ઈરાન અને અમેરીકા વચ્ચેનો સંઘર્ષ દર દિવસે વધુ તીવ્ર બગતો જાય છે અને હવે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે ધ્યાન દોરવાની જરૂર છે. જા કે ઈરાન – અમેરિકા સંઘર્ષની ક્રાંતીના સમયની છે. પરંતુ આ સંઘર્ષનો તાજેતરનો તબકકો ગયા વર્ષે શરૂ થયો હતો જયારે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુકત સમાવેશક કાર્ય યોજના – જે.સીપીએ માંથી પાછો ખસી જવાનો એકતર્ફી નિર્ણય લીધો હતો. ત્યારથી અમેરીકાએ ઈરાન પર અગાઉ ઉઠાવી લીધેલા પ્રતિબંધો ફરી લાદયા છે. આ સિવાય અમુક નવા પ્રતિબંધો પણ ઈરાન પર મુકાયા છે. જેમાં ઈરાની ક્રાંતીકારી દળ અને ઈરાનના શહેનશાહને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. જેસીપીએ માંથી ખસી જવાનો અમેરીકાનો નિર્ણય તેના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ કરાર પ્રત્યેની નાપસંદગી સાથે જાડાયેલો છે. શ્રી ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદના ચુંટણી પ્રચાર દરમ્યાન કેટલીક વાર આ કરારની નિંદા કરી છે. ઈરાનની પ્રાદેશિક પ્રવૃતીઓને અટકાવવા શ્રી ટ્રમ્પે ઈરાન મામલે આક્રમક નીતી અપનાવી છે. જેનો ઉદેશ્ય ઈરાન પર દબાણ મુકવાનો હતો. જેથી ઈરાન પર અમેરીકા સાથે પરમાણુ કરાર પર સમાધાન કરવાની ફરજ પડશે. રાજકીય અને આર્થિક પ્રતિબંધો ઉપરાંત, અમેરીકાની નીતીની અસર રૂપે અખાતી પ્રદેશમાં લશ્કરી જમાવટમાં નોંધપાત્ર વધારો થયો, જેમાં એરક્રાફટ કેરીયર, બી બાવન બોમ્બર્સ અને વધારાની એક હજાર અમેરીકી સેનાનો સમાવેશ થાય છે.
અમેરીકાના પ્રતિબંધો સામે વળતો જવાબ આપતા ઈરાને પણ કેટલાક એવા પગલા લીધા છે જેથી બે દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. જેમાં મુખ્ય પગલુ, ઈરાન ધ્વારા જેસીપીઓએ હેઠળની પ્રતિબધ્ધતાઓમાં કરાયેલો કાપ એ છે. જેમાં યુરેનિયમના ભંડોળની નિકાસ પર લગાવેલો રોક અને યુરેનીયમ સંવર્ધનના સ્તરમાં કરેલા વધારાનો સમાવેશ થાય છે. જેસીપીઓએ હેઠળ ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓને અટકાવવા આ પ્રતિબંધો મુકાવમાં આવ્યા હતા. ઈરાને એવી દલીલ કરી છે કે આર્થિક લાભોના બદલામાં તેણે આ પ્રકારના પ્રતિબંધો માટે સહમતી આપી હતી. પરંતુ આ કરારમાંથી અમેરીકા ખસી જતાં તેને હવે આર્થિક લાભો મળવાનું બંધ થયું છે. આવા પ્રકારના પગલાથી ઈરાન પરમાણુ કરારમાંથી નિકળી જવાની સંભાવના ધ્યાનમાં લઈ આ કરારના ભાગીદાર યુરોપીયન દેશોએ ઈરાનને તાત્કાલિક ધોરણે પરમાણુ કરારનું પાલન કરવા જણાવ્યું હતું. જેથી આ કરારને બચાવી શકાય.
છેલ્લા કેટલાક સપ્તાહમાં અખાતના પ્રદેશમાં ઘણી બધી સંબંધીત ઘટનાઓ થઈ છે, જેના કારણે વર્તમાન સંઘર્ષમાં વધારો થયો છે, જેમાં તેલ ટેન્કરો પરના કેટલાક હુમલાનો પણ સમાવેશ થાય છે. ઈરાન દ્વારા પર્શિયન અખાતમાં અમેરીકાના ડ્રોન પર કરાયેલો હુમલો, જિબ્રાલ્ટરમાં બ્રીટીશ દળો દ્વારા ઈરાની તેલ ટેન્કરની અટકાયત અને આ બાબતે ઈરાનની ચેતવણી આ બધી આકÂસ્મક ઘટનાઓ, હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાનો પ્રયાસ વગેરેને કારણે ગંભીર ચિંતા ઉભી થઈ છે અને આ માર્ગે જહાજમાં મુસાફરી કરનારા માટે સલામતી અને સુરક્ષાની ચિંતા વધી છે. વિશ્વના ત્રીજા ભાગનું દરીયામાંથી નીકળતું ખનીજ તેલ, હોર્મુઝની સમુદ્રધુની માર્ગેથી મળે છે જેથી આ બંધ કરવાથી ગંભીર મુશ્કેલી ઉભી થાય છે.
આથી સમય પાકી ગયો છે કે વૈશ્વિક સત્તાઓ રાજદ્વારી ઉપાયો દ્વારા તણાવ દુર કરવામ માટે ગંભીર રીતે પ્રયત્નો કરે. ભારત ઉર્જાનું આયાતકાર છે જેમાની મોટાભાગની અખાતના દેશોમાંથી આવે છે. તેના કારણે આ ક્ષેત્ર ભારત માટે મહતવનો છે અને હોરમુઝની સામુદ્રધુનીમાં કોઈપણ પ્રકારની અશાંતી ભારતની હાઈડ્રોકાર્બનની આયાત મોટાપાયે ઘટાડી શકે છે. જેનાથી તેની ઉર્જા સુરક્ષા પર વિપરીત અસર પડી શકે છે. આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે પર્શિયન અખાત અને ઓમાનના અખાતમાં અવર જવર કરતા અને ચાલતાં ભારતીય જહાજાની સુરક્ષાની ખાતરી માટે ભારતે તેના સૈન્ય જહાજા આઈએનએસ ચેન્નાઈ અને સુનયનાને ઓમાનના અખાતમાં તૈનાત કર્યા છે. ભારત આ ક્ષેત્રના દેશો સાથે સારા દ્વિપક્ષીય સંબંધો જાળવે છે અને આ ક્ષેત્રમાં તેથી કોઈપણ સૈન્ય સંઘર્ષ તેના હિતો માટે પ્રતિકુળ છે. યુધ્ધના કારણે આ ક્ષેત્ર અÂસ્થર બને અને મોટાપાયે આર્થિક સંકડામણ અને માનવ જાનહાનિ થાય તે પહેલા બંને સંઘર્ષગ્રસ્ત પક્ષો આ કટોકટીના નિવારણ માટે શાંતીપુર્ણ રીતે ગંભીર પ્રયત્નો કરશે.
Comments
Post a Comment