Skip to main content

ભારત અને અમેરીકાના આગવા સ્તરના દ્વિપક્ષીય સંબંધો – અંગે સમીક્ષા

અમેરીકાના ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને વેપાર ક્ષેત્રે જી.એસ.પી. હેઠળ આપેલા ખાસ લાભો પાછા ખેંચી લીધા છે.

એવી જ રીતે ભારતમાં મોદી સરકારે બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા તેના થોડા જ દિવસોમાં અમેરીકામાંથી આયાત કરાતી ૨૮ ચીજા ઉપરના વેરા વધારવામાં આવ્યા હોવાના સમાચારને બહોળી પ્રસિધ્ધી મળી હતી.

આમ છતાં, જ્યાં સુધી વ્યૂહાત્મક ભાગીદારીનો સવાલ છે, ભારત અને અમેરીકા એક સાથે જ છે. જાપાનમાં ઓસાકામાં યોજાનાર જી – વીસ દેશોની શીખર બેઠક પહેલા એટલે કે ૨૫ થી ૨૭ મી જૂન ૨૦૧૯ દરમ્યાન અમેરીકાના વિદેશમંત્રી માઇકલ પોમ્પીઓ, ભારતની મુલાકાતે આવશે.

ભારતમાં સામાન્ય ચૂંટણી યોજાયા બાદ ઉચ્ચસ્તરીય અધિકારીની આ પ્રથમ મુલાકાત છે. શ્રી પોમ્પીઓ, ભારતની મુલાકાત વખતે પ્રધાનમંત્રી, ભારતના વિદેશમંત્રી તથા અન્ય મહાનુભાવોને મળશે.

આ મુલાકાત બન્ને પક્ષોને તેમના દ્વિપક્ષીય સંબંધો હજી મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. અમેરીકાના વિદેશ મંત્રાલયની યાદી મુજબ અમેરીકાના વિદેશમંત્રી, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને મળીને તેમને વિદેશમંત્રી પદ મળ્યા બદલ અભિનંદન આપશે.

આ મુલાકાતથી એમ પણ પુરવાર થાય છે કે અમેરીકાની સરકાર ભારતમાં લોકતાંત્રીક પધ્ધતીથી ચૂંટાયેલી સરકાર સાથે કામ કરવા ઉત્સુક છે.

બન્ને વિદેશમંત્રીઓ ભારત - પ્રશાંત વિસ્તારને મુક્ત રાખવા તથા તેની સલામતીના મુદ્દે ચર્ચાવિચારણા કરશે. ઓસાકામાં જી – વીસ દેશોની શીખર બેઠક વખતે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની બેઠક અગાઉ જરૂરી પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે જ વિદેશમંત્રી માઇક પોમ્પીઓ દ્વારા ટેલીફોન કોલ કરવામાં આવ્યો છે.

એવુ પણ માનવમાં આવે છે કે શ્રી નરેન્દ્રમોદી શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબેને મળીને ભારત – અમેરીકા – જાપાન – એમ ત્રિદેશીય સહકાર તથા ભારત - પ્રશાંત માટે વ્યૂહરચના ઘડશે.

ભારતનો દ્રષ્ટિકોણ એવો છે કે સમગ્ર રીતે જાતા ભારત અને અમેરીકાના દ્વિપક્ષીય સંબંધોની દિશા એકંદરે સકારાત્મક છે છેલ્લા ત્રણ વર્ષમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર વધીને આશરે ૧૫૦ અબજ અમેરીકી ડોલરનો થયો છે.

અત્રે યાદ રાખવું પડે કે અમેરીકાએ એચ - વન બી વીઝા અંગે ભારતને કંઇપણ સત્તાવાર રીતે કહ્યું નથી. શ્રી ટ્રમ્પ તથા શ્રી મોદી વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત વખતે ઇરાન પરના પ્રતિબંધ અંગે ચર્ચા થવાની સંભાવના છે. 

ભારતની ઉર્જા સલામતી અંગેની ચિંતા બાબતે પણ આ બેઠકમાં વિચારણા કરાશે. ભારત તથા અમેરીકા આગામી સપ્ટેમ્બર માસમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે બીજીવાર શીખર બેઠક યોજવા વિચારણા કરી રહ્યા છે.

આજ સમયગાળામાં વિદેશમંત્રી એસ. જયશંકર તથા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ તેમના સમકક્ષ અમેરીકાના મંત્રીઓ સાથે ચર્ચા કરવા અમેરીકા જવાના છે.

ભારતમાં ફાઇવ – જી ટેકનોલોજી વપરાશમાં મુકવામાં ચીનની ટેલીકોમ કંપની હુએવી જાડવાની છે, તે સાંભળીને અમેરીકાએ ચિંતા દર્શાવી છે. જા કે ભારતે સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દે હજી આંતરીક વાટાઘાટો ચાલી રહી છે અને આ મુદ્દે આર્થિક તથા સાલમતીના મુદ્દાઓની ભારત ઉપેક્ષા કરાશે નહી તથા આ અંગે વાતચીત થશે.

સ્થાનિક સ્તરે ડેટાને રાખવાની બાબત, સરહદ પારનો ઇ – વેપાર તથા બૌÂધ્ધક સંપદા ધારો – જેવા મુદ્દાઓ અંગે પણ પોમ્પીઓની મુલાકાત વખતે ચર્ચા થવાની સંભાવના છે. બન્ને પક્ષો એ બાબતે સંમત છે કે ભારત અને અમેરીકા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો ખુબ જ મજબૂત છે અને થોડાક નાના સ્વરૂપના અવરોધોની, આ સંબંધો ઉપર અસર થશે નહી. 

મોદી સરકારના બીજા મુદત માટેના સત્તા ગ્રહણ બાદ, શ્રી પોમ્પીઓની ભારતની મુલાકાત, ભારત તથા અમેરીકાના ખાસ દ્વિપક્ષીય સંબંધો દર્શાવે છે. આમ સમગ્ર રીતે જાતા ભારત અને અમેરીકા દેશો જે વિશ્વના લોકશાહી વ્યવસ્થાવાળા સૌથી મોટા બે દેશો છે જે ૨૧ મી સદીમાં પણ વૈશ્વીકસ્તરે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખશે.

લેખક સત્યજીત મોહન્તી, વરિષ્ઠ આર્થિક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...