આ વખતના સામાન્ય અંદાજપત્રમાં દેશના આર્થિક વિકાસ દર ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. આ વખતે આર્થિક ખાધનું પ્રમાણ જીડીપીના સાડા ત્રણ ટકા સુધી મર્યાદિત રાખવાનું કદાચ શક્ય બનશે નહીં. કારણ કે, દેશના અર્થતંત્રને અગાઉના વિકાસના પથ ઉપર ફરીથી મૂકવા માટે જાહેર ક્ષેત્રમાં ખાસ કરીને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે મૂડીરોકાણ કરવું જરૂરી છે. નાણામંત્રી સુશ્રી નિર્મલા સિતારામન તરફથી તેમના પ્રથમ અંદાજપત્રમાં કેટલાંક હિંમતભર્યા નિર્ણયો અપેક્ષિત છે. આમ છતાં, ખર્ચમાં ઘટાડાની મદદથી ફિસ્કલ કોન્સોલીડેશન એટલે કે, આર્થિક મજબૂતીકરણનું ધ્યેય મેળવવાના પ્રયાસો જા કરાશે, તો તેના પરિણામ આર્થિક વિકાસ ઉપર થવાની સંભાવના છે. યોગ્ય કરવેરા સુધારાની મદદથી જ કરવેરા એકઠા કરવાને મદદ મળી શકશે. ર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા કોર્પોરેટ વેરામાં સુધારો થાય તેવી ધારણા છે. ગયા વર્ષના અંદાજપત્રમાં કોર્પોરેટ વેરો ૨૫ ટકા ઘટાડવાની જાહેરાત થઈ હતી. જાકે, આનો ફાયદો માત્ર નાના અને મધ્યમ ઉદ્યોગોને જ મળવાનો હતો. ખર્ચના ક્ષેત્રે ખેડૂતો તથા મહિલાઓ માટે નવી યોજનાઓની સંભાવના છે. જાકે, આ પ્રકારની મહત્વની જાહેરાતો માટે યોગ્ય પ્રમાણમાં અંદાજપત્રીય ફાળવણી પણ જરૂરી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ છે. આથી જ, પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ વર્ષ ૨૦૧૯-૨૦ના ખરીફ પાકો માટેની લઘુતમ ટેકાના ભાવો – એમએસપીમાં વધારાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે ખરીફ પાકોમાં સોયાબીનના લઘુત્તમ ટેકાના ભાવોમાં પ્રતિ Âક્વન્ટલે ૩૧૧ રૂપિયા, સૂર્યમૂખીના ભાવમાં ૨૬૨ રૂપિયાનો વધારો મંજૂર કર્યો છે. ખેડૂતોની આવક વધારવાની દિશામાં લેવાયેલું આ મહત્વનું પગલું છે. ભારતના નવા વ્યાપક આર્થિક માળખા અંગે આગામી અંદાજપત્રમાં વધુ સ્પષ્ટતા મળશે. ખાદ્યને પહોંચી વળવા ગેરવેરા આવક હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયામાંથી આર્થિક ભંડોળ સરકારને હસ્તાંતરિત કરવા અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે. આગામી અંદાજપત્રમાં આ બાબત વધુ સ્પષ્ટતા થશે.
સુશ્રી સીતારમણ દ્વારા બનાવેલી દેશની નવી આર્થિક નીતિઓનું સ્વરૂપ જાણવા માટે અંદાજપત્રની જાહેરાતોની રાહ જાવી પડશે. દેશમાં વધુ રોજગાર નિર્માણ કરવા પર કે નાણાંકીય સમાવેશકતાથી ન્યૂનત્તમ મૂળભૂત આવક સુનિશ્ચિત કરવા પર ભાર મુકાશેસ જે આગામી અંદાજપત્રમાં સ્પષ્ટ થશે.
સામાજીક માળખાકીય સુવિધા વિકસાવવા પર ખાસ કરીને પાણી, સ્વચ્છતા પર સરકાર દ્વારા અપાતું સતત ધ્યાન તેમજ ઓછી આવક ધરાવતા પરિવારોને સ્વચ્છ રાંધણ ગેસ આપવા જેવા પ્રયાસો આવકારજનક છે, પરંતુ શિક્ષણ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રના અંદાજપત્રમાં મહત્વના ઘટકોપરના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની જરૂર છે. નવ સંશાધન નિર્માણમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યમાં સરકારની નવી ભૂમિકાની લાંબા સમયથી રાહ છે. રાષ્ટ્રીય પોષણ મિશનને મજબુત બનાવવા આ અંદાજપત્રમાં નવી જાહેરાતો થશે તેવી અપેક્ષા છે.
આબોહવા પરિવર્તનનો મુદ્દો આ અંદાજપત્રમાં ધ્યાને લેવાશે તેવી અપેક્ષા છે. પર્યાવરણને અનુકૂળ તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આબોહવાને લગતા પડકારો સામે જવાબદારીપૂર્વક વર્તન અંગેનું અંદાજપત્રીય નિવેદન આવકારદાયક રહેશે. વિકાસમાં વૃદ્ધિ અને વેપાર સરલીકરણ માટે માળખાકીય સુધારાની પણ આવશ્યકતા છે. વિકાસને પુનઃજીવિત કરવા સરકાર દ્વારા આ સુધારાની જાહેરાત થઈ શકે છે. નાણાંકીય નીતિ સમિતિએ નીતિ દરોમાં ઘટાડો કર્યો છે. જાકે આ ઘટાડાનો કોમર્શિયલ બેંકો દ્વાર થતા અમલ પર દેખરેખ રાખવાની જરૂર છે. આ ઘટાડાથી અર્થતંત્રમાં વપરાશમાં વધારો થઈ રહ્યો છે.
અંદાજપત્રમાં માળખાકિય સુવિધાઓ પર વિશેષ ભાર મુકાશે. કોઈને પણ પાછળ ન છોડવા એ મોદી સરકાર ટુ પોઈન્ટ ઝીરોનો નવો યુગ છે.
ભારતીય અર્થતંત્રના વ્યાપક આર્થિક મૂળો મજબૂત હોવાથી નાણાંમંત્રી સુશ્રી સીતારમણ મૂડી રોકાણકારોને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ લાવે તેવી સંભાવના છે. અંદાજપત્ર રજુઆત બાદ નાણાંકીય ઉત્સાહ જાવાય તેવી અપેક્ષા છે.
અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધ, તેલની કિંમતોમાં થતી વધઘટ, ફુગાવો જેવી વૈશ્વિક અનિશ્ચિતતાઓને ભારતીય અર્થતંત્રના વિકાસ માટે કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે નાણાંમંત્રી દ્વારા આયોજન કરાશે.
શ્રીરંગ તેંડુલકર, અપર્ણા ખૂંટ, નીકિતા શાહ, રમેશ પરમાર, જતિન કામદાર
સુશ્રી સીતારમણ દ્વારા બનાવેલી દેશની નવી આર્થિક નીતિઓનું સ્વરૂપ જાણવા માટે અંદાજપત્રની જાહેરાતોની રાહ જાવી પડશે. દેશમાં વધુ રોજગાર નિર્માણ કરવા પર કે નાણાંકીય સમાવેશકતાથી ન્યૂનત્તમ મૂળભૂત આવક સુનિશ્ચિત કરવા પર ભાર મુકાશેસ જે આગામી અંદાજપત્રમાં સ્પષ્ટ થશે.
સામાજીક માળખાકીય સુવિધા વિકસાવવા પર ખાસ કરીને પાણી, સ્વચ્છતા પર સરકાર દ્વારા અપાતું સતત ધ્યાન તેમજ ઓછી આવક ધરાવતા પરિવારોને સ્વચ્છ રાંધણ ગેસ આપવા જેવા પ્રયાસો આવકારજનક છે, પરંતુ શિક્ષણ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રના અંદાજપત્રમાં મહત્વના ઘટકોપરના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની જરૂર છે. નવ સંશાધન નિર્માણમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યમાં સરકારની નવી ભૂમિકાની લાંબા સમયથી રાહ છે. રાષ્ટ્રીય પોષણ મિશનને મજબુત બનાવવા આ અંદાજપત્રમાં નવી જાહેરાતો થશે તેવી અપેક્ષા છે.
આબોહવા પરિવર્તનનો મુદ્દો આ અંદાજપત્રમાં ધ્યાને લેવાશે તેવી અપેક્ષા છે. પર્યાવરણને અનુકૂળ તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આબોહવાને લગતા પડકારો સામે જવાબદારીપૂર્વક વર્તન અંગેનું અંદાજપત્રીય નિવેદન આવકારદાયક રહેશે. વિકાસમાં વૃદ્ધિ અને વેપાર સરલીકરણ માટે માળખાકીય સુધારાની પણ આવશ્યકતા છે. વિકાસને પુનઃજીવિત કરવા સરકાર દ્વારા આ સુધારાની જાહેરાત થઈ શકે છે. નાણાંકીય નીતિ સમિતિએ નીતિ દરોમાં ઘટાડો કર્યો છે. જાકે આ ઘટાડાનો કોમર્શિયલ બેંકો દ્વાર થતા અમલ પર દેખરેખ રાખવાની જરૂર છે. આ ઘટાડાથી અર્થતંત્રમાં વપરાશમાં વધારો થઈ રહ્યો છે.
અંદાજપત્રમાં માળખાકિય સુવિધાઓ પર વિશેષ ભાર મુકાશે. કોઈને પણ પાછળ ન છોડવા એ મોદી સરકાર ટુ પોઈન્ટ ઝીરોનો નવો યુગ છે.
ભારતીય અર્થતંત્રના વ્યાપક આર્થિક મૂળો મજબૂત હોવાથી નાણાંમંત્રી સુશ્રી સીતારમણ મૂડી રોકાણકારોને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ લાવે તેવી સંભાવના છે. અંદાજપત્ર રજુઆત બાદ નાણાંકીય ઉત્સાહ જાવાય તેવી અપેક્ષા છે.
અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધ, તેલની કિંમતોમાં થતી વધઘટ, ફુગાવો જેવી વૈશ્વિક અનિશ્ચિતતાઓને ભારતીય અર્થતંત્રના વિકાસ માટે કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે નાણાંમંત્રી દ્વારા આયોજન કરાશે.
શ્રીરંગ તેંડુલકર, અપર્ણા ખૂંટ, નીકિતા શાહ, રમેશ પરમાર, જતિન કામદાર
Comments
Post a Comment