Skip to main content

ભારતને પેરિસમાં જી-સેવન પરિષદમાં આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૨૪થી ૨૬ ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન દક્ષિણ ફ્રાન્સના બાયેરીટ્‌ઝ ખાતે યોજાનારી ૪૫મી જી-સેવન શિખર સંમેલનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, ચીલી અને સાઉથ આફ્રિકાને પણ વિશેષ આમંત્રણ આપ્યું છે.

જી-સેવન સામાન્ય રીતે વિશ્વ સમુદાયના પ્રમુખ નેતાઓને તેના આઉટરીચ સત્રોના માધ્યમથી વૈશ્વિક સમુદાયના પડકારોનો સામનો કરવાની ચર્ચામાં જાડે છે.

આ આમંત્રણ એટલે પણ મહત્વપૂર્ણ છે કે, આર્થિક અને રાજકીય શÂક્તના રૂપમાં ભારતના વધતા ઉત્પાદનનો સ્વીકાર્ય થયો છે, જે ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની ગહન અભિવ્યÂક્ત છે અને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેના વ્યÂક્તગત સંબંધ અને મૈત્રીની સાક્ષી છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વૈશ્વિકીકરણને પ્રોત્સાહન આપવામાં અને પર્યાવરણના સંરક્ષણમાં ભારતની ભૂમિકાને બિરદાવી હતી. ૨૦૧૫માં પેરિસમાં યોજાયેલી સીઓપી-૨૧ પરિષદ દરમિયાન શ્રી મોદીએ એ સમયના ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાંડની સાથે આંતરરાષ્ટ્રીય સૌર જાડાણ (આઈએસએ)નો શુભારંભ કરાવ્યો હતો. જૂન ૨૦૧૭માં ફ્રાન્સની ચૂંટણીમાં વિજય મેળવ્યા બદલ શ્રી મેક્રોનને અભિનંદન આપવા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેન્ટ પીટર્સબર્ગ ખાતેની આંતરરાષ્ટ્રીય નાણાંકીય મંચની બેઠક પૂર્ણ કરી સીધા પેરિસ પહોંચ્યા હતા. પેરિસ સંધીમાંથી ખસી જવાની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ પ્રધાનમંત્રીની આ પેરિસ મુલાકાત મહત્વપૂર્ણ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોને સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, તેઓ પેરિસ સંધિ હેઠળની પ્રતિબદ્ધતાઓનો પાલન કરવાનું શરૂ રાખશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની માર્ચ ૨૦૧૮ની ભારત મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય સૌર જાડાણની સ્થાપના અંગેની પરિષદ યોજવામાં આવી હતી.

વૈશ્વિકીકરણ, જળવાયુ પરિવર્તન અને જળવાયુ ન્યાય જેવા મુદ્દાઓ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આતંકવાદના મુદ્દા પર સમાન વિચાર ધરાવે છે. ભારત અને ફ્રાન્સ બંને આતંકવાદનો ભોગ બનેલા છે. બંને દેશ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતીનું પાલન કરે છે. અને આ સંકટને હરાવવા માટે દરેક સંભવિત પગલા લેવાની તરફેણમાં છે. પ્રધાનમંત્રીએ આ મહિનાની આઠમી તારીખે માલદીવ્સની સંસદમાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આતંકવાદના સંકટનું આહવાન કર્યું હતું, જેને ફ્રાન્સે ટેકો આપ્યો છે.

જી-સેવનમાં સાત સૌથી મોટી અને વિકસિત અર્થતંત્રોનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક કુલ સંપતિના ૫૮ ટકા, સામાન્ય મૂલ્યોના આધારે વૈશ્વિક કુલ ઘરેલું આવકના ૪૬ ટકા અને ખરીદ શÂક્ત સામ્યતા ઉપર વૈશ્વિક જી.ડી.પી.ના ૩૨ ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાનો સમાવેશ થાય છે.

જી-સેવન પરિષદોમાં યુરોપીય સંઘનું પણ પ્રતિનિધિત્વ છે. આ જૂથને જી-સીક્સ તરીકે ફ્રાન્સ દ્વારા ૧૯૭૫માં શરૂ કરાયું હતું અને તેમાં કેનેડાનો ઉમેરો થતાં એક વર્ષ પછી તે જી-સેવન તરીકે ઉભરી આવ્યું હતું. રશિયાને ૧૯૯૭માં આ જૂથમાં આમંત્રિત કરાયું હતું. જેથી તે જી-એઇટ બન્યું હતું. પરંતુ ૨૦૧૪માં ગુના સાથે રશિયાના જાડાણથી તેને કાઢી મૂકાયું હતું.

તેની શરૂઆતથી જ આ જૂથ વૈશ્વિક આર્થિક અને નાણાંકીય વિકાસની ચર્ચા કરે છે અને વૈશ્વિક વેપાર અને અર્થતંત્રની સુવ્યવÂસ્થત વૃદ્ધિ માટે નિર્ણયો લે છે. આર્થિક, સુરક્ષા અને ઉર્જા સંબંધિત નીતિઓનું સંકલન કરવા માટે જી-સેવન એક મહત્વનો મંચ છે.

જાકે, ૧૯૯૯માં સરકારો અને ૧૯ દેશોની કેન્દ્રીય બેન્કોના ગવર્નરો, અને યુરોપીય સંઘ માટે આંતરરાષ્ટ્રીય મંચ તરીકે જી-ટ્‌વેન્ટી અÂસ્તત્વમાં આવ્યું તે પછી જી-સાતની સુસંગતતા પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. ૨૦૦૭-૦૮માં આંતરરાષ્ટ્રીય આર્થિક અને નાણાંકીય કટોકટીના પગલે જી-ટ્‌વેન્ટીને રાજ્યોના વડા કે સરકારના વડાના સ્તર સુધી ઊચું લાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં જી-૨૦ વર્ષમાં બે વાર મળતા હતા પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોમાં તે વાર્ષિક એક બેઠક યોજે છે. ભારત આ ચર્ચાઓમાં નિયમિત પણે અને સક્રિય રીતે ભાગ લે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૮ અને ૨૯ જૂન, ૨૦૧૯એ ઓસાકા, જાપાન ખાતે હવે પછીની જી-ટ્‌વેન્ટી પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી જી-સેવન પરિષદમાં હાજરી પછી ફ્રાન્સની દ્વિપક્ષીય મુલાકાતે જશે. શ્રી મોદીની જી-સેવન પરિષદમાં સહભાગિતા લાંબાગાળે ભારતની પશ્ચિમી સરહદેથી વધતા આતંકવાદ સામે લડવાના હિતોને આગળ વધારવામાં સાથે વૈશ્વિક પર્યાવરણ બચાવવામાં અને ન્યાયી અને સંતુલિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...