પાણી જીવન માટે ખુબ જ જરૂરી છે તેમ છતાં વિશ્વના ૮૪ કરોડ ૪૦ લાખ જેટલા લોકો પાણીની સુવિધાથી વંચિત છે. વિશ્વ આર્થિક મંચના એક અહેવાલ મુજબ સમાજ પર ભારે અસર કરે એવી વૈશ્વિક સમસ્યાઓમાં પાણીની સમસ્યા ચોથા ક્રમે છે. ભારતમાં પણ પરિÂસ્થતિ બહુ સારી નથી. સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ દ્વારા અપાતા પાણી પુરવઠાની ઉપલબ્ધતા અને ગુણવત્તા અંગે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર સુધારા કર્યા છે. તેમ છતાં ભારતના મોટા ભાગના નાગરીકો પાસે યોજનાબધ્ જળસંસાધન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહી. ગ્રામીણ વિસ્તારોમાં તો મોટાભાગના નાગરીકો યોજનાબધ્ધ જળ સંસાધનોથી વંચિત છે. આ ઉપરાંત દેશના શહેરી વિસ્તારોના ઝડપી વિકાસના પગલે ઉભી થયેલી સમસ્યાઓને ઉકેલવા સરકારના પ્રયાસો ઓછા પડે છે. જેના કારણે જરૂરથી વધુ ખાનગીકરણ થઈ રહયું છે. આ સાથે જ પીવાના પાણીની ગુણવત્તામાં સુધારો આવ્યા છતાં પણ દેશના અન્ય કેટલાક જળસંસાધનો જૈવીક તેમજ રાસાયણિક પ્રદુષકોથી દુષિત થયા છે. દેશના ર૧ ટકાથી વધુ રોગો પાણીથી સંબંધિત છે. આ ઉપરાંત સ્વચ્છતા અંગેની દેશની Âસ્થતિમાં સુધારો આવી રહયો છે છતાં હજુ ૩૩ ટકા વસતાં પારંપરિક શૌચાલયોની સુવિધા છે.
દેશમાં લાંબા સમયમાં ફરી ભરી શકે એવા જળ સંસાધનની ઉપલબ્ધતાની અછત નિર્માણ થઈ શકશે જે ચિંતાનો વિષય છે. દેશના જળાશયો હાલ પુનઃ જીવીત જળ †ોતો સાથે સંકળાયેલા છે. ભારત અનાજ ઉત્પાદન કરતા ટોચના દેશોમાંથી એક છે જેણે માટે પાણી બહુ જરૂરી છે. મોટી કૃષિ ઉત્પાદન ધરાવતા બધા જ દેશોમાં પાણીનો વપરાશ વધારે થાય છે, જેના કારણે ભુજળ સ્તરમાં ઘટાડો થાય છે.
નીતી આયોગ પ્રમાણે લગભગ છ કરોડ ભારતીયો ઘણી વધારે પાણીની સમસ્યાનો સામનો કરી રહયાં છે, જયારે ૭પ ટકા ઘરોમાં પીવાના પાણીની સુવિધા નથી. સાથે જ દર વર્ષે આશરે બે લાખ લોકો સુરક્ષિત પાણીના અભાવને કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન દેશના ઓછામાં ઓછા આઠ રાજયોમાં પાણીની Âસ્થતિ ગંભીર હોય છે. આબોહવા પરીવર્તન અને ગ્લોબલ વોર્મીંગની અસરના કારણે Âસ્થતિ વધુ બગડી શકે છે.
વધતી જતી કટોકટીનો સામનો કરવા માટે સરકારે નવા જળ શકિત મંત્રાલીયનો આરંભ કર્યો છે. જેનો હેતુ સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવાનો અને ભારતના પાણીના પ્રશ્નો હલ કરવાનો છે. નવા મંત્રાલયની રચના જળ †ોતો, નદી વિકાસ અને ગંગા નવીનીકરણ મંત્રાલય અને પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયનું વીલીનીકરણ કરીને કરવામાં આવી છે. તેમાં સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવું, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજય જળ વિવાદો ગંગા અને તેની ઉપનદીઓની નમામી ગંગે પ્રોજેકટ અંતર્ગત સફાઈ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એનડીએ સરકાર ફરી સત્તા પર આવશે તો પીવાના પાણીને ટોચની અગ્રતા અપાશે તેવા ચુંટણી પ્રચાર વખતે કરેલા વાયદાને પરીપુર્ણ કરવાની દિશામાં આ પહેલુ પગલુ છે. શ્રી મોદીએ કહયું હતું કે સ્વસ્થ પાણી સુનિશ્ચિત કરવા તથા ખેડુતોને ઉચ્ચ કક્ષાની સિંચાઈ સુવિધા આપવા માટે અલગથી જળ સંશાધન મંત્રાલય સ્થાપવામાં આવશે. જે સ્થાપવામાં આવ્યું. ઘણા કેન્દ્રીય મંત્રાલયે પાણીના મુદૃ ટુકડે ટુકડે પગલા લઈ રહી છે. જેમ કે વન અને પર્યાવરણ મંત્રાલય દેશની નદીઓ ના પાણીના સંવર્ધન પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તે જ રીતે ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય શહેરી પાણી પુરવઠા તો કૃષિ મંત્રાલય સુક્ષ્મ સિંચાઈ યોજનાઓ પર કામ કરી રહી છે.
ભારત સરકાર મુજબ જળ સંશાધન અને પીવાના પાણી તથા સ્વચ્છતા મંત્રાલયોને એક સાથે જાડી બનાવાયેલા જળ શકિત મંત્રાલયની કામગીરી જુના મંત્રાલયો કરતા અનેકગણી વિસ્તૃત હશે. નવુ મંત્રાલય દેશભરમાં પાણીની માંગ અને પુરવઠાને સંકલિત કરી તેના સર્વગ્રાહી ઉકેલ માટેના પ્રયત્નો કરશે. ખાસ કરીને નવા મંત્રાલય દેશની ૪૦ ટકા પાણીની જરૂરીયાત અંગે કાર્યરત કૃષિ મંત્રાલય સાથે સંકલિત નીતીઓને સશકત કરવાની જરૂરીયાત અંગે ધ્યાન કેન્દ્રીત કરશે સાથે સાથે તે અલગ અલગ આબોહવા ધરાવતા વિસ્તારોમાં વૈકલ્પીક પાકોની પસંદગી અંગે માર્ગદર્શન આપશે તથા ઉપલબ્ધ જળ સંશાધનોના ઉપયોગ માટે સ્પ્રીન્કલર અને ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ જેવી નવી જળ સંચય ટેકનોલોજી રજુ કરશે.
Comments
Post a Comment