Skip to main content

સામાન્ય અંદાજપત્ર સામેના મુદ્દાઓ અંગે સમીક્ષા

આ વખતના સામાન્ય અંદાજપત્રમાં દેશના આર્થિક વિકાસ દર ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. આ વખતે આર્થિક ખાધનું પ્રમાણ જીડીપીના સાડા ત્રણ ટકા સુધી મર્યાદિત રાખવાનું કદાચ શક્ય બનશે નહીં. કારણ કે, દેશના અર્થતંત્રને અગાઉના વિકાસના પથ ઉપર ફરીથી મૂકવા માટે જાહેર ક્ષેત્રમાં ખાસ કરીને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે મૂડીરોકાણ કરવું જરૂરી છે. નાણામંત્રી સુશ્રી નિર્મલા સિતારામન તરફથી તેમના પ્રથમ અંદાજપત્રમાં કેટલાંક હિંમતભર્યા નિર્ણયો અપેક્ષિત છે. આમ છતાં, ખર્ચમાં ઘટાડાની મદદથી ફિસ્કલ કોન્સોલીડેશન એટલે કે, આર્થિક મજબૂતીકરણનું ધ્યેય મેળવવાના પ્રયાસો જા કરાશે, તો તેના પરિણામ આર્થિક વિકાસ ઉપર થવાની સંભાવના છે. યોગ્ય કરવેરા સુધારાની મદદથી જ કરવેરા એકઠા કરવાને મદદ મળી શકશે. ર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા કોર્પોરેટ વેરામાં સુધારો થાય તેવી ધારણા છે. ગયા વર્ષના અંદાજપત્રમાં કોર્પોરેટ વેરો ૨૫ ટકા ઘટાડવાની જાહેરાત થઈ હતી. જાકે, આનો ફાયદો માત્ર નાના અને મધ્યમ ઉદ્યોગોને જ મળવાનો હતો. ખર્ચના ક્ષેત્રે ખેડૂતો તથા મહિલાઓ માટે નવી યોજનાઓની સંભાવના છે. જાકે, આ પ્રકારની મહત્વની જાહેરાતો માટે યોગ્ય પ્રમાણમાં અંદાજપત્રીય ફાળવણી પણ જરૂરી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ છે. આથી જ, પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ વર્ષ ૨૦૧૯-૨૦ના ખરીફ પાકો માટેની લઘુતમ ટેકાના ભાવો – એમએસપીમાં વધારાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે ખરીફ પાકોમાં સોયાબીનના લઘુત્તમ ટેકાના ભાવોમાં પ્રતિ Âક્વન્ટલે ૩૧૧ રૂપિયા, સૂર્યમૂખીના ભાવમાં ૨૬૨ રૂપિયાનો વધારો મંજૂર કર્યો છે. ખેડૂતોની આવક વધારવાની દિશામાં લેવાયેલું આ મહત્વનું પગલું છે. ભારતના નવા વ્યાપક આર્થિક માળખા અંગે આગામી અંદાજપત્રમાં વધુ સ્પષ્ટતા મળશે. ખાદ્યને પહોંચી વળવા ગેરવેરા આવક હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયામાંથી આર્થિક ભંડોળ સરકારને હસ્તાંતરિત કરવા અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે. આગામી અંદાજપત્રમાં આ બાબત વધુ સ્પષ્ટતા થશે.

સુશ્રી સીતારમણ દ્વારા બનાવેલી દેશની નવી આર્થિક નીતિઓનું સ્વરૂપ જાણવા માટે અંદાજપત્રની જાહેરાતોની રાહ જાવી પડશે. દેશમાં વધુ રોજગાર નિર્માણ કરવા પર કે નાણાંકીય સમાવેશકતાથી ન્યૂનત્તમ મૂળભૂત આવક સુનિશ્ચિત કરવા પર ભાર મુકાશેસ જે આગામી અંદાજપત્રમાં સ્પષ્ટ થશે.

સામાજીક માળખાકીય સુવિધા વિકસાવવા પર ખાસ કરીને પાણી, સ્વચ્છતા પર સરકાર દ્વારા અપાતું સતત ધ્યાન તેમજ ઓછી આવક ધરાવતા પરિવારોને સ્વચ્છ રાંધણ ગેસ આપવા જેવા પ્રયાસો આવકારજનક છે, પરંતુ શિક્ષણ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રના અંદાજપત્રમાં મહત્વના ઘટકોપરના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની જરૂર છે. નવ સંશાધન નિર્માણમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યમાં સરકારની નવી ભૂમિકાની લાંબા સમયથી રાહ છે. રાષ્ટ્રીય પોષણ મિશનને મજબુત બનાવવા આ અંદાજપત્રમાં નવી જાહેરાતો થશે તેવી અપેક્ષા છે.

આબોહવા પરિવર્તનનો મુદ્દો આ અંદાજપત્રમાં ધ્યાને લેવાશે તેવી અપેક્ષા છે. પર્યાવરણને અનુકૂળ તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આબોહવાને લગતા પડકારો સામે જવાબદારીપૂર્વક વર્તન અંગેનું અંદાજપત્રીય નિવેદન આવકારદાયક રહેશે. વિકાસમાં વૃદ્ધિ અને વેપાર સરલીકરણ માટે માળખાકીય સુધારાની પણ આવશ્યકતા છે. વિકાસને પુનઃજીવિત કરવા સરકાર દ્વારા આ સુધારાની જાહેરાત થઈ શકે છે. નાણાંકીય નીતિ સમિતિએ નીતિ દરોમાં ઘટાડો કર્યો છે. જાકે આ ઘટાડાનો કોમર્શિયલ બેંકો દ્વાર થતા અમલ પર દેખરેખ રાખવાની જરૂર છે. આ ઘટાડાથી અર્થતંત્રમાં વપરાશમાં વધારો થઈ રહ્યો છે.

અંદાજપત્રમાં માળખાકિય સુવિધાઓ પર વિશેષ ભાર મુકાશે. કોઈને પણ પાછળ ન છોડવા એ મોદી સરકાર ટુ પોઈન્ટ ઝીરોનો નવો યુગ છે.

ભારતીય અર્થતંત્રના વ્યાપક આર્થિક મૂળો મજબૂત હોવાથી નાણાંમંત્રી સુશ્રી સીતારમણ મૂડી રોકાણકારોને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ લાવે તેવી સંભાવના છે. અંદાજપત્ર રજુઆત બાદ નાણાંકીય ઉત્સાહ જાવાય તેવી અપેક્ષા છે.

અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધ, તેલની કિંમતોમાં થતી વધઘટ, ફુગાવો જેવી વૈશ્વિક અનિશ્ચિતતાઓને ભારતીય અર્થતંત્રના વિકાસ માટે કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે નાણાંમંત્રી દ્વારા આયોજન કરાશે.

 શ્રીરંગ તેંડુલકર, અપર્ણા ખૂંટ, નીકિતા શાહ, રમેશ પરમાર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...