Skip to main content

ભારત અમેરિકા વચ્ચેનો 2+2 સંવાદ અંગે સમીક્ષા

ભારત અને અમેરિકાના વિદેશમંત્રી અ સંરક્ષણમંત્રીઓ વચ્ચે યોજાયેલી ત્રીજી 2+2 મંત્રણા બંને દેશોના વ્યૂહાત્મક સહયોગ માટેની અત્યંત મહત્વપૂર્ણ બાબત ગણી શકાય. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પર ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા હતા.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના થોડા દ દિવસ અગાઉ અને કોવિડ-19 મહામારીની સામે જ્યારે બંને દેશો લડત આપી રહ્યા છે તે સમયગાળામાં વિવિધ મુદ્દે યોજાયેલ સંવાદ મહત્વપૂર્ણ છે. હસ્તાક્ષર કરાયેલા મુખ્ય કરારમાં બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ એટલે કે BECA મહત્વપૂર્ણ છે. બંને દેશોએ ભારત – પ્રશાંત પ્રદેશમાં લથડતી જતી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા પગલાં ભરવા ચર્ચા કરી હતી.

ભારત અને અમેરિકા બંને સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશો હાલ વિશ્વમાં કોવિડ મહામારીના સૌથી વધુ દર્દીઓ ધરાવે છે તેમજ આરોગ્ય ક્ષેત્ર સહિત આર્થિક ક્ષેત્રે પણ ભારે મંદીનો સામનો કરવા શક્ય તમામ પગલાં લઈ રહ્યા છે. જ્યારે ચીન તેના પાડોશી દેશોની જમીન અને દરિયાઈ વિસ્તારને પડાવી લેવા વ્યવસ્થિત આયોજનપૂર્વક પોતાની શક્તિ અને પ્રભાવ દર્શાવવા પ્રયાસશીલ છે.

ભારતની વ્યૂહાત્મક રણનીતિ હાલ અસ્થિર છે. ભારત પ્રશાંત પ્રદેશની ચીન દ્વારા તેના આર્થિક અને સુરક્ષા હિતને લઈને પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે હાલ ભારત – અમેરિકા બંને દેશો વચ્ચે વિકાસનો વ્યૂહાત્મક સહયોગ નિર્ણાયક છે.

ઘણાને શંકા હતી કે 2+2 મંત્રણા દરમિયાન BECA પર સમજુતી કરાર થશે કે કેમ પરંતુ ટિકાકારો હવે શાંત થયા છે. BECA ઐતિહાસિક કરાર દ્વારા હવે ઉચ્ચ સૈન્ય તકનીક ઉપરાંત વૈશ્વિક ભૂસ્તરીય નક્શાનો ઉપયોગ અને સેટેલાઇટ ડેટા શેર કરવાની પણ મંજુરી અપાશે.

21મી સદીના શરૂઆતના વર્ષોથી જ ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધતો ગયો છે અને ક્રમશઃ અમેરિકાની સરકાર અને ભારતની સરકારોએ પણ તેને સતત વધારવા પ્રયાસ કર્યો છે. ક્યારેક રાજકીય કે આર્થિક મતભેદ હોવા છતાં સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ ઊંચે જ ગયો છે. મૂળભૂત સહકારમાં થયેલ BECA સમજુતીથી સંરક્ષણ અને સલામતી સંબંધો વધુ મજબૂત થયા છે. આ ઉપરાંત અન્ય સમજુતી કરારમાં LEMDA લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ અને COMCASA એટલે કે કમ્યુનિકેશન કેપેસીટી એન્ડ સિક્યોરીટી એગ્રીમેન્ટનો સમાવેશ થાય છે.

આ મૂળ કરાર ઉપરાંત GCOMIA એટલે કે જનરલ સિક્યોરીટી ઓફ મીલીટ્રી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ તેમજ ISA એટલે ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરીટી એનેક્સ એગ્રીમેન્ટ અને સૈન્ય સુવિધાઓમાં સંપર્ક અધિકારીઓની પરસ્પર નિમણૂંક જેવી બાબતો દ્વારા બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ ગાઢ રીતે વિકસી રહ્યા છે.

ભારત અન્ય કોઈપણ દેશ કરતાં અમેરિકન સૈન્ય સાથે વધુ સૈન્ય અભ્યાસ કરે છે. માલાબારમાં બંને દેશોના નોકાદળની ક્વાયત મહત્વપૂર્ણ છે. હિન્દ મહાસાગરમાં બહુપક્ષીય ક્વાયતને ઉત્તેજન અપાયું છે. ક્વાડ તરીકે ઓળખાતા ચાર દેશોનું મંચ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારત પ્રશાંત પ્રદેશમાં સલામતી અને વિકાસના મુદ્દા પર ધ્યાન રાખે છે. ત્યારે હિન્દ મહાસાગાર પ્રદેશમાં શાંતિ અને સ્થિરતામાં વિક્ષેપ કરવાના ચીનના પ્રયાસો અંગે તેનું મહત્વ વધ્યું છે. ટોક્યોમાં યોજાયેલ ક્વાડ સભ્ય દેશોની બેઠકમાં ભારત – અમેરિકા વચ્ચેના 2+2 પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ત્રીજી ભારત અમેરિકા 2+2 મંત્રણા નક્કર પૂરાવા રજૂ કરે છે અને રાજકીય નેતૃત્વમાં પરિવર્તન હોય તો પણ ભારત – અમેરિકા વચ્ચે વધતા જતા મજબૂત સુરક્ષા સંરક્ષણ સહયોગને અસરકર્તા નહીં બને. મંત્રણાઓ બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંવાદથી સંરક્ષણ, સુરક્ષા અને વ્યાપાર ક્ષેત્રે સહયોગ મજબૂત બન્યો છે.

વિજ્ઞાન તકનીક અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે બંને દેશો સહયોગ વધારવા સહમત થયા છે. લોકોથી લોકોના અનોખા સંપર્ક વડે ચાહે તે શિક્ષણ પ્રતિભા કે પર્યટનમાં હોય બંને દેશોના સંબંધો જીવંત રહ્યા છે.

લેખક – પ્રોફેસર ચિંતામણી મહાપાત્રા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...