નવી દિલ્હીમાં યોજાયેલી વિશ્વ વેપાર સંસ્થા WTOની મંત્રીસ્તરની બેઠકમાં ગરીબ તથા વિકાસશીલ દેશો માટે ખાસ અને જુદા જુદા પ્રકારની વ્યવસ્થા – એસ એન્ડ ડી.ટી. ફરીથી લાગુ કરવાની તરફેણ કરવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ વિકાસ શીલ દેશોને સમગ્ર વિશ્વમાં વેપાર ક્ષેત્રે થયેલા સમજૂતી કરારોમાં મળતી વિવિધ રાહતોનો વધુમાં વધુ ઉપયોગ કરવા તથા WTOના નેજા હેઠળની બહુસ્તરીય વેપાર વ્યવસ્થાની પુનઃ રચના કરવાનો અનુરોધ કરાયો હતો. નવી દિલ્હીમાં યોજાયેલી WTOની મંત્રીસ્તરની બેઠકમાં ૨૨ દેશોના પ્રતિનિધિઓએ WTOમાં તાજેતરમાં થયેલા બનાવો અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા WTO ઉપલબ્ધ બહુસ્તરીય વેપાર વ્યવસ્થાને ટકાવી રાખવા પણ ચર્ચા કરાઈ હતી. અમેરિકાના વહિવટી તંત્ર દ્વારા WTOની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની એપેલેટ સંસ્થામાં કરવા પાત્ર નિમણૂકોનો વિરોધ કરવામાં આવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર ક્ષેત્રના વિવાદમાં અમેરિકાના વિરોધમાં ચૂકાદો ન આવે તેવો અમેરિકાનો હેતુ હોવાથી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ઉપÂસ્થત પ્રતિનિધિઓએ અમેરિકાના આ વલણનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં WTOની ફરિયાદ નિવારણ સંસ્થામાં બાકી રહેલી નિમણૂકો શક્ય એટલી વહેલી તકે કરવા અને આ સમગ્ર વ્યવસ્થાની કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરવાનો પણ અનુરોધ કરાયો હતો.
ભારતના વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, વિશ્વના કેટલાંક મોટા દેશોએ વેપાર ક્ષેત્રે સંરક્ષણવાદની નીતી અપનાવી છે તથા વિવિધ દેશો વચ્ચેના વેપાર ક્ષેત્રના તનાવમાં થોડીક જ રાહત મળી છે તેવી પાર્શ્વભૂમિમાં નવી દિલ્હીમાં યોજાયેલી WTOની બેઠક આગવું મહત્વ ધારણ કરે છે.
વાણિજ્યમંત્રીએ આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસશીલ દેશોમાં રહેતાં ૭.૩ અબજ લોકોને વેપાર ક્ષેત્રે સહન કરવું ન પડે તે જરૂરી છે. અને WTO સંસ્થા આ બાબતોનું ધ્યાન રાખે છે. વિકાસશીલ દેશોનો વિકાસ સહાય દ્વારા નહીં પણ વેપાર દ્વારા થવો જાઈએ.
WTOના મહાનિદેશક રોબર્ટો અઝેવેદોએ પણ આ જ બાબત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, WTO સંસ્થાએ તમારી સંસ્થા છે અને તમારો મત WTOમાં સુધારા હાથ ધરતી વખતે સંભળાય તે માટે પ્રયાસો કરવા જાઈએ.
તેમણે WTOના દેખરેખ, વિવાદ નીવારણ અને ચર્ચા આ ત્રણ આધારસ્તંભો બાબતે સભ્ય દેશોએ કરેલી ચર્ચા વિચારણા અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, વિકાસશીલ અને ઓછા વિકસીત દેશોને બહુસ્તરીય વેપાર નિયમોના અમલીકરણમાં વધુ સમય આપતી એસ એન્ડ ડી.ટી. સંધિની વ્યવસ્થા વધુ ઇનોવેટીવ અને બે દેશો વચ્ચેની ખાઈ દૂર કરનાર હોવી જાઈએ.
શ્રી અઝેવેદોએ વિકાસશીલ દેશોને લાભ થાય તે માટે વેપારને સાનુકૂળ મોડલ વિકસાવવાની તરફેણ કરી હતી. જ્યાં સંબંધિત દેશો પોતાના બેન્ચમાર્ક નક્કી કરી શકે. ભારત અને ચીને એસ.એન્ડ ડી.ટી. સંધિને યોગ્ય ગણાવીને તેને જાળવી રાખવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો. બંને દેશોએ WTOની ભવિષ્યકાળની સમજૂતીઓમાં ઓછા વિકસિત દેશોના પડતર પ્રશ્નો ઉપર ધ્યાન આપવાને ટોચની અગ્રતા મળવી જાઈએ.
કઝકસ્તાન, તુર્કી, અર્જેન્ટીના, બ્રાઝિલ અને ગ્વાટેમાલા આ પાંચ દેશોએ સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા.ભારતના WTO ખાતેના કાયમી પ્રતિનિધિ જે.એસ.દિપકે જણાવ્યું હતું કે, ભારતની એસ એન્ડ ડીટી અંગેનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. ભારત માને છે કે, આ પદ્ધતિ WTOની વ્યવસ્થાનો આવશ્યક ભાગ છે. જાકે, ભારત સભ્યો દેશોના વધુ વર્ગીકરણમાં માનતો નથી. સમગ્ર રીતે જાતાં એકઠા થયેલા ૨૨ પૈકી ૧૭ સભ્ય દેશોએ WTOની વિકાસશીલ દેશોની લગતી ખાસ અને જુદા દેશો અંગેની જાગવાઈઓ મજબૂત બનાવવા ભારપૂર્વક તરફેણ કરી હતી.
દિલ્હીની બેઠક બાદ જાહેર થયેલા મંત્રી સ્તરના ઘોષણા પત્રમાં ભારતની સહભાગીતા વિના WTOના ૭૫ દેશો દ્વારા ઇલેક્ટ્રોનિક – કોમર્સ બાબતે બહુસ્તરીય વ્યવસ્થા અંગે ચર્ચા થઈ રહી છે તેનો ઉલ્લેખ કરાયો નથી. ઘોષણા પત્રમાં જણાવ્યું છે કે, સર્વસંમતિ આધારિત બહુસ્તરીય વેપાર વ્યવસ્થા એ સર્વગ્રાહી વિકાસ માટે મદદરૂપ થતી હોવાથી તેને WTOના નિયમો હેઠળ જાળવી રાખવી જાઈએ.
લેખક – જી.શ્રીનિવાસન,વરિષ્ઠ પત્રકાર
Comments
Post a Comment