Skip to main content

દેશની પાણીની સમસ્યાને પહોંચી વળવા માટેના જળશકિત મંત્રાલયના પ્રયાસો.

પાણી જીવન માટે ખુબ જ જરૂરી છે તેમ છતાં વિશ્વના ૮૪ કરોડ ૪૦ લાખ જેટલા લોકો પાણીની સુવિધાથી વંચિત છે. વિશ્વ આર્થિક મંચના એક અહેવાલ મુજબ સમાજ પર ભારે અસર કરે એવી વૈશ્વિક સમસ્યાઓમાં પાણીની સમસ્યા ચોથા ક્રમે છે. ભારતમાં પણ પરિÂસ્થતિ બહુ સારી નથી. સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ દ્વારા અપાતા પાણી પુરવઠાની ઉપલબ્ધતા અને ગુણવત્તા અંગે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર સુધારા કર્યા છે. તેમ છતાં ભારતના મોટા ભાગના નાગરીકો પાસે યોજનાબધ્‌ જળસંસાધન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહી. ગ્રામીણ વિસ્તારોમાં તો મોટાભાગના નાગરીકો યોજનાબધ્ધ જળ સંસાધનોથી વંચિત છે. આ ઉપરાંત દેશના શહેરી વિસ્તારોના ઝડપી વિકાસના પગલે ઉભી થયેલી સમસ્યાઓને ઉકેલવા સરકારના પ્રયાસો ઓછા પડે છે. જેના કારણે જરૂરથી વધુ ખાનગીકરણ થઈ રહયું છે. આ સાથે જ પીવાના પાણીની ગુણવત્તામાં સુધારો આવ્યા છતાં પણ દેશના અન્ય કેટલાક જળસંસાધનો જૈવીક તેમજ રાસાયણિક પ્રદુષકોથી દુષિત થયા છે. દેશના ર૧ ટકાથી વધુ રોગો પાણીથી સંબંધિત છે. આ ઉપરાંત સ્વચ્છતા અંગેની દેશની Âસ્થતિમાં સુધારો આવી રહયો છે છતાં હજુ ૩૩ ટકા વસતાં પારંપરિક શૌચાલયોની સુવિધા છે.
દેશમાં લાંબા સમયમાં ફરી ભરી શકે એવા જળ સંસાધનની ઉપલબ્ધતાની અછત નિર્માણ થઈ શકશે જે ચિંતાનો વિષય છે. દેશના જળાશયો હાલ પુનઃ જીવીત જળ ોતો સાથે સંકળાયેલા છે. ભારત અનાજ ઉત્પાદન કરતા ટોચના દેશોમાંથી એક છે જેણે માટે પાણી બહુ જરૂરી છે. મોટી કૃષિ ઉત્પાદન ધરાવતા બધા જ દેશોમાં પાણીનો વપરાશ વધારે થાય છે, જેના કારણે ભુજળ સ્તરમાં ઘટાડો થાય છે.
નીતી આયોગ પ્રમાણે લગભગ છ કરોડ ભારતીયો ઘણી વધારે પાણીની સમસ્યાનો સામનો કરી રહયાં છે, જયારે ૭પ ટકા ઘરોમાં પીવાના પાણીની સુવિધા નથી. સાથે જ દર વર્ષે આશરે બે લાખ લોકો સુરક્ષિત પાણીના અભાવને કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન દેશના ઓછામાં ઓછા આઠ રાજયોમાં પાણીની Âસ્થતિ ગંભીર હોય છે. આબોહવા પરીવર્તન અને ગ્લોબલ વોર્મીંગની અસરના કારણે Âસ્થતિ વધુ બગડી શકે છે.
વધતી જતી કટોકટીનો સામનો કરવા માટે સરકારે નવા જળ શકિત મંત્રાલીયનો આરંભ કર્યો છે. જેનો હેતુ સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવાનો અને ભારતના પાણીના પ્રશ્નો હલ કરવાનો છે. નવા મંત્રાલયની રચના જળ ોતો, નદી વિકાસ અને ગંગા નવીનીકરણ મંત્રાલય અને પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયનું વીલીનીકરણ કરીને કરવામાં આવી છે. તેમાં સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવું, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજય જળ વિવાદો ગંગા અને તેની ઉપનદીઓની નમામી ગંગે પ્રોજેકટ અંતર્ગત સફાઈ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એનડીએ સરકાર ફરી સત્તા પર આવશે તો પીવાના પાણીને ટોચની અગ્રતા અપાશે તેવા ચુંટણી પ્રચાર વખતે કરેલા વાયદાને પરીપુર્ણ કરવાની દિશામાં આ પહેલુ પગલુ છે. શ્રી મોદીએ કહયું હતું કે સ્વસ્થ પાણી સુનિશ્ચિત કરવા તથા ખેડુતોને ઉચ્ચ કક્ષાની સિંચાઈ સુવિધા આપવા માટે અલગથી જળ સંશાધન મંત્રાલય સ્થાપવામાં આવશે. જે સ્થાપવામાં આવ્યું. ઘણા કેન્દ્રીય મંત્રાલયે પાણીના મુદૃ ટુકડે ટુકડે પગલા લઈ રહી છે. જેમ કે વન અને પર્યાવરણ મંત્રાલય દેશની નદીઓ ના પાણીના સંવર્ધન પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તે જ રીતે ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય શહેરી પાણી પુરવઠા તો કૃષિ મંત્રાલય સુક્ષ્મ સિંચાઈ યોજનાઓ પર કામ કરી રહી છે.

ભારત સરકાર મુજબ જળ સંશાધન અને પીવાના પાણી તથા સ્વચ્છતા મંત્રાલયોને એક સાથે જાડી બનાવાયેલા જળ શકિત મંત્રાલયની કામગીરી જુના મંત્રાલયો કરતા અનેકગણી વિસ્તૃત હશે. નવુ મંત્રાલય દેશભરમાં પાણીની માંગ અને પુરવઠાને સંકલિત કરી તેના સર્વગ્રાહી ઉકેલ માટેના પ્રયત્નો કરશે. ખાસ કરીને નવા મંત્રાલય દેશની ૪૦ ટકા પાણીની જરૂરીયાત અંગે કાર્યરત કૃષિ મંત્રાલય સાથે સંકલિત નીતીઓને સશકત કરવાની જરૂરીયાત અંગે ધ્યાન કેન્દ્રીત કરશે સાથે સાથે તે અલગ અલગ આબોહવા ધરાવતા વિસ્તારોમાં વૈકલ્પીક પાકોની પસંદગી અંગે માર્ગદર્શન આપશે તથા ઉપલબ્ધ જળ સંશાધનોના ઉપયોગ માટે સ્પ્રીન્કલર અને ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ જેવી નવી જળ સંચય ટેકનોલોજી રજુ કરશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...