Skip to main content

ભારતે, રોકાણકારોને અનુકૂળ તથા વિકાસને ગતિ આપતું અંદાજપત્ર રજુ કર્યું આ અંગે સમીક્ષા

મોદી સરકારની બીજી મુદતનું પ્રથમ અંદાજપત્ર રજુ કરાયું છે. વેપારઉદ્યોગ ક્ષેત્રની ધારણા મુજબ અંદાજપત્રવેપારઉદ્યોગની પ્રક્રિયા સરળ બનાવનારું તથા ક્ષેત્રના વિકાસને નડતા અવરોધો દૂર કરનારું રહ્યું છે. અંદાજપત્રમાં દેશભરમાં ડિજીટલાઇઝેશનની પ્રક્રિયા મજબૂત બનાવીને લોકોનું જીવન ધોરણ સરળ અને સુવિધા યુક્ત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમજ આગામી વર્ષોમાં તેને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા, અંદાજપત્રમાં ભાવિ આયોજન રજુ કરાયું છે
વખતનું અંદાજપત્ર, ભૂતકાળના અંદાજપત્ર કરતા અલગ રજુઆત કરતું, તેમજ દરેક નાગરિકના જીવનધોરણને વધુ સારૂ બનાવવા માટે સરકારવેપાર જગત તથા નાગરિકોના જાડાણને મહત્વ આપતું અંદાજપત્ર છે. સરકારનું ધ્યેય વિકાસલક્ષી તથા ગરીબલક્ષી અંદાજપત્ર બનાવવાનું હોવાથી, બજેટમાં ખાનગી ક્ષેત્ર સહિત લાગતા વળતાઓ સાથે ભાગીદારીમાં અર્થપૂર્ણ સંપત્તિ નિર્માણનું આયોજન કેન્દ્રમાં રખાયું છે
સંપત્તિના યોગ્ય નિર્માણ વગર નાગરિક કલ્યાણનું ધ્યેય સાધવું શક્ય નથી. આથી વખતના અંદાજપત્રમાં વાર્ષિક ૪૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર વાળા ઔધોગિક અને વેપાર એકમોના કોર્પોરેટ વેરામાં ૨૫ ટકા રાહતની જાગવાઇ છે
આના પરિણામે ૯૯ ટકા જેટલી ભારતની કંપનીઓને પગલાંનો લાભ મળશે. બચતનો તેઓ ફરી મૂડીરોકાણ માટે પણ ઉપયોગ કરી શકશે. પ્રકારની કામગીરી માગણી, અને  ઉત્પાદનને નવું બળ પુરુ પાડી શકે છે.
વખતના અંદાજપત્રમાં માળખાકીય સુવિધાઓ તથા સંપર્ક ઉપર ખાસ ભાર મૂકાયો છે. તેમજ, જળમાર્ગ, રેલવે માર્ગ તથા વિમાનમથકો જેવા હાલ ચાલી રહેલા પ્રોજેક્ટો ઝડપથી આગળ વધારવા ઉપર ભાર મૂકાયો છે. કામગીરીમાં ખાનગી ક્ષેત્રનો સહકાર મેળવવાની નેમ રખાઇ છે.
બધા પગલાંઓના કારણે વિવિધ ક્ષેત્રમાં કામગીરી ઝડપી બનશે. વેપારઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણ વધારવા અંદાજપત્રમાં વિદેશી મૂડીરોકાણકારોને માળખાકીય સુવિધા માટે ડેટ ફંડોમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવું, બિનનિવાસી ભારતીયોને શેરબજારમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે.
ધિરાણની વસુલાત નહી થવાથીએન.પી..ની સમસ્યાથી પીડાતી બેંકો માટે આઇ.બી.સી. કોડનો અસરકારક ઉપયોગ કરવાની સાથે સાથે તેમને ૭૦ હજાર કરોડ રૂપિયાની મૂડી આપવાની દરખાસ્ત છે. ભંડોળ મળવાથી ધિરાણ આપવાની બેંકોની કામગીરી યથાવત રહેશે.
વખતના અંદાજપત્રમાં જાહેર ક્ષેત્રમાંથી સરકારી રોકાણ પાછૂ ખેંચીને એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એક લાખ, હજાર કરોડ રૂપિયા ઉભા કરવાની નેમ રખાઇ છે.

વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે વખતના અંદાજપત્રમાં ઉડ્ડયનક્ષેત્રે વધુ એફ.ડી.આઇ. ને મંજુરી આપવાની દરખાસ્ત છે. એવી રીતે વીમાના ક્ષેત્રે પણ એફ.ડી.આઇ. ના ધારાધોરણો હળવા બનાવવા વિચારણા ચાલી રહી છે. એવી રીતે બાંધકામ તથા પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર બેંક સિવાયની ફાઇનાન્સ કંપનીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નાગરિકોને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે તે હેતુથી સીંગલ બ્રાન્ડ સેક્ટરમાં એફ.ડી.આઇ. ના ધારાધોરણો હળવા બનાવવાની પણ દરખાસ્ત છે. અંદાજપત્રમાં સોનુ તથા ખનીજતેલ પરની આયાત ડ્યુટીમાં વધારો કરવાની દરખાસ્ત કરવાની સાથેસાથે ખુબ ધનવાન લોકો પરના આવકવેરામાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે.
આમ સમગ્ર રીતે વખતના અંદાજપત્રમાં આર્થિક ક્ષેત્રના ધારાધોરણો જાળવી રાખવાની સાથેસાથે વિકાસને ગતિ આપવા પગલાં સૂચવવામાં આવ્યા છે.

લેખક જી. શ્રીનિવાસન, વરિષ્ઠ આર્થિક બાબતોના પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...