Skip to main content

ભારત અને મોરક્કોના સઘન બનતા સંબંધો અંગે સમીક્ષા



ભારત અને મોરક્કોના સંબંધો 14મી સદીથી સ્થપાયા હતા. તે સમયમાં જાણીતા પ્રવાસી અને લેખક ઇબ્ન બુતાતાએ ભારતની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઇતિહાસની વાત કરીએ તો ભારતે શરૂઆતથી જ રાષ્ટ્રસંઘમાં મોરક્કોની આઝાદીની લડતને સમર્થન આપ્યું હતું. 

એટલું જ નહીં પણ 20મી જૂન 1956માં મોરક્કો આઝાદ થયું ત્યારે ભારતે તેને માન્યતા પણ આપી હતી. 

વર્ષ 1957થી ભારત અને મોરક્કો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી ભારત અને મોરક્કો વચ્ચેના સંબંધો સૌહાર્દવાળા, અને મિત્રતાપૂર્ણ રહ્યા છે. એટલું જ નહીં પણ દ્વિપક્ષીય સંબંધો વધુ વિકસતા રહ્યા છે. 

વર્ષ 1967માં ભારતના તે વખતના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકીર હુસેને મોરક્કોની મુલાકાત લીધી હતી. 

રાજા મહંમદ છઠ્ઠાએ વર્ષ 1983માં તેઓ ક્રાઉન પ્રિન્સ હતા, ત્યારે ભારતમાં યોજાયેલ બિન જોડાણવાદી દેશોના સંગઠન નામની તે વર્ષે યોજાયેલી શિખર બેઠકમાં હાજરી આપી હતી. 

ત્યારબાદ મોરક્કોના રાજા બન્યા બાદ પણ વર્ષ 2001 અને 2005માં તેમણે ભારતની મુલાકાત લીધી હતી. 

રાજા મહંમદે 25 ઓક્ટોબરથી ચોથી નવેમ્બર 2015 દરમિયાન દિલ્હીમાં યોજાયેલી ત્રીજી ભારત - આફ્રિકા મંચની શિખર બેઠકમાં પણ હાજરી આપી હતી. 

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીએ વર્ષ 1999માં મોરક્કોની મુલાકાત લીધી હતી. 

વિદેશમંત્રી એસ.જયશંકરે મોરક્કોના વિદેશમંત્રી નસર બૌરીતા સાથે વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી વાતચીત કરી છે. વર્ષ 2015માં મોરક્કોના રાજા મહંમદે દિલ્હીમાં યોજાયેલી ભારત – આફ્રિકા મંચની બેઠકમાં ભાગ લીધા પછી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા છે, તે અંગે બંને દેશોના વિદેશમંત્રીઓએ સંમતિ આપી. 

ભારત અને મોરક્કો વચ્ચે મંત્રીસ્તરની 23 જેટલી મુલાકાતો યોજાઈ છે. અને આઈટી, શિક્ષણ, સંસ્કૃતિ, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં 40 જેટલા સમજૂતી કરાર સંપન્ન થયા છે. 

વિદેશમંત્રી જયશંકરે, મોરક્કોના રાજા મહંમદના નેતૃત્વ હેઠળ મોરક્કોએ આર્થિક ક્ષેત્રે કરેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. 

બંને વિદેશમંત્રીઓએ, ભારત અને મોરક્કોએ વેપાર, ખાતર, દવાઉદ્યોગ, વાહન જેવા ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિની સમીક્ષા કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. 

છેલ્લા બે વર્ષોમાં ભારત અને મોરક્કો વચ્ચે સાયબર સિક્યુરિટી , આંતકવાદનો સામનો કરવા તથા અવકાશ ક્ષેત્રે સધાયેલી નવી સમજૂતીઓના લીધે, ભારત અને મોરક્કો વચ્ચેના સર્વગ્રાહી મૈત્રીપૂર્ણ સંબંધોને નવું બળ મળ્યું છે, એ અંગે બંને દેશોના વિદેશમંત્રીઓએ સહમતી વ્યક્ત કરી હતી. 

બંને મંત્રીઓ સંરક્ષણ તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન ક્ષેત્રે ઝડપથી સમજૂતી સ્થાપવા સહમત થયા હતા. 

બંને પક્ષોએ કોવિડ રોગચાળાની પરિસ્થિતિના લીધે ઊભા થયેલા પડકારોનો સાથે મળીને સામનો કરવા બાબતે વિચારણા કરી હતી. 

કોવિડના લીધે અચાનક લોકડાઉન અમલમાં મૂકાતા અને આંતરરાષ્ટ્રીય વિમાન ઉડૃયનો રદ થતાં મોરકકોમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પાછા ફરવામાં મોરકકોના રાજાએ ભારતને આપેલા સહકાર માટે શ્રી એસ.જયશંકરે અભારની લાગણી વ્યકત કરી.

બંને દેશોના વિદેશ મંત્રીઓએ રાષ્ટ્રસંઘમાં સુધારા, આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રાસવાદનો સાથે મળીને સામનો કરવો આબોહવામાં પરીવર્તન જેવા મુદૃાઓ અંગે સર્વગ્રાહી ચર્ચા કરી હતી. 

મોરકકોના વિદેશમંત્રી બૌરીતાએ લીબીયામાં ઉભી થયેલી વિગ્રહની પરિસ્થિતી અંગે શ્રી જયશંકરને માહિતી આપી હતી. શ્રી જયશંકરે પણ લીબીયાના મુદેૃ મોરકકોએ અપનાવેલા રચનાત્મક વલણ તથા રાષ્ટ્રસંઘમાં લીબીયા વિવાદ અંગે શાંતીપુર્ણ ઉકેલ શોકવામાં મોરકકોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

સંયુકત રાષ્ટ્રસંઘની સલામતી પરીષદમાં બિન કાયમી પદ ઉપર વર્ષ ર૦ર૧-રર માટે ભારતની પસંદગી થઇ એ અંગે મોરકકોએ હર્ષની લાગણી વ્યકત કરી.

રાષ્ટ્રસંઘ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારત અને મોરકકો વચ્ચે રહેલા સંકલન અને સહકાર બાબતે બંને દેશોના વિદેશ મંત્રીઓએ સંતોષની લાગણી વ્યકત કરી.

રાષ્ટ્રસંઘના મહામંત્રીએ સહારા મુદૃા અંગે વાસ્તવીક, લાંબાગાળા માટેના તથા પરસ્પર સંમતી હોય તેવો ઉકેલ મેળવવા શરૂ કરેલા પ્રયાસો તથા આ મુદેૃ મોરકકોએ અપનાવેલા રચનાત્મક વલણને વિદેશમંત્રી એસ.જયશંકરે સમર્થન આપ્યું હતું.

તેમણે કોવીડ પછી પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ શ્રી બૌરીતાને ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

લેખક – આકાશવાણીના વિશ્લેષક, પદ્મસિંહ
શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર – મુકેશ પરમાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...