અમેરીકાના ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને વેપાર ક્ષેત્રે જી.એસ.પી. હેઠળ આપેલા ખાસ લાભો પાછા ખેંચી લીધા છે.
એવી જ રીતે ભારતમાં મોદી સરકારે બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા તેના થોડા જ દિવસોમાં અમેરીકામાંથી આયાત કરાતી ૨૮ ચીજા ઉપરના વેરા વધારવામાં આવ્યા હોવાના સમાચારને બહોળી પ્રસિધ્ધી મળી હતી.
આમ છતાં, જ્યાં સુધી વ્યૂહાત્મક ભાગીદારીનો સવાલ છે, ભારત અને અમેરીકા એક સાથે જ છે. જાપાનમાં ઓસાકામાં યોજાનાર જી – વીસ દેશોની શીખર બેઠક પહેલા એટલે કે ૨૫ થી ૨૭ મી જૂન ૨૦૧૯ દરમ્યાન અમેરીકાના વિદેશમંત્રી માઇકલ પોમ્પીઓ, ભારતની મુલાકાતે આવશે.
ભારતમાં સામાન્ય ચૂંટણી યોજાયા બાદ ઉચ્ચસ્તરીય અધિકારીની આ પ્રથમ મુલાકાત છે. શ્રી પોમ્પીઓ, ભારતની મુલાકાત વખતે પ્રધાનમંત્રી, ભારતના વિદેશમંત્રી તથા અન્ય મહાનુભાવોને મળશે.
આ મુલાકાત બન્ને પક્ષોને તેમના દ્વિપક્ષીય સંબંધો હજી મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. અમેરીકાના વિદેશ મંત્રાલયની યાદી મુજબ અમેરીકાના વિદેશમંત્રી, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને મળીને તેમને વિદેશમંત્રી પદ મળ્યા બદલ અભિનંદન આપશે.
આ મુલાકાતથી એમ પણ પુરવાર થાય છે કે અમેરીકાની સરકાર ભારતમાં લોકતાંત્રીક પધ્ધતીથી ચૂંટાયેલી સરકાર સાથે કામ કરવા ઉત્સુક છે.
બન્ને વિદેશમંત્રીઓ ભારત - પ્રશાંત વિસ્તારને મુક્ત રાખવા તથા તેની સલામતીના મુદ્દે ચર્ચાવિચારણા કરશે. ઓસાકામાં જી – વીસ દેશોની શીખર બેઠક વખતે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની બેઠક અગાઉ જરૂરી પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે જ વિદેશમંત્રી માઇક પોમ્પીઓ દ્વારા ટેલીફોન કોલ કરવામાં આવ્યો છે.
એવુ પણ માનવમાં આવે છે કે શ્રી નરેન્દ્રમોદી શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબેને મળીને ભારત – અમેરીકા – જાપાન – એમ ત્રિદેશીય સહકાર તથા ભારત - પ્રશાંત માટે વ્યૂહરચના ઘડશે.
ભારતનો દ્રષ્ટિકોણ એવો છે કે સમગ્ર રીતે જાતા ભારત અને અમેરીકાના દ્વિપક્ષીય સંબંધોની દિશા એકંદરે સકારાત્મક છે છેલ્લા ત્રણ વર્ષમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર વધીને આશરે ૧૫૦ અબજ અમેરીકી ડોલરનો થયો છે.
અત્રે યાદ રાખવું પડે કે અમેરીકાએ એચ - વન બી વીઝા અંગે ભારતને કંઇપણ સત્તાવાર રીતે કહ્યું નથી. શ્રી ટ્રમ્પ તથા શ્રી મોદી વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત વખતે ઇરાન પરના પ્રતિબંધ અંગે ચર્ચા થવાની સંભાવના છે.
ભારતની ઉર્જા સલામતી અંગેની ચિંતા બાબતે પણ આ બેઠકમાં વિચારણા કરાશે. ભારત તથા અમેરીકા આગામી સપ્ટેમ્બર માસમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે બીજીવાર શીખર બેઠક યોજવા વિચારણા કરી રહ્યા છે.
આજ સમયગાળામાં વિદેશમંત્રી એસ. જયશંકર તથા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ તેમના સમકક્ષ અમેરીકાના મંત્રીઓ સાથે ચર્ચા કરવા અમેરીકા જવાના છે.
ભારતમાં ફાઇવ – જી ટેકનોલોજી વપરાશમાં મુકવામાં ચીનની ટેલીકોમ કંપની હુએવી જાડવાની છે, તે સાંભળીને અમેરીકાએ ચિંતા દર્શાવી છે. જા કે ભારતે સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દે હજી આંતરીક વાટાઘાટો ચાલી રહી છે અને આ મુદ્દે આર્થિક તથા સાલમતીના મુદ્દાઓની ભારત ઉપેક્ષા કરાશે નહી તથા આ અંગે વાતચીત થશે.
સ્થાનિક સ્તરે ડેટાને રાખવાની બાબત, સરહદ પારનો ઇ – વેપાર તથા બૌÂધ્ધક સંપદા ધારો – જેવા મુદ્દાઓ અંગે પણ પોમ્પીઓની મુલાકાત વખતે ચર્ચા થવાની સંભાવના છે. બન્ને પક્ષો એ બાબતે સંમત છે કે ભારત અને અમેરીકા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો ખુબ જ મજબૂત છે અને થોડાક નાના સ્વરૂપના અવરોધોની, આ સંબંધો ઉપર અસર થશે નહી.
મોદી સરકારના બીજા મુદત માટેના સત્તા ગ્રહણ બાદ, શ્રી પોમ્પીઓની ભારતની મુલાકાત, ભારત તથા અમેરીકાના ખાસ દ્વિપક્ષીય સંબંધો દર્શાવે છે. આમ સમગ્ર રીતે જાતા ભારત અને અમેરીકા દેશો જે વિશ્વના લોકશાહી વ્યવસ્થાવાળા સૌથી મોટા બે દેશો છે જે ૨૧ મી સદીમાં પણ વૈશ્વીકસ્તરે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખશે.
લેખક – સત્યજીત મોહન્તી, વરિષ્ઠ આર્થિક વિશ્લેષક
Comments
Post a Comment