પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકાર દેશને વિકાસના ક્ષિતિજે નવી ઊંચાઈ પર લઈ જશે.
તેમણે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સંકલ્પનાને અમલમાં મૂકવા બધા જ રાજકીય પક્ષોને સહકાર માગ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને ગૃહોને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવનો લોકસભામાં જવાબ આપતા પ્રધાનમંત્રીએ સંસદની કામગીરી સરળતાથી ચાલી શકે તે માટે સહકાર આપવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ભારતે સમૃદ્ધિ તથા વિકાસની એક પણ તક જતી કરવી જાઈએ નહીં.
સત્તાધારી પક્ષ તથા વિપક્ષ સાથે મળીને દેશની સામેના પડકારોનો સામનો કરશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો છે.
ભ્રષ્ટાચાર, ખેડૂતો, રોજગાર જેવા વિવિધ મુદ્દાઓ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ મજબુત, સલામત અને સર્વસમાવેશક ભારતના નિર્માણ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.
તેમની સરકાર ભ્રષ્ટાચારનો સતત સામનો કરશે તેવી ખાતરી દોહરાવીને શ્રી મોદીએ કહ્યું કે, ભારતમાં ભ્રષ્ટાચારને સ્થાન નથી.
દેશમાં પ્રવર્તતા જળસંકટનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, દેશના દરેક પરિવારને પાણી ઉપલબ્ધ કરાવવું તે તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે.
રાજ્યસભામાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ચૂંટણી સુધારા હાથ ધરવાની તાતી જરૂર છે.
તેમણે સાંસદોને નવા ભારતના નિર્માણ અંગે અંગે વિચારણા કરવાની અપીલ કરી હતી.
સરકાર દરેક નાગરિકને સરળતાથી જીવન જીવવાની બાબત સુનિશ્ચિત કરવા માગે છે, ત્યારે દરેક નાગરિકે પણ નવા ભારતના નિર્માણમાં સહકાર આપવો જરૂરી છે.
શ્રી મોદીએ વિપક્ષ દ્વારા નવા ભારત અને એક જ સમયે ચૂંટણી યોજવાની કરાતી ટીકા બાબતે તેમણે વિપક્ષોને વખોડી કાઢ્યા હતા.
કોંગ્રેસના ગુલામનબી આઝાદે તેઓ જુનું ભારત ઈચ્છે છે, તેવા આશયના કરેલા નિવેદનને વખોડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, શું તેઓ એવું ભારત ઈચ્છે છે જ્યાં કેબિનેટના નિર્ણયોના કાગળો પત્રકાર પરિષદમાં ફાડવામાં આવતા હોય અને નૌકાદળના જહાજનો ઉપયોગ વ્યÂક્તગત પ્રવાસ માટે કરાયો હોય?
પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં વીજાણુ મતદાન યંત્ર – ઈવીએમના ઉપયોગના નિર્ણયનો બચાવ કર્યો હતો તથા આ મુદ્દે વિપક્ષના વલણની ટીકા કરી હતી.
લોકસભાએ, ખાસ આર્થિક સુધારા વિધેયક પસાર કર્યું છે. આ સુધારા મુજબ ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓને ખાસ આર્થિક વિસ્તારો – સેઝમાં પોતાના એકમો સ્થાપવાની મંજુરી અપાઇ છે.
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આધાર સુધારા ખરડો ગૃહમાં રજુ કર્યો હતો. આ ખરડો આ વર્ષે માસમાં રજુ કરાયેલા વટહુકમનું સ્થાન લેશે.
ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જમ્મુ અને કાશ્મીર અનામત સુધારા વિધેયક ૨૦૧૯ને ગૃહમાં રજુ કર્યું હતું.
આ વિધેયકમાં જમ્મુ અને કાશ્મીર અનામત ધારો ૨૦૦૪માં સુધારો કરીને જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદેથી ૧૦ કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો માટે સરકારી નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવાની દરખાસ્ત કરાઇ છે.
વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને લોકસભામાં જાણકારી આપી હતી કે, ભારતે સરહદપારથી થતા આતંકવાદનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે, તેમજ આતંકવાદનો સાથે મળીને સામનો કરવાની અપીલ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચો પર ઘણી વખત કરી છે.
ભારતે કરેલા સતત પ્રયાસોના કારણે ઘણા દેશોએ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ માટે કુખ્યાત વ્યÂક્ત તથા સંસ્થાઓ કાર્યરત હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે પાકિસ્તાને તેની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે ન થવા દેવાની પણ અપીલ કરી છે.
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે કડક શબ્દોમાં વખોડયો હતો.
રાજ્યસભામાં સાંસદોએ દેશના કેટલાક વિસ્તારોમાં ઉભી થયેલી તંગી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ ચર્ચાનો જવાબ આપતા જળશÂક્ત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભુગર્ભમાં જળના સંગ્રહ માટે શક્ય તમામ પ્રયાસ કરાશે.લેખક – વી.મોહન રાવ, પત્રકાર
Comments
Post a Comment