Skip to main content

વૈભવ સમિટ – 2020


વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સમિટ – 2020ની વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે વર્ચ્યુઅલ શરૂઆત થઈ. જેમાં 55 દેશોના ત્રણ હજાર જેટલાં વિદેશી, ભારતીય મૂળના બૌદ્ધિકો, શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. અંદાજે 10 હજાર ભારતીય વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને વિદ્યાર્થીઓ પણ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી તથા શિક્ષણનો પાયો મજબૂત બનાવવા, વિદેશમાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, તથા સંશોધિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક મંચ ઉપર લાવીને ચર્ચા કરવીએ વૈભવ સંમેલનનો મુખ્ય હેતુ છે. 31મી ઓક્ટોબર સુધી ચાલનાર વૈભવ સમિટનું આયોજન 200 જેટલી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, અને એસએન્ડટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 40 દેશોના 700 જેટલા વિદેશી વક્તા અને જાણીતા ભારતીય શિક્ષણવિદો 213 ચર્ચા સત્રોમાં 80થી વધુ વિષયો પર સઘન વિચાર વિમર્શ કરશે.

28મી ઓક્ટોબરથી પરિણામો એકીકરણ કર્યા બાદ ત્રીજી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન તેના પર ચર્ચા કરાશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરના રોજ સમિટનું સમાપન થશે. આ એક નવી પહેલ છે જેમાં વિદેશી નિષ્ણાંતો અને ભારતીય સમકક્ષ વચ્ચે એક મહિના સુધી વિવિધ શ્રેણીમાં વેબિનાર , વીડિયો કોન્ફરન્સથી અભિપ્રાયો, પ્રતિભાવો આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને વિજ્ઞાનમાં વધુ રસરુચિ વિકસાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે, સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની માહિતી આપી હતી. તેમણે કહ્યું ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રે થયેલા સુધારાના કારણે ઉદ્યોગકારો અને શિક્ષણવિદોને નવી તક ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2025 સુધીમાં ક્ષય રોગ નાબૂદીનો લક્ષ્યાંક છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વધુને વધુ યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે સમયની માંગ છે અને તે માટે આપણે વિજ્ઞાન, વિજ્ઞાનના ઇતિહાસ અને ઇતિહાસમાં વિજ્ઞાન અંગે વધુ જાણકારી મેળવવી જોઈએ. વૈભવ સમિટ ભારત અને વિશ્વના વિજ્ઞાન અને નવીનીકરણનો ઉત્સવ છે, જે બૌદ્ધિક જનોનો સંગમ છે, જેમાં ભારત સહિત સમગ્ર પૃથ્વી પરની માનવજાતને સશક્ત કરવા એક મંચ પર લાંબી ચર્ચા કરવા સૌ એકઠા થયા છે.

શ્રી મોદીએ કહ્યું કે, વિજ્ઞાનના સંશોધન અને નવીનીકરણ માટે ભારતે અનેક પગલાં લીધા છે કારણ કે, વિજ્ઞાનએ સામાજિક – આર્થિક પરિવર્તનનું કેન્દ્ર બિન્દુ છે. પ્રધાનમંત્રીએ દેશમાં રસી વિકસાવવા અને રસીકરણના અમલીકરણ માટે થયેલા અનેક પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, લાંબા સમયથી રસીના સંશોધનમાં વિલંબ થયો છે. વર્ષ 2014માં ચાર નવી રસી રજૂ કરાઈ હતી. જેમાં સ્વદેશી વિકસિત રોટા રસીનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 2025 સુધીમાં ક્ષયમુક્ત ભારતના મહત્વાકાંક્ષી મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે, આનાથી સ્ટાટઅપ ક્ષેત્ર તથા ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે.

શ્રી મોદીએ કહ્યું કે, વૈભવથી જોડાણ અને હિસ્સેદારી માટેની તકો ઊભી થશે.વૈભવ દ્વારા નિષ્ણાંતોને એક મંચ મળશે જેનાથી આદર્શ સંશોધન વ્યવસ્થા, પ્રાચીન-અર્વાચીનના સંગમ દ્વારા સમૃદ્ધિમાં વધારો થશે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઉપયોગી જોડાણો થશે અને વૈજ્ઞાનિકો અને સંશોધકોને આદર્શ વ્યવસ્થા ઊભી કરવામાં મદદ મળશે. શ્રી મોદીએ કહ્યું કે, આ પરિષદ દ્વારા આવનાર પેઢી માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ માટે તક ઊભી થશે.

આ પરિષદ દ્વારા સંશોધકોના જ્ઞાનને આપ-લેથી વિશ્વ સામેના અનેક પડકારો સામેની લડત માટેની વ્યૂહરચના ઘડવામાં મદદ મળશે.

ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજય રાઘવન તથા વિવિધ દેશોના વિવિધ ક્ષેત્રો સામે સંકળાયેલા 16 પેનલીસ્ટોએ શ્રી મોદી સાથે વાતચીત અને વિચારોની આપ-લે કરી હતી.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...