Skip to main content

ઓસાકામાં ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટો

જી-ટવેન્ટી ઓસાકા શિખર પરીષદની સાથે સાથે ત્રણ દિવસના ગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ દ્વિપક્ષી (ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, સાઉથ કોરીયા, સાઉદી અરેબીયા, તુર્કી અને અમેરિકા) બે ત્રી-પક્ષી (જાપાન, ભારત અને અમેરિકા આ ઉપરાંત રશિયા, ભારત અને ચાયના) અને બ્રિકસના નેતાઓ સાથે ઔપચારિક વાતચીતો કરી હતી. જી-ટવેન્ટીનો મુખ્ય એજંંડા વૈશ્વિક, આર્થિક, વેપાર અને ભૌગોલિક રાજકીય Âસ્થતીની ચર્ચાનો હતો. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર એ મુખ્ય મુદૃ હતો. દ્વિપક્ષી મંત્રણામાં પ્રધાનમંત્રી મોદી અને પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વેપાર સંબંધિત મુદૃઓની ચર્ચા કરવામાં આવી હતી. જી-ટવેન્ટી શિખર પરીષદની મોટી ફલુશ્રુતિ એ રહી કે હાલ ચીન અને અમરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં સુધારો થયો તે બાબત હતી. ભારત આ બંને દેશોની વાટાઘાટો ઉપર ખુબ બારીકાઈથી નજર રાખી રહયું હતું. કેમ કે અમેરિકા સાથેના ટેરીફ અંગેના મતભેદને હલ કરવાનો હતો. પ્રેસીડેન્ટ ટ્રમ્પે ભારતના ઉંચા ટેરીફની ટીકા કરી હતી અને તેમણે નવી દિલ્હીને આ ટેરીફ ઘટાડવા જણાવ્યું હતું. અમેરિકાએ ભારતીય પેદાશો માટે કેટલીક વસ્તુઓ પરત ખેંચી હતી. તેના બદલામાં ભારતે બદામ, કઠોળ અને અખરોટ જેવી ર૮ વસ્તુઓ ઉપર ટેરીફ વધારી હતી. સ્ટીલ અને એલ્યુમીનીયમમાં આયાત ડયુટી વધારવા અંગથે ભારત – અમેરીકાને ડબલ્યુટીઓ ડીસ્પુટ સેટલમેન્ટમાં લઈ ગયું છે.

જી-ટવેન્ટી શિખર પરીષદ પહેલા અમેરીકાના સેક્રેટરી પોમ્પીઓની ભારતની ટુકી મુલાકાત દરમ્યાન ચર્ચા કરવામાં આવી હતી. નવી દિલ્હી અને વોશીગ્ટને નકકી કર્યા મુજબ હવે બંને દેશોના વાણીજય મંત્રીઓ વહેલી તકે આ મૃદૃઓનો નિકાલ કરવા મુલાકાત કરશે. વેપાર સિવાય ભારતના પ્રધાનમંત્રી અને અમેરીકાના પ્રેસીડેન્ટ વચ્ચે ફાઈવ-જી ટેકનોલોજી, સંરક્ષણ સંબંધો અને ઈરાનના મુદૃઓની પણ ચર્ચા કરાઈ હતી. ઈરાનના મુદૃ પર્સીયન ગલ્ફ પ્રદેશમાં Âસ્થરતા અને શાંતી જળવાઈ રહે તે બાબતે ભારતે ભાર મુકયો હતો. ફાઈવ-જી ટેકનોલોજીના અગત્યના મુદૃમાં ખાસ કરીને અમેરિકાએ અમેરિકન કંપનીઓને ઓવઈ સાથે વેપાર કરવાની છુટ આપી હતી તે હતો. ભારત ફાઈવ-જી ટેકનોલોજીની રાહ જાઈ રહયું છે અને અમેરીકાએ ઉભા કરેલા સુરક્ષાના મુદૃઓને ભારતમાં પણ અભ્યાસ કરાઈ રહયો છે. અમેરીકા ટેકનોલોજીકમાં નિષ્ણાંતોને વધારી રહી છે. અમેરીકા વેપાર અને તાંત્રિક તકો માટે ભારત તરફ નજર રાખી રહયું છે. જયારે ભારત ટેકનલોજી વિકાસમાં સહકાર ઈચ્છી રહયું છે.

ડીઝાઈન, ટેકનોલોજી અને સોફટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રની ફાઈવ જી ક્ષમતાઓનો મેક ઈન ઈÂન્ડયા અભિયાનમાં કેવી રીતે ઉપયોગ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકાશે. જેથી ભારત અને અમેરીકાની સરકારના સત્તાવાર સંબંધો ઉપરાંત બંને દેશોના ઉદ્યોગોને એક સાથે કામ કરવાની તક મળશે.

બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહકાર કરી શકશે. ઓસાકામાં થયેલી મંત્રણામાં આ અંગે વધુ ચર્ચા કરવામાં આવી નહોતી. પરંતુ ભારત સંરક્ષણ ક્ષેત્રનો અમેરીકા સાથેનો તેનો સહકાર વધારી રહયો છે. જેમાં ઈન્ડો – પેસફીક ક્ષેત્રમાં સરહદ સલામતીની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. જાપાન ભારત અને અમેરીકા વચ્ચે થયેલી ત્રિ-પક્ષીય મંત્રણામાં આ અંગે ચર્ચા થઈ હતી. આ ક્ષેત્રમાં કનેકટીવીટી વધારવા અને માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા ત્રણેય દેશોએ મળીને કામ કરવા ચર્ચા કરાઈ હતી. ત્રણેય દેશો આ વિસ્તારમાં શાંતી અને વિકાસ માટેના સમાન લક્ષ્યો ધરાવે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરીયાઈ સહકાર વધારવા માટે દર વર્ષે શિખર સંમેલન યોજવાના મુદૃ પણ ત્રણેય દેશો સહમત થયા હતા. આ વિસ્તારમાં ચીની સેનાની વધી રહેલી પ્રવૃતીઓ જાતા ત્રણેય દેશો વચ્ચેનો સહકાર મહત્વપુર્ણ છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...