Skip to main content

માળખાકીય સુવિધાઓને નવું બળ આપનાર બજેટ અંગે સમીક્ષા

દેશના અર્થતંત્રને આગામી ૫ વર્ષમાં ૫ ટ્રિલીયન અમેરીકી ડોલરનું અર્થતંત્ર બનાવવાના ધ્યેય સાથેનું આ વર્ષનું અંદાજપત્ર માળખાકીય સુવિધાને કેન્દ્રમાં રાખે છે.

આથી જ આ વખતના અંદાજપત્રમાં આગામી પાંચ વર્ષમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાનું ધ્યેય નિર્ધારિત થયું છે. અંદાજપત્રમાં માર્ગ, પાણી, વિમાનમથક જેવી સુધિદાઓ વધારવા ઉપર મુકાયેલા ભારને કારણે અર્થતંત્રમાં ગુણાત્મક પરિવર્તન આવશે.

મોદી સરકારના કાર્યકાળના પહેલા પાંચ વર્ષોમાં માર્ગ, બંદરો, રેલમાર્ગ જેવી માળખાકીય સુવિધાઓને ટોચની અગ્રતા અપાઇ હતી. એવી જ રીતે માળખાકીય સુવિધાના વિકાસમાં અવરોધરૂપ સમસ્યાઓ ઉકેલવાને પણ સરકારે અગ્રતા આપી હતી.

હવે માળખાકીય સુવિધાના વિકાસની ગતિ નિશ્ચિત બની છે, ત્યારે સરકારે આ ક્ષેત્રે વધુ મોટો અને ઝડપી નિર્ણય લેવાની વિચારણા શરૂ કરી. આ અંદાજપત્રમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૩૦ ના સમયગાળામાં રેલવેમાં ૫૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની દરખાસ્ત છે. આ નિર્ણય આવકારદાયક છે, કારણ કે રેલવે એ માત્ર પરિવહનનું સાધન નથી પણ વાસ્તવમાં સમાજજીવનની જીવનરેખા ગણાવી શકાય.

ભૂતકાળમાં રેલવેમાં આટલા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ એક સાથે થયું નથી, જેના લીધે માલગાડી તથા મુસાફર ગાડીઓ ઉપર આર્થિક બોજા પડ્યો. સરકારે રેલવેના પડતર પ્રોજેક્ટો ઝડપથી પૂરા કરવા માટે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રની ભાગીદારી ઉપર ભાર મૂક્યો છે.

રેલવે દ્વારા સમગ્ર દેશમાં ૬૫૭ કિલોમીટર લંબાઇવાળું મેટ્રો રેલનું નેટવર્ક કાર્યરત કરાયું છે. આના લીધે શહેરી વિસ્તારના લોકોને શહેરમાં અવર – જવર કરવામાં સરળતા રહે છે. આ વખતના અંદાજપત્રમાં માલગાડીઓ માટે પૂર્વ અને પશ્ચિમના ખાસ સમર્પિત અને અલાયદા રેલમાર્ગો પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો છે.

રેલવે સ્ટેશનોના આધુનિકરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આમ, કેન્દ્ર સરકારે માળખાકીય સુવિધા ઉભી કરવા જરૂરી ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઉભુ કરવા શકય તમામ વિકલ્પો ચકાસવાની શરૂઆત કરી છે.

આથી જ ક્રેડિટ ગેરેંટી એનહેન્સમેંટ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય એ સાચી દિશામાં લેવાયેલું પગલું ગણાવી શકાય. અંદાજપત્રમાં ઔદ્યોગિક, કોરીડોર, ભારતમાલા, સાગરમાલા, જલમાર્ગોના ચાલી રહેલી પ્રોજેક્ટો અગ્રતાના ધોરણે પૂરા કરવાને ટોચની અગ્રતા આપવામાં આવી છે. વારાણસીથી – હલ્દીયા સુધીનો જળમાર્ગ માલસામનના વાજબી દરે પરિવહન માટેનું આદર્શ ઉદાહરણ ગણાવી શકાય, કારણ કે આના આધારે સમગ્ર દેશમાં નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાનો દિશાનિર્દેશ મળી શકશે.

નવા બંદરોનો વિકાસ કરવો તથા જૂના બંદરોની ક્ષમતા વધારવી એ સાગરમાલા પ્રોજેક્ટમાં કેન્દ્રમાં રખાયેલી બાબત છે. આના કારણે વિશ્વવેપારમાં નિકાસ વધારવામાં તથા રોજગારીની તકો વધારવામાં મદદ મળશે.

અંદાજપત્રમાં ઉડ્ડયન ક્ષેત્રે ભારતને વિશ્વમાં કેન્દ્ર બનાવવાની નેમ રખાઇ છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં ૪૮ હજાર કિલોમીટરના માર્ગો બાંધવામાં આવશે. આ હેતુથી જમીન સંપાદનની કામગીરી રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારો – શહેરી વિસ્તારોની નજીક આવ્યા છે.

આમ, માર્ગ અને અન્ય ક્ષેત્રે માળખાકીય સુવિધા વધારવા માટે, આ વર્ષે ૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા ઉપર અંદાજપત્રમાં ભાર મૂકાયો છે.

લેખક ઃ મનીષ આનંદ ખાસ સંવાદદાતા, ન્યુ ઇÂન્ડયન એક્સપ્રેસ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...