Skip to main content

ઈન્ડોનેશિયામાં જોકોવી ફરી એકવાર સત્તા આવ્યા


એક મહિનાની રાહ જાયાબાદ ઈન્ડોનેશિયામાં જોકોવી નામથી ઓળખાતા જાકો વિડોડોએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હોવાની જાહેરાત કરવામાં આવી. ઈન્ડોનેશિયામાં ગત ય૧૭મી એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઉપરાંત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે પણ મતદાન થયું હતું. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તર પર એક જ દિવસે ચૂંટણી યોજાવામાં આવી હતી. જેમાં ૧૫ કરોડ ૪૦ લાખ જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઈન્ડોનેશિયાના ચૂંટણીપંચે ૨૧મી મેના રોજ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરી હતી. સમગ્ર એશિયાના સંદર્ભમાં જાકોવિની જીત મહ¥વપૂર્ણ છે.

ભારત ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા આ ત્રણ પાડોશી લોકશાહી દેશોને એક સાથે લોકશાહીનો મહાતહેવાર ઉજવાયો. ભારતમાં નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયામાં સ્કોટ મોરિસને શાનદાર જીત હાંસલ કરી હતી.

ત્રણેય દેશોના આગેવાનોને ચૂંટણીમાં મુશ્કેલી પડશે તેવો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જા કે, જોકોવી, મોદી એને મોરિસન આ ત્રણેય નેતાઓના કેસમાં આ અનુમાન ખોટું સાબિત થયું અને ત્રણેયને શાનદાર વિજય મળ્યો છે. ચૂંટણીમાં જોકોવી ૫૫ ટકા મત મળ્યા છે, જ્યારે તેમના હરિફ પ્રેબોવો સુબીએન્ટો માત્ર ૪૫ ટકા મત જ મેળવી શક્યા હતા. પ્રેબેવો ૨૦૧૪માં પણ જોકોવી સામે ચૂંટણી લડ્યા હતા, ત્યારે પણ તેઓ હારી ગયા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં જોકોવીને મળેલી જીત લોકો વચ્ચેની તેમની લોકપ્રિયતા બતાવે છે.

રાષ્ટ્રીય વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, જોકોવીના આગેવાની હેઠળની ઈન્ડોનેશિયન ડેમોક્રેકિટ પાર્ટી ઓફ સ્ટ્રગલ બે કરોડ ૭૦ લાખ મત સાથે સૌથી મોટો પક્ષ તરીકે વિજયી થયો છે. જો કે, જોકોવી ની ચૂંટણી જીત બાદ વિરોધ પક્ષોએ ચૂંટણી પ્રક્રિયાને અનુચિત અને પક્ષપાતી ગણાવતા ઈન્ડોનેશિયામાં નવો વિવાદ સર્જાયો છે.

વિરોધ પક્ષે જનાદેશનો અસ્વીકાર કરતા જકાર્તામાં થયેલા તોફાન છ લોકોના મોત નોંધાયા હતા, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમાં છતાં પરિસ્થિતિ કાબૂમાં લાવવામાં આવી છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયા સાઈટસ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વિરોધ પક્ષે ચૂંટણીના પરિણામોને અદાલતમાં પડકાર આપવાનો નિર્ણય કર્યો છે. ગત ચૂંટણી દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા આવો પ્રયાસ કરાયો હતો, જે નિષ્ફળ રહ્યો હતો. ચૂંટણીમાં કૌભાંડ થયું હોવાના દાવાના સમર્થનમાં વિરોધ પક્ષ પાસે કોઈ ચોક્કસ પૂરાવા ન હોવાના કારણે આ વખતે પણ તેમના પ્રયાસો નિષ્ફળ થવાની પૂરેપૂરી સંભાવના છે.

જોકોવી અને નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવતા ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધો નવા સ્તરે વિકસાવવામાં આવશે. ભારત અને ઈન્ડોનેશિયા પ્રાદેશિક શાંતિ, Âસ્થરતા, નાણાંકીય વિકાસ, પારંપરિક અને અપારંપરિક સલામતી પડકારો સામેની લડાઈ એવા કેટલાક વિષયોમાં સમાન રસ અને પડકાર ધરાવે છે. આસિયાનનો આગેવાની હેઠળના પૂર્વ એશિયા શિખર પરિષદ, આસિયાન પ્રાદેશિક ફોરમ ઉપરાંત બંને દેશો જી ટ્‌વેન્ટી જેવા મહત્વના જૂથના સભ્યપદ ધરાવે છે.

વર્ષ ૨૦૧૮ની શ્રી મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન બંને દેશોએ તેમના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સાથે ઉન્નત કર્યા. ઈન્ડોનેશિયાના ગ્લોબલ મેરિટાઈમ ફૂલક્રમ અને ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને તમામ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ એટલે એસ.એ.જી.એ.આર.માં ઘણી સમાનતા છે. જે એકબીજાને તેમની વ્યૂહાત્મક અને આર્થિક પ્રાથમિકોને સમન્વયિત કરે છે.

બંને દેશો વચ્ચે દ્વિ-પક્ષીય વેપાર ૨૦ બિલિયન અમેરિકન ડોલરનો છે. ભારતીય પ્રધાનમંત્રીની ઈન્ડોનેશિયાના મુલાકાત દરમિયાન બંને દેશોએ ૨૦૨૫ સુધીમાં દ્વિ-પક્ષીય વેપારમાં ૫૦ બિલિયન અમેરિકન ડોલરનો વધારો કરવાનું વચન આપ્યું હતું. નવા હાથ ધરવામાં આવેલા પાંચ વર્ષના જનાદેશ સાથે બંને રાજકીય નેતાઓ પરસ્પરના સહયોગથી પોતાના દેશના હિતોને આગળ વધારવાની સંભાવના ધરાવે છે, જે વેપાર અને રોકાણમાં અવરોધ દૂર કરી સહકારના નવા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધનના માધ્યમથી કરવાની જરૂર છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...