Skip to main content

પર્શિયા અખાતમાં સેનાની તાકાતમાં વધારો

ઓમાનના અખાતમાં ગયા અઠવાડિએ તેલના ટેન્કરો પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પર્શિયાના અખાતમાં સુરક્ષા વધારવા એક હજાર વધારાના સેન્ય મોકલવાની જાહેરાતકરી હતી. ઇરાન પરમાણુ કરારમાંથી ખસી જવાના અમેરિકાના નિર્ણય બાદ પર્શિયા અખાતમાં વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની હતી. અમેરિકાએ ઇરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લાદી ઈરાનની તેલની આયાત પર અપાતી તમામ સવલતો ગયા મહિને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર નવા પ્રતિબંધો મુકવાનો નિર્ણય કર્યો. જે હેઠળ ઇરાની ઉદ્યોગો અને વેપાર કરતાં વ્યÂક્તઓ અથવા સંસ્થાઓ પર પણ પ્રતિબંધો મુકાશે.

ઇરાને પણ વળતા જવાબમાં પરમાણુ કરારના અન્ય સભ્ય દેશોને ખાસ કરીને યુ.કે., ફ્રાન્સ અને જર્મનીને પ્રતિબંધોને પગલે ઇરાનના અર્થતંત્ર પર થયેલી અસરને હળવી કરવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. જા એ દેશો દ્વારા પ્રયાસો કરવામાં ન આવે તો ઇરાન પરમાણુ કરારમાંથી ખસી જશે તેવી ચેતવણી પણ ઇરાને આપી હતી.

ઇરાનનો ચેતવણી બાદ અમેરિકાએ અ‹લગટન અને પેટ્રિઓટ મિસાઇલ સહિત વધારાની ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે અમેરિકાએ પર્શિયાના અખાતમાં ૧૫૦૦ વધારાની ટુકડીઓ મોકલી હતી. અમેરિકા દ્વારા મોકલાવેલી વધારાની ટુકડીઓ મિસાઇલ, દેખરેખ કરવા માટેના વિમાનો અખાતી પ્રદેશના શાંતિ અને Âસ્થરતા પર અસર કરે છે.

ઇરાન વારંવાર કહે છે કે, ઓમાનના અખાતમાં તેલના ટેન્કરો પર થયેલા હુમલામાં તેની કોઈ ભૂમિકા ન હોતી. જાકે, અમેરિકા અને સાઉદી અરેબિયા ઇરાન પર આ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ બંને દેશો ઇરાન પર મે મહિનામાં ફુજારિયા તટવ તેલ ટેંકરો પર થયેલા હુમલા માટે પણ દોષી ગણાવે છે. આ એ સિવાય, સાઉદી અરેબિયામાં ચેમેનના હાઉથી બળવાખોરો દ્વારા થઈ રહેલા હુમલાઓની સામે સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ લાંબા સમયથી લડાઈઓ ચાલી રહી છે.

મે ૨૦૧૯માં સાઉદી અરામકો તેલ પાઇપલાઇન પર ડ્રોન હુમલો થયો હતો. ગયા અઠવાડિયામાં, દક્ષિણી નાજરાન રાજ્યના અભા એરપોર્ટ પર હાઉથીઓ દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં ૨૬ જણ ઇજાગ્રસ્ત થયા હતા. સાઉદી અરેબિયાએ હાઉથી બળવાખોરોને હથિયારો પૂરા પાડી તેના દેશમાં હુમલા કરવા પ્રોત્સાહન આપવાનો ઇરાન પર આરોપ લગાવ્યો હતો. અખાતી પ્રદેશમાં વધારાની સેનાની ટુકડીઓ મોકલવાના અમેરિકાના નિર્ણયો આ ઘટનાઓના સંદર્ભમાં જાવું જાઈએ.

અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ્રિક શનાહને જણાવ્યું હતું કે, અમેરિકા ઇરાન સાથે સંઘર્ષણ કરવા નથી. પરંતુ તેના સેનાના જવાનોની સલામતી અને કલ્યાણ માટે અને રાષ્ટ્રીય હિતોના સંરક્ષણ માટે આ નિર્ણય જરૂરી હતો.

અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવમાં આ નોંધપાત્ર બાબત છે. અન્ય વૈશ્વિક સત્તાઓ રશિયા, ચીન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને જર્મની આ તણાવઓછો થવાની આશા રાખી રહ્યા છે.પરંતુ નોંધપાત્ર પહેલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજા અબેની આ માસની મુલાકાતને એક પહેલ તરીકે જાવામાં આવે છે. જે શાંતિ અને Âસ્થરતા જાળવવા, રચનાત્મક ભૂમિકા ભજવવા ઇરાનને ખાતરી મળી.

જાકે, ઇરાને વિપરીત નોંધ લીધી છે. તેણે સૈન્ય કાર્યવાહીની ધમકીઓ સામે ઝુકવાનો ઇનકાર કરી દીધો છે. અને દલીલ કરી છે કે, તેની પાસે કોઈપણ સૈન્ય કાર્યવાહી સામે પોતાનું રક્ષણ કરવાનો હક્ક અને ક્ષમતા છે. રશિયા અને ચીને પણ પર્શિયાની ખાડીમાં અમેરિકાની કાર્યવાહીની ટીકા કરી છે. તે સૂચવે છે કે, ઇરાન સંપૂર્ણ રીતે એકલું નથી અને કોઈપણ ગંભીર પગલા પ્રાદેશિક સંઘર્ષમાં વધારો કરી શકે છે.દરમિયાન એવા અહેવાલ, છે કે, ઇરાને અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જેને રાષ્ટ્રપતિએ ખૂબ ખરાબ ભૂલ તરીકે ગણાવી હતી. આ પગલાંથી તણાવમાં વધારો થઈ શકે છે.

ભારત માટે પર્શિયન ખાડીના દેશોમાંની પરિÂસ્થતિ એક ચિંતાનો વિષય છે. આ ક્ષેત્રમાં શાંતિ અને Âસ્થરતા જળવાય તેમાં ભારતના હિતો સમાયેલા છે. કારણે તેનાથી તેની ઉર્જા સુરક્ષા જ નહીં પરંતુ ખાડીમાં વસતા તેના ૮૦ લાખ ૫૦ હજાર નાગરિકોનું કલ્યાણ પણ નિશ્ચિત થાય છે.

આ ક્ષેત્રના દેશો સાથે ભારત મજબૂત વ્યૂહાત્મક, રાજકીટ અને વ્યાપારીક સંબંધો ધરાવે છે. ભારત ઇરાન અને સાઉદી અરેબિયા બંને સાથે ઉત્તમ સંબંધો ધરાવે છે, તે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, બંને દેશોએ હાલના ભૂતકાળમાં ભારતમાં પોતાના દૂત મોકલ્યા હતા. ભારતને આશા છે કે, બધા જ હિસ્સેદારો અત્યારની દુશ્મનાવટને અવગણવા માટે નવા પગલાં લેશે અને વાટાઘાટો દ્વારા ઉકેલ માટે સહાયક વાતાવરણની રચના કરશે.


લેખક ઃ ડો.મહંમદ મુદ્દાસિર કવામાર,

પશ્ચિમ એશિયા પરના વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...