Skip to main content

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકાર દેશને વિકાસના ક્ષિતિજે નવી ઊંચાઈ પર લઈ જશે.
તેમણે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સંકલ્પનાને અમલમાં મૂકવા બધા જ રાજકીય પક્ષોને સહકાર માગ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને ગૃહોને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવનો લોકસભામાં જવાબ આપતા પ્રધાનમંત્રીએ સંસદની કામગીરી સરળતાથી ચાલી શકે તે માટે સહકાર આપવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ભારતે સમૃદ્ધિ તથા વિકાસની એક પણ તક જતી કરવી જાઈએ નહીં.
સત્તાધારી પક્ષ તથા વિપક્ષ સાથે મળીને દેશની સામેના પડકારોનો સામનો કરશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો છે.
ભ્રષ્ટાચાર, ખેડૂતો, રોજગાર જેવા વિવિધ મુદ્દાઓ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ મજબુત, સલામત અને સર્વસમાવેશક ભારતના નિર્માણ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.
તેમની સરકાર ભ્રષ્ટાચારનો સતત સામનો કરશે તેવી ખાતરી દોહરાવીને શ્રી મોદીએ કહ્યું કે, ભારતમાં ભ્રષ્ટાચારને સ્થાન નથી.
દેશમાં પ્રવર્તતા જળસંકટનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, દેશના દરેક પરિવારને પાણી ઉપલબ્ધ કરાવવું તે તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે.
રાજ્યસભામાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ચૂંટણી સુધારા હાથ ધરવાની તાતી જરૂર છે.
તેમણે સાંસદોને નવા ભારતના નિર્માણ અંગે અંગે વિચારણા કરવાની અપીલ કરી હતી.
સરકાર દરેક નાગરિકને સરળતાથી જીવન જીવવાની બાબત સુનિશ્ચિત કરવા માગે છે, ત્યારે દરેક નાગરિકે પણ નવા ભારતના નિર્માણમાં સહકાર આપવો જરૂરી છે.
શ્રી મોદીએ વિપક્ષ દ્વારા નવા ભારત અને એક જ સમયે ચૂંટણી યોજવાની કરાતી ટીકા બાબતે તેમણે વિપક્ષોને વખોડી કાઢ્યા હતા.
કોંગ્રેસના ગુલામનબી આઝાદે તેઓ જુનું ભારત ઈચ્છે છે, તેવા આશયના કરેલા નિવેદનને વખોડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, શું તેઓ એવું ભારત ઈચ્છે છે જ્યાં કેબિનેટના નિર્ણયોના કાગળો પત્રકાર પરિષદમાં ફાડવામાં આવતા હોય અને નૌકાદળના જહાજનો ઉપયોગ વ્યÂક્તગત પ્રવાસ માટે કરાયો હોય?
પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં વીજાણુ મતદાન યંત્ર ઈવીએમના ઉપયોગના નિર્ણયનો બચાવ કર્યો હતો તથા આ મુદ્દે વિપક્ષના વલણની ટીકા કરી હતી.
લોકસભાએ, ખાસ આર્થિક સુધારા વિધેયક પસાર કર્યું છે. આ સુધારા મુજબ ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓને ખાસ આર્થિક વિસ્તારો સેઝમાં પોતાના એકમો સ્થાપવાની મંજુરી અપાઇ છે.
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આધાર સુધારા ખરડો ગૃહમાં રજુ કર્યો હતો. આ ખરડો આ વર્ષે માસમાં રજુ કરાયેલા વટહુકમનું સ્થાન લેશે.
ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જમ્મુ અને કાશ્મીર અનામત સુધારા વિધેયક ૨૦૧૯ને ગૃહમાં રજુ કર્યું હતું.
આ વિધેયકમાં જમ્મુ અને કાશ્મીર અનામત ધારો ૨૦૦૪માં સુધારો કરીને જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદેથી ૧૦ કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો માટે સરકારી નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવાની દરખાસ્ત કરાઇ છે.
વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને લોકસભામાં જાણકારી આપી હતી કે, ભારતે સરહદપારથી થતા આતંકવાદનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે, તેમજ આતંકવાદનો સાથે મળીને સામનો કરવાની અપીલ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચો પર ઘણી વખત કરી છે.
ભારતે કરેલા સતત પ્રયાસોના કારણે ઘણા દેશોએ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ માટે કુખ્યાત વ્યÂક્ત તથા સંસ્થાઓ કાર્યરત હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે પાકિસ્તાને તેની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે ન થવા દેવાની પણ અપીલ કરી છે.
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે કડક શબ્દોમાં વખોડયો હતો.
રાજ્યસભામાં સાંસદોએ દેશના કેટલાક વિસ્તારોમાં ઉભી થયેલી તંગી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ ચર્ચાનો જવાબ આપતા જળશÂક્ત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભુગર્ભમાં જળના સંગ્રહ માટે શક્ય તમામ પ્રયાસ કરાશે.
લેખક વી.મોહન રાવ, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...