વર્ષ ૨૦૧૬માં યુરોપીયન સંઘમાંથી અલગ થવા અંગેની બ્રેÂક્ઝટ સમજૂતી બાબતે જનમત લેવાયો છે, ત્યારથી આજદિન સુધીમાં બ્રિટનમાં ઘણી રાજકીય ગતિવિધિ તથા વિવાદ જાવા મળ્યા છે.
પ્રધાનમંત્રી થેરેસા મેને બ્રેકઝિટ મુદ્દે નિષ્ફળતા મળ્યા બાદ તથા તેમણે પોતાના પક્ષના સાંસદોનું સમર્થન ગુમાવતાં, ગત ચોથી જુલાઈએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
આના પગલે કન્ઝર્વેટીવ પક્ષમાં પ્રધાનમંત્રી બનવા હોડ શરૂ થઈ હતી. આ અંગેના મતદાનમાં બોરીસ જાનસને , બ્રીટનના વિદેશમંત્રી જેરીમી હન્ટને ૪૦ હજારથી વધુ મતોથી પરાજય આપીને પ્રધાનમંત્રી પદ મેળવવાની સ્પર્ધા જીતી હતી.
આ જીત પછી શ્રી જાનસને જણાવ્યું હતું કે, આગામી ૩૧મી ઓક્ટોબર સુધી બ્રેકઝિટ અંગે સફળતા મેળવવી તથા દેશને એક રાખવાની બાબતને તેઓ ટોચની અગ્રતા આપશે.
બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે યુરોપીયન સંઘના ૨૭ દેશોના વડાઓ સાથે મંત્રણા કરીને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો, તે શ્રી જાનસન સામેનો મુખ્ય પડકાર હશે.
શ્રી બોરીસ જાનસને, વચન આપ્યું છે કે, તેઓ યુરોપીયન સંઘ સાથે બ્રેકઝિટ મુદ્દે ફરીથી ચર્ચા કરીને, બ્રિટન માટે સારી તકો ઊભી કરશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, જા આમ નહીં થાય તો બ્રિટનને આગામી ૩૧મી ઓક્ટોબરે યુરોપીયન સંઘમાંથી બહાર નીકળવું જ પડશે.
ઉલ્લેખનીય છે કે, યુરોપીયન સંઘે પણ દોહરાવ્યું હતું કે, થેરેસા મે દ્વારા સધાયેલી બ્રેÂક્ઝટ સમજૂતીનો સ્વીકાર કરવો જ પડશે.
જા, આમ નહીં થાય તો, બ્રિટનને યુરોપીયન સંઘમાંથી નીકળવું પડશે.
તો બીજી તરફ બ્રિટનના ઘણાં સાંસદો યુરોપીયન સંઘ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી વગર યુરોપીયન સંઘમાંથી નીકળી જવાની દરખાસ્તનો વિરોધ કર્યો છે.
કોઈપણ સમજૂતી વગર બ્રેÂક્ઝટ માટે કન્ઝર્વેટીવ પાર્ટીમાં પણ મોટાભાગના તરફેણમાં નથી.
બ્રિટનના પ્રધાનમંત્રી બેરિસ જાનસને કોઈપણ સંજાગોમાં સમજૂતી સાથે અથવા તે વગર યુરોપીયન સંઘમાંથી બહાર પડવાની કરેલી જાહેરાતના પગલે ઘણાં અર્થશા†ીઓએ જા આમ થાય તો બ્રિટન આર્થિક રીતે મુશ્કેલી અનુભવશે, તેવી આગાહી કરતા પાઉન્ડની Âસ્થરતા જાખમાઈ છે.
આ ઘટનાક્રમ બાદ શ્રી જાનસને તેમના મંત્રીમંડળમાં બ્રેક્ઝીટ તરફી સાંસદોનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે.
બ્રિટનની નવી જાનસન સરકારના કાર્યકાળમાં, ભારત - બ્રિટનના સંબંધોમાં રસપ્રદ વળાંકો આવી શકે છે.
જાન્યુઆરી, ૨૦૧૭માં બ્રિટનના વિદેશમંત્રી તરીકે ભારતની મુલાકાતે આવેલા બોરીસ જાનસને, ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી સાધનાની તત્પરતા દર્શાવી હતી.
બ્રિટન આ વર્ષે યુરોપીયન સંઘમાંથી બહાર નીકળ્યા બાદ આ સમજૂતી થઈ શકે છે.
કન્ઝર્વેટીવ પક્ષમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવતી વખતે શ્રી જાનસને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વેપાર સહિતના ક્ષેત્રોમાં ભારત - બ્રિટનના સંબંધો વધુ ઊંડા અને મજબૂત બનવા જાઈએ.
આ બાબત સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, ઇંગ્લેન્ડની નવી સરકાર, ભારત - બ્રિટનના સંબંધોને નવેસરથી મજબૂત બનાવવા તત્પર છે.
ભારત, તેમના નાગરિકોને બ્રિટનમાં જવા માટેના નિયમો સરળ બને, તેવું ઇચ્છે છે.
જ્યારે બ્રેÂક્ઝટમાં વિદેશીઓને બહાર રાખી સ્થાનિક એટલે કે, બ્રિટનના લોકોને રોજગારીની તકો આપવાની બાબતને અગ્રતા અપાઈ છે. જાકે, શ્રી જાનસને ભારતના વિદ્યાર્થીઓ માટે સરળ વીઝા નિયમો રાખવાની તથા સંતુલિત ઇમિગ્રેશન નીતી રાખવાની તરફેણ પોતાના પક્ષના અગ્રણીઓને લખેલા પત્રમાં કરી હતી.
સમગ્ર રીતે જાતા રાજકીય રીતે વિભાજીત બ્રિટન સામેના પડકારો પણ મોટા છે. જાકે, આમાં, બ્રિટનના નાગરિકો જ પોતાના દેશના હિતમાં સાચો નિર્ણય લઈ શકે છે.
શ્રી જાનસન ઉપર યુરોપીયન સંઘમાંથી બ્રિટનને બહાર લાવવાની તથા સામાજિક-રાજકીય ટકાવી રાખવાની મોટી જવાબદારી રહેલ છે.
યુરોપીયન સંઘમાંથી સરળતાથી, નિયમ મુજબ તથા ઝડપથી બહાર નીકળવાથી વર્ષ ૨૦૧૬થી બ્રિટનમાં રાજકીય ક્ષેત્રે ઊભા થઈ રહેલા વિવાદોમાંથી સ્વતંત્રતા મળશે.
હવે શ્રી બોરીસ જાનસન બ્રેÂક્ઝટ અંગે પોતાના ઇરાદાને હળવો બનાવે છે કે, કરો યા મરો જેવી આત્યંતીક નીતી અપનાવે છે, તેની ઉપર સહુની નજર રહેશે.
લેખક - ડોક્ટર સંઘમિત્રા શર્મા, યુરોપીયન બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક
- શ્રીરંગ તેંડુલકર, રમેશ પરમાર
- શ્રીરંગ તેંડુલકર, રમેશ પરમાર
Comments
Post a Comment