Skip to main content

ભારત અને ઉઝબેકીસ્તાને સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનાવવાના કરેલા પ્રયાસો અંગે સમીક્ષા

ભારત – ઉઝબેકીસ્તાનના સંયુક્ત કાર્યકારી જૂથની આઠમી બેઠક દિલ્હીમાં યોજાઇ ગઇ. આ બેઠકમાં આતંકવાદનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તી ઉપરાંત સરહદ પારના ત્રાસવાદનો સામનો કરવા બાબતે આ બેઠકમાં ભારત અને ઉઝબેકીસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત આતંકવાદઓને મળતી આર્થિક સહાય રોકવી, આતંકવાદ માટે ઇન્ટરનેટના થતા ઉપયોગને રોકવો, અને વિદેશના આતંકવાદીઓનો સામનો કેવી રીતે કરવો, જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. બન્ને દેશોના અધિકારીઓએ આતંકવાદનો સામનો કરવામાં સહકાર વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ, શાંધાઇ સહકાર સંસ્થા, મનીલોન્ડરીંગના દૂષણનો સામનો જેવા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઇ હતી.

ભારત શાંધાઇ સંગઠનનો વર્ષ ૨૦૧૭ થી સભ્ય છે. અને એસ.સી.ઓ. ની ૧૯ મી બેઠક કિર્ગીઝસ્તાનના બીશ્કાકમાં યોજાઇ હતી. બીશ્કાકમાં યોજાયેલી એસ.સી.ઓ.ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા એસ.સી.ઓ - પ્રાદેશિક આતંકવાદ વિરોધી એકમ - એસ.સી.ઓ – આર.એ.ટી.એસ. નો અસરકારક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ભારત અને ઉઝબેકીસ્તાને સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત રાજકીય અને આર્થિક ક્ષેત્રના સહકારને પણ વધુ મજબૂત બનાવ્યો છે. તાજેતરમાં બન્ને દેશો આર્થિક ક્ષેત્રના દ્વિપક્ષીય સંબંધો મજબૂત તથા વધુ વિસ્તૃત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. બન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વર્ષ ૨૦૧૫ માં મધ્ય એશિયાની મુલાકાત વખતે ઉઝબેકીસ્તાનની મુલાકાત લીધી હતી. 

ઉઝબેકીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શાવકાત મીરઝીયોયેવે ઓક્ટોબર ૨૦૧૮ થી પછીના સમયગાળામાં ભારતની બે વખત મુલાકાત લીધી હતી. જાન્યુઆરી ૨૦૧૯ માં તેમણે વાયબ્રાન્ટ ગુજરાત શીખરપરિષદમાં પણ હાજરી આપી હતી. ઉઝબેકીસ્તાન મધ્ય એશિયામાં ભૌગોલિક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. એશિયાના મધ્યભાગમાં આવેલો ઉઝબેકીસ્તાન આ ક્ષેત્રના બધા જ પ્રજાસત્તાક રાષ્ટ્રો સાથે જમીન સરહદથી જાડાયેલો છે.

આના લીધે જ મધ્ય એશિયાના જુદા – જુદા દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવવા માટે ભારતની દ્રષ્ટિએ ઉઝબેકીસ્તાનનું મહત્વ આગવું છે.

ભારત અને ઉઝબેકીસ્તાન, બન્ને દેશો દ્રઢપણે વિશ્વાસ ધરાવે છે કે એશિયા વિસ્તારમાં સલામતી અને Âસ્થરતા જાળવી રાખવા અફધાનિસ્તાનમાં શાંતિ અને Âસ્થરતા જળવાય તે જરૂરી છે.

ભારતે, મધ્ય એશિયાના દેશો સાથે વિદેશમંત્રીઓ સ્તરની વાતચીતની શરૂઆત ઉઝબેકીસ્તાન સાથેની મંત્રણાથી કરી છે. ભારત અને ઉઝબેકીસ્તાન વચ્ચેના વિવિધ ક્ષેત્રના વધતા જતા સંબંધો છતાં બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર તેની પૂર્ણ ક્ષમતા કરતા ઘણો ઓછો છે. 

વર્ષ ૨૦૧૮ – ૧૯ માં બન્ને દેશો વચ્ચેનો વેપાર ૩૨ કરોડ ૮૦ લાખ અમેરીકી ડોલરનો હતો. જા કે, છેલ્લા બે - ત્રણ વર્ષથી ભારત અને ઉઝબેકીસ્તાન વચ્ચેનો વેપાર આશરે ૪૦ ટકા જેટલો વધ્યો છે.

ભારત અને ઉઝબેકીસ્તાનને ૨૦ કરોડ અમેરીકી ડોલરનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે.

ઉઝબેકીસ્તાન, માહિતી અને ટેકનોલોજી, શિક્ષણ દવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતમાંથી મૂડીરોકાણ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે જમીન તથા જળમાર્ગ વડે સીધો સંપર્ક નહી હોવાથી, બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઝડપથી સુદ્રઢ બની શકતા નથી.

ભારતે, અશ્ધાબાત કોરીડોર યોજનામાં જાડાવાનો નિર્ણય લીધો છે. – આ યોજના ઉઝબેકીસ્તાન, તુર્કમેનીસ્તાન, ઓમાન અને ઇરાને હાથ ધરી છે.

ભારત ઇરાનના ચાબહાર બંદરમાં પણ રોકાણ વધારી રહ્યો છે.


લેખક ઃ ડા. અખ્તર જફર, મધ્ય, એશિયાની બાબતોના વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...