Skip to main content

મજબૂત સરકાર માટે ભારતનું મતદાન

દેશના ૯૦ કરોડથી વધુ મતદાતાઓએ ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક જાડાણ – એનડીએને નિર્ણાયક આદેશ આપ્યો છે. પાછલા ૩૫ વર્ષમાં પહેલીવાર કોઈ એક જ પક્ષ લોકસભામાં ૩૦૩ બેઠકો જીત્યો છે. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બીજીવાર રાષ્ટ્રીય સલામતી અને વિકાસના મુદ્દે મતદારોનો સાથ મેળવી શક્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે કુલ સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ભારતીય મતદારોનો ચોતરફી ટેકો મળ્યો છે. એક સમયે જ્યાં તેની નગણ્ય હાજરી હતી તેવા પશ્ચિમ બંગાળ અને તેલંગણા જેવા રાજ્યોમાં પણ પક્ષ તેનો આધાર મજબૂત કરવામાં સફળ રહ્યો છે.

કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો તેમના મુદ્દા મતદારોને સમજાવી શક્યા નથી. એટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા પાંચ વર્ષમાં કરેલા કામોના કારણે ઘણા મતદારો તેમને ટેકા આપતાં થયા છે.

છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૩ વિકાસ યોજનાઓ એનડીએ સરકારે શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા ઝુંબેશ, રાંધણ ગેસની ઉજ્જવલા યોજના, સબસિડીઓનો સીધો લાભ, આજ સુધી બેન્કોથી વંચિત રખાયેલા કરોડો ભારતીયોને જાડવા માટેની જનધન યોજના જેવી અનેક પહેલને ભારતની જનતાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે એનડીએ સરકાર ખૂબ મજબૂત રીતે આગળ વધી હતી. તેણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ત્રાસવાદને સહેજ પણ સાંખી નહીં લેવાય. ભારતીય સલામતી દળોએ ત્રાસવાદના દૈત્ય સામેના સંઘર્ષમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. ખાસ કરીને સરહદ પારના ત્રાસવાદે ભારતના જમ્મુ-કાશ્મીરમાં તેનું માથું ઉચક્યું હતું. તેને નાથવામાં સરકારે મહત્વના પગલાં લીધા હતા. આ ઉપરાંત પુલવામા હુમલા પછી પાકિસ્તાનના કબજા હેઠળના બાલાકોટ, ચકોટી અને મુઝફરાબાદમાં આવેલી જૈશ-એ-મહમ્મદ ત્રાસવાદી તાલીમ છાવણી પરના ભારતના વળતા હુમલાને પણ જનતાનો ટેકો મળ્યો છે. મોદી સરકાર પાકિસ્તાની સરહદમાં તૂટી પડેલાં ભારતીય હવાઈ દળના યુદ્ધ જહાજનાં પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તત્કાળ મુક્ત કરાવવામાં પણ સફળ રહી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની વિદેશનીતિને નવું બળ દિશા આપવામાં પણ સફળ રહ્યા હતા. તેમની એક્ટઇસ્ટ નિતિ ભારતના પૂર્વદિશાના પાડોશી સાથે સંબંધો સુદૃઢ બનાવવામાં મહત્વની બની રહી હતી. આ ઉપરાંત ચીન સાથેના દોકલામ વિવાદનો સફળ અંત, અમેરિકા, રશીયા, ચીન, સાઉદી અરેબિયા, ઇરાન અને ઇઝરાયલ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં સફળતા એ પણ ભારતની જનતાને સારી એવી પ્રભાવિત કરી હતી.

૨૦૧૯ની ચૂંટણીમાં મતદારોએ જ્ઞાતિ, ધર્મ, ભાષા અને જાતિના મુદ્દાઓને ધ્યાનમાં લીધા વગેરે શ્રી મોદીને મત આપ્યો છે. મતદારો સારા જીવન માટે આશા રાખે છે અને તેઓ માને છે કે, માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા નેતા તેમને તે આપી શકે છે.

હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આ મુશ્કેલ કામ છે. અન્ન, આવાસ, શૌચાલય, રોકડ સહાય જેવી મૂળભૂત સુવિધા મળ્યા બાદ ગરીબોની આશા વધી ગઈ છે.

વાર્ષિક એક લાખ ૪૦ હજાર રૂપિયાની સરેરાશ માથાદીઠ આવકની સાથે ભારત મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં પ્રવેશ કરી રહ્યો છે. નવો ઉભરતો મધ્યમ વર્ગ સામંત શેલીના બેકારી ભથ્થા જેવા સહાયો કરતા પણ મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખી વિચારે છે. હવે ગ્રામીણ યુવક પણ શહેરી યુવકની સાથે રોજગારી માટે મશ્કરી કરે છે.

ભારતીય અર્થતંત્રને વધારાની જરૂર છે. છેલ્લા પાંચ વર્ષમાં ખોરાકની કિંમતમાં થોડો વધારો નોંધાયો છે. હાલ, વૈશ્વિક મંદીના જાખમ વધી રહ્યા છે. જેના પગલે ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. અને વૈશ્વિક વેપાર યુદ્ધ, કદાચ વાસ્તવિક યુદ્ધ પણ થઈ શકશે.

નવી સરકારને રોજગાર નિર્મિતોના ક્ષેત્રે ધ્યાન દોરવું જરૂરી છે. વધી રહેલી લોકસંખ્યા જાતા દરેકને રોજગાર આપવું સહેલું કામ નથી. Âસ્કલ ઇÂન્ડયા, મુદ્રા લોન, જેવી યોજનાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. શિક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રને વધુ ગતિ આપવાની જરૂર છે.

વેરા વ્યવસ્થામાં સુધારો લાવવાની જરૂર છે. દેશમાં વસ્તુ અને સેવા કર-જીએસટી લાગુ કરાયો છે જાકે, એને હજુ સરળ બનાવવાની જરૂર છે. એ કામ મુશ્કેલ છે કારણ લોકોની ખરીદ ક્ષમતામાં વધારા લાવવા પડશે અને સાથે સાથે સરકારની આવક વધારવા જાઈએ.

૨૦૧૪ કરતા આ વર્ષે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકોને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદી ભારતની સમસ્યાઓનો ઉકેલ લાવવાની અને ભારતને ટોચનું અર્થતંત્ર બનાવવાની ઇચ્છા ધરાવે છે. ભારતીય નાગરિકોને આશા છે કે, આવતા પાંચ વર્ષમાં ભારત નવી ઉચાંઈ પર પહોંચશે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સહિત વિશ્વના કેટલાંક નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે અને વિશ્વમાં વધુ સારી વ્યવસ્થા લાવવા પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...