શ્રીલંકા સરકારના આવાસ બાંધકામ અને સાંસ્કૃતિક મંત્રાલયના આદર્શ ગ્રામ કાર્યક્રમ હેઠળ શ્રીલંકાના ગામપાહા જીલ્લામાં ભારતની સહાયથી પ્રથમ આદર્શ ગ્રામને છ જુલાઈના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. એક યોજાયેલા ખાસ સમારોહમાં લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રીલંકા સરકારના આવાસ અને બાંધકામ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી સાજીથ પ્રેમદાસા, પુર્વ પ્રેસીડેન્ટ ચંદ્રિકા બંદારનાયીકે, કુમાર તુંગા અને કાર્યકારી ભારતીય હાઈ કમિશ્નર ડોકટર શિલ્પક અમ્બુલે સહિત જુદા જુદા રાજકીય મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપÂસ્થત રહયાં હતા. શ્રીલંકાના આવાસ અને બાંધકામ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય સાથે ભારતીય એલએસઆર ૧ર૦૦ મીલીયનની સહાયથી ર૪૦૦ આવાસો ધરાવતાં ૧૦૦ આદર્શ ગ્રામને ઉભા કરવામાં ભારત સહભાગીદાર છે. આ વચનને અનુલક્ષીને ઓકટોબર ર૦૧૭ ની ર૬ તારીખે બે સમજુતી કરાર થયા હતા. જેમાં લંકાઉન્ડરમાં દક્ષિણ પ્રદેશમાં ૬૦૦ આવાસો બાંધવાનો અને શ્રીલંકાના રપ જીલ્લાઓમાં ૬૦૦ આવાસોના આદર્શ ગ્રામનો સમાવેશ થાય છે. આમા ભારતની ૬૦૦ મીલીયન રૂપિયાની સહાય મળશે. ભારત સરકારની નાણાંકીય સહાય અને ટેકનીકલ મદદગારીથી આ આદર્શ આવાસો બંધાઈ રહયાં છે. પાંચ લાખ એસએલઆરની રોકડ સહાય ઓછી આવકવાળા, જમીન વિહોણા અને ઘર વિહોણા લાભાર્થીઓને પાંચ હપ્તામાં આપવામાં આવે છે. આ પ્રોજેકટ ભારત સરકાર ધ્વારા નોર્થ-ઈસ્ટના વિસ્થાપિતો માટે પચાસ હજાર આવાસો બાંધવા ઉપરાંતનો છે. પ્લાન્ટેશન સેકટરના દસ લોકો માટે દસ હજાર આવાસો બંધાશે જેના સમજુતી કરાર જુન-ર૦૧૦ અને મે-ર૦૧૭ ના ક્રમાનુસાર થયા હતા. બંને સરકારો વચ્ચે ૧પ૩ આવાસો બાંધવાના સમજુતી કરાર ર૦૧૭ ની જુલાઈ ૧૪ મી તારીખે થયા હતા. અનુરાધાપુરાના સોવિથા થેરો ગામે ભારતની એસએલઆર ૩૦૦ મીલીયનની સહાયથી બહુવિદ્ય સમુદાય, બીલ્ડીંગ અને હોલ આંતરીક પાણી પુરવઠાની પધ્ધતિ, લાયબ્રેરી વગેરે બંધાશે.
શ્રીલંકા ખાતેના ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ જણાવ્યા મુજબ ભારતની સહાયથી કોઈ પણ વિદેશી દેશમાં નિર્માણ પામેલો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે.
ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ વિકાસ, માળખાકીય વિકાસ, વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રોમાં ૭૦થી વધુ પ્રજાલક્ષ્યી વિકાસકામો હાથ ધર્યા છે. ભારતે શ્રીલંકામાં વિકાસ કામો માટે ત્રણ અબજ અમેરિકી ડોલ જેટલું રોકાણ કર્યું છે. જેમાં અમેરિકા તરફથી મળેલા પાંચ લાખ અમેરિકી ડોલરનો સમાવેશ થાય છે.
ભારતની સહાયથી શ્રીલંકામાં થતા વિકાસકામો અંગે લાંબા સમય સુધી એક ગેરસમજ હતી કે આ વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં વસતા તમિળ લોકોના કલ્યાણ અને વિકાસ માટે છે. શ્રીલંકામાં નાગરિક યુદ્ધ પુરું થતાં જ ભારતે શ્રીલંકાની સરકારને પ્રભાવિત વિસ્તારોમાં રાહત, અને પુનનિર્માણ કામગીરી માટે સહાય આવી હતી. જેના પરિણામે ભારતના મોટા ભાગના વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં કેન્દ્રીત થયા હતા. પરંતુ ભારતીય વિકાસકામો ક્યારેય આ બે વિસ્તાર પુરતા જ મર્યાદિત ન હતા. શ્રીલંકાની સરકારની વિનંતી અને જરૂરિયાત મુજબ ભારતે હંમેશાં શ્રીલંકાને સહાય આપી છે.
આ સંદર્ભમાં ભારતીય મદદથી સંપૂર્ણ શ્રીલંકામાં શરૂ કરાયેલી ૧૯૯૦ મફત આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ સેવા પ્રારંભમાં દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશોમાં અમલી કરાઈ હતી. આ સેવાની સફળતાને કારણે શ્રીલંક સરકારે ભારત સરકારને આ સેવા દેશભરમાં વિસ્તારવાની વિનંતી કરતાં ભારત સરકારે તેનો સ્વીકાર કર્યો છે.
શ્રીલંકાને રેલવે વિકાસ માટે ભારત ૧.૩ બિલિયન યુએસ ડોલરની ક્રેડિટ આપવા વચનબદ્ધ છે.
ભારતીય પ્રોજેક્ટ સમયસર પૂરા ન થતાં હોવાની ટીકાઓ થતી હોય છે. આના ઉકેલ માટે નાના વિકાસના પ્રોજેક્ટો હાથ ધરવા શ્રીલંકા સાથે સમજૂતી કરાર થયા છે. આ માળખા દ્વારા સંપૂર્ણ અમલીકરણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભારતીય સહાયથી ચાલતા ઘણા પ્રોજેક્ટો સમયસર જ પણ નિર્ધારિત સમય પહેલાં પૂરા થાય છે.
શ્રીલંકા ખાતેના ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ જણાવ્યા મુજબ ભારતની સહાયથી કોઈ પણ વિદેશી દેશમાં નિર્માણ પામેલો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે.
ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ વિકાસ, માળખાકીય વિકાસ, વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રોમાં ૭૦થી વધુ પ્રજાલક્ષ્યી વિકાસકામો હાથ ધર્યા છે. ભારતે શ્રીલંકામાં વિકાસ કામો માટે ત્રણ અબજ અમેરિકી ડોલ જેટલું રોકાણ કર્યું છે. જેમાં અમેરિકા તરફથી મળેલા પાંચ લાખ અમેરિકી ડોલરનો સમાવેશ થાય છે.
ભારતની સહાયથી શ્રીલંકામાં થતા વિકાસકામો અંગે લાંબા સમય સુધી એક ગેરસમજ હતી કે આ વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં વસતા તમિળ લોકોના કલ્યાણ અને વિકાસ માટે છે. શ્રીલંકામાં નાગરિક યુદ્ધ પુરું થતાં જ ભારતે શ્રીલંકાની સરકારને પ્રભાવિત વિસ્તારોમાં રાહત, અને પુનનિર્માણ કામગીરી માટે સહાય આવી હતી. જેના પરિણામે ભારતના મોટા ભાગના વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં કેન્દ્રીત થયા હતા. પરંતુ ભારતીય વિકાસકામો ક્યારેય આ બે વિસ્તાર પુરતા જ મર્યાદિત ન હતા. શ્રીલંકાની સરકારની વિનંતી અને જરૂરિયાત મુજબ ભારતે હંમેશાં શ્રીલંકાને સહાય આપી છે.
આ સંદર્ભમાં ભારતીય મદદથી સંપૂર્ણ શ્રીલંકામાં શરૂ કરાયેલી ૧૯૯૦ મફત આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ સેવા પ્રારંભમાં દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશોમાં અમલી કરાઈ હતી. આ સેવાની સફળતાને કારણે શ્રીલંક સરકારે ભારત સરકારને આ સેવા દેશભરમાં વિસ્તારવાની વિનંતી કરતાં ભારત સરકારે તેનો સ્વીકાર કર્યો છે.
શ્રીલંકાને રેલવે વિકાસ માટે ભારત ૧.૩ બિલિયન યુએસ ડોલરની ક્રેડિટ આપવા વચનબદ્ધ છે.
ભારતીય પ્રોજેક્ટ સમયસર પૂરા ન થતાં હોવાની ટીકાઓ થતી હોય છે. આના ઉકેલ માટે નાના વિકાસના પ્રોજેક્ટો હાથ ધરવા શ્રીલંકા સાથે સમજૂતી કરાર થયા છે. આ માળખા દ્વારા સંપૂર્ણ અમલીકરણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભારતીય સહાયથી ચાલતા ઘણા પ્રોજેક્ટો સમયસર જ પણ નિર્ધારિત સમય પહેલાં પૂરા થાય છે.
Comments
Post a Comment