લોકસભામાં ભવ્ય વિજય મેળવ્યા બાદ વિદેશ નીતિના મક્કમ સંકેત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીસ્તાનના બીશ્કાકમાં યોજાયેલી શાંધાઇ સહકાર સંગઠન – SCOની બેઠકમાં ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આતંકવાદને સમર્થન પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડતા દેશોને જવાબદાર ગણવા વિશ્વ આલમને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, રક્ષણવાદની નીતિથી કોઇને લાભ થશે નહીં.
શ્રી મોદીએ જીર્ઝ્રંની બેઠકમાં સંગઠનના આરોગ્ય ક્ષેત્રે સહકાર, ઉર્જા ક્ષેત્રે સહકાર, વૈકÂલ્પક ઉર્જા, સાહિત્ય, સંસ્કૃતિ, આતંકવાદ મુક્ત સમાજ જેવા હાર્દસમા સિધ્ધાંતોની વિગતો આપી આ હેતુથી સંપર્ક વધારવા ઉપર ભાર મૂક્યો છે.
અફઘાનીસ્તાનમાં શાંતિ સ્થાપય તેની જરૂર ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમગ્ર પ્રક્રિયા અફઘાન દ્વારા નિયંત્રીત અને તેમના વડપણ હેઠળ જ યોજવી જાઇએ.
SCO બેઠકનું આગવું તેમજ વ્યુહાત્મક મહત્વ હોવા છતાં વિવિધ દેશોના વડાઓએ બેઠકની સાથે જ યોજેલી દ્વિપક્ષીય બેઠકોએ વિશ્વના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આજ વાતચીતના ભાગરૂપે પ્રધાનમંત્રીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ તથા રશીયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે કરેલી વાતચીત મહત્વની ગણાઇ હતી. અત્યારસુધીમાં શ્રી નરેન્દ્ર મોદીએ આ બંને નેતાઓ સાથે આગવા અને વ્યÂક્તગત મૈત્રી સંબંધો વિકસાવ્યા છે.
શ્રી મોદી અને શી જીનપીંગ અત્યારસુધીમાં બાર વખત મંત્રણા કરી ચૂક્યા છે. શ્રી મોદીએ ભારતે પાકિસ્તાન સાથે શાંતિની સ્થાપના માટે હાથ ધરેલા વાતચીતના પ્રયાસોની માહિતી જીનપીંગને આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાને મંત્રણા શરૂ કરવા આતંકવાદ મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે.
ભારતે, SCOના સંગઠન તથા તેના સભ્ય દેશો સાથે હંમેશા સકારાત્મક વલણ અપનાવ્યું છે. ભારત અને મધ્ય એશિયાના દેશો સાથે આગવો સાંસ્કૃતિક સંબંધ હોવાથી ભારતીય ફિલ્મો SCOના દેશોમાં દર્શાવવામાં આવી છે. ઉઝબેકીસ્તાન, તાજીકીસ્તાન તથા કિર્ગીસ્તાનમાં ભારતીય ફિલ્મોને સારો આવકાર મળ્યો છે.
સમગ્ર રીતે જાતા ભારત SCO સંગઠન પાસેથી સકારાત્મક કામગીરીની અપેક્ષા રાખે છે અને આ ક્ષેત્રે યોગદાન આપવા પણ તૈયાર છે. આ વખતની SCOની બેઠકમાં કેફી પદાર્થ વિરોધી વ્યૂહરચના, પર્યાવરણ, આરોગ્ય તથા રમતગમત ક્ષેત્રે સહકાર આ ક્ષેત્રે ફળદાયી ચર્ચાના અંતે મહત્વના નિર્ણયો લેવાયા છે.
જીર્ઝ્રં સંગઠનના સભ્ય દેશોના વડાઓએ ૧૪ નિર્ણયો ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતે પણ SCO તથા સંયુક્ત રાષ્ટ્રસંઘની ખાસ સંસ્થાઓ સાથે સહકારને લગતી સમજુતીઓ સાધી છે.
SCOની બેઠકમાં ચર્ચાના અંતે આતંકવાદ અંગે સર્વસંમતીથી સંયુક્ત ઘોષણાપત્ર બહાર પડયું હતું. આતંકવાદ વિરૂદ્ધના આ ઘોષણાપત્રમાં SCO સંગઠનના દેશોનો સ્પષ્ટ અભિગમ જાવા મળે છે.
SCOની હવે પછીની બેઠક રશિયામાં યોજાશે. આ શિખર બેઠકમાં ૯૦ જેટલી ઇવેન્ટ યોજાશે.
બીશ્કાક ખાતેના સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીને જણાવ્યું હતું કે, રશિયા – સાયબર – આતંકવાદ, આઈ.ટી., ડિજીટલાઇઝેશન જેવા ક્ષેત્રો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ આ ક્ષેત્રે સહકારની ઘણી તકો રહેલી છે.
ભારત વિકસીત શાંતિપૂર્ણ તથા આતંકવાદ મુક્ત વિશ્વવ્યવસ્થા જેવા SCOના મુખ્ય વિચારો પ્રત્યે પ્રતિબદ્ધ છે.
લેખક : ડોક્ટર રૂપા દાસ, ચીની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment