પાકિસ્તાનના અત્યારસુધીના ઇતિહાસમાં પાક સત્તાવાળાઓ અને પ્રસાર માધ્યમો વચ્ચે સ્નેહ અને તિરસ્કારના સંબંધો જાવા મળે છે.
પાકિસ્તાનમાં મુક્ત અને ધબકતા પ્રસાર માધ્યમોના મુખવચ પાછળની વાસ્તવિકતા એવી છે કે, પાકિસ્તાનમાં સમૂહ પ્રસાર માધ્યમો ઉપર અવાર નવાર પ્રતિબંધો મૂકાયા છે.
વિધીની વક્રતાએ છે કે, પ્રસાર માધ્યમો સામે મૂકાયેલા પ્રતિબંધો માત્ર સેનાના શાસન પૂરતા મર્યાદિત નથી. નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકારોએ પણ અખબારોનું સ્વાતંત્ર્ય હણવાના પ્રયાસો કર્યા છે.
તાજેતરમાં ઇમરાનખાન સરકારે કસુરવાર ઠરેલા તથા જેલમાં રખાયેલા રાજકારણી અગ્રણીની મુલાકાત નહીં લેવાનો આદેશ અખબારોને ટી.વી. ચેનલોને આપ્યો છે.
સરકારે પાકિસ્તાન વિજાણુ માધ્યમ નિયંત્રક સંસ્થા પેમરાને પણ પોતાની જવાબદારી અદા કરવાનો આદેશ આપ્યો છે.
અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી મરીયમ શરીફનો ઇન્ટરવ્યુ ચેનલ ૨૪, અબતક ન્યુઝ અને કેપીટલ ટીવી ઉપર પ્રસારીત થયા પછી આ ચેનલો બંધ રખાઇ.
આ મુલાકાતમાં મરીયમે આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા નવાઝ શરીફને દોષિત ગણાવનાર ન્યાયાધીશો ઉપર બ્લેકમેઇલ વડે દબાણ વધારાયું હતું.
પાકિસ્તાનની પ્રસાર માધ્યમ નિયંત્રક સંસ્થાએ મરીયમની મુલાકાતનું સીધુ પ્રસારણ કરવા બદલ સંબંધીત ટી.વી. ચેનલોને નોટીસ જારી કરી હતી.
જા કે, પાકિસ્તાને સંબંધીત ટી.વી. ચેનલો ટેકનકલ ક્ષતિના લીધે દેખાતી નહીં હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની પ્રસાર માધ્યમ નિયંત્રક સંસ્થા પેમરા સંબંધીત ચેનલો પર દર્શાવાતા મુદ્દાઓ તથા વિષય અંગે નિયંત્રણો લાદતી હોય છે.
પેમરા સંસ્થા સમુહ પ્રસાર માધ્યમોમાં વાંધાજનક બાબત, સામાજીક જીવન માટે અરૂચીકર, ઇસ્લામ, ન્યાયતંત્ર કે સેનાની વિરૂદ્ધની બાબતો, દ્વેપ કે હિંસાને ઉત્તેજન આપતા પ્રસારણો કે પ્રકાશન ઉપર નિયંત્રણો લાદતી હોય છે.
પ્રસાર માધ્યમો ઉપર મૂકાતા સંપૂર્ણ પ્રતિબંધોથી અખબારો ટીવી ચેનલોની અભિવ્યÂક્ત સ્વતંત્રતા સામે જાખમ ઊભું થતું હોય છે તથા નાગરીકોને માહિતી મેળવવાના અધિકારો પર તરાપ પડતી હોય છે.
છેલ્લા એક વર્ષમાં રાજકારણ અને રાજકારણીઓ તથા સેનાની કામગીરીની ટીકા કરવા માટે પત્રકારો તથા માનવઅધિકાર જૂથ ઉપર દબાણ વધારાયું હતું.
તાજેતરમાં સેનાની ટીકા કરતી સામગ્રી ઉપર પ્રતિબંધ મૂકવા પાકિસ્તાની સેના દ્વારા સમૂહ પ્રસાર માધ્યમો ઉપર દબાણ થતું હોવાનો આક્ષેપ કરાયો છે.
ટૂંકમાં પ્રસાર માધ્યમો માટે પાકિસ્તાનમાં મુક્ત વાતાવરણ ઘટી રહ્યું છે. પાકિસ્તાનને ઘણી વખત પત્રકારો, દૈનિકના કર્મચારીઓ માટે જાખમકારક દેશોની સૂચિમાં મુકવામાં આવે છે.
અહીં સેનાની ટીકા કરવાના આરોપસર ઘણી વખત પત્રકારોને માર મારવો, અટકાયતમાં રાખવા અને કયારેક હત્યા થવાના અહેવાલ છે.
એવી જ રીતે પાકિસ્તાનમાં પત્રકારોને કનડવા સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ થાય છે.
સત્તા સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરનાર સામે સોશિયલ મિડીયામાં પધ્ધતિસરની ઝુંબેશ ચલાવવામાં આવે છે.
પાકિસ્તાનમાં ઘણી બધી સમાચાર ચેનલો શરૂ થઇ હોવાથી જનમાનસને એક જ દિશામાં વાળવું એ બાબત મુશ્કેલ બની છે.
આથી જ પાકિસ્તાનના નાગરીકો સત્તાવાર નિવેદનના બદલે સ્વતંત્ર વિચાર કરવા લાગ્યા છે.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી તથા સંસ્થાના માપદંડોથી જાતા સમુહ પ્રસાર માધ્યમોએ ખરેખર પ્રગતિ કરી છે.
ઇનટરનેટ તથા સોશિયલ મિડીયાના માધ્યમોએ ચર્ચા માટે નવો મંચ પૂરો પાડ્યો છે. જા કે ટેકનોલોજીની દ્રષ્ટિએ જણાતી પ્રગતિને અભિવ્યÂક્ત સ્વાતંત્ર્ય કહી શકાય નહીં.
જયાં સુધી આ બાબતોનું અસ્તીત્વ છે ત્યાં સુધી રાજકીય દ્રષ્ટિએ પત્રકારોને અભિવ્યક્ત સ્વાતંત્ર્ય મળી શકશે નહીં.
Comments
Post a Comment