Skip to main content

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અંગે સમીક્ષા

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીએ જાહેરાત કરી છે કેઈરાને સંયુક્ત સર્વગ્રાહી કાર્ય યોજના – જે.સી.પી..હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓમાંથી કેટલાક મુદ્દાઓમાં ઈરાન પીછેહઠ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પરમાણુ શસ્ત્રો અંગેની સમજુતીમાંથી બહાર પડવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારપછી મધ્યપૂર્વના વિસ્તારોમાં અમેરિકાના દળો ગોઠવ્યા –  બંને પગલાંના પ્રતિભાવરૂપે ઈરાને જે.સી.પી..હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓ પૈકી કેટલાક મુદ્દે પાછા ખસવાની જાહેરાત કરી છે.
અમેરિકાએ ઈરાનના વિરોધમાં લીધેલા નિર્ણયના લીધે બંને દેશો વચ્ચે તનાવ ઉભો થયો છે.
અમેરિકાએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ઈરાન વચ્ચે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવાની નીતિ અપનાવી છે.
અમેરિકાએ જે.સી.પી...ના અમલીકરણ બાદ ઈરાન સામેના કેટલાક પ્રતિબંધો હળવા અથવા દૂર કર્યા હતાતે પ્રતિબંધો ફરીથી અમલમાં મૂક્યા છે.
ત્યારપછી અમેરિકાએ ઈરાનની રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ તરીકે ઓળખાતા સંપૂર્ણ દળને આતંકવાદી જાહેર કર્યું હતું.
હવે ગયા મહિને અમેરિકાએ ભારતચીન જેવા દેશોને ઈરાન સાથેના ખાસ કરીને ખનીજ તેલની આયાત કરવા આપેલી છૂટછાટો પાછી ખેંચી લીધી છે.
અમેરિકાના આવા પગલાંઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણખા ઝરવાની શરૂઆત થઈ હતી.
અમેરિકાએ તેનું યુદ્ધ જહાજ અબ્રાહ્મ લીંકનને મધ્ય – પૂરક્વ એશિયામાં મોકલી આપ્યું છે બધી  પાર્શ્વભૂમિમાં ઈરાનની રાષ્ટ્રીય સલામતી પરિષદની બેઠકમાં  બધી  બાબતોની ચર્ચાના અંતે જેસીપીઓએ હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓમાંથી ખસી જવાલનો નિર્ણય ઈરાને લીધો છે.
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીએ જા કે સ્પષ્ટતા કરી છે કેઈરાન જેસીપીઓએ હેઠળ આપેલી બધી  પ્રતિબદ્ધતાઓમાંથી ખસી જવાનું નથી.
દરમિયાન વિશ્વ આલમના કેટલાક દેશોએ પરમાણુ સમજૂતીમાંથી ખસી જવાના તથા ફરીથી પ્રતિબંધો લાદવાના અમેરિકાના નિર્ણયને કમનસીબ ગણાવ્યો છે.
યુરોપીયન સંઘે પરમાણુ † સમજૂતીને  બચાવવાના ખૂબ  સઘન પ્રયાસો કર્યા હતા પણ તે નિષ્ફળ ગયું છે.
જા આમ  ચાલતું રહેશે તો અમેરિકા  તેના બીજા પગલાંરૂપે ઈરાનના પરમાણુ ના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં  લઈ જશે અને  જા તેમ થાય તો  કોકડું  વધુ ગૂંચવાશે.
આજ સાચો સમય છે કેઆંતરરાષ્ટ્રીય સમુદાયયુરોપીયન સંઘેઅમેરિકા તથા ઈરાનને સમજાવીને તેમના વચ્ચે ફરીથી મંત્રણા શરૂ થાય તેવા સઘન પ્રયાસો કરવા પડશે.  
જો મંત્રણા ફરીથી શરૂ થાય તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતી રહેલા વિવાદનો સરળતાથી અને સુમેળભર્યો ઉકેલ મેળવી શકાશે.
મધ્યપૂર્વનો વિસ્તાર આમ પણ ઘણા વિવાદો અને સંઘર્ષોના કારણે તનાવગ્રસ્ત છેઆવા સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બને તો તે  સમગ્ર  વિસ્તાર માટે વિનાશક પરિણામો લાવનારો નીવડી શકે છે.
ભારતે પ્રથમથી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કેબે દેશ વચ્ચેના વિવાદોના સમયે ભારત કોઈ એક દેશના નહીં પણ સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્દેશ અને મતને વધુ માન્ય રાખશે.
ભારતે બંને દેશોને માન્ય હોય તે રીતે સુમેળભર્યો ઉકેલ મેળવવાની તરફેણ કરી છે.
અમેરિકાએ ઈરાન ઉપર ફરીથી લાદેલા પ્રતિબંધોથી ભારતની ઉર્જા સલામતીને સીધી અસર થઈ છે.
કારણ કે ભારત ખનીજ તેલની નોંધપાત્ર આયાત ઈરાનથી કરતો હતો.
ભારતઈરાન તથા અમેરિકા-બંનેનો મિત્રદેશ હોવાથી પોતાના  બે મિત્રો વચ્ચેનો સંઘર્ષ ભારતના હિતમાં નહીં હોય.
લેખક-ડોક્ટર અસીફ શુજાઈરાનની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...