Skip to main content

પાકિસ્તાનને શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત રાખવા આવે તેવી સંભાવના

પાકિસ્તાન ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડનારા દેશો પર દેખરેખ રાખતાં વૈશ્વિક સંસ્થા એફએટીએફની શંકાસ્પદ દેશોની યાદીમાંથી બહાર નીકળવાનો વિશ્વાસ બતાવી રહ્યું છે. પેરિસ સ્થિત આ સંસ્થાની બેઠક આ અઠવાડિયે મળવાની છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ થોડા સમય પહેલાં દુનિયા સમક્ષ આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી કુરેશીએ તાજેતરમાં મુલતાનમાં એક સભામાં કહ્યું હતું કે, પાકિસ્તાને ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડવાની બાબતમાં એફએટીએફ દ્વારા મુકવામાં આવેલી તમામ શરતોનું પાલન કર્યું હોવાથી તે બહુ જલદી શંકાસ્પદ દેશોની યાદીમાંથી બહાર આવી જશે. કુરેશીએ તુર્કી, મલેશિયા અને સાઉદી અરેબિયાના વિદેશમંત્રીઓ સાથે વારંવાર ટેલિફોન પર વાત કરીને તેમને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે, પાકિસ્તાને ત્રાસવાદને રોકવા જરૂરી પગલાં લીધા છે. પાકિસ્તાનના વિદેશમંત્રાલયે પણ દાવો કર્યો છે કે, આ બાબતે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

જોકે, આ ખાતરીઓ હકીકતને છાની રાખી શકતી નથી. ખરેખર તો પાકિસ્તાન પોલા દાવા જ કરતું આવ્યું છે. આ દાવાઓ એફએટીએફની આવશ્યકતાઓને પૂરી કરવા શું પુરતા છે? દુનિયાના સ્વતંત્ર નિરીક્ષકોએ નિર્દેશ કર્યો છે કે, હજી તેણે ઘણું કરવાનું બાકી છે. જ્યાં સુધી વ્યક્તિગત ત્રાસવાદીઓ પર મનાઈ ફરમાવવાની બાબત છે ત્યાં સુધી જોઈએ તો પાકિસ્તાને લશ્કર-એ-તોઇબાના વડા હાફિઝ સૈઇદની ધરપકડ કરીને તેને 11 વર્ષની જેલની સજા કરી છે. પરંતુ પાકિસ્તાન દુનિયાને કહેતું આવ્યું છે કે ઝકી-ઉર-રહેમાન લખવી અને જૈશ-એ-મોહમ્મદના વડા મશૂદ અઝહર જેવા અન્ય ત્રાસવાદીઓ જેવાનો હજુ સુધી પત્તો નથી. તેનો આ દાવો કોઈ માને તેમ નથી. કે, આવા રીઢા ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં વર્ષોથી ગુમ હોય. તેથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન તેમના રક્ષણ માટે ઢાંક પીછોડો કરી રહ્યું છે. એટલું જ નહીં રાષ્ટ્રસંઘે જેમને ત્રાસવાદી જાહેર કરેલા છે તેવા અલકાયદા અને હક્કાની જૂથ સાથે સંડોવાયેલા કોઈપણ ત્રાસવાદી સામે પાકિસ્તાને ભાગ્યે જ પગલાં લીધા છે.

હજી આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રસંઘની દેખરેખ સમિતિએ તેના અહેવાલમાં તારવેલા છ હજાર 500 ત્રાસવાદીઓનું શું થયું તે કોઈ જાણતું નથી. ગયા વર્ષે પાકિસ્તાને તેના ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ તૈયાર કરેલી યાદીમાંથી ચાર હજાર ત્રાસવાદીઓના નામ દૂર કર્યા છે. નાના ગુનાઓ માટે કસૂરવાર ઠરેલા ત્રાસવાદીઓને પાકિસ્તાને હળવી સજા કરીને થોડો સમય જેલમાં રાખ્યા પછી છોડી મૂક્યા છે. ભારતમાં ત્રાસવાદીઓ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હાફીઝ સૈઇદના સાળા અબ્દુલ રહેમાન મક્કીને અમેરિકાએ 2010માં ત્રાસવાદી જાહેર કર્યો હતો. જેના માથા પર વીસ લાખ ડોલરનું ઇનામ જાહેર કરાયેલું છે. તેને પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી અદાલતે ખાલી 20 હજાર રૂપિયાનો દંડ કરીને 18 મહિનાની કેસની સજા કરી છે. એટલું જ નહીં આ સજા પણ બાદમાં લાહોર અદાલતે મોકૂફ રાખી હતી. ત્રાસવાદીઓ સામેના કેસ એટલા બેદરકારીથી ઘડવામાં આવે છે કે 196 ત્રાસવાદીઓ તો ધરપકડ કરાયા પછી અદાલત દ્વારા ગયા વર્ષે છોડી મૂકાયા છે.

પાકિસ્તાને ગત મહિને સંસદના સંયુક્ત સત્રમાં ત્રણ આતંકવાદ વિરોધી કાયદા પસાર કર્યા છે. પરંતુ તેનો અસરકારક અમલીકરણ કેટલો થાય છે તે જોવું રહ્યું. કારણ કે, પાકિસ્તાનમાં આતંકવાદ – વિરોધી કાયદા તો પહેલા પણ હતા પરંતુ તેનું અસરકારક અમલીકરણ હંમેશાંથી મુદ્દો રહ્યું છે.

એફએટીએફની એશિયા-પેસિફિક જૂથે સમીક્ષા અહેવાલ તાજેતરમાં રજૂ કર્યો છે. જેમાં જણાવાયું છે કે, પાકિસ્તાને એફએટીએફની નાણાંકીય ગેરરીતિ અને આતંકવાદને અપાતા ભંડોળ અંગેન કરેલી ભલામણોમાંથી 40 ભલામણો પર કાર્ય કર્યું છે. વધુમાં તેમાં જણાવાયું છે કે, ટેકનીકલ બાબતો અંગે પાકિસ્તાને ભલે થોડી જ પ્રગતિ કરી છે પણ તે ફોલો-અપ લીસ્ટમાં ઉપરના ક્રમે મૂકાયું છે. જે ગત વર્ષે નીચે ઉતારાયો હતો. અને તે હવે તેના પગલાંઓના અમલીકરણની પ્રગતિ અંગે એપીજીને અહેવાલ આપશે.

પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં જતા અટકાવવા માટે એફએટીએફના 39 સભ્યોમાંથી ક્મ સે કમ ત્રણ સભ્યોના સમર્થનની જરૂર છે અને ગ્રે લીસ્ટમાંથી બહાર આવવા માટે 12 સભ્યોનું સમર્થન જોઈએ.

ચીન, તુર્કી અને મલેશિયાના સમર્થન સાથે પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં જ રહેશે. પણ તેમાંથી બહાર આવવા અન્ય નવ સભ્યોના સમર્થન મેળવવું પાકિસ્તાન માટે અત્યંત મુશ્કેલ છે. આનો મતલબ એ છે કે, પાકિસ્તાનને વિશ્વ બેન્ક, આઈએમએફ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, યુરોપીયન યુનિયન દ્વારા મળતા ભંડોળની વંચિત કરી શકે છે. જેનોથી તેનું અર્થતંત્ર ખતરામાં આવી શકે છે.

પાકિસ્તાન મુદ્દે એ બાબત સ્પષ્ટ છે કે, જો તેને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવું હશે તો આતંકવાદ વિરૂદ્ધ તેણે ગંભીરતાપૂર્વક પગલા લેવા પડશે. આંખ નીંચાણ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસો કામ લાગશે નહીં.

ભરતભાઈ, નીકીતા શાહ, રમેશ પરમાર

લેખક – અશોક હાંડુ, રાજકીય વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...