Skip to main content

આબોહવામાં પરિવર્તનની અસરો ઘટાડવાનો સમય આવી પહોંચ્યો એ અંગે સમીક્ષા

તાજેતરના અહેવાલોમાં જણાવ્યું છે કે ભારત સહિત વિશ્વના ઘણાં વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. રાજસ્થાનના ચુરુમાં ૫૦ ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
તાજેતરમાં ઘણા સ્થળોએ લોકોને ગરમીથી રાહત મળી છે. આમ છતાં ઘણી જગ્યાએ તાપમાન ઘણું ઉંચુ છે. ભારતમાં વધુ ગરમી એ નવી બાબત નથી પણ ગરમીના મોજાની તીવ્રતા અને તેનો સમયગાળો એ બાબત ધ્યાનમાં લેતા આ પરિÂસ્થતિ આબોહવામાં થયેલા પરિવર્તનના કારણે ઉભી થઇ છે.
ઓસ્ટ્રેલિયાના નેશનલ સેન્ટર ફોર ક્લાઇમેટ રિસ્ટોરેશનના નિષ્ણાંતોએ વિશ્લેષણના અંતે જીવસૃષ્ટિ બાબતે ખુબ જ બિહામણુ ચિત્ર રજુ કરતા કહ્યું છે કે માનવોના કારણે થઇ રહેલા આબોહવામાં આવેલા પરિવર્તનથી આશરે દસ લાખ જેટલી જીવ - પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. પૃથ્વીપરના કેટલાક વાયુઓ બહાર જઇ શકતા નથી તેના કારણે ઋતુચક્રને સીધી અસર થાય છે. અમેરીકાની નાસા સંસ્થાએ પણ જણાવ્યું છે કે પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, મીથેન, તથા ક્લોરોફ્યુરો કાર્બન જેવા પરિબળોના કારણે ગ્રીન હાઉસ જેવી અસર ઉભી થતા પૃથ્વી પરની ગરમી બાહ્ય વાતાવરણમાં ઉંચે જઇ શકતી નથી. આના લીધે આબોહવામાં પરિવર્તન થાય છે.
વિવિધ દેશોના તેરસોથી વધુ વૈજ્ઞાનિકોએ અભ્યાસના અંતે જણાવ્યું છે કે આગામી સદીમાં તાપમાન અઢીથી ૧૦ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. જા કે, આબોહવામાં પરિવર્તનની કોઇ એક સ્થળે થનારી અસરો ઓછી કે વધુ હોઇ શકે છે.
આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આશરે ૧ થી ૩ ડિગ્રી સેલ્સીયસ ગરમી વધતા કેટલાક વિસ્તારોને તેનો લાભ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં તેની વિનાશક અસર જાવા મળશે.
ભારતમાં પણ આબોહવામાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે. આના પરિણામે દેશના કેટલાક વિસ્તારોમાં ઘારણા કરતા વધુ ગરમી, ઘણાં સમય સુધી અનુભવાય છે. આના પરિણામે વરસાદ વધી શકે છે. કેટલાક પાકોના ઉત્પાદન ઉપર સીધી અસર થઇ શકે છે. શિયાળાની ઋતુમાં તાપમાનમાં અડધા ડિગ્રીના વધારાથી ઘઉંના ઉત્પાદનમાં પ્રતિ હેક્ટરે ૦.૪૫ ટન ઉત્પાદન ઘટી શકે છે.
તાપમાન વધતા દરિયાની સપાટીમાં વધારો થાય તો તેના કારણે દરિયાકાંઠા વિસ્તારની જમીનનું ધોવાણ અસાધારણ પૂર જેવી પરિÂસ્થતિઓ ઉભી થશે. આના લીધે ગંગા, બ્રહ્મપુત્રા જેવા નદીઓના વિશાળ મુખ પ્રદેશોને પણ ગંભીર અસર થઇ શકે છે. દરિયાની વધતી સપાટીથી લક્ષદ્વીપ તથા પાડોશી દેશ માલદીવના અસ્તીત્વને પડકાર મળી શકે છે. આબોહવામાં પરિવર્તન વાસ્તવમાં ખુબ જ જટીલ સમસ્યા છે. તેમાં વિજ્ઞાન, અર્થતંત્ર, સમાજ, રાજકારણ નૈતીકતા જેવા ઘણા પરિમાણો છે, અને એક રીતે તે વૈશ્વિક સમસ્યા છે.
જેની સીધી અસરો કેટલાક વિસ્તારોમાં જાવા મળી રહી છે. અને આવનારા દિવસોમાં વધુ જણાશે, તેવી સંભાવના છે. વિવિધ વાયુનું ઉત્સર્જન કેટલા પ્રમાણમાં થાય છે અને જે તે સ્થળની આબોહવા તેનો કેવી રીતે પ્રતિભાવ આપે છે. આ બન્ને બાબતો સંબંધિત વિસ્તારમાં આબોહવામાં થતા પરિવર્તનની અસરો ઘટાડવાની પ્રક્રિયા નિર્ધારિત કરે છે.
આ કામગીરીમાં બે મહત્વની વ્યૂહરચના જાવા મળે છે એક વિવિધ વાયુના ઉત્સર્જનમાં ઘટાડો કરવો તથા ગરમીને અવરોધતા સ્તરને Âસ્થર કરી તેને ઘટાડવું ભારતે, આબોહવામાં થતા પરિવર્તનો રોકવા પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૧૫ માં પેરીસમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની આબોહવામાં પરિવર્તન અંગેની શીખર પરિષદમાં આ ક્ષેત્રે મહત્વાકાંક્ષી પ્રયાસો હાથ ધરાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોને સૌર્ય ઉર્જા જૂથ આઇ.એસ.એ. ની રચના કરી છે. સૌર્ય ઉર્જાનો ઉપયોગ વધતા આબોહવામાં પરિવર્તન લાવવા જવાબદાર ફોસીલ ફ્યુએલનો વપરાશ ઘટાડી શકાશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...