Skip to main content

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ

ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ પાકિસ્તાનમાં વ્યાપક બની છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ સામે કરાયેલી કાર્યવાહી બાદ હવે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસીફ ઝરદારી પર પણ સકંજા કસાયો છે. તાજેતરમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે સપાટો બોલાવ્યો છએ અને ભ્રષ્ટાચાર સામેની જેહાદ જગાવી છે, તેની રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા નેશનલ એકાઉન્ટેબીલીટી બ્યૂરો દ્વારા ખોટા બેન્ક ખાતાંઓના કેસમાં આસીફ અલી ઝરદારી સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટોના પિતા ઝરદારી પાકિસ્તાનની સંસદ નેશનલ એસેમ્બલીના સાંસદ પણ છે. તેમની આગોતરા જામીન અરજી ઈસ્લામાબાદ વડી અદાલતે નકારી કાઢી હતી. પરિણામે ધરપકડ માટેનો માર્ગ ખુલ્લો મૂકાયો હતો, તેની સાથે તેમની બેન ફરયાલ તાલપુરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ બાબત મૂળ ૨૦૧૫ની છે. પાકિસ્તાનની તપાસ સંસ્થા - ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા ખોટા હેન્ક ખાતાઓ અને બનાવટી નાણાં વ્યવહાર અંગેનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ હેતુથી ૨૯ જેટલાં બોગસ બેન્ક ખાતાંઓ જપ્ત કર્યા હતા, તેમાં સમીટ બેન્ક, સિન્ધ બેન્ક અને યુબીએચ બેન્કનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સાત જણા સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તેમાં આસીફ અલી ઝરદારી અને તેમની બેન ફરયાલ તાલપુરનો પણ સમાવેશ થયો હતો. તેઓ દ્વારા ભ્રષ્ટાચાર હેઠળ મળી રહેલી આવક આ ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી. આ અંગેની તપાસમાં ઢીલને જોતાં સર્વોચ્ચ અદાલતે કાર્યવાહી કરવા માટે સુઓમોટો અરજી કરવામાં આવી હતી. આ માટે અદાલતે એક તપાસ એજન્સીની પણ રચના કરી હતી. આ સંયુક્ત અહેવાલ અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો, તેમાં ૩૩ જેટલા બોગસ બેન્ક ખાતાંઓ જાણવા મળ્યા હતા. આ કૌભાંડ સાથે સંકળાયેલા ૧૭૦ જણા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તેઓ દેશ છોડીને ન જાય તેની તકેદારી રાખવામાં આવી હતી. આ કૌભાંડમાં એક બનાવટી કંપની રચવામાં આવી હોવાની માહિતી પણ બહાર આવી હતી અને તે કંપનીને સાડા ચાર અબજ રૂપિયા આપવામાં આવ્યા હતા, તેમાંથી ૩ કરોડ રૂપિયા આસીફ અલી ઝરદારી જૂથને ચુકવાયા હતા. આ માટેના બે જુદા જુદા વ્યવહારો પણ ધ્યાનમાં આવ્યા હતા. આ માટે તપાસ એજન્સીએ તમામની સામે કેસ કર્યા હતા. કરાંચીની બેન્કીંગ અદાલત દ્વારા આ સંદર્ભમાં ધરપકડ વોરન્ટ બહાર પાડવામાં આવ્યા હતા. પરિણામે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ આગોતરા જામીન મેળવ્યા હતા. તેમણે આ હેતુથી ઈસ્લામાબાદ વડી અદાલતમાંથી જામીન મેળવી લીધા હતા. ઓગસ્ટ ૨૦૧૮માં આ કેસને કરાંચી એકાઉઉટેબિલીટી બ્યૂરોમાંથી ફેરબદલ કરાયો હતો અને ઈસ્લામાબાદ બ્યૂરોને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં મૂડીરોકાણકારોએ આસીફ અલી ઝરદારી વગ વાપરતાં હોવાના આક્ષેપો કર્યા હતા. તપાસ દરમિયાન મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે બે આરોપીઓ અદાલતના સહયોગી બન્યા અને આસીફઅલી ઝરદારી તથા ફરયાલ તાલપુરની વિરોધમાં સાક્ષી બનવા તૈયારી દર્શાવી, તેના કારણે ઝરદારીના ઘણા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં બંને ભાઈ-બહેન જામીન પર છૂટેલા હતા. પરિણામે તેનો પણ વ્યાપક વિરોધ થયો હતો.

ગયા સોમવારે તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી અને એટલે ધરપકડ માટેનો રસ્તો ખુલ્યો હતો.

પાકિસ્તાનમાં હાલ ઈમરાન ખાનની સરકાર દ્વારા મહત્વના ઘણા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવ્યું છે, તેમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી પણ મુખ્ય છે. પરિણામે ભ્રષ્ટાચારના તમામ આરોપીઓને જેલને હવાલે કરવા માટેની કટીબદ્ધતા વ્યક્ત કરી સખ્ત કાર્યવાહી તૈયારી દર્શાવી હતી.

પાકિસ્તાનનું અર્થતંત્ર આમ પણ ઘણા સમયથી ડામાડોલ છે તે માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને ચીન તથા સાઉદી અરેબિયા જેવા દેશોએ તેને વિશેષ પેકેજ પણ પૂરું પાડ્યું છે.

પાકિસ્તાન સરકાર નાણાંકીય સ્વાયત્તતા દ્વારા અર્થતંત્રને બેઠું કરવા પ્રયત્નશીલ છે, ત્યારે આ પ્રકારનાં છીંડા પૂરવાં પણ તેના માટે જરૂરી બને છે. ઈમરાન ખાને ભ્રષ્ટાચારીઓ સાથે સખ્ત કાર્યવાહીની ચેતવણી આપેલી છે. નૂતન ભારતની જેમ ત્યાં પણ નૂતન પાકિસ્તાનની સંકલ્પના ઈમરાન ખાને રજુ કરી છે. ભ્રષ્ટાચાર નાબુદ કરીને વધુને વધુ નાણાં દ્વારા જાહેર સુવિધાઓ ઉભી કરવાનું વનચ આપ્યું છે. શિક્ષણ, આરોગ્ય માટેનાં માળખાં ઉભા કરવાના પ્રયત્નો આદર્યા છે. તેમણે રીયાસતે મદીના ઉભી કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે અને કલ્યાણ રાજ્યનો અભિગમ અપનાવ્યો છે. જાકે ત્રાસવાદ અને તેને મળતી નાણાં સહાય અંગે તેમણે હરફ પણ ઉચ્ચાર્યો નથી.

લેખકઃ આકાશવાણીના સમાચાર વિશ્લેષક, કૌશિક રોય

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...