Skip to main content

શાંઘાઈ સહકાર સંગઠન – SCOની બીશ્કાકમાં યોજાયેલી બેઠક અંગે સમીક્ષા

લોકસભામાં ભવ્ય વિજય મેળવ્યા બાદ વિદેશ નીતિના મક્કમ સંકેત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીસ્તાનના બીશ્કાકમાં યોજાયેલી શાંધાઇ સહકાર સંગઠન SCOની બેઠકમાં ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આતંકવાદને સમર્થન પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડતા દેશોને જવાબદાર ગણવા વિશ્વ આલમને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, રક્ષણવાદની નીતિથી કોઇને લાભ થશે નહીં.
શ્રી મોદીએ જીર્ઝ્રંની બેઠકમાં સંગઠનના આરોગ્ય ક્ષેત્રે સહકાર, ઉર્જા ક્ષેત્રે સહકાર, વૈકÂલ્પક ઉર્જા, સાહિત્ય, સંસ્કૃતિ, આતંકવાદ મુક્ત સમાજ જેવા હાર્દસમા સિધ્ધાંતોની વિગતો આપી આ હેતુથી સંપર્ક વધારવા ઉપર ભાર મૂક્યો છે.
અફઘાનીસ્તાનમાં શાંતિ સ્થાપય તેની જરૂર ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમગ્ર પ્રક્રિયા અફઘાન દ્વારા નિયંત્રીત અને તેમના વડપણ હેઠળ જ યોજવી જાઇએ.
SCO બેઠકનું આગવું તેમજ વ્યુહાત્મક મહત્વ હોવા છતાં વિવિધ દેશોના વડાઓએ બેઠકની સાથે જ યોજેલી દ્વિપક્ષીય બેઠકોએ વિશ્વના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આજ વાતચીતના ભાગરૂપે પ્રધાનમંત્રીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ તથા રશીયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે કરેલી વાતચીત મહત્વની ગણાઇ હતી. અત્યારસુધીમાં શ્રી નરેન્દ્ર મોદીએ આ બંને નેતાઓ સાથે આગવા અને વ્યÂક્તગત મૈત્રી સંબંધો વિકસાવ્યા છે.
શ્રી મોદી અને શી જીનપીંગ અત્યારસુધીમાં બાર વખત મંત્રણા કરી ચૂક્યા છે. શ્રી મોદીએ ભારતે પાકિસ્તાન સાથે શાંતિની સ્થાપના માટે હાથ ધરેલા વાતચીતના પ્રયાસોની માહિતી જીનપીંગને આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાને મંત્રણા શરૂ કરવા આતંકવાદ મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે.
ભારતે, SCOના સંગઠન તથા તેના સભ્ય દેશો સાથે હંમેશા સકારાત્મક વલણ અપનાવ્યું છે. ભારત અને મધ્ય એશિયાના દેશો સાથે આગવો સાંસ્કૃતિક સંબંધ હોવાથી ભારતીય ફિલ્મો SCOના દેશોમાં દર્શાવવામાં આવી છે. ઉઝબેકીસ્તાન, તાજીકીસ્તાન તથા કિર્ગીસ્તાનમાં ભારતીય ફિલ્મોને સારો આવકાર મળ્યો છે.
સમગ્ર રીતે જાતા ભારત SCO સંગઠન પાસેથી સકારાત્મક કામગીરીની અપેક્ષા રાખે છે અને આ ક્ષેત્રે યોગદાન આપવા પણ તૈયાર છે. આ વખતની SCOની બેઠકમાં કેફી પદાર્થ વિરોધી વ્યૂહરચના, પર્યાવરણ, આરોગ્ય તથા રમતગમત ક્ષેત્રે સહકાર આ ક્ષેત્રે ફળદાયી ચર્ચાના અંતે મહત્વના નિર્ણયો લેવાયા છે.
જીર્ઝ્રં સંગઠનના સભ્ય દેશોના વડાઓએ ૧૪ નિર્ણયો ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતે પણ SCO તથા સંયુક્ત રાષ્ટ્રસંઘની ખાસ સંસ્થાઓ સાથે સહકારને લગતી સમજુતીઓ સાધી છે.
SCOની બેઠકમાં ચર્ચાના અંતે આતંકવાદ અંગે સર્વસંમતીથી સંયુક્ત ઘોષણાપત્ર બહાર પડયું હતું. આતંકવાદ વિરૂદ્ધના આ ઘોષણાપત્રમાં SCO સંગઠનના દેશોનો સ્પષ્ટ અભિગમ જાવા મળે છે.
SCOની હવે પછીની બેઠક રશિયામાં યોજાશે. આ શિખર બેઠકમાં ૯૦ જેટલી ઇવેન્ટ યોજાશે.
બીશ્કાક ખાતેના સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીને જણાવ્યું હતું કે, રશિયા સાયબર આતંકવાદ, આઈ.ટી., ડિજીટલાઇઝેશન જેવા ક્ષેત્રો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ આ ક્ષેત્રે સહકારની ઘણી તકો રહેલી છે.
ભારત વિકસીત શાંતિપૂર્ણ તથા આતંકવાદ મુક્ત વિશ્વવ્યવસ્થા જેવા SCOના મુખ્ય વિચારો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

લેખક : ડોક્ટર રૂપા દાસ, ચીની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...