ભારત – ઉઝબેકીસ્તાનના સંયુક્ત કાર્યકારી જૂથની આઠમી બેઠક દિલ્હીમાં યોજાઇ ગઇ. આ બેઠકમાં આતંકવાદનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તી ઉપરાંત સરહદ પારના ત્રાસવાદનો સામનો કરવા બાબતે આ બેઠકમાં ભારત અને ઉઝબેકીસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત આતંકવાદઓને મળતી આર્થિક સહાય રોકવી, આતંકવાદ માટે ઇન્ટરનેટના થતા ઉપયોગને રોકવો, અને વિદેશના આતંકવાદીઓનો સામનો કેવી રીતે કરવો, જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. બન્ને દેશોના અધિકારીઓએ આતંકવાદનો સામનો કરવામાં સહકાર વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ, શાંધાઇ સહકાર સંસ્થા, મનીલોન્ડરીંગના દૂષણનો સામનો જેવા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઇ હતી.
ભારત શાંધાઇ સંગઠનનો વર્ષ ૨૦૧૭ થી સભ્ય છે. અને એસ.સી.ઓ. ની ૧૯ મી બેઠક કિર્ગીઝસ્તાનના બીશ્કાકમાં યોજાઇ હતી. બીશ્કાકમાં યોજાયેલી એસ.સી.ઓ.ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા એસ.સી.ઓ - પ્રાદેશિક આતંકવાદ વિરોધી એકમ - એસ.સી.ઓ – આર.એ.ટી.એસ. નો અસરકારક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
ભારત અને ઉઝબેકીસ્તાને સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત રાજકીય અને આર્થિક ક્ષેત્રના સહકારને પણ વધુ મજબૂત બનાવ્યો છે. તાજેતરમાં બન્ને દેશો આર્થિક ક્ષેત્રના દ્વિપક્ષીય સંબંધો મજબૂત તથા વધુ વિસ્તૃત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. બન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઇ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વર્ષ ૨૦૧૫ માં મધ્ય એશિયાની મુલાકાત વખતે ઉઝબેકીસ્તાનની મુલાકાત લીધી હતી.
ઉઝબેકીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શાવકાત મીરઝીયોયેવે ઓક્ટોબર ૨૦૧૮ થી પછીના સમયગાળામાં ભારતની બે વખત મુલાકાત લીધી હતી. જાન્યુઆરી ૨૦૧૯ માં તેમણે વાયબ્રાન્ટ ગુજરાત શીખરપરિષદમાં પણ હાજરી આપી હતી. ઉઝબેકીસ્તાન મધ્ય એશિયામાં ભૌગોલિક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. એશિયાના મધ્યભાગમાં આવેલો ઉઝબેકીસ્તાન આ ક્ષેત્રના બધા જ પ્રજાસત્તાક રાષ્ટ્રો સાથે જમીન સરહદથી જાડાયેલો છે.
આના લીધે જ મધ્ય એશિયાના જુદા – જુદા દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવવા માટે ભારતની દ્રષ્ટિએ ઉઝબેકીસ્તાનનું મહત્વ આગવું છે.
ભારત અને ઉઝબેકીસ્તાન, બન્ને દેશો દ્રઢપણે વિશ્વાસ ધરાવે છે કે એશિયા વિસ્તારમાં સલામતી અને Âસ્થરતા જાળવી રાખવા અફધાનિસ્તાનમાં શાંતિ અને Âસ્થરતા જળવાય તે જરૂરી છે.
ભારતે, મધ્ય એશિયાના દેશો સાથે વિદેશમંત્રીઓ સ્તરની વાતચીતની શરૂઆત ઉઝબેકીસ્તાન સાથેની મંત્રણાથી કરી છે. ભારત અને ઉઝબેકીસ્તાન વચ્ચેના વિવિધ ક્ષેત્રના વધતા જતા સંબંધો છતાં બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર તેની પૂર્ણ ક્ષમતા કરતા ઘણો ઓછો છે.
વર્ષ ૨૦૧૮ – ૧૯ માં બન્ને દેશો વચ્ચેનો વેપાર ૩૨ કરોડ ૮૦ લાખ અમેરીકી ડોલરનો હતો. જા કે, છેલ્લા બે - ત્રણ વર્ષથી ભારત અને ઉઝબેકીસ્તાન વચ્ચેનો વેપાર આશરે ૪૦ ટકા જેટલો વધ્યો છે.
ભારત અને ઉઝબેકીસ્તાનને ૨૦ કરોડ અમેરીકી ડોલરનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે.
ઉઝબેકીસ્તાન, માહિતી અને ટેકનોલોજી, શિક્ષણ દવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતમાંથી મૂડીરોકાણ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે જમીન તથા જળમાર્ગ વડે સીધો સંપર્ક નહી હોવાથી, બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઝડપથી સુદ્રઢ બની શકતા નથી.
ભારતે, અશ્ધાબાત કોરીડોર યોજનામાં જાડાવાનો નિર્ણય લીધો છે. – આ યોજના ઉઝબેકીસ્તાન, તુર્કમેનીસ્તાન, ઓમાન અને ઇરાને હાથ ધરી છે.
ભારત ઇરાનના ચાબહાર બંદરમાં પણ રોકાણ વધારી રહ્યો છે.
લેખક ઃ ડા. અખ્તર જફર, મધ્ય, એશિયાની બાબતોના વિશ્લેષક
Comments
Post a Comment