સંયુક્ત આરબ અમિરાત - યુએઇના વિદેશમંત્રીએ છેલ્લા પાંચ વર્ષમાં સતત પાંચમી વખત ભારતની લીધેલી મુલાકાતથી, ભારત અને યુએઇના નવી ઉંચાઇએ પહોંચેલા તથા મજબૂત બનેલા દ્વિપક્ષીય સંબંધોનો ખ્યાલ આવે છે. યુએઇના વિદેશમંત્ર અબ્દુલ્લાહ બીન ઝાયદ અલ નહયાને ગત ૭ થી ૯ જુલાઈ દરમિયાન ભારતની લીધેલી મુલાકા, એ યુએઇના વિદેશમંત્રીની સતત પાંચમી મુલાકાત હતી.
આ મુલાકાતથી ભારત અને યુએઇ વચ્ચેના ઐતિહાસિક, રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રના વર્ષો જૂના સંબંધોને નવું બળ મળ્યું છે. અને આ સંબંધો વધુ સુદૃઢ બન્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ૨૦૧૫માં યુએઇની મુલાકાત લીધી, ત્યારપછી આ શ્રેણીબદ્ધ મુલાકાતોની શરૂઆત થઈ હતી. આ મુલાકાત વખતે બંને દેશો નવા વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોથી જાડાયા.
ભારતે શરૂ કરેલા પેટ્રોલિયમ અનામત કાર્યક્રમમાં જાડાનાર યુએઇ પ્રથમ દેશ છે. યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાત વખતે, યુએઇનું વેપાર ક્ષેત્રનું પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું હતું.
આજે ભારત, યુએઇનો વેપાર ક્ષેત્રે સૌથી મોટો ચોથો ભાગીદાર દેશ છે. યુએઇમાં ૩૩ લાખથી વધુ ભારતીયો બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.
ભારતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુએઇના વિદેશમંત્રી શ્રી નહયાને, ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મંત્રણા કરી હતી. બંને આગેવાનોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા સઘન ચર્ચા કરી હતી. શ્રી નહયાને, સિરિયા, લેબેનોન અને યેમન જેવા મધ્યપૂર્વના દેશોમાં થયેલી રાજકીય ઘટનાઓ અંગે શ્રી એસ.જયશંકરને માહિતી આપી હતી.
ભારત અને યુએઇ, આતંકવાદને નાથવાને મુખ્ય સમસ્યા ગણે છે, અને બંને આગેવાનોએ ચર્ચાના અંતે બધા જ સ્વરૂપના આતંકવાદનો સાથે મળીને સામનો કરવાનો નિર્ધાર દોહરાવ્યો હતો.
ભારત આવેલા યુએઇના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી હતી. બંને આગેવાનોએ ભારત અને સંયુક્ત આરબ અમિરાતના દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઇ પર લઈ જવાનો નિર્ણય કર્યો.
બંને અગ્રણીઓએ ભારત તથા યુએઇના વિવિધ ક્ષેત્રોના સંબંધો વધુ મજબૂત બનાવવા તથા હજી સઘન બનાવવા વિચારણા કરી હતી. આ પહેલાં જૂન ૨૦૧૮માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આયોજીત કરેલી કાર્યશાળામાં ભાગ લેવા દિલ્હી આવેલા અબ્દુલ્લાહ બીન ઝાયેદ અલ નહયાને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લઈને વાતચીત કરી હતી. આ વાતચીત પહેલા યુએઇના વિદેશમંત્રી, ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નહયાન સાથે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ભારત આવ્યા હતા.
આમ છતાં કેટલાંક વર્ષોથી ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચેના સંબંધો ધીમે ધીમે વધુ મજબૂત અને નિકટના બની રહ્યા છે. યુએઇ જ્યારે ઇસ્લામિક સહકાર સંસ્થા-ઓઆઈસીનું અધ્યક્ષ હતું ત્યારે માર્ચ ૨૦૧૯ના રોજ ઓઆઈસીની વિદેશમંત્રીઓની બેઠકમાં યુએઇએ ભારતને આમંત્રણ આપીને પોતાના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો પરિચય આપ્યો હતો.
યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશો સાથે મજબૂત સંબંધો ખાસ કરીને અખાતી દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા હાથ ધરેલા પ્રયાસોના પરિણામ દેખાઈ આવ્યા છે. શ્રી નહયાનની આ મુલાકાતથી એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાળમાં સ્થાપેલા નવા મૈત્રી સંબંધો, યુએઇ શ્રી મોદીના બીજી મુદતના શાસનમાં પણ જાળવવા માગે છે.
ટૂંકમાં, ભારત અને યુએઇના વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધો હવે નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે.
લેખક – ડોક્ટર ફઝુર રહમાન સિદ્દીકી, પશ્ચિમ એશિયા બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક
આ મુલાકાતથી ભારત અને યુએઇ વચ્ચેના ઐતિહાસિક, રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રના વર્ષો જૂના સંબંધોને નવું બળ મળ્યું છે. અને આ સંબંધો વધુ સુદૃઢ બન્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ૨૦૧૫માં યુએઇની મુલાકાત લીધી, ત્યારપછી આ શ્રેણીબદ્ધ મુલાકાતોની શરૂઆત થઈ હતી. આ મુલાકાત વખતે બંને દેશો નવા વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોથી જાડાયા.
ભારતે શરૂ કરેલા પેટ્રોલિયમ અનામત કાર્યક્રમમાં જાડાનાર યુએઇ પ્રથમ દેશ છે. યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાત વખતે, યુએઇનું વેપાર ક્ષેત્રનું પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું હતું.
આજે ભારત, યુએઇનો વેપાર ક્ષેત્રે સૌથી મોટો ચોથો ભાગીદાર દેશ છે. યુએઇમાં ૩૩ લાખથી વધુ ભારતીયો બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.
ભારતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુએઇના વિદેશમંત્રી શ્રી નહયાને, ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મંત્રણા કરી હતી. બંને આગેવાનોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા સઘન ચર્ચા કરી હતી. શ્રી નહયાને, સિરિયા, લેબેનોન અને યેમન જેવા મધ્યપૂર્વના દેશોમાં થયેલી રાજકીય ઘટનાઓ અંગે શ્રી એસ.જયશંકરને માહિતી આપી હતી.
ભારત અને યુએઇ, આતંકવાદને નાથવાને મુખ્ય સમસ્યા ગણે છે, અને બંને આગેવાનોએ ચર્ચાના અંતે બધા જ સ્વરૂપના આતંકવાદનો સાથે મળીને સામનો કરવાનો નિર્ધાર દોહરાવ્યો હતો.
ભારત આવેલા યુએઇના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી હતી. બંને આગેવાનોએ ભારત અને સંયુક્ત આરબ અમિરાતના દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઇ પર લઈ જવાનો નિર્ણય કર્યો.
બંને અગ્રણીઓએ ભારત તથા યુએઇના વિવિધ ક્ષેત્રોના સંબંધો વધુ મજબૂત બનાવવા તથા હજી સઘન બનાવવા વિચારણા કરી હતી. આ પહેલાં જૂન ૨૦૧૮માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આયોજીત કરેલી કાર્યશાળામાં ભાગ લેવા દિલ્હી આવેલા અબ્દુલ્લાહ બીન ઝાયેદ અલ નહયાને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લઈને વાતચીત કરી હતી. આ વાતચીત પહેલા યુએઇના વિદેશમંત્રી, ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નહયાન સાથે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ભારત આવ્યા હતા.
આમ છતાં કેટલાંક વર્ષોથી ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચેના સંબંધો ધીમે ધીમે વધુ મજબૂત અને નિકટના બની રહ્યા છે. યુએઇ જ્યારે ઇસ્લામિક સહકાર સંસ્થા-ઓઆઈસીનું અધ્યક્ષ હતું ત્યારે માર્ચ ૨૦૧૯ના રોજ ઓઆઈસીની વિદેશમંત્રીઓની બેઠકમાં યુએઇએ ભારતને આમંત્રણ આપીને પોતાના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો પરિચય આપ્યો હતો.
યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશો સાથે મજબૂત સંબંધો ખાસ કરીને અખાતી દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા હાથ ધરેલા પ્રયાસોના પરિણામ દેખાઈ આવ્યા છે. શ્રી નહયાનની આ મુલાકાતથી એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાળમાં સ્થાપેલા નવા મૈત્રી સંબંધો, યુએઇ શ્રી મોદીના બીજી મુદતના શાસનમાં પણ જાળવવા માગે છે.
ટૂંકમાં, ભારત અને યુએઇના વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધો હવે નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે.
લેખક – ડોક્ટર ફઝુર રહમાન સિદ્દીકી, પશ્ચિમ એશિયા બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment