તાજેતરના અહેવાલોમાં જણાવ્યું છે કે ભારત સહિત વિશ્વના ઘણાં વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. રાજસ્થાનના ચુરુમાં ૫૦ ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
તાજેતરમાં ઘણા સ્થળોએ લોકોને ગરમીથી રાહત મળી છે. આમ છતાં ઘણી જગ્યાએ તાપમાન ઘણું ઉંચુ છે. ભારતમાં વધુ ગરમી એ નવી બાબત નથી પણ ગરમીના મોજાની તીવ્રતા અને તેનો સમયગાળો એ બાબત ધ્યાનમાં લેતા આ પરિÂસ્થતિ આબોહવામાં થયેલા પરિવર્તનના કારણે ઉભી થઇ છે.
ઓસ્ટ્રેલિયાના નેશનલ સેન્ટર ફોર ક્લાઇમેટ રિસ્ટોરેશનના નિષ્ણાંતોએ વિશ્લેષણના અંતે જીવસૃષ્ટિ બાબતે ખુબ જ બિહામણુ ચિત્ર રજુ કરતા કહ્યું છે કે માનવોના કારણે થઇ રહેલા આબોહવામાં આવેલા પરિવર્તનથી આશરે દસ લાખ જેટલી જીવ - પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. પૃથ્વીપરના કેટલાક વાયુઓ બહાર જઇ શકતા નથી તેના કારણે ઋતુચક્રને સીધી અસર થાય છે. અમેરીકાની નાસા સંસ્થાએ પણ જણાવ્યું છે કે પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, મીથેન, તથા ક્લોરોફ્યુરો કાર્બન જેવા પરિબળોના કારણે ગ્રીન હાઉસ જેવી અસર ઉભી થતા પૃથ્વી પરની ગરમી બાહ્ય વાતાવરણમાં ઉંચે જઇ શકતી નથી. આના લીધે આબોહવામાં પરિવર્તન થાય છે.
વિવિધ દેશોના તેરસોથી વધુ વૈજ્ઞાનિકોએ અભ્યાસના અંતે જણાવ્યું છે કે આગામી સદીમાં તાપમાન અઢીથી – ૧૦ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. જા કે, આબોહવામાં પરિવર્તનની કોઇ એક સ્થળે થનારી અસરો ઓછી કે વધુ હોઇ શકે છે.
આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આશરે ૧ થી ૩ ડિગ્રી સેલ્સીયસ ગરમી વધતા કેટલાક વિસ્તારોને તેનો લાભ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં તેની વિનાશક અસર જાવા મળશે.
ભારતમાં પણ આબોહવામાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે. આના પરિણામે દેશના કેટલાક વિસ્તારોમાં ઘારણા કરતા વધુ ગરમી, ઘણાં સમય સુધી અનુભવાય છે. આના પરિણામે વરસાદ વધી શકે છે. કેટલાક પાકોના ઉત્પાદન ઉપર સીધી અસર થઇ શકે છે. શિયાળાની ઋતુમાં તાપમાનમાં અડધા ડિગ્રીના વધારાથી ઘઉંના ઉત્પાદનમાં પ્રતિ હેક્ટરે ૦.૪૫ ટન ઉત્પાદન ઘટી શકે છે.
તાપમાન વધતા દરિયાની સપાટીમાં વધારો થાય તો તેના કારણે દરિયાકાંઠા વિસ્તારની જમીનનું ધોવાણ અસાધારણ પૂર જેવી પરિÂસ્થતિઓ ઉભી થશે. આના લીધે ગંગા, બ્રહ્મપુત્રા જેવા નદીઓના વિશાળ મુખ પ્રદેશોને પણ ગંભીર અસર થઇ શકે છે. દરિયાની વધતી સપાટીથી લક્ષદ્વીપ તથા પાડોશી દેશ માલદીવના અસ્તીત્વને પડકાર મળી શકે છે. આબોહવામાં પરિવર્તન વાસ્તવમાં ખુબ જ જટીલ સમસ્યા છે. તેમાં વિજ્ઞાન, અર્થતંત્ર, સમાજ, રાજકારણ નૈતીકતા જેવા ઘણા પરિમાણો છે, અને એક રીતે તે વૈશ્વિક સમસ્યા છે.
જેની સીધી અસરો કેટલાક વિસ્તારોમાં જાવા મળી રહી છે. અને આવનારા દિવસોમાં વધુ જણાશે, તેવી સંભાવના છે. વિવિધ વાયુનું ઉત્સર્જન કેટલા પ્રમાણમાં થાય છે અને જે – તે સ્થળની આબોહવા તેનો કેવી રીતે પ્રતિભાવ આપે છે. આ બન્ને બાબતો સંબંધિત વિસ્તારમાં આબોહવામાં થતા પરિવર્તનની અસરો ઘટાડવાની પ્રક્રિયા નિર્ધારિત કરે છે.
આ કામગીરીમાં બે મહત્વની વ્યૂહરચના જાવા મળે છે – એક – વિવિધ વાયુના ઉત્સર્જનમાં ઘટાડો કરવો તથા ગરમીને અવરોધતા સ્તરને Âસ્થર કરી તેને ઘટાડવું ભારતે, આબોહવામાં થતા પરિવર્તનો રોકવા પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૧૫ માં પેરીસમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની આબોહવામાં પરિવર્તન અંગેની શીખર પરિષદમાં આ ક્ષેત્રે મહત્વાકાંક્ષી પ્રયાસો હાથ ધરાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોને સૌર્ય ઉર્જા જૂથ – આઇ.એસ.એ. ની રચના કરી છે. સૌર્ય ઉર્જાનો ઉપયોગ વધતા આબોહવામાં પરિવર્તન લાવવા જવાબદાર ફોસીલ ફ્યુએલનો વપરાશ ઘટાડી શકાશે.
Comments
Post a Comment