ભારત અને તૂર્કી વચ્ચેના સંબંધો લાંબા સમર્થન ધીમા પરંતુ મક્કમગતિથી આગળ વધી રહ્યા છે છેલ્લા કેટલાંક સમયથી તેમાં વધુ પ્રગતિ જાવા મળી છે. બંને દેશોના રાજદ્વારીઓ તથા અધિકારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ છે. તૂર્કી ભારત સાથેના સંબંધો વધુ ઘનીષ્ઠ બનાવવામાં પ્રગતિ કરી રહ્યું છે. તો તેના પરંપરાગત સહયોગી પાકિસ્તાન સાથેના સંબંધો પણ ટકાવી રહ્યું છે. તૂર્કીના રાષ્ટ્રપતિના સલાહકાર ડોક્ટર ઇબ્રાહીમ કાલીનને આ હેતુથી જ ભારતની મુલાકાતે મોકલવામાં આવ્યા હતા. તેમણે વિવિધ સ્તરે બેઠકો યોજી અને ત્રાસવાદ તથા કટ્ટરવાદ નાબૂદ કરવામાં સહયોગ આપવા માટે વિચારણા કરી હતી. તેમણે એક પછી એક મક્કમ પગલાં ભરીને આર્થિક ભાગીદારી આગળ વધારવામાં પણ તૂર્કીની ઇચ્છ વ્યક્ત કરી હતી. ભારતે ખાસ કરીને સરહદ પારથી થતા ત્રાસવાદી હુમલાઓ અને તેને અપાતા સહયોગની ટીકા કરી છે. અને તેમાં તૂર્કી પણ સહયોગ આપે તેની પર ભાર મૂક્યો હતો. આ હેતુસર બંને દેશો સરહદપારના ત્રાસવાદથી અસર પામેલા હોવાથી સંયુક્ત સહયોગ માટે તૈયારી દર્શાવી છે. બેઠકમાં શ્રીલંકાનાં દેવળો પર કરાયેલા આત્મઘાતી બોમ્બ હુમલા અંગે પણ ચર્ચા થઈ હતી. શ્રી કાલીન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલને પણ મળ્યા હતા.
બંને દેશોએ વૈશ્વિક તથા પ્રાદેશિક પ્રશ્નો અંગે પણ વિચારણા કરી હતી. તેમાં દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાની Âસ્થતિ ઉપર પણ ખાસ ભાર મૂકાયો હતો. ત્રાસવાદને કોઈપણ સ્વરૂપે નાબૂદ કરવા તથા તેને સહયોગ આપતા અને નાણાં પૂરા પાડતાં ત¥વોને અલગ પાડી દેવા પર બંને દેશોએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ભારત અને તૂર્કીએ સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી સંબંધોમાં આગળ વધવા તત્પરતા દર્શાવી હતી. શ્રી કાલીને ભારતમાં જુદા જુદા ધાર્મિક અગ્રણીઓ તથા ઈસ્લામ અંગેના વિદ્યાનો સાથે પણ બેઠક કરી હતી. તેમણે કહયું કે કટૃરવાદ નાબુદી માટે ભારત અને તુર્કી કટીબધ્ધ છે. આ બેઠકમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, બહુલવાદી અભિગમ અને ઈસ્લામની પરંપરા અંગે પણ વિચાર વિમર્શ થયો હતો.
શ્રી કુલીનની મુલાકાત બાદ તુર્કીના નાયબ વિદેશ મંત્રી સેદાન ઓનાલ પણ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી ગયા. તેમણે વિદેશ મંત્રાલયના પશ્ચિમ અંગેના સચિવ ગીતેશ શર્મા સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો અંગે સમીક્ષા કરવામાં આવી. તેમાં વેપાર અને મુડી રોકાણ ક્ષેત્રના સંબંધો ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંબંધિત પ્રદેશમાં વિવિધ પ્રશ્નો અંગે વિચારણા કરવામાં આવી હતી.
તુર્કીએ પાકિસ્તાન સાથે પણ પરંપરાગત સંબંધો વધુ દૃઢ બનાવવાના પ્રયત્નો કર્યા છે. જા કે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ એરડોગને સમગ્ર દક્ષિણ એશિયાના દેશો સાથે ઘનીષ્ઠ સંબંધો આગળ ધપાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ર૦૧૭માં આ હેતુથી જ તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વધુ ઘનીષ્ઠ સંબંધો આગળ વધારવા માટેની તત્પરતા દર્શાવી હતી. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ત્યારે તેઓ ભારતીય વ્યવસ્થાથી ખુબ જ પ્રભાવીત થયા હતા. ખાસ કરીને તુર્કીમાં કેટલાક વર્ષ પહેલા થયેલા લશ્કરી બળવાની Âસ્થતિમાં ભારતની Âસ્થતિ અંગે તેમણે પ્રશંસા વ્યકત કરી હતી. ભારતના સંબંધો પશ્ચિમ એશિયાના ત્રણ દેશો સાઉદી અરેબીયા, ઈરાન અને તુર્કી સાથે સંતુલીત સંબંધો રાખે છે. ત્રાસવાદ અંગેની સરહદ પારની પાકિસ્તાનની નીતી અંગે રાજયની નીતી અંગે પણ ખુબ જ સ્પષ્ટ નીતી પ્રવર્તે છે.
ભારતમાં પ્રવાસન, બાંધકામ, માળખાકીય બાબતો અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે મુડી રોકાણની વ્યાપક તક અંગે પણ બંને દેશોએ કાર્યવાહી કરી છે. બંને દેશો વચ્ચેનો વેપાર ઝપડથી આગળ વધી રહયો છે. હાલ ૮.૬ અબજ ડોલરનો વેપાર છે અને તે ર૦ર૦ સુમાં દસ અબજ ડોલર થાય તેવી અપેક્ષા છે. તુર્કીમાં એફએમસીજી ઉત્પાદનો ભારતીય બજારમાં આવી રહયાં છે.
બંને દેશો વચ્ચે બળતણ, ફાઈબર, ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ, ઓર્ગેનીક રસાયણો માટે ખુબ જ વ્યાપક તક રહેલી છે. આ ઉપરાંત ખનીજ, લોખંડ, સ્ટીલની બનાવટ, ઝવેરાત, આરસ પહાણ માટેનો પણ વેપાર મહત્વનો છે.
ભારત અને તુર્કી વચ્ચે ઐતિહાસિક સંબંધો પણ મહત્વ પુર્ણ છે. ઓટોમન સુલતાનોએ ૧૪૮૧-૮ર દરમિયાન ભારત સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. સુફી સંતો મૌલાન જલાબુદૃન રૂમીની વિચારધારાને પણ ભારતમાં સ્થાન મળ્યું છે. બાલકન યુધ્ધ વખતે ડોકટર અનસારી તુર્કી ગયા હતા. ખિલાફત ચળવળમાં અને તુર્કીની આઝાદીની લડતમાં પણ ટેકો આપવામાં આવ્યો હતો. પ્રથમ વીશ્વ યુધ્ધ દરમિયાન તુર્કીને થયેલા અન્યાય અંગે મહાત્મા ગાંધીજીએ પણ મહત્વપુર્ણ વલણ અપનાવ્યું હતું.
Comments
Post a Comment