Skip to main content

ભારત અને યુએઈના નવી ઉંચાઇએ પહોંચેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

સંયુક્ત આરબ અમિરાત - યુએઇના વિદેશમંત્રીએ છેલ્લા પાંચ વર્ષમાં સતત પાંચમી વખત ભારતની લીધેલી મુલાકાતથી, ભારત અને યુએઇના નવી ઉંચાઇએ પહોંચેલા તથા મજબૂત બનેલા દ્વિપક્ષીય સંબંધોનો ખ્યાલ આવે છે. યુએઇના વિદેશમંત્ર અબ્દુલ્લાહ બીન ઝાયદ અલ નહયાને ગત ૭ થી ૯ જુલાઈ દરમિયાન ભારતની લીધેલી મુલાકા, એ યુએઇના વિદેશમંત્રીની સતત પાંચમી મુલાકાત હતી.

આ મુલાકાતથી ભારત અને યુએઇ વચ્ચેના ઐતિહાસિક, રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રના વર્ષો જૂના સંબંધોને નવું બળ મળ્યું છે. અને આ સંબંધો વધુ સુદૃઢ બન્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ૨૦૧૫માં યુએઇની મુલાકાત લીધી, ત્યારપછી આ શ્રેણીબદ્ધ મુલાકાતોની શરૂઆત થઈ હતી. આ મુલાકાત વખતે બંને દેશો નવા વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોથી જાડાયા.

ભારતે શરૂ કરેલા પેટ્રોલિયમ અનામત કાર્યક્રમમાં જાડાનાર યુએઇ પ્રથમ દેશ છે. યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાત વખતે, યુએઇનું વેપાર ક્ષેત્રનું પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું હતું.

આજે ભારત, યુએઇનો વેપાર ક્ષેત્રે સૌથી મોટો ચોથો ભાગીદાર દેશ છે. યુએઇમાં ૩૩ લાખથી વધુ ભારતીયો બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.

ભારતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુએઇના વિદેશમંત્રી શ્રી નહયાને, ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મંત્રણા કરી હતી. બંને આગેવાનોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા સઘન ચર્ચા કરી હતી. શ્રી નહયાને, સિરિયા, લેબેનોન અને યેમન જેવા મધ્યપૂર્વના દેશોમાં થયેલી રાજકીય ઘટનાઓ અંગે શ્રી એસ.જયશંકરને માહિતી આપી હતી.

ભારત અને યુએઇ, આતંકવાદને નાથવાને મુખ્ય સમસ્યા ગણે છે, અને બંને આગેવાનોએ ચર્ચાના અંતે બધા જ સ્વરૂપના આતંકવાદનો સાથે મળીને સામનો કરવાનો નિર્ધાર દોહરાવ્યો હતો.

ભારત આવેલા યુએઇના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી હતી. બંને આગેવાનોએ ભારત અને સંયુક્ત આરબ અમિરાતના દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઇ પર લઈ જવાનો નિર્ણય કર્યો.

બંને અગ્રણીઓએ ભારત તથા યુએઇના વિવિધ ક્ષેત્રોના સંબંધો વધુ મજબૂત બનાવવા તથા હજી સઘન બનાવવા વિચારણા કરી હતી. આ પહેલાં જૂન ૨૦૧૮માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આયોજીત કરેલી કાર્યશાળામાં ભાગ લેવા દિલ્હી આવેલા અબ્દુલ્લાહ બીન ઝાયેદ અલ નહયાને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લઈને વાતચીત કરી હતી. આ વાતચીત પહેલા યુએઇના વિદેશમંત્રી, ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નહયાન સાથે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ભારત આવ્યા હતા.

આમ છતાં કેટલાંક વર્ષોથી ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચેના સંબંધો ધીમે ધીમે વધુ મજબૂત અને નિકટના બની રહ્યા છે. યુએઇ જ્યારે ઇસ્લામિક સહકાર સંસ્થા-ઓઆઈસીનું અધ્યક્ષ હતું ત્યારે માર્ચ ૨૦૧૯ના રોજ ઓઆઈસીની વિદેશમંત્રીઓની બેઠકમાં યુએઇએ ભારતને આમંત્રણ આપીને પોતાના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો પરિચય આપ્યો હતો.

યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશો સાથે મજબૂત સંબંધો ખાસ કરીને અખાતી દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા હાથ ધરેલા પ્રયાસોના પરિણામ દેખાઈ આવ્યા છે. શ્રી નહયાનની આ મુલાકાતથી એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાળમાં સ્થાપેલા નવા મૈત્રી સંબંધો, યુએઇ શ્રી મોદીના બીજી મુદતના શાસનમાં પણ જાળવવા માગે છે.

ટૂંકમાં, ભારત અને યુએઇના વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધો હવે નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે.

લેખક – ડોક્ટર ફઝુર રહમાન સિદ્દીકી, પશ્ચિમ એશિયા બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...