Skip to main content

પાકિસ્તાને સમુહ પ્રસાર માધ્યમો ઉપર મુકેલા નિયંત્રણો અંગે સમીક્ષા

પાકિસ્તાનના અત્યારસુધીના ઇતિહાસમાં પાક સત્તાવાળાઓ અને પ્રસાર માધ્યમો વચ્ચે સ્નેહ અને તિરસ્કારના સંબંધો જાવા મળે છે.

પાકિસ્તાનમાં મુક્ત અને ધબકતા પ્રસાર માધ્યમોના મુખવચ પાછળની વાસ્તવિકતા એવી છે કે, પાકિસ્તાનમાં સમૂહ પ્રસાર માધ્યમો ઉપર અવાર નવાર પ્રતિબંધો મૂકાયા છે.

વિધીની વક્રતાએ છે કે, પ્રસાર માધ્યમો સામે મૂકાયેલા પ્રતિબંધો માત્ર સેનાના શાસન પૂરતા મર્યાદિત નથી. નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકારોએ પણ અખબારોનું સ્વાતંત્ર્ય હણવાના પ્રયાસો કર્યા છે. 

તાજેતરમાં ઇમરાનખાન સરકારે કસુરવાર ઠરેલા તથા જેલમાં રખાયેલા રાજકારણી અગ્રણીની મુલાકાત નહીં લેવાનો આદેશ અખબારોને ટી.વી. ચેનલોને આપ્યો છે.

સરકારે પાકિસ્તાન વિજાણુ માધ્યમ નિયંત્રક સંસ્થા પેમરાને પણ પોતાની જવાબદારી અદા કરવાનો આદેશ આપ્યો છે.

અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી મરીયમ શરીફનો ઇન્ટરવ્યુ ચેનલ ૨૪, અબતક ન્યુઝ અને કેપીટલ ટીવી ઉપર પ્રસારીત થયા પછી આ ચેનલો બંધ રખાઇ.

આ મુલાકાતમાં મરીયમે આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા નવાઝ શરીફને દોષિત ગણાવનાર ન્યાયાધીશો ઉપર બ્લેકમેઇલ વડે દબાણ વધારાયું હતું.

પાકિસ્તાનની પ્રસાર માધ્યમ નિયંત્રક સંસ્થાએ મરીયમની મુલાકાતનું સીધુ પ્રસારણ કરવા બદલ સંબંધીત ટી.વી. ચેનલોને નોટીસ જારી કરી હતી.

જા કે, પાકિસ્તાને સંબંધીત ટી.વી. ચેનલો ટેકનકલ ક્ષતિના લીધે દેખાતી નહીં હોવાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની પ્રસાર માધ્યમ નિયંત્રક સંસ્થા પેમરા સંબંધીત ચેનલો પર દર્શાવાતા મુદ્દાઓ તથા વિષય અંગે નિયંત્રણો લાદતી હોય છે.

પેમરા સંસ્થા સમુહ પ્રસાર માધ્યમોમાં વાંધાજનક બાબત, સામાજીક જીવન માટે અરૂચીકર, ઇસ્લામ, ન્યાયતંત્ર કે સેનાની વિરૂદ્ધની બાબતો, દ્વેપ કે હિંસાને ઉત્તેજન આપતા પ્રસારણો કે પ્રકાશન ઉપર નિયંત્રણો લાદતી હોય છે.

પ્રસાર માધ્યમો ઉપર મૂકાતા સંપૂર્ણ પ્રતિબંધોથી અખબારો ટીવી ચેનલોની અભિવ્યÂક્ત સ્વતંત્રતા સામે જાખમ ઊભું થતું હોય છે તથા નાગરીકોને માહિતી મેળવવાના અધિકારો પર તરાપ પડતી હોય છે.

છેલ્લા એક વર્ષમાં રાજકારણ અને રાજકારણીઓ તથા સેનાની કામગીરીની ટીકા કરવા માટે પત્રકારો તથા માનવઅધિકાર જૂથ ઉપર દબાણ વધારાયું હતું.

તાજેતરમાં સેનાની ટીકા કરતી સામગ્રી ઉપર પ્રતિબંધ મૂકવા પાકિસ્તાની સેના દ્વારા સમૂહ પ્રસાર માધ્યમો ઉપર દબાણ થતું હોવાનો આક્ષેપ કરાયો છે.

ટૂંકમાં પ્રસાર માધ્યમો માટે પાકિસ્તાનમાં મુક્ત વાતાવરણ ઘટી રહ્યું છે. પાકિસ્તાનને ઘણી વખત પત્રકારો, દૈનિકના કર્મચારીઓ માટે જાખમકારક દેશોની સૂચિમાં મુકવામાં આવે છે.

અહીં સેનાની ટીકા કરવાના આરોપસર ઘણી વખત પત્રકારોને માર મારવો, અટકાયતમાં રાખવા અને કયારેક હત્યા થવાના અહેવાલ છે.

એવી જ રીતે પાકિસ્તાનમાં પત્રકારોને કનડવા સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ થાય છે.

સત્તા સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરનાર સામે સોશિયલ મિડીયામાં પધ્ધતિસરની ઝુંબેશ ચલાવવામાં આવે છે.

પાકિસ્તાનમાં ઘણી બધી સમાચાર ચેનલો શરૂ થઇ હોવાથી જનમાનસને એક જ દિશામાં વાળવું એ બાબત મુશ્કેલ બની છે.

આથી જ પાકિસ્તાનના નાગરીકો સત્તાવાર નિવેદનના બદલે સ્વતંત્ર વિચાર કરવા લાગ્યા છે. 

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી તથા સંસ્થાના માપદંડોથી જાતા સમુહ પ્રસાર માધ્યમોએ ખરેખર પ્રગતિ કરી છે.

ઇનટરનેટ તથા સોશિયલ મિડીયાના માધ્યમોએ ચર્ચા માટે નવો મંચ પૂરો પાડ્યો છે. જા કે ટેકનોલોજીની દ્રષ્ટિએ જણાતી પ્રગતિને અભિવ્યÂક્ત સ્વાતંત્ર્ય કહી શકાય નહીં.

જયાં સુધી આ બાબતોનું અસ્તીત્વ છે ત્યાં સુધી રાજકીય દ્રષ્ટિએ પત્રકારોને અભિવ્યક્ત સ્વાતંત્ર્ય મળી શકશે નહીં.

લેખીકા : ડોક્ટર Âસ્મતા, અફઘાન–પાકિસ્તાન બાબતોના વ્યુહાત્મક સમીક્ષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...