Skip to main content

પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટી

પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટીનો સકંજા વધુ કસાતો જાય છે. ઘણા સમયથી તેના અર્થતંત્રની સ્થિતિ ડામાડોલ જાવા મળી રહી છે. રોજગારીના પ્રશ્નો, આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો, નાણાકીય પ્રવાહીતાની ખેંચ, વિદેશી દેવાઓની પરિÂસ્થતિનાં સંજાગોમાં વિદેશી સહાય મળવા છતાં તેની આર્થિક Âસ્થતિમાં સુધારો જાવા મળી રહ્યો નથી. ઈમરાન ખાનના નેતૃત્વ હેઠળની સરકારે આ સંજાગોમાં મધ્યપૂર્વના અખાતી દેશો અને ચીનની આર્થિક સહાય પણ મેળવી છે અને તે દ્વારા ચુકવણા એ દેવાંઓ ચુકવવાના પ્રયત્નો હાથ ધર્યા છે, પરંતુ તેમ છતાં ઘરની Âસ્થતિ તો એવીને એવી જ રહી છે. આ ઉપરાંત ત્રાસવાદ, આતંકવાદનો ઘેરો પણ એવો કસાયો છે કે, તેમાંથી બહાર નીકળવું એના માટે કપરું બની રહ્યું છે.

તાજેતરમાં આવેલા આંકડા અનુસાર પાકિસ્તાનમાં ફુગાવો ખૂબ જ ઉંચાઈ પર પહોંચ્યો છે, પરિણામે તેના અર્થતંત્ર પર સીધી અસર થઈ છે. ફુગાવો બે આંકડાની નજીક પહોંચી ગયો છે, તેનું મુખ્યકારણ ખનીજ તેલના ઊંચકાયેલા ભાવ છે, એટલે સ્થાનિક રીતે બળતણના ભાવ વધ્યા છે તે જ રીતે ખાદ્ય પદાર્થોના ભાવ પણ વધ્યા છે. પરિણામે આની અસર અન્ય ચીજાના ભાવ પર પણ પડી રહી છે. પાકિસ્તાનમાં વધી રહેલી આયાતની પણ અસર છે, તેના કારણે વિદેશી હુંડીયામણના જથ્થાને પણ અસર થઈ છે. હાલ તેનું હૂંડીયામણ આઠ અબજ ડોલર જેટલું ઓછું થઈ ગયું છે. તેનાથી તો તેની રોજીંદી જરૂરિયાત અને ચુકવણા માત્ર બે મહિના સુધી થઈ શકે તેમ છે.

પાકિસ્તાનનો રૂપિયો પણ ખૂબ જ ગગડ્યો છે. હાલ એક ડોલરના દોડસો રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તે ૨૦ ગણો ગગડ્યો છે અને ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાનની મુખ્ય આયાત ખનીજતેલ છે અને તે ઉપરાંત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ છે.

ફુગાવામાં વધારાના કારણે આ તમામ ચીજા ઘણી મોંઘી બની છે, તેના કારણે પાકિસ્તાનમાં લોકોએ ખૂબ જ વિરોધ દર્શાવ્યો છે.

શહેરોમાં લોકોએ રેલી કાઢીને મોંઘવારી સામે દેખાવો કર્યા હતા. પેશાવરમાં જમાતે ઈસ્લામી સંગઠન દ્વારા વિરોધી દેખાવો કરાયા અને ઈમરાન ખાનની સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતા.

ઈમરાન ખાનની સરકાર દ્વારા અપાયેલાં વચનો રોજગારી, ગરીબી નાબુદી અને ઈસ્લામ કલ્યાણ રાજ્યની સ્થાપના જેવા મુદ્દાઓને લોકોએ યાદ કર્યા હતા.

મૂળ બાબત એ છે કે, પાકિસ્તાનની સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવાના યોગ્ય પ્રયત્નો કરાતા નથી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વારા તેને ચુકવણાની દેવાળી Âસ્થતિમાંથી બહાર લાવવા માટે ઘણી મહત્વની સહાય પૂરી પાડી છે. છ અબજ ડોલરની લોન આપવામાં આવી છે અને તે દ્વારા આગામી ત્રણ વર્ષમાં નાણાંકીય ટેકો પૂરો પાડ્યો છે. પરંતુ પાકિસ્તાને તેની સામે કરવેરાની Âસ્થતિ સુધારવી પડે અને હાલની આવકમાં ૪૦ ટકા વધારો કરવોપડે. આ માટે કરવેરા વધારવા પડે, જે લોકોની તકલીફોમાં વધારો કેર તેમ છે. આ ુપરાંત પાકિસ્તાનને સાઉદી અરેબિયા, ચીન તથા સંયુક્ત આરબ અમીરાત દ્વારા પણ નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી છે, તે દ્વારા તેની નાણાંકીય કટોકટી હળવી થવી જાઈએ, પરંતુ ખરેખર તેને એવું પરિણામ મળ્યું નથી.

આ સંજાગોમાં પડ્યા પર પાટુ જેવી Âસ્થતિ સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં પાકિસ્તાનને સહાયનો અમેરિકાએ વિરોધ કર્યો છે. અમેરિકા સમજે છે કે, પાકિસ્તાન આ નાણાંનો ઉપયોગ ચીનની બાકી વસુલાત ચુકવવા માટે કરશે અને તેથી ચીન-પાકિસ્તાન આર્થિક પથમાં ચીનને તેનો લાભ મળશે. ચીનના નાણાંકીય હીત તેમાં સચવાઈ રહ્યાં છે.

પેરિસ ખાતેની આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી નાણાં નિયમન સંસ્થાના અહેવાલમાં પાકિસ્તાનનો દરજ્જા ગ્રે ઝોનમાં મૂક્યો છે તે અનુસાર તે ત્રાસવાદીઓને નાણાં સહાય રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ ઉપરાંત તેની બેન્ક વ્યવસ્થાનો આ ત્રાસવાદી સંગઠનો ઉપયોગ કરી રહ્યા છે. જા આમ ચાલશે તો આ સંસ્થા તેને પ્રતિબંધિત દેશોની યાદીમાં પણ સમાવી શકે છે. આઈ.એમ.એફ. દ્વારા પાકિસ્તાનનો વૃદ્ધિ દર જી.ડી.પી.ના ૨.૮ ટકા અંદાજવામાં આવ્યો છે. નેપાળનો ૫ ટકા અને બાંગ્લાદેશનો સાડા સાત ટકા છે ત્યારે પાકિસ્તાનનો ખૂબ જ ઓછો રહ્યો છે. ભારતનો વૃદ્ધિ દર ૭.૬ ટકા રહે તેવી આશા દર્શાવવામાં આવી છે. આમ તેનું નાણાંકીય ચિત્ર ખૂબ જ ગંભીર અને નિરાશાજનક છે ત્યારે પાકિસ્તાને આર્થિક નીતિઓમાં ધરખમ ફેરફારો કરવા જરૂરી છે.

લેખક – પદમ સિંહ, એઆઈઆર, ન્યુઝ એનાલીસ્ટ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...