Skip to main content

ઈરાન અમેરિકા વચ્ચેના વધતા જતાં સંઘર્ષને રાજધ્વારી રીતે ઉકેલવાની જરૂર અંગે સમીક્ષા

ઈરાન અને અમેરીકા વચ્ચેનો સંઘર્ષ દર દિવસે વધુ તીવ્ર બગતો જાય છે અને હવે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે ધ્યાન દોરવાની જરૂર છે. જા કે ઈરાન – અમેરિકા સંઘર્ષની ક્રાંતીના સમયની છે. પરંતુ આ સંઘર્ષનો તાજેતરનો તબકકો ગયા વર્ષે શરૂ થયો હતો જયારે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુકત સમાવેશક કાર્ય યોજના – જે.સીપીએ માંથી પાછો ખસી જવાનો એકતર્ફી નિર્ણય લીધો હતો. ત્યારથી અમેરીકાએ ઈરાન પર અગાઉ ઉઠાવી લીધેલા પ્રતિબંધો ફરી લાદયા છે. આ સિવાય અમુક નવા પ્રતિબંધો પણ ઈરાન પર મુકાયા છે. જેમાં ઈરાની ક્રાંતીકારી દળ અને ઈરાનના શહેનશાહને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. જેસીપીએ માંથી ખસી જવાનો અમેરીકાનો નિર્ણય તેના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ કરાર પ્રત્યેની નાપસંદગી સાથે જાડાયેલો છે. શ્રી ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદના ચુંટણી પ્રચાર દરમ્યાન કેટલીક વાર આ કરારની નિંદા કરી છે. ઈરાનની પ્રાદેશિક પ્રવૃતીઓને અટકાવવા શ્રી ટ્રમ્પે ઈરાન મામલે આક્રમક નીતી અપનાવી છે. જેનો ઉદેશ્ય ઈરાન પર દબાણ મુકવાનો હતો. જેથી ઈરાન પર અમેરીકા સાથે પરમાણુ કરાર પર સમાધાન કરવાની ફરજ પડશે. રાજકીય અને આર્થિક પ્રતિબંધો ઉપરાંત, અમેરીકાની નીતીની અસર રૂપે અખાતી પ્રદેશમાં લશ્કરી જમાવટમાં નોંધપાત્ર વધારો થયો, જેમાં એરક્રાફટ કેરીયર, બી બાવન બોમ્બર્સ અને વધારાની એક હજાર અમેરીકી સેનાનો સમાવેશ થાય છે.

અમેરીકાના પ્રતિબંધો સામે વળતો જવાબ આપતા ઈરાને પણ કેટલાક એવા પગલા લીધા છે જેથી બે દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. જેમાં મુખ્ય પગલુ, ઈરાન ધ્વારા જેસીપીઓએ હેઠળની પ્રતિબધ્ધતાઓમાં કરાયેલો કાપ એ છે. જેમાં યુરેનિયમના ભંડોળની નિકાસ પર લગાવેલો રોક અને યુરેનીયમ સંવર્ધનના સ્તરમાં કરેલા વધારાનો સમાવેશ થાય છે. જેસીપીઓએ હેઠળ ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓને અટકાવવા આ પ્રતિબંધો મુકાવમાં આવ્યા હતા. ઈરાને એવી દલીલ કરી છે કે આર્થિક લાભોના બદલામાં તેણે આ પ્રકારના પ્રતિબંધો માટે સહમતી આપી હતી. પરંતુ આ કરારમાંથી અમેરીકા ખસી જતાં તેને હવે આર્થિક લાભો મળવાનું બંધ થયું છે. આવા પ્રકારના પગલાથી ઈરાન પરમાણુ કરારમાંથી નિકળી જવાની સંભાવના ધ્યાનમાં લઈ આ કરારના ભાગીદાર યુરોપીયન દેશોએ ઈરાનને તાત્કાલિક ધોરણે પરમાણુ કરારનું પાલન કરવા જણાવ્યું હતું. જેથી આ કરારને બચાવી શકાય.

છેલ્લા કેટલાક સપ્તાહમાં અખાતના પ્રદેશમાં ઘણી બધી સંબંધીત ઘટનાઓ થઈ છે, જેના કારણે વર્તમાન સંઘર્ષમાં વધારો થયો છે, જેમાં તેલ ટેન્કરો પરના કેટલાક હુમલાનો પણ સમાવેશ થાય છે. ઈરાન દ્વારા પર્શિયન અખાતમાં અમેરીકાના ડ્રોન પર કરાયેલો હુમલો, જિબ્રાલ્ટરમાં બ્રીટીશ દળો દ્વારા ઈરાની તેલ ટેન્કરની અટકાયત અને આ બાબતે ઈરાનની ચેતવણી આ બધી આકÂસ્મક ઘટનાઓ, હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાનો પ્રયાસ વગેરેને કારણે ગંભીર ચિંતા ઉભી થઈ છે અને આ માર્ગે જહાજમાં મુસાફરી કરનારા માટે સલામતી અને સુરક્ષાની ચિંતા વધી છે. વિશ્વના ત્રીજા ભાગનું દરીયામાંથી નીકળતું ખનીજ તેલ, હોર્મુઝની સમુદ્રધુની માર્ગેથી મળે છે જેથી આ બંધ કરવાથી ગંભીર મુશ્કેલી ઉભી થાય છે.

આથી સમય પાકી ગયો છે કે વૈશ્વિક સત્તાઓ રાજદ્વારી ઉપાયો દ્વારા તણાવ દુર કરવામ માટે ગંભીર રીતે પ્રયત્નો કરે. ભારત ઉર્જાનું આયાતકાર છે જેમાની મોટાભાગની અખાતના દેશોમાંથી આવે છે. તેના કારણે આ ક્ષેત્ર ભારત માટે મહતવનો છે અને હોરમુઝની સામુદ્રધુનીમાં કોઈપણ પ્રકારની અશાંતી ભારતની હાઈડ્રોકાર્બનની આયાત મોટાપાયે ઘટાડી શકે છે. જેનાથી તેની ઉર્જા સુરક્ષા પર વિપરીત અસર પડી શકે છે. આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે પર્શિયન અખાત અને ઓમાનના અખાતમાં અવર જવર કરતા અને ચાલતાં ભારતીય જહાજાની સુરક્ષાની ખાતરી માટે ભારતે તેના સૈન્ય જહાજા આઈએનએસ ચેન્નાઈ અને સુનયનાને ઓમાનના અખાતમાં તૈનાત કર્યા છે. ભારત આ ક્ષેત્રના દેશો સાથે સારા દ્વિપક્ષીય સંબંધો જાળવે છે અને આ ક્ષેત્રમાં તેથી કોઈપણ સૈન્ય સંઘર્ષ તેના હિતો માટે પ્રતિકુળ છે. યુધ્ધના કારણે આ ક્ષેત્ર અÂસ્થર બને અને મોટાપાયે આર્થિક સંકડામણ અને માનવ જાનહાનિ થાય તે પહેલા બંને સંઘર્ષગ્રસ્ત પક્ષો આ કટોકટીના નિવારણ માટે શાંતીપુર્ણ રીતે ગંભીર પ્રયત્નો કરશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...