પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને આખરે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાનમાં આશરે ૪૦ જેટલા આતંકવાદી શિબીરોમાં ૪૦ હજાર આતંકવાદીઓ છે.
અમેરીકાની પ્રથમ સત્તાવાર મુલાકાત વખતે શ્રી ઇમરાનખાને આ બાબતનો સ્વીકાર કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અત્યાર સુધી તબક્કાવાર શાસન કરી ચૂકેલી સરકારોએ, આ વાસ્તવિકતા અમેરીકાને જણાવી ન હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદ સામે યુદ્ધ કરી રહ્યું છે અને અમેરીકામાં ૧૧મી નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ન હોતી.
અલકાયદા અફઘાનીસ્તાનમાં કાર્યરત છે તેમજ પાકિસ્તાનની ધરતી ઉપર કોઇ તાલીબાનો નથી. એમ પણ આતંકવાદ સામેની લડાઇમાં અમેરીકા સાથે જાડાઇ ગયા હતા. ઇમરાન ખાને અમેરીકાના કેપીટલ હીલ ખાતે અમેરીકી સાંસદે યોજેલા એક કાર્યક્રમમાં આ બાબતનો સ્વીકાર કર્યો હતો.
એવી જ રીતે વોશિંગ્ટન ડી. સી. ખાતેની અમેરીકન શાંતિ સંસ્થાની મુલાકાતમાં શ્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ધરતી ઉપર હજી ૩૦ થી ૪૦ હજાર આતંકવાદીઓ સક્રિય છે. આ તાલીમ પામેલા આતંકવાદીઓએ કાશ્મીર તથા અફઘાનિસ્તાનમાં યુદ્ધો લડયા હતા.
ભારતે, પાકિસ્તાનની આ વાતને સત્યનો સ્વીકાર ગણાવીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાન, તેની ધરતી ઉપર કાર્યરત આતંકવાદીઓ સામે નિર્ણાયક અને અફર કાર્યવાહી કરવાનો આ સાચો સમય છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વિના ટિપ્પણી કરી હતી કે આપણા પાડોશી દેશોમાંથી એક દેશ સહિત સમગ્ર વિશ્વના કેટલાક દેશોની જેમ આતંકવાદને પ્રોત્સાહન આપવાની કાર્યપદ્ધતિ અપનાવે છે જે ખેદજનક કહેવાય. જા કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અમેરીકામાં જે સત્યનો સ્વીકાર કર્યો હતો. તે બાબત વિશ્વ આલમ અગાઉથી જ જાણે છે.
શ્રી ઇમરાન ખાને, પાકિસ્તાન સરકારે તેની ધરતી ઉપર કાર્યરત આતંકવાદીઓ સામે શી કાર્યવાહી થઇ છે તેનો ઉલ્લેખ કર્યો નથી. આ બાબત ઘણી સૂચક છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ઇમરાનખાને અમેરીકામાં જાહેર કરેલો આતંકવાદીઓનો આંક, તેમણે આર્થિક કાર્યવાહી દળ FATFને આપેલા આંક કરતા ઘણો વધારે છે. પાકિસ્તાને FATFને તેની ધરતી ઉપર માત્ર ૮ હજાર આતંકવાદીઓ હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, FATF સંસ્થાએ પાકિસ્તાનને આ આતંકવાદીઓ સામે આગામી ઓક્ટોબર સુધીમાં નક્કર કાર્યવાહી કરવાની અથવા કડક પગલાં માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
પાકિસ્તાનના વિશ્લેષકે મત વ્યક્ત કર્યો છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અમેરીકામાં કરેલા નિવેદનના પગલે પાકિસ્તાન સરકારની અસરકારકતા સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. એટલું જ નહિ, પણ આ બાબતના કારણે ભારતને આતંકવાદ મુદ્દે હ્લછ્હ્લ સમક્ષ રજુઆત કરવાની તક પૂરી પાડી છે.
ઇમરાન ખાને આતંકવાદ મુદ્દે વિવાદાસ્પદ અને સ્પષ્ટ નિવેદન કરીને પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકવાનો આ બીજા પ્રસંગ છે.
અગાઉ ગત એપ્રિલમાં ઇરાનના રાષ્ટ્રપ્રમુખ રૌહાની સાથેની તહેરાનમાં યોજાયેલી વાતચીતમાં ઇરાન-વિરોધી આતંકવાદી સંગઠન પાકિસ્તાનની ધરતી પર કાર્યરત હોવાનું જણાવ્યા પછી, પાકિસ્તાની સંસદે પ્રધાનમંત્રી ઇમરાનખાનની ટીકા કરી હતી.
અમેરીકાએ આ મુદ્દે પાકિસ્તાન ઉપર દબાણ વધારવા અમેરીકા દ્વારા પાકિસ્તાનને અપાતી ૧.૩ અબજ ડોલર અમેરીકી ડોલરની લશ્કરી સહાય રોકી હતી. ત્યારબાદ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધમાં ઓટ આવી છે.
અમેરીકા, પાકિસ્તાનની સરકાર, અફઘાનિસ્તાનના તાલીબાનો સાથે કરાર કરે તેવું ઇચ્છે છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સારી રીતે જાણે છે કે, અફઘાનિસ્તાનના તાલીબાનો ઉપર પાકિસ્તાનની સેના નિયંત્રણ ધરાવે છે.
પાકિસ્તાન અમેરીકાનું મિત્ર રાષ્ટ્ર હોવાનો દેખાવ કરીને અફઘાનીસ્તાનમાંથી અમેરીકન સૈન્ય પાછું ખેંચાય તેવું ઇચ્છે છે. આ બાબત વાસ્તવિકતા બને તો તેના ગંભીર પરીણામો સમગ્ર દક્ષિણ એશિયા વિસ્તારમાં દેખાય તેવી સંભાવના છે.
લેખીકા : કૌશીક રોય, આકાશવાણી વિશ્લેષક
Comments
Post a Comment