Skip to main content

બ્રિક્સ સંગઠનના વિદેશમંત્રીઓની બેઠક અંગે સમીક્ષા

વિશ્વના ઇતિહાસમાં સત્તા અને શÂક્તનું ઉત્તરથી દક્ષિણ તથા પશ્ચિમથી પૂર્વમાં પરિવર્તન દેખાઇ રહ્યું છે. આ એક ઐતિહાસિક પરિવર્તન છે, જેમાં વિશ્વની વસતી તથા સમૃદ્ધિ કોઇ એક સ્થળે કેન્દ્રિત થઇ રહી છે.

આ પરિવર્તને જ બ્રિક્સ સંગઠનની રચનાને પ્રેરણા આપી છે. આ પરિવર્તન સાથે વિશ્વનું ધ્યાન પણ બીજે અર્થાત્‌ બ્રીક્સ સંગઠન ઉપર ગયું છે. આ સંગઠન અત્યારસુધીના સંગઠનોથી એ રીતે જુદું પડે છે કે, આ સંગઠનમાં ભૂતપૂર્વ વિશ્વસત્તાઓની સાથે – સાથે એશિયા આફ્રિકા તથા લેટીન અમેરીકાની નવી ઉભરાતી જતી સત્તાઓનો પણ સમાવેશ થાય છે.

બ્રીક્સ સંગઠને સ્પર્ધાત્મક વિકલ્પની સાથે વિશ્વમાં ઉભરતી જતી નવી સત્તાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું છે. આ બાબત વૈશ્વિક સમૃદ્ધિ, Âસ્થરતા માટે જરૂરી પણ છે.

બ્રીક્સ સંગઠનમાં જી – સાત સંગઠનની સરખામણીએ વધુ પ્રતિનિધીઓ છે. આ સંગઠને બીજા દસકાની યાત્રાનો આરંભ કર્યો છે. બ્રીક્સ સંગઠનના વિદેશ મંત્રીઓની ગત સપ્તાહમાં રીઓ-દી-જનેરો ખાતે યોજાયેલી બેઠકમાં આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની કેન્દ્રવર્તી ભૂમિકા તથા મહત્વ ધરાવતા દ્રષ્ટિકોણને સમર્થન અપાયું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ વેપાર સંસ્થા અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ જેવી સંસ્થાઓની અવગણના કરવાની વિચારધારા પશ્ચિમી દેશોમાં જાવા મળે છે, તેના સ્થાને બ્રીક્સ આવા સંગઠનોમાં નવી પરીÂસ્થતિ મુજબ સુધારાઓ સૂચવે છે.

રીઓ ખાતેની બેઠકમાં વિશ્વ વેપાર સંસ્થા - WTOને મજબૂત કરવા બાબતે સઘન ચર્ચા વિચારણ થઇ હતી. એવી જ રીતે બ્રીક્સના સભ્યદેશોના મંત્રીઓએ, સંયિક્ત રાષ્ટ્રસંઘ - યુ.એન.ને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના મુદ્દે પણ ચર્ચા કરી હતી.

આ બેઠકમાં બ્રીક્સ સંગઠનના વિદેશ – મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ નક્કર કાયદાકીય માળખાની મદદથી આતંકવાદનો સહિયારા પ્રયાસ વડે સામનો કરવા ઉપર ભાર મૂકયો હતો.

ભારતને પણ આતંકવાદના લીધે ઘણું વેઠવું પડયું હોવાથી, ભારતે આતંકવાદનો સામનો કરવા પાંચ મુદ્દાઓની વ્યૂહરચના રજુ કરી. જેમાં ગુપ્તચર માહિતીનું સમયસર આદાન-પ્રદાન ખાનગી ક્ષેત્રના સહકારમાં સંદેશાવ્યવહારના અદ્યતન સાધનોનો દુરૂપયોગ અટકાવવો, સરહદના રક્ષણની ક્ષમતાઓમાં વધારો, મુસાફરોની હેરફેરની માહિતીનું આદાન-પ્રદાન, અને આંતરરાષ્ટ્રીયસ્તરે આતંકવાદનો સામનો કરવાની નીતિ વગેરેનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં આતંકવાદી હુમલાઓ તથા બધા જ સ્વરૂપના આતંકવાદને કડક શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. બ્રીક્સ કાર્યકારી જૂથ તથા આતંકવાદ વિરોધી જુથની રચના દ્વારા બ્રીક્સ દેશોમાં આતંકવાદનો સામનો કરવામાં સહકાર વધવામાં થયેલી પ્રગતિની નોંધ લેવાઇ હતી.

માર્ગ-પરિવહન રાજ્યમંત્રી જનરલ વી. કે. સિંહે રીઓ બેઠકમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. બ્રીક્સ સંગઠને મધ્ય-પૂર્વ તથા ઉત્તર અમેરીકાના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં અફઘાનીસ્તાનમાં નેતૃત્વમાં અને તેમના દ્વારા જ શાંતિની સ્થાપના મુદ્દે ભારતના અભિગમને બ્રીક્સ રાષ્ટ્રોનું સમર્થન મળ્યું હતું. જા કે, વેનીઝુએલાના મુદ્દે ચર્ચા દરમિયાન મતભેદો જાવા મળ્યા હતા. રશિયાએ વેનીઝુએલામાં બાહ્ય પરિબળોના હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો. જયારે બ્રાઝીલે ત્યાંના લોકમતની નોંધ લેવાની તરફેણ કરી હતી.

જા કે, બ્રીક્સના બધા જ સભ્યોએ વેનીઝુએલાના મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલની તરફેણ કરી હતી. બ્રાઝીલમાં નવા રાષ્ટ્રપ્રમુખે સત્તાના સૂત્રો સંભળ્યા, ત્યારે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા હતા.

ઘણાનું માનવું હતું કે, નવા રાષ્ટ્રપ્રમુખ બોલસોનારો વિકાસશીલ દેશોથી દૂર જશે તથા પશ્ચિમી દેશોની જેવી નીતિ અપનાવશે. જા કે, તેમણે આવી ધારણાઓથી વિપરીત બ્રીક્સ સંગઠનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું.



તેમણે બ્રીક્સ દેશો વચ્ચે – ઉર્જા, શાંતિ, સલામતી, નવકલ્પના, વિકાસ તથા આર્થિક સહકારની ભારપૂર્વક તરફેણ કરી છે.

લેખક : આશ નારાયણ રોય, નિયામક, સામજીક વિજ્ઞાન સંસ્થા, દિલ્હી

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...