કેટલાક મહિના સુધી ચાલેલી ચર્ચા બાદ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈ.એમ.એફે પાકિસ્તાનને ફરી એકવાર નાણાંકીય સહાય મંજૂર કરી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રીના આર્થિક બાબતોના સલાહકાર ડાp. હફિઝ શેખે જણાવ્યું છે કે, પાકિસ્તાન સરકાર અને આઈ.એમ.એફની ટીમ વચ્ચે થયેલી ચર્ચાના છેલ્લા રાઉન્ડમાં આ નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી. જે મુજબ આઈ.એમ.એફ પાકિસ્તાનને નાણાકીય કટોકટીનો સામનો કરવા આગામી ૩ વર્ષમાં છ અબજ અમેરિકી ડોલરની સહાય આપશે. પાકિસ્તાન અત્યારે ગંભીર દેવામાં છે. તેનું અર્થતંત્ર ચલાવવા અને નાણાંકીય જવાબદારીઓ પૂરી પાડવા ૧૮ અબજ ડોલરની ખાદ્ય પડે છે.
આઠ મહિના પહેલા ઈમરાન ખાન દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જા આઈ.એમ.એફ. દ્વારા નાણાકીય સહાય આપવા માટે કડક શરતો મૂકવામાં આવશે તો તેઓ આઈ.એમ.એફ.ની મદદ લેશે નહીં.
તેઓ તેમના મિત્ર દેશો જેવા કે, ચીન, સાઉદી અરેબિયા અને યુએઈ પર નિર્ભર હતા. જા કે, હવે ઈમરાન ખાને આઈ.એમ.એફ દ્વારા મૂકાયેલી તમામ શરતો માન્ય કરી છે. જેમાં નાણાંકીય પુનઃવ્યવસ્થાપન જાહેર નાણાંનું પુનઃનિર્ધારણ, મહેસૂલ ભંડોળમાં વધારા માટે વેરા દરોમાં વધારો કરવો, સબસિડીમાં ઘટાડો કરવા જેવા શરતોનો સમાવેશ થાય છે.
ઈમરાન ખાને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વેરા દરો તેમજ વીજળી અને ગેસના દરોમાં વધારો કરશે નહીં. કારણ કે, એનાથી સામાન્ય નાગરિકને વધુ મુશ્કેલી પડશે અને મોંઘવારી વધશે. નાણાંકીય કાર્યવાહી અંગેની આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ એફ.એ.ટી.એફ દ્વારા પણ પાકિસ્તાન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. હાલ પાકિસ્તાનને ગ્રે – લિસ્ટમાં રાખવામાં આવ્યું છે, પરંતુ ટૂંક સમયમાં પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં નાખવાની શક્યતા છે.
પાકિસ્તાની પ્રધાનમંત્રીએ દેશના નાણામંત્રી અસદ ઉમર અને રાષ્ટ્રીય બેન્કના ગર્વનર તારીક બજવાને બરતરફ કર્યા છે અને આઈ.એમ.એફ.ના ભૂતપૂર્વ અધિકારીઓને તેમની જગ્યાએ નિયુક્ત કર્યા છે, જે બતાવે છે પાકિસ્તાનનું અર્થતંત્ર મુક્ત પતનની દિશામાં છે. જીડીપી દર ૩.૯ ટકા ઉપર આવ્યો છે. જ્યારે મોંઘવારીનો દર ૯.૪ ટકા સુધી પહોંચ્યો છે. દેશ પાસે માત્ર નવ અબજ જેટલું વિદેશી ભંડોળ છે. આવી પરિÂસ્થતિમાં ઈમરાન ખાન પાસે આઈ.એમ.એફ.ની શરતો માન્ય કરવા સિવાય બીજા પર્યાય નથી. પાકિસ્તાનને હવે કડક નાણાંકીય તાલીમની જરૂર છે. જે માટે કડક કાર્યવાહી કરી શાંતિ નિર્માણ કરવી અને વિકાસકામો માટે નાણાંકીય સહાય આપવી જરૂરી છે. બીજું કે, તમામ રાજકીય નિર્ણયો સરકાર ઉપર છોડવાની જરૂર છે જ્યારે સેનાની ભૂમિકા માત્ર દેશની સુરક્ષા અને સલામતી પૂરતી મર્યાદિત રાખવાની જરૂર છે.
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનું ભંડોળ વૈશ્વિક સમુદાય માટે એક મોટી ચિંતા બની ગયું છે જે દેશને અન્ય દેશો અને સંસ્થાઓ પાસેથી સરળ લોન લેતા અટકાવે છે જેનાથી હાલની સમસ્યાથી પોતાની અર્થવ્યવસ્થાને બચાવી શકે. પાછળથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. બલૂચિસ્તાનના ગ્વાદર શહેરમાં નવનિર્મિત એક માત્ર ફાઈવ સ્ટાર હોટલ છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા. જેના માટે બલૂચિસ્તાન લિબરેશન આર્મિ (બીએલએ) દ્વારા જવાબદારી લેવામાં આવી છે. આ અગાઉ બલૂચિસ્તાનના હારનાઇ જિલ્લામાં ૧૪ લોકો માર્યા ગયા હતા. જેમાં મુસાફરોને એક બસમાંથી ઉતારીને ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાન નેવીના લોકો પણ હતા. બલૂચિસ્તાનમાં અલગાવવાદી આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે અને બીએલએ તેનું નેતૃત્વ કરી રહ્યું છે. બલૂચિસ્તાનના લોકોની ફરિયાદ છે કે, તે પાકિસ્તાનનો કુદરતી સંશાધનોથી ભરપૂર સૌથી મોટો પ્રાંત હોવા છતાં તે દેશનો સૌથી ગરીબ પ્રાંત રહ્યો છે. ખરેખર તો બલુચિસ્તાનના લોકો ચીન પાકિસ્તાન આર્થિક કોરીડોર – સી.પી.ઇ.સી.ના પણ વિરુદ્ધમાં છે, જેનો મોટા ભાગનો હિસ્સો બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. પરંતુ આ પ્રાંતને તેનો કોઈ વધારાનો લાભ મળતો નથી. હોટેલ પર થયેલો હુમલો આ પ્રોજેક્ટમાં ચાઇનીઝ દ્વારા કરાતા કામ વિરુદ્ધ રોષના ભાગરૂપે જાવાઈ રહ્યો છે. જેમાંના મોટાભાગના તેમના વ્યાપારિક પ્રવાસો દરમિયાન આ જ હોટલમાં રોકાય છે. આઈ.એમ.એફ. દ્વારા નાણાંકીય મદદએ દેશને ચલાવવા માટે કામચલાઉ રાહત છે. પાકિસ્તાની નેતાગીરીએ તેમના પોતાના લાભ માટે પરિÂસ્થતિની સર્વગ્રાહી સમીક્ષા કરવી જાઈએ.
નાણાંકીય સહાય મંજૂર
લેખક – અશોક હાન્ડુ, રાજકીય વિશ્લેષક
આઠ મહિના પહેલા ઈમરાન ખાન દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જા આઈ.એમ.એફ. દ્વારા નાણાકીય સહાય આપવા માટે કડક શરતો મૂકવામાં આવશે તો તેઓ આઈ.એમ.એફ.ની મદદ લેશે નહીં.
તેઓ તેમના મિત્ર દેશો જેવા કે, ચીન, સાઉદી અરેબિયા અને યુએઈ પર નિર્ભર હતા. જા કે, હવે ઈમરાન ખાને આઈ.એમ.એફ દ્વારા મૂકાયેલી તમામ શરતો માન્ય કરી છે. જેમાં નાણાંકીય પુનઃવ્યવસ્થાપન જાહેર નાણાંનું પુનઃનિર્ધારણ, મહેસૂલ ભંડોળમાં વધારા માટે વેરા દરોમાં વધારો કરવો, સબસિડીમાં ઘટાડો કરવા જેવા શરતોનો સમાવેશ થાય છે.
ઈમરાન ખાને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વેરા દરો તેમજ વીજળી અને ગેસના દરોમાં વધારો કરશે નહીં. કારણ કે, એનાથી સામાન્ય નાગરિકને વધુ મુશ્કેલી પડશે અને મોંઘવારી વધશે. નાણાંકીય કાર્યવાહી અંગેની આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ એફ.એ.ટી.એફ દ્વારા પણ પાકિસ્તાન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. હાલ પાકિસ્તાનને ગ્રે – લિસ્ટમાં રાખવામાં આવ્યું છે, પરંતુ ટૂંક સમયમાં પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં નાખવાની શક્યતા છે.
પાકિસ્તાની પ્રધાનમંત્રીએ દેશના નાણામંત્રી અસદ ઉમર અને રાષ્ટ્રીય બેન્કના ગર્વનર તારીક બજવાને બરતરફ કર્યા છે અને આઈ.એમ.એફ.ના ભૂતપૂર્વ અધિકારીઓને તેમની જગ્યાએ નિયુક્ત કર્યા છે, જે બતાવે છે પાકિસ્તાનનું અર્થતંત્ર મુક્ત પતનની દિશામાં છે. જીડીપી દર ૩.૯ ટકા ઉપર આવ્યો છે. જ્યારે મોંઘવારીનો દર ૯.૪ ટકા સુધી પહોંચ્યો છે. દેશ પાસે માત્ર નવ અબજ જેટલું વિદેશી ભંડોળ છે. આવી પરિÂસ્થતિમાં ઈમરાન ખાન પાસે આઈ.એમ.એફ.ની શરતો માન્ય કરવા સિવાય બીજા પર્યાય નથી. પાકિસ્તાનને હવે કડક નાણાંકીય તાલીમની જરૂર છે. જે માટે કડક કાર્યવાહી કરી શાંતિ નિર્માણ કરવી અને વિકાસકામો માટે નાણાંકીય સહાય આપવી જરૂરી છે. બીજું કે, તમામ રાજકીય નિર્ણયો સરકાર ઉપર છોડવાની જરૂર છે જ્યારે સેનાની ભૂમિકા માત્ર દેશની સુરક્ષા અને સલામતી પૂરતી મર્યાદિત રાખવાની જરૂર છે.
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનું ભંડોળ વૈશ્વિક સમુદાય માટે એક મોટી ચિંતા બની ગયું છે જે દેશને અન્ય દેશો અને સંસ્થાઓ પાસેથી સરળ લોન લેતા અટકાવે છે જેનાથી હાલની સમસ્યાથી પોતાની અર્થવ્યવસ્થાને બચાવી શકે. પાછળથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. બલૂચિસ્તાનના ગ્વાદર શહેરમાં નવનિર્મિત એક માત્ર ફાઈવ સ્ટાર હોટલ છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા. જેના માટે બલૂચિસ્તાન લિબરેશન આર્મિ (બીએલએ) દ્વારા જવાબદારી લેવામાં આવી છે. આ અગાઉ બલૂચિસ્તાનના હારનાઇ જિલ્લામાં ૧૪ લોકો માર્યા ગયા હતા. જેમાં મુસાફરોને એક બસમાંથી ઉતારીને ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાન નેવીના લોકો પણ હતા. બલૂચિસ્તાનમાં અલગાવવાદી આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે અને બીએલએ તેનું નેતૃત્વ કરી રહ્યું છે. બલૂચિસ્તાનના લોકોની ફરિયાદ છે કે, તે પાકિસ્તાનનો કુદરતી સંશાધનોથી ભરપૂર સૌથી મોટો પ્રાંત હોવા છતાં તે દેશનો સૌથી ગરીબ પ્રાંત રહ્યો છે. ખરેખર તો બલુચિસ્તાનના લોકો ચીન પાકિસ્તાન આર્થિક કોરીડોર – સી.પી.ઇ.સી.ના પણ વિરુદ્ધમાં છે, જેનો મોટા ભાગનો હિસ્સો બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. પરંતુ આ પ્રાંતને તેનો કોઈ વધારાનો લાભ મળતો નથી. હોટેલ પર થયેલો હુમલો આ પ્રોજેક્ટમાં ચાઇનીઝ દ્વારા કરાતા કામ વિરુદ્ધ રોષના ભાગરૂપે જાવાઈ રહ્યો છે. જેમાંના મોટાભાગના તેમના વ્યાપારિક પ્રવાસો દરમિયાન આ જ હોટલમાં રોકાય છે. આઈ.એમ.એફ. દ્વારા નાણાંકીય મદદએ દેશને ચલાવવા માટે કામચલાઉ રાહત છે. પાકિસ્તાની નેતાગીરીએ તેમના પોતાના લાભ માટે પરિÂસ્થતિની સર્વગ્રાહી સમીક્ષા કરવી જાઈએ.
નાણાંકીય સહાય મંજૂર
લેખક – અશોક હાન્ડુ, રાજકીય વિશ્લેષક
Comments
Post a Comment