Skip to main content

ભારતની સહાયથી શ્રીલંકામાં પ્રથમ આદર્શ ગ્રામ ખુલ્લુ મુકાયું તે અંગે સમીક્ષા

શ્રીલંકા સરકારના આવાસ બાંધકામ અને સાંસ્કૃતિક મંત્રાલયના આદર્શ ગ્રામ કાર્યક્રમ હેઠળ શ્રીલંકાના ગામપાહા જીલ્લામાં ભારતની સહાયથી પ્રથમ આદર્શ ગ્રામને છ જુલાઈના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. એક યોજાયેલા ખાસ સમારોહમાં લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રીલંકા સરકારના આવાસ અને બાંધકામ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી સાજીથ પ્રેમદાસા, પુર્વ પ્રેસીડેન્ટ ચંદ્રિકા બંદારનાયીકે, કુમાર તુંગા અને કાર્યકારી ભારતીય હાઈ કમિશ્નર ડોકટર શિલ્પક અમ્બુલે સહિત જુદા જુદા રાજકીય મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપÂસ્થત રહયાં હતા. શ્રીલંકાના આવાસ અને બાંધકામ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય સાથે ભારતીય એલએસઆર ૧ર૦૦ મીલીયનની સહાયથી ર૪૦૦ આવાસો ધરાવતાં ૧૦૦ આદર્શ ગ્રામને ઉભા કરવામાં ભારત સહભાગીદાર છે. આ વચનને અનુલક્ષીને ઓકટોબર ર૦૧૭ ની ર૬ તારીખે બે સમજુતી કરાર થયા હતા. જેમાં લંકાઉન્ડરમાં દક્ષિણ પ્રદેશમાં ૬૦૦ આવાસો બાંધવાનો અને શ્રીલંકાના રપ જીલ્લાઓમાં ૬૦૦ આવાસોના આદર્શ ગ્રામનો સમાવેશ થાય છે. આમા ભારતની ૬૦૦ મીલીયન રૂપિયાની સહાય મળશે. ભારત સરકારની નાણાંકીય સહાય અને ટેકનીકલ મદદગારીથી આ આદર્શ આવાસો બંધાઈ રહયાં છે. પાંચ લાખ એસએલઆરની રોકડ સહાય ઓછી આવકવાળા, જમીન વિહોણા અને ઘર વિહોણા લાભાર્થીઓને પાંચ હપ્તામાં આપવામાં આવે છે. આ પ્રોજેકટ ભારત સરકાર ધ્વારા નોર્થ-ઈસ્ટના વિસ્થાપિતો માટે પચાસ હજાર આવાસો બાંધવા ઉપરાંતનો છે. પ્લાન્ટેશન સેકટરના દસ લોકો માટે દસ હજાર આવાસો બંધાશે જેના સમજુતી કરાર જુન-ર૦૧૦ અને મે-ર૦૧૭ ના ક્રમાનુસાર થયા હતા. બંને સરકારો વચ્ચે ૧પ૩ આવાસો બાંધવાના સમજુતી કરાર ર૦૧૭ ની જુલાઈ ૧૪ મી તારીખે થયા હતા. અનુરાધાપુરાના સોવિથા થેરો ગામે ભારતની એસએલઆર ૩૦૦ મીલીયનની સહાયથી બહુવિદ્ય સમુદાય, બીલ્ડીંગ અને હોલ આંતરીક પાણી પુરવઠાની પધ્ધતિ, લાયબ્રેરી વગેરે બંધાશે.

શ્રીલંકા ખાતેના ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ જણાવ્યા મુજબ ભારતની સહાયથી કોઈ પણ વિદેશી દેશમાં નિર્માણ પામેલો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે.

ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ વિકાસ, માળખાકીય વિકાસ, વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રોમાં ૭૦થી વધુ પ્રજાલક્ષ્યી વિકાસકામો હાથ ધર્યા છે. ભારતે શ્રીલંકામાં વિકાસ કામો માટે ત્રણ અબજ અમેરિકી ડોલ જેટલું રોકાણ કર્યું છે. જેમાં અમેરિકા તરફથી મળેલા પાંચ લાખ અમેરિકી ડોલરનો સમાવેશ થાય છે.

ભારતની સહાયથી શ્રીલંકામાં થતા વિકાસકામો અંગે લાંબા સમય સુધી એક ગેરસમજ હતી કે આ વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં વસતા તમિળ લોકોના કલ્યાણ અને વિકાસ માટે છે. શ્રીલંકામાં નાગરિક યુદ્ધ પુરું થતાં જ ભારતે શ્રીલંકાની સરકારને પ્રભાવિત વિસ્તારોમાં રાહત, અને પુનનિર્માણ કામગીરી માટે સહાય આવી હતી. જેના પરિણામે ભારતના મોટા ભાગના વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં કેન્દ્રીત થયા હતા. પરંતુ ભારતીય વિકાસકામો ક્યારેય આ બે વિસ્તાર પુરતા જ મર્યાદિત ન હતા. શ્રીલંકાની સરકારની વિનંતી અને જરૂરિયાત મુજબ ભારતે હંમેશાં શ્રીલંકાને સહાય આપી છે.

આ સંદર્ભમાં ભારતીય મદદથી સંપૂર્ણ શ્રીલંકામાં શરૂ કરાયેલી ૧૯૯૦ મફત આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ સેવા પ્રારંભમાં દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશોમાં અમલી કરાઈ હતી. આ સેવાની સફળતાને કારણે શ્રીલંક સરકારે ભારત સરકારને આ સેવા દેશભરમાં વિસ્તારવાની વિનંતી કરતાં ભારત સરકારે તેનો સ્વીકાર કર્યો છે.

શ્રીલંકાને રેલવે વિકાસ માટે ભારત ૧.૩ બિલિયન યુએસ ડોલરની ક્રેડિટ આપવા વચનબદ્ધ છે.

ભારતીય પ્રોજેક્ટ સમયસર પૂરા ન થતાં હોવાની ટીકાઓ થતી હોય છે. આના ઉકેલ માટે નાના વિકાસના પ્રોજેક્ટો હાથ ધરવા શ્રીલંકા સાથે સમજૂતી કરાર થયા છે. આ માળખા દ્વારા સંપૂર્ણ અમલીકરણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભારતીય સહાયથી ચાલતા ઘણા પ્રોજેક્ટો સમયસર જ પણ નિર્ધારિત સમય પહેલાં પૂરા થાય છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...