Skip to main content

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

લોકસભાએ નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર વિધેયક – ર૦૧૯ ને બહાલી આપી છ. આ વિધેયકમાં નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર સ્થાપવાની જાગવાઈ છે. એવી જ રીતે સુચિત કેન્દ્રની રાષ્ટ્રીય દ્રષ્ટીએ મહત્વનું ગણાવવામાં આવ્યું છે. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભારતને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક લવાદનું કેન્દ્ર બનાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. સંસદના બંને ગૃહોએ પાકિસ્તાનમાંથી આયાત કરાતી તેમજ પાકિસ્તાનમાં ઉત્પાદીત ચીજવસ્તુઓ ઉપર ર૦૦ ટકા વેરો લાદવાની જાગવાઈવાળા ઠરાવને બહાલી આપી હતી. સંસદે કસ્ટમ ટેરીફ ધારાના પ્રથમ પરિશિષ્ટમાં સુધારાને પણ મંજુરી આપી છે. નાણામંત્રી અનુરાગ ઠાકુરે પાકિસ્તાનમાંથી આવતી ચીજવસ્તુઓ પરનો વેરો વધારવાનો ઠરાવ ગૃહમાં રજુ કર્યો હતો. નાણામંત્રી નીર્મલા સીતારમને જણાવ્યું હતું કે સરકાર કૃષિ, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે. એવી જ રીતે જાહેર જનતા માટેના ખર્ચમાં બાંધછોડ કર્યા વિના આર્થિક મજબુતીકરણ માટે પણ સરકાર કટીબધ્ધ છે. ગત બુધવારે સામાન્ય અંદાજપત્ર પરની ચર્ચામાં બોલતાં, નાણામંત્રીએ જણાવ્યું હતું કે અંદાજપત્રીય દરખાસ્તોનો મુખ્ય હેતુ દેશમાં પરીવર્તન લાવવાનો છે.

સરકારે આર્થિક ખાદ્ય ૩.૩ ટકા સુધી મર્યાદીત રાખવાનો નિર્ણય લીધો છે. ગૃહરાજયમંત્રી જી.કિશન રેડૃએ ગૃહમાં જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૯ ના પ્રથમ છ માસમાં દેશમાં સરહદ પારથી થતી ધુસણખોરીના પ્રમાણમાં ૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે કાશ્મીરમાં આતંકવાદી બનાવોના પ્રમાણમાં ર૮ ટકાનો તથા આતંકવાદીઓ દ્વારા યુવાનોની કરાતી ભરતીના પ્રમાણમાં પણ ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

સંરક્ષણ મંત્રી શ્રીપાદે ગત સોમવારે સંસદને માહિતી આપી હતી કે જુન ર૦૧૯ સુધીમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામના ભંગની એક હજાર ર૯૯ ઘટનાઓ થઈ હતી, જે આજ સમયગાળામાં ગત વર્ષે એક હજાર ૬ર૯ હતી. પરમાણુ ઉર્જા બાબતોના મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગગનયાન પ્રોજેકટ નિર્ધારીત સમયપત્રક મુજબ ચાલી રહયો છે અને તે દેશને આઝાદી મળી તે ઘટનાના ૭પ વર્ષ થાય તે પહેલા જ સાકાર થશે. ગગનયાનની ડિઝાઈન અને મુખ્ય ગૌણ વ્યવસ્થા અંગે નિર્ણય લેવાઈ ગયો છે. આ યાનના ચાલકદળના સભ્યોના તાલીમ કાર્યક્રમને આખરી ઓપ અપાયો છે. તેમજ ગગનયાનના ચાલક દળની પસંદગીની પ્રક્રિયાનો આરંભ કરાયો છે. ગુરૂવારે રાજયસભામાં તેમણે કહયું કે ગગનયાન રાષ્ટ્રીય મસલતી પરિષદની રચના કરવામાં આવી છે. બેંક ખાતા શરૂ કરવામાં તેમજ મોબાઈલનું જાડાણ લેતી વખતે ગ્રાહકો આધારકાર્ડનો પુરાવા તરીકે મરજી હોય તો જ ઉપયોગ કરે તેવી જાગવાઈને સંસદે બહાલી આપી.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર ડેટા સલામતી ધારાની ધારો ઘડશે. તેમણે કહયું કે આધાર કાર્ડની માહીતી રક્ષણનો ભંગ કરનાર કસુરવારને એક કરોડ રૂપિયાનો દંડ તથા કેદની સજા આપવાની જાગવાઈ કરાઈ છે. સંસદના બંને ગૃહોમાં કર્ણાટકના રાજકીય બનાવો અંગે ધાધલધમાલના તથા શોરબકોરના દ્રશ્યો જાવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસ સાથી બીજા પક્ષો પણ જાડાયા હતા. સાંસદ અધીર રંજન ચૌધરીએ, કર્ણાટકમાં કોંગ્રેસ ખાતે જેડી-એસની સંયુકત સરકારને ઉથલાવવા ભાજપ પ્રયાસ કરી રહયાનો આક્ષેપ કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ આક્ષેપને ભારપુર્વક નકારી કાઢયો હતો. તેમણે કહયું કે કર્ણાટકની રાજકીય પરીસ્થીતી સાથે કેન્દ્ર સરકારને કોઈ લેવાદેવા નથી.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...