ભારતના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે તાજેતરમાં શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એચસીઓ)ના વિદેશમંત્રીઓની મળેલી બેઠકમાં હાજરી આપી હતી. તાજેતરમાં મળેલી આ બેઠકમાં વિદેશમંત્રીએ બિસ્કેક, કિર્ગીસ્તાનની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ તેના એક દિવસ પહેલા તેમણે આ મુલાકાત લઈને ભારત માટે એસસીઓ બેઠક કેટલી મહત્વની છે તે પુરવાર કરી બતાવ્યું છે. ભારતના નેતાઓ છેલ્લા ઘણા વર્ષોથી એસસીઓ બેઠકમાં હાજરી આપતા આવ્યા છે, જે ભારતની એસસીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં રશિયાના ઉફા ખાતે યોજાયેલી એસસીઓની પંદરમી શિખર પરિષદમાં હાજરી આપી હતી. ગયા વર્ષે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે એસ.સી.ઓ. બેઠકમાં ચીન ખાતે હાજરી આપી હતી. આ બેઠક ડોકલામ, મડાગાંઠના મામલે ભારત માટે ખૂબ જ મહત્વની હતી, તે સાથે મધ્ય એશિયા અને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત કરવા માટે પણ મહત્વની સાબિત થઈ હતી. ૨૦૧૯ની એસ.સી.ઓ. બેઠકમાં ભારતના વિદેશમંત્રીએ બેઠકથી અલગ થઈને ઔપચારિક રીતે ચીનના વિદેશમંત્રી વાંગઈ સાથે બેઠક યોજી હતી અને વુહાન શિખર બેઠકમાં નક્કી કરાયેલા સિદ્ધાંતોને આગળ ધપાવવા માટે આ બેઠક મહત્વની સાબિત થઈ હતી.
ભારતનો એસ.સી.ઓ. સંગઠનમાં જૂન ૨૦૧૭માં પૂર્ણ સભ્ય તરીકેનો ઉમેરો થયો હતો. આ સંગઠનમાં ભારત અને પાકિસ્તાનની સદસ્યતાને કારણે એસ.સી.ઓ. એક યુરેશિયન તરીકે આકાર પામી રહ્યું છે અને ભારતીય ઉપખંડમાં તેનો ફેલાવો થઈ રહ્યો છે. ભારત માટે આ સંગઠનની બેઠકોમાં નિયમિત હાજરી, વાર્તાલાપ વગેરેના કારણે ભારતને તેનો રાજદ્વારી લાભ વિવિધ સ્તરે મળી રહ્યો છે.
એસ.સી.ઓ.માં ભારતની સદસ્યતાને કારણે કનેક્ટ સેન્ટ્રલ એશિયા એટલે કે મધ્ય એશિયા સાથે સંપર્ક નીતિને પ્રોત્સાહન મળી રહ્યું છે. એસ.સી.ઓ. સંગઠનમાં અફઘાનિસ્તાન અને ઈરાન નિરિક્ષક દેશો તરીકે કામ કરી રહ્યા છે. ભારતના વિદેશમંત્રીએ એસ.સી.ઓ. બેઠકને કરેલા સંબોધનમાં ભારતની એ પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો કે, અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણા ખૂબ સરળતાથી ચાલવી જાઈએ. તેમણે એસ.સી.ઓ.ના અફઘાનિસ્તાન સંપર્ક ગ્રૂપ પ્રક્રિયાને ભારતનો સંપૂર્ણ ટેકો આપવાની દરખાસ્ત કરી હતી.
તેમણે સંપર્ક ગ્રૂપ માટે ડ્રાફ્ટ રોડમેપ જલદીથી તૈયાર થાય તેની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ક્ષેત્રીય હિતધારકોના ટેકા વગર અને સંયુક્ત પ્રયાસો વગર સ્થાનિક સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવી શકશે નહીં અને પડતર બાબતો પડતર જ રહેશે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરવા માટે ભારત એસસીઓ સંગઠનને એક મહત્વના મંચ તરીકે જાઈ રહ્યું છે.
એસસીઓમાં ભારતનો ઉમેરો થવાથી ક્ષેત્રીય કક્ષાએ આંતકવાદનો સામનો કરવા માટે એક મહત્વનું સાધન બન્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં આતંકી હુમલા પછી ભારત આતંકવાદ સામેની લડાઈ માટે વધુ સક્રિય બન્યું છે, જેમાં એસસીઓ એક મહત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે.
આતંકવાદ વિરોધી ક્ષેત્રીય માળખાની સ્થાપના ત્રણ બાબતોનો ઉકેલ લાવવા અને તેમનો સામનો કરવા માટે મહત્વના છે, જેમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો સમાવેશ થાય છે. ભારત એસ.સી.ઓ.ની વાર્ષિક સભામાં હાજરી આપે છે, જેથી આતંકવાદ સામેની કવાયતને શાંતિ મિશન તરીકે ઓળખવામાં આવે છે. ભારત માટે એસ.સી.ઓ.ના મુખ્ય હેતુઓ મહત્વના છે, જે સમગ્ર ક્ષેત્રમાં આતંક વિરોધી પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.
ભારત કનેક્ટીવીટી, શાંતિ અને ક્ષેત્રમાં Âસ્થરતા જળવાઈ રહે તેની મજબૂતાઈ માટે સમર્પિત છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈન્ટર રિઝયનલ કનેક્ટીવીટી બાબતને વાસ્તવિક બનાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકીને હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. તેમણે નિર્દેશ કર્યો કે, ભારતની પ્રતિબદ્ધતા એ રીતે પણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે, ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર, ચાબહાર બંદર, અશ્ગાબેટ એગ્રીમેન્ટ અને ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ વચ્ચેના ત્રણ હાઈવેને પૂર્ણ કરવાના પ્રોજેક્ટમાં સામેલ થયેલું છે. આમ છતાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનેશિયેટીવ (બીઆરઆઈ)નું હાલમાં જે સ્વરૂપ છે, તે ભારતની વિદેશનીતિની અગ્રતાઓની પડકાર સમાન છે. ભારત એ પ્રકારની માંગણી કરી રહ્યો છે કે આ પ્રોજેક્ટમાં સાર્વભોમત્વ અને દેશની સીમા રેખાઓની અખંડિતતા જળવાયેલી રહેવી જાઈએ. એટલું જ નહિં આ પ્રોજેક્ટ સર્વગ્રાહી, મજબૂત અને પારદર્શક હોવો જાઈએ.
એસસીઓ સંગઠને ભારતને માત્ર મધ્ય એશિયાના દેશો સાથે સતત સંપર્ક અને વ્યસ્ત રાખવામાં મદદ કરી છે એવું નથી પરંતુ તેની સાથે આ સંગઠને રશિયા અને ચીન કે જે એશિયાના બે મોટા દેશો છે. તેમની સાથે પણ સંપર્ક જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. યુરો-એશિયન રિજીયન કેટલાંક પડકારોનો સામનો કરી રહ્યો છે, જેમાં આતંકવાદ કનેક્ટીવીટીની ઉણપ, ક્ષેત્રીય શાંતિ અને Âસ્થરતાનો અભાવ તથા ક્ષેત્રીય આર્થિક વૃદ્ધિમાં ધીમી ગતિ એક પડકારરૂપ છે. આ એક મહત્વની બાબતો છે. ભારતની એસસીઓ સંગઠનમાં સતત હાજરી અને રજૂઆતને કારણે આ સંગઠનને વધુ બળ મળ્યું છે. ભારતની એસસીઓ સંગઠનમાં સામેલગીરી ખૂબ જ મહત્વની બની રહે તેમ છે.
વર્ષો બાદ એસસીઓ એક મજબૂત ક્ષેત્રીય જૂથ તરીકે ઉભરી આવ્યું છે, તે સભ્ય દેશોને એકબીજા સાથે ખુલ્લા દિલે મંત્રણા કરવાની વૈવિધ્યપૂર્ણ તકો પૂરી પાડે છે, તેના કારણે જ ભારત આ સંગઠનમાં વર્ષોથી રહીને સભ્ય દેશો સાથે સાતત્ય પૂર્ણ સંબંધો બનાવી રહ્યું છે.
Comments
Post a Comment