Skip to main content

ભારતના પ્રધાનમંત્રીની કિર્ગીઝસ્તાનની મુલાકાત અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી મુદત માટે પ્રધાનમંત્રી બન્યા પછી ગત ૧૩ અને ૧૪મી જુનના રોજ કિર્ગીઝસ્તાનના બીશ્કેકની મુલાકાત લીધી હતી. આ વખતે તેઓએ કિર્ગીઝસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સોરાનબે જીનબેકોવ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રમુખ જીનબેકોવ સાથેની આ મંત્રણા ખાસ અને વ્યુહાત્મક રીતે મહત્વની હતી. ગત ૩૦મી મે ૨૦૧૯માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની શપથવિધીમાં શ્રી જીનબેકોવ મહત્વના મહેમાનો પૈકી એક હતા.

બીશ્કેકમાં યોજાયેલી એસ.સી.ઓ.ની બેઠકમાં અને ત્યારપછી ભારત અને કિર્ગીઝ વેપારમંચની સફળ અને મહત્વની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપ્રમુખ જીનબેકોવે સાથે સંબોધન કર્યું હતું.

ભારત અને કિર્ગીઝસ્તાને, બેવડા કરવેરા નિવારણ સમજુતી તથા દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધીને આખરી ઓપ આપ્યો છે. આ સંધીઓના કારણે ભારત – કિર્ગીઝ વચ્ચેના દ્વિપક્ષીય વેપાર માટે અનુકૂળ વાતાવરણ ઊભુ થશે.

આ સંધીના લીધે આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટેનું આયોજન કરી શકાશે. વર્ષ ૨૦૧૬-૧૭માં બંને દેશો વચ્ચેનો વેપાર ૨૨.૬૬ મીલીયન ડોલરનો હતો. ભારતથી કિર્ગીઝસ્તાનમાં થતી નિકાસ બે કરોડ ૨૬ લાખ અમેરીકી ડોલરની હતી જયારે કિર્ગીઝસ્તાનથી ભારતમાં કરાતી નિકાસ માત્ર ૨૩ લાખ અમેરીકી ડોલરની હતી. આમ, બંને દેશો વચ્ચેનો વેપાર વધારવાની ક્ષમતા બંને દેશોએ ઓળખી છે.

બંને આગેવાનોએ એમ પણ સ્વીકાર્યું છે કે, ઇરાનનું ચાબહાર બંદર, ભારત અને કિર્ગીઝસ્તાન વચ્ચેના વેપાર માટે મદદરૂપ બનશે.

ભારત અને કિર્ગીઝસ્તાન વેપારને અનુકૂળ ઉત્તર-દક્ષિણ આંતરરાષ્ટ્રીય કોરીડોર માટે કામ કરી રહ્યા છે.

ભારત – કિર્ગીઝ વેપાર બેઠકમાં શ્રી નરેન્દ્ર મોદીએ, ભારતમાં ઉપલબ્ધ વેપાર વધારવાની ક્ષમતાનો ઉપયોગ કરવા કિર્ગીઝના વેપારી આલમને અનુરોધ કર્યો.

તેમણે કહ્યું કે, ભારત પાસે વેપારને પ્રોત્સાહન મળે તેવા સંપર્ક યોગ્ય વાતાવરણ તથા બિઝનેસ - ટુ - બીઝેનસ આદાન - પ્રદાનની સારી તકો છે.

તેમણે કહ્યું કે, ભારત, કિર્ગીઝસ્તાનમાં ઓર્ગેનીક ઉત્પાદનો ડેરી ઉત્પાદનો, કાપડ, રેલવે, જળ-વિદ્યુત, ખાણ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં મૂડી રોકાણ કરી શકે છે.

શ્રી મોદીએ, ભારતમાં વેપાર ક્ષેત્રે રોકાણ કરવા આગળ આવવા કિર્ગીઝસ્તાનના વેપાર ઉદ્યોગ ક્ષેત્રને આમંત્રણ આપ્યું.

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત આગામી પાંચ - છ વર્ષોમાં પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનશે.

આ હેતુથી ભારતે યુવાનો અને નવકલ્પના કરનાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતમાં અર્થતંત્રનો દરજ્જા તથા ટેકનોલોજી ક્ષેત્રે થયેલી પ્રગતિની લીધે કિર્ગીઝસ્તાનના વિકાસને પણ નવું બળ મળશે.

આથી જ ભારતે – કિર્ગીઝસ્તાન સાથે વેપાર ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવાનું કરેલું આયોજન ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના ભાગરૂપે છે.

ભારત મધ્ય એશિયાના પાંચ દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ભારત આ દેશોને કેટલું મહત્વ આપે છે તે બાબત ભારત દ્વારા બીશ્કેકમાં આ વર્ષે યોજાનાર નમસ્કાર યુરોએશીયા વેપારી બેઠક પરથી જણાય છે.

ભારત અને કિર્ગીઝસ્તાને સંરક્ષણ, વેપાર, મૂડીરોકાણ તથા આરોગ્ય ક્ષેત્રે ૧૫ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે.

બંને દેશોએ વ્યુહાત્મક ભાગીદારી વધારવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતે કિર્ગીઝસ્તાનમાં વિવિધ વિકાસકામો માટે ૨૦ કરોડ અમેરીકી ડોલરનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે.

ભારત અને કિર્ગીઝસ્તાને આગામી ૨૦૨૧ના વર્ષને સાંસ્કૃતિક તથા મૈત્રીના સંબંધોના વર્ષ તરીકે ઉજવવાનો પણ નિર્ણય લીધો છે.

આમ સમગ્ર રીતે જાતા વેપાર – મૂડીરોકાણ મૈત્રી સંબંધો તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન તથા વિકાસની દ્રષ્ટિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કિર્ગીઝસ્તાનની મુલાકાત ફળદાયી અને સફળ થઇ છે.

આ બાબત વાસ્તવમાં ઉતારવા બંને દેશોએ સમજૂતીઓનો વાસ્તવમાં અમલ કરવો પડશે.


લેખક : ડોકટર ઇન્દ્રાણી તાલુકદાર, રશિયા અંગેના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...