પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂત કલ્યાણ માટે નોંધપાત્ર અને યોગ્ય પગલા લેવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના હેઠળ ૧૪.૫ કરોડ ખેડૂતોને વાર્ષિક ૬ હજાર રૂપિયાના આર્થિક સહાય આપવાનો નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત ૧ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયા આર્થિક સહાય આપવાનો પણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી સમ્માન નિધી યોજના દ્વારા સરકારે નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય સુનિશ્ચિત કરી છે. આ યોજના લોકસભા ચૂંટણી અગાઉ ગોરખપુર ખાતે વાર્ષિક ૭૫ હજાર કરોડની સહાયની જાહેર કરાયેલી યોજનાનું વિસ્તરણ છે.
પી.એમ. કિસાન યોજનાએ સર્વસમાવેશી નાણાકીય યોજના છે જેમાં આર્થિક સહાયની રકમ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરાશે. આ યોજનાની જાહેરાત ૨૦૧૯-૨૦ના વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવી હતી. જે હેઠળ બે હેકટર જમીન ધરાવતા ૧૨ કરોડ નાના અને સીમાંત ખેડૂતો ત્રણ હપતામાં વાર્ષિક કુલ ૬ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થયા હતા. દેશના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને પહોંચી વળવા આ યોજના શરૂ કરાઇ હતી.
નાના અને સીમાંત ખેડૂતો બેકિંગ વ્યવસ્થા સાથે હજુ પણ પુરતા જાડાયેલા નથી એટલે લોન માફી જેવી યોજનાઓનો લાભ નાના અને સીમાંત ખેડૂતો ઓછા પ્રમાણમાં લઇ શકે છે. આ ઉપરાંત લોન માફી જેવી યોજનાઓ રાજ્ય સરકારોના જાહેર નાણા પર વિપરીત અસર કરે છે.
પી.એમ. કિસાન યોજના અનાજ, બાગાયતી પાક, તેલબીયા, કપાસ, શેરડી જેવા કૃષિ પાકોના ઓછા વેચાણના પગલે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ હળવી કરવા મદદરૂપ થશે. તાજેતરમાં નિતીઓ બનાવતી વખતે રોજગારની ખાત્રી બદલે આવકની ખાતરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આવકની ખાતરી સમાજના નબળા લોકોને પ્રતિષ્ઠા અને સશÂક્તકરણ પુરૂ પાડશે. જા કે, કૃષિ ક્ષેત્રની માળખાકીય સમસ્યા હલ માટે આ કોઇ લાંબા ગાળાનો ઉકેલ નથી.
કૃષિ ક્ષેત્રે વિકાસ માટે કુલ મૂડી રચના વધારવાની આવશ્યકતા છે. અંદાજ મુજબ આવતા પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ ક્ષેત્રે ૧૪ થી ૧૫ ટકા વૃદ્ધિ દર આવશ્યક છે. મોટાભાગની કૃષિ જમીન હજી પણ વરસાદી પાણી પર આધારીત હોવાથી સિંચાઇ પદ્ધતિઓમાં સુધાર ખૂબ આવશ્યક છે. આ યોજના માટે અંદાજપત્રમાં કરાયેલી ફાળવણી અને કેન્દ્રમંત્રી મંડળની બેઠકમાં કરાયેલા નિર્ણયો વચ્ચે કોઇ અંતર છે કે નહિં તે સમજવવા સરકાર કાળજીપૂર્ણ વિશ્લેષણ કરે તેવી અપેક્ષા છે. કેટલાક દેશોમાં ફિસ્કલ કાઉન્સીલ - શીર્ષક હેઠળ સંસ્થાનો આવી યોજનાઓની અંદાજપત્રીય ફાળવણી અને વાસ્તવીક કરાતા ખર્ચ વચ્ચેના તફાવતનું કાળજીપુર્વક વિશ્લેષણ કરે છે.
અંદાજપત્રીય અને વાસ્તવિક ખર્ચના તફાવત અંગેના આવા વિશ્લેષણો સંસાધનોથી પરિણામને જાડવા મહત્વપૂર્ણ અને પી.એમ. કિસાન યોજનાને અસરકારક બનાવવા આવશ્યક છે.
અર્થશા†ીઓ માટે પી.એમ. કિસાન યોજના લાગુ કરવા નાણાકીય ઉપલબ્ધી ચિંતાનો વિષય છે. નાણામંત્રી સુ.શ્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનાર અંદાજપત્રમાં આ યોજનાને અપનારા નાણાકીય ફાળવણી બાદ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થશે અંદાજપત્રમાં કૃષિક્ષેત્રને પ્રાધાન્ય અપાય તેવી શક્યતાઓ જાવાઇ રહી છે.
પી.એમ. કિસાન સન્માન યોજના માટેનું સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર દ્વારા અપાય છે. તેને સહકારી સંઘવાદમાં પરિવર્તીત કરાય છે કે નહીં તે જાવું રહ્યુ. સહકારી સંઘવાદમાં નાણાકીય જરૂરીયાત કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે વહેંચાયેલી હોય છે. જા આમ થાય તો કોની કેટલી હિસ્સેદારી હશે ને આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. જા કે આર્થિક વિકાસથી ઉપર ઉઠી માનવ વિકાસ માટેનું પગલું નીડર પગલું ગણાવી શકાય ઘણા રાજ્યો ખેડૂત કલ્યાણ યોજનાઓને પોતાની ઢબે રૂપાતરિંતા કરી લાગુ કરે તેવી પણ શકયતાઓ જાવાઇ રહી છે.
આર્થિક વિકાસ, માનવ વિકાસ સુનિશ્ચિત કરતું નથી માટે પી.એમ. કિસાન જેવી ભારતના ગરીબ ખેડૂતોને સાંકળતી જાહેર નીતિઓ આવશ્યક છે. કોઇપણ પાછળ ન રહી જાય તેવી શ્રી મોદીની ભાવનાને ઉજાગર કરતા નીતિ વિષયક નિર્ણયોમાં ના આ નિર્ણયથી સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ સુનિશ્ચિત થશે અને સમાજના નબળા વર્ગોને ગૌરવ અને સશકત કરતી આવી યોજનાઓ દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિમાં લાંબા ગાળે આ વર્ગો પણ પોતાનું યોગદાન આપી શકાશે.
આ ઉપરાંત ૧ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયા આર્થિક સહાય આપવાનો પણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી સમ્માન નિધી યોજના દ્વારા સરકારે નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય સુનિશ્ચિત કરી છે. આ યોજના લોકસભા ચૂંટણી અગાઉ ગોરખપુર ખાતે વાર્ષિક ૭૫ હજાર કરોડની સહાયની જાહેર કરાયેલી યોજનાનું વિસ્તરણ છે.
પી.એમ. કિસાન યોજનાએ સર્વસમાવેશી નાણાકીય યોજના છે જેમાં આર્થિક સહાયની રકમ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરાશે. આ યોજનાની જાહેરાત ૨૦૧૯-૨૦ના વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવી હતી. જે હેઠળ બે હેકટર જમીન ધરાવતા ૧૨ કરોડ નાના અને સીમાંત ખેડૂતો ત્રણ હપતામાં વાર્ષિક કુલ ૬ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થયા હતા. દેશના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને પહોંચી વળવા આ યોજના શરૂ કરાઇ હતી.
નાના અને સીમાંત ખેડૂતો બેકિંગ વ્યવસ્થા સાથે હજુ પણ પુરતા જાડાયેલા નથી એટલે લોન માફી જેવી યોજનાઓનો લાભ નાના અને સીમાંત ખેડૂતો ઓછા પ્રમાણમાં લઇ શકે છે. આ ઉપરાંત લોન માફી જેવી યોજનાઓ રાજ્ય સરકારોના જાહેર નાણા પર વિપરીત અસર કરે છે.
પી.એમ. કિસાન યોજના અનાજ, બાગાયતી પાક, તેલબીયા, કપાસ, શેરડી જેવા કૃષિ પાકોના ઓછા વેચાણના પગલે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ હળવી કરવા મદદરૂપ થશે. તાજેતરમાં નિતીઓ બનાવતી વખતે રોજગારની ખાત્રી બદલે આવકની ખાતરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આવકની ખાતરી સમાજના નબળા લોકોને પ્રતિષ્ઠા અને સશÂક્તકરણ પુરૂ પાડશે. જા કે, કૃષિ ક્ષેત્રની માળખાકીય સમસ્યા હલ માટે આ કોઇ લાંબા ગાળાનો ઉકેલ નથી.
કૃષિ ક્ષેત્રે વિકાસ માટે કુલ મૂડી રચના વધારવાની આવશ્યકતા છે. અંદાજ મુજબ આવતા પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ ક્ષેત્રે ૧૪ થી ૧૫ ટકા વૃદ્ધિ દર આવશ્યક છે. મોટાભાગની કૃષિ જમીન હજી પણ વરસાદી પાણી પર આધારીત હોવાથી સિંચાઇ પદ્ધતિઓમાં સુધાર ખૂબ આવશ્યક છે. આ યોજના માટે અંદાજપત્રમાં કરાયેલી ફાળવણી અને કેન્દ્રમંત્રી મંડળની બેઠકમાં કરાયેલા નિર્ણયો વચ્ચે કોઇ અંતર છે કે નહિં તે સમજવવા સરકાર કાળજીપૂર્ણ વિશ્લેષણ કરે તેવી અપેક્ષા છે. કેટલાક દેશોમાં ફિસ્કલ કાઉન્સીલ - શીર્ષક હેઠળ સંસ્થાનો આવી યોજનાઓની અંદાજપત્રીય ફાળવણી અને વાસ્તવીક કરાતા ખર્ચ વચ્ચેના તફાવતનું કાળજીપુર્વક વિશ્લેષણ કરે છે.
અંદાજપત્રીય અને વાસ્તવિક ખર્ચના તફાવત અંગેના આવા વિશ્લેષણો સંસાધનોથી પરિણામને જાડવા મહત્વપૂર્ણ અને પી.એમ. કિસાન યોજનાને અસરકારક બનાવવા આવશ્યક છે.
અર્થશા†ીઓ માટે પી.એમ. કિસાન યોજના લાગુ કરવા નાણાકીય ઉપલબ્ધી ચિંતાનો વિષય છે. નાણામંત્રી સુ.શ્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનાર અંદાજપત્રમાં આ યોજનાને અપનારા નાણાકીય ફાળવણી બાદ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થશે અંદાજપત્રમાં કૃષિક્ષેત્રને પ્રાધાન્ય અપાય તેવી શક્યતાઓ જાવાઇ રહી છે.
પી.એમ. કિસાન સન્માન યોજના માટેનું સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર દ્વારા અપાય છે. તેને સહકારી સંઘવાદમાં પરિવર્તીત કરાય છે કે નહીં તે જાવું રહ્યુ. સહકારી સંઘવાદમાં નાણાકીય જરૂરીયાત કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે વહેંચાયેલી હોય છે. જા આમ થાય તો કોની કેટલી હિસ્સેદારી હશે ને આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. જા કે આર્થિક વિકાસથી ઉપર ઉઠી માનવ વિકાસ માટેનું પગલું નીડર પગલું ગણાવી શકાય ઘણા રાજ્યો ખેડૂત કલ્યાણ યોજનાઓને પોતાની ઢબે રૂપાતરિંતા કરી લાગુ કરે તેવી પણ શકયતાઓ જાવાઇ રહી છે.
આર્થિક વિકાસ, માનવ વિકાસ સુનિશ્ચિત કરતું નથી માટે પી.એમ. કિસાન જેવી ભારતના ગરીબ ખેડૂતોને સાંકળતી જાહેર નીતિઓ આવશ્યક છે. કોઇપણ પાછળ ન રહી જાય તેવી શ્રી મોદીની ભાવનાને ઉજાગર કરતા નીતિ વિષયક નિર્ણયોમાં ના આ નિર્ણયથી સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ સુનિશ્ચિત થશે અને સમાજના નબળા વર્ગોને ગૌરવ અને સશકત કરતી આવી યોજનાઓ દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિમાં લાંબા ગાળે આ વર્ગો પણ પોતાનું યોગદાન આપી શકાશે.
લેખક : એન.આઈ.પી.એફ.પી.ના પ્રાધ્યાપક ડોક્ટર લેખા ચક્રવર્તી
Comments
Post a Comment