દેશના અર્થતંત્રને આગામી ૫ વર્ષમાં ૫ ટ્રિલીયન અમેરીકી ડોલરનું અર્થતંત્ર બનાવવાના ધ્યેય સાથેનું આ વર્ષનું અંદાજપત્ર માળખાકીય સુવિધાને કેન્દ્રમાં રાખે છે.
આથી જ આ વખતના અંદાજપત્રમાં આગામી પાંચ વર્ષમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાનું ધ્યેય નિર્ધારિત થયું છે. અંદાજપત્રમાં માર્ગ, પાણી, વિમાનમથક જેવી સુધિદાઓ વધારવા ઉપર મુકાયેલા ભારને કારણે અર્થતંત્રમાં ગુણાત્મક પરિવર્તન આવશે.
મોદી સરકારના કાર્યકાળના પહેલા પાંચ વર્ષોમાં માર્ગ, બંદરો, રેલમાર્ગ જેવી માળખાકીય સુવિધાઓને ટોચની અગ્રતા અપાઇ હતી. એવી જ રીતે માળખાકીય સુવિધાના વિકાસમાં અવરોધરૂપ સમસ્યાઓ ઉકેલવાને પણ સરકારે અગ્રતા આપી હતી.
હવે માળખાકીય સુવિધાના વિકાસની ગતિ નિશ્ચિત બની છે, ત્યારે સરકારે આ ક્ષેત્રે વધુ મોટો અને ઝડપી નિર્ણય લેવાની વિચારણા શરૂ કરી. આ અંદાજપત્રમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૩૦ ના સમયગાળામાં રેલવેમાં ૫૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની દરખાસ્ત છે. આ નિર્ણય આવકારદાયક છે, કારણ કે રેલવે એ માત્ર પરિવહનનું સાધન નથી પણ વાસ્તવમાં સમાજજીવનની જીવનરેખા ગણાવી શકાય.
ભૂતકાળમાં રેલવેમાં આટલા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ એક સાથે થયું નથી, જેના લીધે માલગાડી તથા મુસાફર ગાડીઓ ઉપર આર્થિક બોજા પડ્યો. સરકારે રેલવેના પડતર પ્રોજેક્ટો ઝડપથી પૂરા કરવા માટે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રની ભાગીદારી ઉપર ભાર મૂક્યો છે.
રેલવે દ્વારા સમગ્ર દેશમાં ૬૫૭ કિલોમીટર લંબાઇવાળું મેટ્રો રેલનું નેટવર્ક કાર્યરત કરાયું છે. આના લીધે શહેરી વિસ્તારના લોકોને શહેરમાં અવર – જવર કરવામાં સરળતા રહે છે. આ વખતના અંદાજપત્રમાં માલગાડીઓ માટે પૂર્વ અને પશ્ચિમના ખાસ સમર્પિત અને અલાયદા રેલમાર્ગો પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો છે.
રેલવે સ્ટેશનોના આધુનિકરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આમ, કેન્દ્ર સરકારે માળખાકીય સુવિધા ઉભી કરવા જરૂરી ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઉભુ કરવા શકય તમામ વિકલ્પો ચકાસવાની શરૂઆત કરી છે.
આથી જ ક્રેડિટ ગેરેંટી એનહેન્સમેંટ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય એ સાચી દિશામાં લેવાયેલું પગલું ગણાવી શકાય. અંદાજપત્રમાં ઔદ્યોગિક, કોરીડોર, ભારતમાલા, સાગરમાલા, જલમાર્ગોના ચાલી રહેલી પ્રોજેક્ટો અગ્રતાના ધોરણે પૂરા કરવાને ટોચની અગ્રતા આપવામાં આવી છે. વારાણસીથી – હલ્દીયા સુધીનો જળમાર્ગ માલસામનના વાજબી દરે પરિવહન માટેનું આદર્શ ઉદાહરણ ગણાવી શકાય, કારણ કે આના આધારે સમગ્ર દેશમાં નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાનો દિશાનિર્દેશ મળી શકશે.
નવા બંદરોનો વિકાસ કરવો તથા જૂના બંદરોની ક્ષમતા વધારવી એ સાગરમાલા પ્રોજેક્ટમાં કેન્દ્રમાં રખાયેલી બાબત છે. આના કારણે વિશ્વવેપારમાં નિકાસ વધારવામાં તથા રોજગારીની તકો વધારવામાં મદદ મળશે.
અંદાજપત્રમાં ઉડ્ડયન ક્ષેત્રે ભારતને વિશ્વમાં કેન્દ્ર બનાવવાની નેમ રખાઇ છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં ૪૮ હજાર કિલોમીટરના માર્ગો બાંધવામાં આવશે. આ હેતુથી જમીન સંપાદનની કામગીરી રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારો – શહેરી વિસ્તારોની નજીક આવ્યા છે.
આમ, માર્ગ અને અન્ય ક્ષેત્રે માળખાકીય સુવિધા વધારવા માટે, આ વર્ષે ૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા ઉપર અંદાજપત્રમાં ભાર મૂકાયો છે.
લેખક ઃ મનીષ આનંદ ખાસ સંવાદદાતા, ન્યુ ઇÂન્ડયન એક્સપ્રેસ
આથી જ આ વખતના અંદાજપત્રમાં આગામી પાંચ વર્ષમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાનું ધ્યેય નિર્ધારિત થયું છે. અંદાજપત્રમાં માર્ગ, પાણી, વિમાનમથક જેવી સુધિદાઓ વધારવા ઉપર મુકાયેલા ભારને કારણે અર્થતંત્રમાં ગુણાત્મક પરિવર્તન આવશે.
મોદી સરકારના કાર્યકાળના પહેલા પાંચ વર્ષોમાં માર્ગ, બંદરો, રેલમાર્ગ જેવી માળખાકીય સુવિધાઓને ટોચની અગ્રતા અપાઇ હતી. એવી જ રીતે માળખાકીય સુવિધાના વિકાસમાં અવરોધરૂપ સમસ્યાઓ ઉકેલવાને પણ સરકારે અગ્રતા આપી હતી.
હવે માળખાકીય સુવિધાના વિકાસની ગતિ નિશ્ચિત બની છે, ત્યારે સરકારે આ ક્ષેત્રે વધુ મોટો અને ઝડપી નિર્ણય લેવાની વિચારણા શરૂ કરી. આ અંદાજપત્રમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૩૦ ના સમયગાળામાં રેલવેમાં ૫૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની દરખાસ્ત છે. આ નિર્ણય આવકારદાયક છે, કારણ કે રેલવે એ માત્ર પરિવહનનું સાધન નથી પણ વાસ્તવમાં સમાજજીવનની જીવનરેખા ગણાવી શકાય.
ભૂતકાળમાં રેલવેમાં આટલા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ એક સાથે થયું નથી, જેના લીધે માલગાડી તથા મુસાફર ગાડીઓ ઉપર આર્થિક બોજા પડ્યો. સરકારે રેલવેના પડતર પ્રોજેક્ટો ઝડપથી પૂરા કરવા માટે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રની ભાગીદારી ઉપર ભાર મૂક્યો છે.
રેલવે દ્વારા સમગ્ર દેશમાં ૬૫૭ કિલોમીટર લંબાઇવાળું મેટ્રો રેલનું નેટવર્ક કાર્યરત કરાયું છે. આના લીધે શહેરી વિસ્તારના લોકોને શહેરમાં અવર – જવર કરવામાં સરળતા રહે છે. આ વખતના અંદાજપત્રમાં માલગાડીઓ માટે પૂર્વ અને પશ્ચિમના ખાસ સમર્પિત અને અલાયદા રેલમાર્ગો પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો છે.
રેલવે સ્ટેશનોના આધુનિકરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આમ, કેન્દ્ર સરકારે માળખાકીય સુવિધા ઉભી કરવા જરૂરી ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઉભુ કરવા શકય તમામ વિકલ્પો ચકાસવાની શરૂઆત કરી છે.
આથી જ ક્રેડિટ ગેરેંટી એનહેન્સમેંટ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય એ સાચી દિશામાં લેવાયેલું પગલું ગણાવી શકાય. અંદાજપત્રમાં ઔદ્યોગિક, કોરીડોર, ભારતમાલા, સાગરમાલા, જલમાર્ગોના ચાલી રહેલી પ્રોજેક્ટો અગ્રતાના ધોરણે પૂરા કરવાને ટોચની અગ્રતા આપવામાં આવી છે. વારાણસીથી – હલ્દીયા સુધીનો જળમાર્ગ માલસામનના વાજબી દરે પરિવહન માટેનું આદર્શ ઉદાહરણ ગણાવી શકાય, કારણ કે આના આધારે સમગ્ર દેશમાં નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાનો દિશાનિર્દેશ મળી શકશે.
નવા બંદરોનો વિકાસ કરવો તથા જૂના બંદરોની ક્ષમતા વધારવી એ સાગરમાલા પ્રોજેક્ટમાં કેન્દ્રમાં રખાયેલી બાબત છે. આના કારણે વિશ્વવેપારમાં નિકાસ વધારવામાં તથા રોજગારીની તકો વધારવામાં મદદ મળશે.
અંદાજપત્રમાં ઉડ્ડયન ક્ષેત્રે ભારતને વિશ્વમાં કેન્દ્ર બનાવવાની નેમ રખાઇ છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં ૪૮ હજાર કિલોમીટરના માર્ગો બાંધવામાં આવશે. આ હેતુથી જમીન સંપાદનની કામગીરી રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારો – શહેરી વિસ્તારોની નજીક આવ્યા છે.
આમ, માર્ગ અને અન્ય ક્ષેત્રે માળખાકીય સુવિધા વધારવા માટે, આ વર્ષે ૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા ઉપર અંદાજપત્રમાં ભાર મૂકાયો છે.
Comments
Post a Comment