Skip to main content

પાકિસ્તાનમાં વિરોધના સૂર ઊઠતા રોકવાના થતા પ્રયાસો અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં રાજકીય ક્ષેત્રે હીલચાલ અને વધુ સક્રિયતા જાવા મળી રહી છે.

સત્તાધારી પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટી – પીટીઆઈએ સરકાર વિરોધી અવાજ સામે ગાળીયો કસવાની શરૂઆત કરી છે, જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓની ધરપકડ, અસીફ અલી ઝરદારી તથા હમજા શાહબાઝની સામેની કાર્યવાહી, પશ્તુન તહફૂઝ મુવમેન્ટ જેવા જૂથોને કચડવાનો પ્રયાસ જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. ઈમરાન ખાન સરકાર વ્યુહાત્મક રીતે રાજકીય વિરોધીઓને શાંત પાડવાના વ્યુહાત્મક પગલાં લઈ રહી છે. જાતે જ દેશવટો ભોગવી લેવા એમ.ક્યૂ.એમ. પક્ષના વડા અલ્તાફ હુસેનની બ્રીટીશ સરકાર દ્વારા કરાયેલી ધરપકડ પાછળ પાકિસ્તાન સરકારનો જ દોરીસંચાર હોવાનું મનાય છે. પાકિસ્તાન સરકાર સમાજના કોઈપણ જૂથમાંથી ઊઠતા વિરોધના સૂર શાંત પાડવા, પાક સેનાની જેમ જ વર્તન કરતી જણાય છે.

જાકે રાજકીય વિરોધને કચડી નાખવાના કે રૂંધવાના પ્રયાસો, આવો પ્રયાસ કરનારને જ નુકસાન પણ કરી શકે છે.

નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરો – એન.એ.બી.ના ઓઠા હેઠળ વિરોધ પક્ષના અગ્રણીઓની ધરપકડ કરવી તથા ભ્રષ્ટાચારના આરોપો કરવા જેવા સત્તાવાળાઓએ પાકિસ્તાની સંસદના બજેટ સત્ર વખતે લીધેલાં પગલાંઓ વિપક્ષને કાયદાકીય કાર્યવાહીમાં વ્યસ્ત રાખીને બજેટ પસાર કરાવવાના પ્રયાસ હોઈ શકે છે.

એન.એ.બી. સંસ્થા હવે પી.એમ.એલ.એન. પક્ષના અને ભુતપુર્વ પ્રધાનમંત્રી શાહીદ કે.અબ્બાસી અને ભૂતપૂર્વ વીજ મંત્રી મહંમદ અસીફ સામે શરૂ કરેલી કાર્યવાહી અગાઉ જણાવી ગયાની જેમ સત્તાવાળાની વ્યુહરચનાનો ભાગ છે, તેમ નિરીક્ષકોનું માનવું છે. ઉલ્લેખનિય છે કે, પી.પી.પી. પક્ષના નેતા બીલાવલ ભુટ્ટો ઝરદારી અને મરીયમ નવાઝ શરીફે અગાઉ બે વખત વાતચીતો કર્યા બાદ બજેટને પાકિસ્તાનના નાગરીક વિરોધી તથા આઈ.એમ.એફ. દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબનું ઓળખાવીને તેનો વિરોધ કર્યો છે.

એન.એ.બી. સંસ્થા, પાકિસ્તાનના મુખ્ય વિપક્ષો સામે તપાસ કરી રહી હતી, ત્યારે જ વિપક્ષના બે નેતાઓની મુલાકાતો યોજાઈ હતી. પી.ટી.આઈ. પક્ષે વિપક્ષના નેતાઓની આ મુલાકાતનો સગવડીયો ધર્મ ગણાવીને તેની ટીકા કરી છે. આમ છતાં આ બે પક્ષોના નેતાઓ વિપક્ષોમાં રાજકીય એકતા સાધી શકે તો સત્તાધારી પક્ષ માટે મોટી રાજકીય સમસ્યા ઉભી થવાની શક્યા છે.

વિપક્ષોએ તેમના અગ્રણીઓની કરાયેલી ધરપકડને રાજકીય હેતુ પ્રેરીત ગણાવી છે અને ઈમરાન ખાન ભ્રષ્ટાચારને હાથો બનાવીને વિપક્ષનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરે છે, તેવા આક્ષેપો પણ કર્યા છે.

પાકિસ્તાની સરકારે પી.ટી.એમ. જેવા જૂથને શત્રુઓના એજન્ટ તરીકે ઓળખાવીને આ જૂથના લોકશાહી પદ્ધતીવડે ચૂંટાયેલા બે અગ્રણીઓની ધરપકડ પણ કરી છે.

આ ઉપરાંત પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કડક કાર્યવાહીવાળા ઉત્તર વઝીરીસ્તાનમાં પી.ટી.એમ.ના કાર્યકરોની હત્યા ઘણી સૂચક ઘટનાઓ છે.

પી.ટી.એમ. જૂથના નેતા મંઝૂર પશ્તીને સોશીયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ કર્યો છે કે, અહીં સ્થાનિક સાથે યુદ્ધ કેદીઓ જેવો વ્યવહાર થઈ રહ્યો છે અને માત્ર બંદૂકધારીઓ જ શહેરમાં ફરી રહ્યા છે.

કાર્યકરોએ દાવો કર્યો છે કે, સેના દ્વારા માર્યા ગયેલા કાર્યકરોને મળવાપાત્ર વળતર સેના દ્વારા રોકવામાં આવ્યું અને સંબંધીઓના કુટુંબીજનો ઉપર દબાણ થઈ રહ્યું છે કે, દેખાવકારોની હત્યા માટે ધરપકડ કરાયેલા પી.ટી.એમ.ના સભ્યોને જવાબદાર ગણાવશે તો જ વળતરની રકમ મળી શકશે.

તાજેતરમાં જ પેશાવરમાં સરકાર વિરોધી ભાણ આપવાના આરોપસર પી.ટી.એમ.ના મહિલા નેતા ગુલાલાઈ ઈસ્માઈલની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે આતંકવાદ વિરોધી ધારા હેઠળ બે કેસ કરાયા છે. આ બાબત સત્તાવાળાઓ દ્વારા કરાયેલા માનવ અધિકારોનો કિસ્સો ગણાવી શકાય.

પી.ટી.એમ.ના નેતાઓને સરકાર વિરોધી કામગીરી કરવા બાહ્ય પરિબળો દ્વારા આર્થિક સહાય પૂરી પડાય છે, તે બાબત પુરવાર કરવા એન.એન.બી. સંસ્થાએ ખકાન અબ્બાસી સામેની તપાસ ઝડપી બનાવવામાં આવી છે. પી.ટી.આઈ. પક્ષ પશ્તુન નેતાઓને વેરવીખેર કરવાના પ્રયાસો કરી રહ્યો છે.

આ બધા જ બનાવોના સંદર્ભમાં વિપક્ષના મરીયમ નવાઝ શરીફ તથા બીલાલ ભુટ્ટો જેવા નેતાઓની વાટાઘાટો તથા ચાર્ટર ઓફ ડેમોક્રેસી ઉપરના હસ્તાક્ષર ઘણું આગવું મહત્વ ધારણ કરે છે. આમ વિપક્ષોએ ઈમરાન ખાન સરકારની નીતિઓ સામે એકઠા થવાનો પ્રયાસ શરૂ કર્યા છે.
લેખક – ડોક્ટર ઝૈનાબ અખ્તર, પાકિસ્તાની બાબતોના વિશ્લેષક

- શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...