પાકિસ્તાનમાં રાજકીય ક્ષેત્રે હીલચાલ અને વધુ સક્રિયતા જાવા મળી રહી છે.
સત્તાધારી પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટી – પીટીઆઈએ સરકાર વિરોધી અવાજ સામે ગાળીયો કસવાની શરૂઆત કરી છે, જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓની ધરપકડ, અસીફ અલી ઝરદારી તથા હમજા શાહબાઝની સામેની કાર્યવાહી, પશ્તુન તહફૂઝ મુવમેન્ટ જેવા જૂથોને કચડવાનો પ્રયાસ જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. ઈમરાન ખાન સરકાર વ્યુહાત્મક રીતે રાજકીય વિરોધીઓને શાંત પાડવાના વ્યુહાત્મક પગલાં લઈ રહી છે. જાતે જ દેશવટો ભોગવી લેવા એમ.ક્યૂ.એમ. પક્ષના વડા અલ્તાફ હુસેનની બ્રીટીશ સરકાર દ્વારા કરાયેલી ધરપકડ પાછળ પાકિસ્તાન સરકારનો જ દોરીસંચાર હોવાનું મનાય છે. પાકિસ્તાન સરકાર સમાજના કોઈપણ જૂથમાંથી ઊઠતા વિરોધના સૂર શાંત પાડવા, પાક સેનાની જેમ જ વર્તન કરતી જણાય છે.
જાકે રાજકીય વિરોધને કચડી નાખવાના કે રૂંધવાના પ્રયાસો, આવો પ્રયાસ કરનારને જ નુકસાન પણ કરી શકે છે.
નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરો – એન.એ.બી.ના ઓઠા હેઠળ વિરોધ પક્ષના અગ્રણીઓની ધરપકડ કરવી તથા ભ્રષ્ટાચારના આરોપો કરવા જેવા સત્તાવાળાઓએ પાકિસ્તાની સંસદના બજેટ સત્ર વખતે લીધેલાં પગલાંઓ વિપક્ષને કાયદાકીય કાર્યવાહીમાં વ્યસ્ત રાખીને બજેટ પસાર કરાવવાના પ્રયાસ હોઈ શકે છે.
એન.એ.બી. સંસ્થા હવે પી.એમ.એલ.એન. પક્ષના અને ભુતપુર્વ પ્રધાનમંત્રી શાહીદ કે.અબ્બાસી અને ભૂતપૂર્વ વીજ મંત્રી મહંમદ અસીફ સામે શરૂ કરેલી કાર્યવાહી અગાઉ જણાવી ગયાની જેમ સત્તાવાળાની વ્યુહરચનાનો ભાગ છે, તેમ નિરીક્ષકોનું માનવું છે. ઉલ્લેખનિય છે કે, પી.પી.પી. પક્ષના નેતા બીલાવલ ભુટ્ટો ઝરદારી અને મરીયમ નવાઝ શરીફે અગાઉ બે વખત વાતચીતો કર્યા બાદ બજેટને પાકિસ્તાનના નાગરીક વિરોધી તથા આઈ.એમ.એફ. દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબનું ઓળખાવીને તેનો વિરોધ કર્યો છે.
એન.એ.બી. સંસ્થા, પાકિસ્તાનના મુખ્ય વિપક્ષો સામે તપાસ કરી રહી હતી, ત્યારે જ વિપક્ષના બે નેતાઓની મુલાકાતો યોજાઈ હતી. પી.ટી.આઈ. પક્ષે વિપક્ષના નેતાઓની આ મુલાકાતનો સગવડીયો ધર્મ ગણાવીને તેની ટીકા કરી છે. આમ છતાં આ બે પક્ષોના નેતાઓ વિપક્ષોમાં રાજકીય એકતા સાધી શકે તો સત્તાધારી પક્ષ માટે મોટી રાજકીય સમસ્યા ઉભી થવાની શક્યા છે.
વિપક્ષોએ તેમના અગ્રણીઓની કરાયેલી ધરપકડને રાજકીય હેતુ પ્રેરીત ગણાવી છે અને ઈમરાન ખાન ભ્રષ્ટાચારને હાથો બનાવીને વિપક્ષનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરે છે, તેવા આક્ષેપો પણ કર્યા છે.
પાકિસ્તાની સરકારે પી.ટી.એમ. જેવા જૂથને શત્રુઓના એજન્ટ તરીકે ઓળખાવીને આ જૂથના લોકશાહી પદ્ધતીવડે ચૂંટાયેલા બે અગ્રણીઓની ધરપકડ પણ કરી છે.
આ ઉપરાંત પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કડક કાર્યવાહીવાળા ઉત્તર વઝીરીસ્તાનમાં પી.ટી.એમ.ના કાર્યકરોની હત્યા ઘણી સૂચક ઘટનાઓ છે.
પી.ટી.એમ. જૂથના નેતા મંઝૂર પશ્તીને સોશીયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ કર્યો છે કે, અહીં સ્થાનિક સાથે યુદ્ધ કેદીઓ જેવો વ્યવહાર થઈ રહ્યો છે અને માત્ર બંદૂકધારીઓ જ શહેરમાં ફરી રહ્યા છે.
કાર્યકરોએ દાવો કર્યો છે કે, સેના દ્વારા માર્યા ગયેલા કાર્યકરોને મળવાપાત્ર વળતર સેના દ્વારા રોકવામાં આવ્યું અને સંબંધીઓના કુટુંબીજનો ઉપર દબાણ થઈ રહ્યું છે કે, દેખાવકારોની હત્યા માટે ધરપકડ કરાયેલા પી.ટી.એમ.ના સભ્યોને જવાબદાર ગણાવશે તો જ વળતરની રકમ મળી શકશે.
તાજેતરમાં જ પેશાવરમાં સરકાર વિરોધી ભાણ આપવાના આરોપસર પી.ટી.એમ.ના મહિલા નેતા ગુલાલાઈ ઈસ્માઈલની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે આતંકવાદ વિરોધી ધારા હેઠળ બે કેસ કરાયા છે. આ બાબત સત્તાવાળાઓ દ્વારા કરાયેલા માનવ અધિકારોનો કિસ્સો ગણાવી શકાય.
પી.ટી.એમ.ના નેતાઓને સરકાર વિરોધી કામગીરી કરવા બાહ્ય પરિબળો દ્વારા આર્થિક સહાય પૂરી પડાય છે, તે બાબત પુરવાર કરવા એન.એન.બી. સંસ્થાએ ખકાન અબ્બાસી સામેની તપાસ ઝડપી બનાવવામાં આવી છે. પી.ટી.આઈ. પક્ષ પશ્તુન નેતાઓને વેરવીખેર કરવાના પ્રયાસો કરી રહ્યો છે.
આ બધા જ બનાવોના સંદર્ભમાં વિપક્ષના મરીયમ નવાઝ શરીફ તથા બીલાલ ભુટ્ટો જેવા નેતાઓની વાટાઘાટો તથા ચાર્ટર ઓફ ડેમોક્રેસી ઉપરના હસ્તાક્ષર ઘણું આગવું મહત્વ ધારણ કરે છે. આમ વિપક્ષોએ ઈમરાન ખાન સરકારની નીતિઓ સામે એકઠા થવાનો પ્રયાસ શરૂ કર્યા છે.
લેખક – ડોક્ટર ઝૈનાબ અખ્તર, પાકિસ્તાની બાબતોના વિશ્લેષક
- શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
Comments
Post a Comment