખ્યા નોંધપાત્ર છે.

આ વિશ્વકપની પહેલી રમત લંડનમાં ઓવલ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગઇકાલે રમાઈ ગઈ. જ્યારે ફાઈનલ મેચ ક્રિકેટની મક્કમ ગણાતા લોર્ડ પર રમાશે.

વિશ્વકપમાં કુલ ૧૦ ટીમો ભાગ લઈ રહી છે. જે પહેલાં રાઉન્ડમાં બાકીની નવ ટીમો સાથે રમશે. જેમાંથી પહેલી ચાર ટીમો સેમી ફાઈનલમાં પ્રવેશ કરશે. આ ૧૦ ટીમોમાં કોઈ પણ અસોસિએટ ટીમ ન હોવાના કારણે આ પ્રકારની રચના પર ટીકા થઈ હતી. આર્ચલેવ અને અફઘાનિસ્તાનના પ્રવેશ બાદ ૨૦૧૭માં વિશ્વના ટેસ્ટ ક્રિકેટ રમતા દેશોની સંખ્યા ૧૦થી વધીને ૧૨ થઈ હતી. પણ આ પહેલું વિશ્વ કપ હશે જેમાં તમામ ટેસ્ટ ક્રિકેટ રમતી ટીમો વિશ્વકપમાં ભાગ લેશે નહીં. અને બધી અસોસિએટ ટીમો ચાલતા રાઉન્ડમાં જ બહાર પડી છે.

ક્રિકેટનો જ્યાં જન્મ થયો છે તે ઇંગ્લેન્ડએ આજ સુધી વિશ્વ કપ જીત્યો નથી. ઘર આંગણે રમાઈ રહેલા વિશ્વ કપ જીતવા ઇંગ્લેન્ડ તત્પર છે. પરંતુ ટીમ ઇÂન્ડયા વિશ્વ કપ જીતવા પ્રથમ દાવેદાર છે. ભારતે ૧૯૮૩ અને ૨૦૧૧ એમ બે વાર વિશ્વ કપ જીત્યો છે. ૨૦૦૩માં તે રનર-અપ રહ્યું હતું. ૨૦૧૫માં તે વિશ્વ કપની સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું. જીત માટેના અન્ય દાવેદારોમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇÂન્ડઝનો સમાવેશ થાય છે. જાકે, વિશ્વ કપમાં કોઈ પણ ટીમને હળવાશથી ન લઈ શકાય.

ભારતીય ટીમની કપ્તાની વિરાટ કોહલી કર રહ્યા છે. જે પ્રેરણાદાયી નેતૃત્વ અને જબરજસ્ત લડત આપવા પ્રખ્યાત છે. ભારત બોલિંગ, બેટિંગ, ફીલ્ડિંગ તમામ ક્ષેત્રે મજબૂત છે.

૨૦૧૧ અને ૨૦૧૫ વિશ્વકપમાં કપ્તાની કરી ચૂકેલા અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની વિકેટ કિપીંગ કરશે. તેમનું માર્ગદર્શન ભારતીય ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે. ૨૦૧૧માં મુંબઈના વાનખેડ સ્ટેડિયમ ખાતે ધોનીએ મારેલો જીતનો છક્કો આજ દિન સુધી સૌને યાદ છે. ધોનીની એ વિનિંગ સિક્સ, સચિન તેંડુલકરને વિશ્વ કપ ભેટરૂપ આપ્યો હતો.

વિશ્વ કપમાં ભારતીય ટીમના મુકાબલાની શરૂઆત પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે થશે. ભારત નવમી જૂને ઓસ્ટ્રેલિયા અને ૧૩ જૂને ન્યૂઝીલેન્ડ સામે રનર્સ. ૧૬ જૂને ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.

માન્ચેસ્ટર ખાતે રમાનારી ભારત –પાકિસ્તાન મેચની તમામ ટિકિટો અત્યાર થી જ વેચાઈ ગઈ છે. વિશ્વ કપ મેચોમાં ભારત – પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી. આ વખતે પણ આ રેકોર્ડ યથાવત્‌ રહે તેવ સંભાવના છે. આ ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન, વેસ્ટ ઇÂન્ડઝ, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે પણ રમશે.

નવમી જુલાઈએ પહેલાઅને ચોથ નંબરના ક્વોલીફાયર વચ્ચે માન્ચેસ્ટર ખાતે પ્રથમ સેમીફાઈનલ રમાશે. બીજા અને ત્રીજા ક્વોલિફાયર વચ્ચે બીજી સેમિફાઈનલ ૧૧ જુલાઈએ રમાશે. વિજેતા ટીમને ટ્રોફી અને ચાર મીલીયન ડોલરનો પુરસ્કાર અપાશે. ક્રિકેટ ચાહકો માટે આ વિશ્વ કપ અત્યંત રસપ્રદ બની રહેશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...