ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીએ જાહેરાત કરી છે કે, ઈરાને સંયુક્ત સર્વગ્રાહી કાર્ય યોજના – જે.સી.પી.ઓ.એ. હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓમાંથી કેટલાક મુદ્દાઓમાં ઈરાન પીછેહઠ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પરમાણુ શસ્ત્રો અંગેની સમજુતીમાંથી બહાર પડવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારપછી મધ્યપૂર્વના વિસ્તારોમાં અમેરિકાના દળો ગોઠવ્યા – આ બંને પગલાંના પ્રતિભાવરૂપે ઈરાને જે.સી.પી.ઓ.એ. હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓ પૈકી કેટલાક મુદ્દે પાછા ખસવાની જાહેરાત કરી છે.
અમેરિકાએ ઈરાનના વિરોધમાં લીધેલા નિર્ણયના લીધે બંને દેશો વચ્ચે તનાવ ઉભો થયો છે.
અમેરિકાએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ઈરાન વચ્ચે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવાની નીતિ અપનાવી છે.
અમેરિકાએ જે.સી.પી.ઓ.એ.ના અમલીકરણ બાદ ઈરાન સામેના કેટલાક પ્રતિબંધો હળવા અથવા દૂર કર્યા હતા, તે પ્રતિબંધો ફરીથી અમલમાં મૂક્યા છે.
ત્યારપછી અમેરિકાએ ઈરાનની રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ તરીકે ઓળખાતા સંપૂર્ણ દળને આતંકવાદી જાહેર કર્યું હતું.
હવે ગયા મહિને અમેરિકાએ ભારત, ચીન જેવા દેશોને ઈરાન સાથેના ખાસ કરીને ખનીજ તેલની આયાત કરવા આપેલી છૂટછાટો પાછી ખેંચી લીધી છે.
અમેરિકાના આવા પગલાંઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણખા ઝરવાની શરૂઆત થઈ હતી.
અમેરિકાએ તેનું યુદ્ધ જહાજ અબ્રાહ્મ લીંકનને મધ્ય – પૂરક્વ એશિયામાં મોકલી આપ્યું છે. આ બધી જ પાર્શ્વભૂમિમાં ઈરાનની રાષ્ટ્રીય સલામતી પરિષદની બેઠકમાં આ બધી જ બાબતોની ચર્ચાના અંતે જેસીપીઓએ હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓમાંથી ખસી જવાલનો નિર્ણય ઈરાને લીધો છે.
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીએ જા કે સ્પષ્ટતા કરી છે કે, ઈરાન જેસીપીઓએ હેઠળ આપેલી બધી જ પ્રતિબદ્ધતાઓમાંથી ખસી જવાનું નથી.
દરમિયાન વિશ્વ આલમના કેટલાક દેશોએ પરમાણુ સમજૂતીમાંથી ખસી જવાના તથા ફરીથી પ્રતિબંધો લાદવાના અમેરિકાના નિર્ણયને કમનસીબ ગણાવ્યો છે.
યુરોપીયન સંઘે પરમાણુ શ† સમજૂતીને બચાવવાના ખૂબ જ સઘન પ્રયાસો કર્યા હતા પણ તે નિષ્ફળ ગયું છે.
જા આમ જ ચાલતું રહેશે તો અમેરિકા તેના બીજા પગલાંરૂપે ઈરાનના પરમાણુ શ†ના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં લઈ જશે અને જા તેમ થાય તો આ કોકડું વધુ ગૂંચવાશે.
આજ સાચો સમય છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય, યુરોપીયન સંઘે, અમેરિકા તથા ઈરાનને સમજાવીને તેમના વચ્ચે ફરીથી મંત્રણા શરૂ થાય તેવા સઘન પ્રયાસો કરવા પડશે.
જો મંત્રણા ફરીથી શરૂ થાય તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતી રહેલા વિવાદનો સરળતાથી અને સુમેળભર્યો ઉકેલ મેળવી શકાશે.
મધ્યપૂર્વનો વિસ્તાર આમ પણ ઘણા વિવાદો અને સંઘર્ષોના કારણે તનાવગ્રસ્ત છે. આવા સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બને તો તે આ સમગ્ર વિસ્તાર માટે વિનાશક પરિણામો લાવનારો નીવડી શકે છે.
ભારતે પ્રથમથી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે, બે દેશ વચ્ચેના વિવાદોના સમયે ભારત કોઈ એક દેશના નહીં પણ સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્દેશ અને મતને વધુ માન્ય રાખશે.
ભારતે બંને દેશોને માન્ય હોય તે રીતે સુમેળભર્યો ઉકેલ મેળવવાની તરફેણ કરી છે.
અમેરિકાએ ઈરાન ઉપર ફરીથી લાદેલા પ્રતિબંધોથી ભારતની ઉર્જા સલામતીને સીધી અસર થઈ છે.
કારણ કે ભારત ખનીજ તેલની નોંધપાત્ર આયાત ઈરાનથી કરતો હતો.
ભારત, ઈરાન તથા અમેરિકા-બંનેનો મિત્રદેશ હોવાથી પોતાના જ બે મિત્રો વચ્ચેનો સંઘર્ષ ભારતના હિતમાં નહીં હોય.
લેખક-ડોક્ટર અસીફ શુજા, ઈરાનની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment