Skip to main content

પાકિસ્તાને અગાઉથી જાણીતા સત્યનો કરેલ સ્વીકાર અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને આખરે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાનમાં આશરે ૪૦ જેટલા આતંકવાદી શિબીરોમાં ૪૦ હજાર આતંકવાદીઓ છે. 

અમેરીકાની પ્રથમ સત્તાવાર મુલાકાત વખતે શ્રી ઇમરાનખાને આ બાબતનો સ્વીકાર કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અત્યાર સુધી તબક્કાવાર શાસન કરી ચૂકેલી સરકારોએ, આ વાસ્તવિકતા અમેરીકાને જણાવી ન હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદ સામે યુદ્ધ કરી રહ્યું છે અને અમેરીકામાં ૧૧મી નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ન હોતી. 

અલકાયદા અફઘાનીસ્તાનમાં કાર્યરત છે તેમજ પાકિસ્તાનની ધરતી ઉપર કોઇ તાલીબાનો નથી. એમ પણ આતંકવાદ સામેની લડાઇમાં અમેરીકા સાથે જાડાઇ ગયા હતા. ઇમરાન ખાને અમેરીકાના કેપીટલ હીલ ખાતે અમેરીકી સાંસદે યોજેલા એક કાર્યક્રમમાં આ બાબતનો સ્વીકાર કર્યો હતો. 

એવી જ રીતે વોશિંગ્ટન ડી. સી. ખાતેની અમેરીકન શાંતિ સંસ્થાની મુલાકાતમાં શ્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ધરતી ઉપર હજી ૩૦ થી ૪૦ હજાર આતંકવાદીઓ સક્રિય છે. આ તાલીમ પામેલા આતંકવાદીઓએ કાશ્મીર તથા અફઘાનિસ્તાનમાં યુદ્ધો લડયા હતા. 

ભારતે, પાકિસ્તાનની આ વાતને સત્યનો સ્વીકાર ગણાવીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાન, તેની ધરતી ઉપર કાર્યરત આતંકવાદીઓ સામે નિર્ણાયક અને અફર કાર્યવાહી કરવાનો આ સાચો સમય છે. 

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વિના ટિપ્પણી કરી હતી કે આપણા પાડોશી દેશોમાંથી એક દેશ સહિત સમગ્ર વિશ્વના કેટલાક દેશોની જેમ આતંકવાદને પ્રોત્સાહન આપવાની કાર્યપદ્ધતિ અપનાવે છે જે ખેદજનક કહેવાય. જા કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અમેરીકામાં જે સત્યનો સ્વીકાર કર્યો હતો. તે બાબત વિશ્વ આલમ અગાઉથી જ જાણે છે. 

શ્રી ઇમરાન ખાને, પાકિસ્તાન સરકારે તેની ધરતી ઉપર કાર્યરત આતંકવાદીઓ સામે શી કાર્યવાહી થઇ છે તેનો ઉલ્લેખ કર્યો નથી. આ બાબત ઘણી સૂચક છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ઇમરાનખાને અમેરીકામાં જાહેર કરેલો આતંકવાદીઓનો આંક, તેમણે આર્થિક કાર્યવાહી દળ FATFને આપેલા આંક કરતા ઘણો વધારે છે. પાકિસ્તાને FATFને તેની ધરતી ઉપર માત્ર ૮ હજાર આતંકવાદીઓ હોવાનું જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, FATF સંસ્થાએ પાકિસ્તાનને આ આતંકવાદીઓ સામે આગામી ઓક્ટોબર સુધીમાં નક્કર કાર્યવાહી કરવાની અથવા કડક પગલાં માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. 

પાકિસ્તાનના વિશ્લેષકે મત વ્યક્ત કર્યો છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અમેરીકામાં કરેલા નિવેદનના પગલે પાકિસ્તાન સરકારની અસરકારકતા સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. એટલું જ નહિ, પણ આ બાબતના કારણે ભારતને આતંકવાદ મુદ્દે હ્લછ્‌હ્લ સમક્ષ રજુઆત કરવાની તક પૂરી પાડી છે. 

ઇમરાન ખાને આતંકવાદ મુદ્દે વિવાદાસ્પદ અને સ્પષ્ટ નિવેદન કરીને પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકવાનો આ બીજા પ્રસંગ છે. 

અગાઉ ગત એપ્રિલમાં ઇરાનના રાષ્ટ્રપ્રમુખ રૌહાની સાથેની તહેરાનમાં યોજાયેલી વાતચીતમાં ઇરાન-વિરોધી આતંકવાદી સંગઠન પાકિસ્તાનની ધરતી પર કાર્યરત હોવાનું જણાવ્યા પછી, પાકિસ્તાની સંસદે પ્રધાનમંત્રી ઇમરાનખાનની ટીકા કરી હતી. 

અમેરીકાએ આ મુદ્દે પાકિસ્તાન ઉપર દબાણ વધારવા અમેરીકા દ્વારા પાકિસ્તાનને અપાતી ૧.૩ અબજ ડોલર અમેરીકી ડોલરની લશ્કરી સહાય રોકી હતી. ત્યારબાદ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધમાં ઓટ આવી છે. 

અમેરીકા, પાકિસ્તાનની સરકાર, અફઘાનિસ્તાનના તાલીબાનો સાથે કરાર કરે તેવું ઇચ્છે છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સારી રીતે જાણે છે કે, અફઘાનિસ્તાનના તાલીબાનો ઉપર પાકિસ્તાનની સેના નિયંત્રણ ધરાવે છે. 

પાકિસ્તાન અમેરીકાનું મિત્ર રાષ્ટ્ર હોવાનો દેખાવ કરીને અફઘાનીસ્તાનમાંથી અમેરીકન સૈન્ય પાછું ખેંચાય તેવું ઇચ્છે છે. આ બાબત વાસ્તવિકતા બને તો તેના ગંભીર પરીણામો સમગ્ર દક્ષિણ એશિયા વિસ્તારમાં દેખાય તેવી સંભાવના છે.


લેખીકા : કૌશીક રોય, આકાશવાણી વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...