નાણાંકીય કાર્યવાહી દળ FATFની ગયા અઠવાડિયે મળેલી સમાપન બેઠકે પાકિસ્તાનને ફેબ્રુઆરી-2021 સુધી શંકાસ્પદ દેશોની યાદીમાં ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રસંઘે જાહેર કરેલા વ્યક્તિગત આતંકવાદ અને આતંકવાદી સંગઠનો સામે સર્વગ્રાહી પગલા લેવામાં પાકિસ્તાનની સતત નિષ્ફળતાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આતંકવાદી સંગઠનો સાથે તેનો વર્ષો જુનું જોડાણ કાપી નાખવા પાકિસ્તાન હજી પણ આનાકાની કરી રહ્યું છે. તે જ રીતે આવા સંગઠનોને પુરા પડાતા નાણાં અને તેમની હિમાયત કરતા લોકો પર અસરકારક નિયંત્રણ કરવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ ગયું છે, તેના કારણે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં મુક્તપણે કામગીરી કરી રહ્યા છે અને તેમને આસરો પણ મળી રહ્યો છે. પાકિસ્તાનની આ નિષ્ફળતાના કારણે આવા સંગઠનોનું માળખું વિસ્તારવાની સાથે કાળા નાણાં પણ તેમને મળી રહ્યા છે.
પેરીસ સ્થિત FATFની ઓનલાઈન સમાપન બેઠકના અંતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ અગાઉ પાકિસ્તાન સમક્ષ યાદીમાંથી બહાર નિકળવા માટે 27 શરતો મુકી હતી, જેમાંથી પાકિસ્તાન 21 જ પુરી કરી શક્યું છે. પરિણામે તે તેની છાપ વધુ સુધારે નહીં ત્યા સુધી તેને શંકાસ્પદ દેશોની યાદીમાં જ રાખવાનું નક્કી કરાયું છે.
FATFના અધ્યક્ષ માર્કસ પ્લેયરે નોંધ્યું હતું કે, પાકિસ્તાનમાં થોડો સુધારો થયો છે પરંતુ હજી તેણે ઘણું કરવાનું બાકી છે. શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત્ રહેવાના કારણે પાકિસ્તાન માટે મોટી મુશ્કેલીએ છે કે, તેને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ તરફથી મળતી મદદથી વંચીત રહેવું પડશે.
1989માં સ્થાપવામાં આવેલા આ આંતરરાષ્ટ્રીય સંગઠન FATFના હાલ 39 સભ્યો છે. આ સંસ્થા ત્રાસવાદીઓને પુરા પડાતા નાણાં અને કાળુ નાણું ઉભુ કરતી પ્રવૃત્તિઓ સામે પગલા લે છે. ભારત પણ FATFનું સભ્ય છે અને તેની પ્રાદેશીક શાખા એશિયા પેસિફિક જૂથનું પણ સભ્ય છે. નોંધપાત્ર બાબત એ છે કે, ભારત પાકિસ્તાન સામે પગલા લેવા વિશ્વ સમુદાયને સતત આગ્રહ કરી રહ્યું છે.
ભારત આવા ત્રાસવાદી જૂથો અને ભારતીય ઉપખંડમાં અશાંતિ ઉભી કરતા સંગઠનો સામે સતત વિરોધ નોંધાવી રહ્યું છે.
પાકિસ્તાન માત્ર ભારત સામે જ નહીં પરંતુ પડોશના વિસ્તારો ખાસ કરીને અફઘાનિસ્તાનમાં પણ ત્રાસવાદી પ્રવૃત્તિને પોષવા સતત પ્રયાસો કરતું રહ્યું છે અને તે તેની શાસકીય નીતિના એક ઉપકરણ તરીકે જ ઉપયોગ કરી રહ્યું છે. ત્રાસવાદી જૂથો અને તેમના છુપા સાથીદારોને પાકિસ્તાન સતત ટેકો આપી રહ્યું છે. પરિણામે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થિરતા અને વ્યવસ્થા સ્થાપવાના સાથી દળોના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે, તેના કારણે જ અમેરિકા, યુકે, જર્મની અને ફ્રાન્સ જેવા શક્તિશાળી દેશોએ પણ પાકિસ્તાન સામે કડક અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે પાકિસ્તાન હજુ પણ ત્રાસવાદી જૂથોને તે તેમને પુરા પડાતાં નાણાંને રોકવામાં ખુલ્લી આનાકાની કરી રહ્યું છે.
આ કારણે આતંકીઓને ભંડોળ પુરુ પાડવાની તથા આતંકી જૂથોને આશરો આપવા અંગે પાકિસ્તાનની શંકાસ્પદ ભૂમિકા અંગે FATFના સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ. તાજેતરની બેઠકમાં પાકિસ્તાનને માત્ર ત્રણ દેશો ચીન, તુર્કી અને મલેશીયાનું સમર્થન મળ્યું હતું. આ દેશોના સમર્થનને કારણે પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જતા બચ્યું હતું.
પાકિસ્તાનને 2018માં ગ્રે-લિસ્ટમાં મુકાયું હતું અને તેને 2019 ઓક્ટોબર સુધીમાં આતંક વિરોધી કામગીરી માટે 27 મુદ્દાની કાર્ય યોજના અપાઈ હતી.
પાકિસ્તાને આમાંથી 13 મુદ્દા પર કામગીરી કરી હોવાનું જણાવ્યું છે અને બાકી મુદ્દા પર કાર્ય કરવા વધુ ચાર મહિનાનો સમય માંગ્યો હતો. કોવિડ 19ના પગલે જાન્યુઆરી 2020માં યોજાનાર બેઠક મુલતવી રહી અને પાકિસ્તાનને વધુ 4 મહિનાનો સમય મળી ગયો, તેમ છતાં પાકિસ્તાન FATFની શરતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું.
આતંકવાદને સમર્થન પાકિસ્તાનની વ્યવસ્થાનો ભિન્ન ભાગ બની ચુક્યું છે અને આ માળખુ બદલવાના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પગલાં બિનઅસરકારક સાબિત થયા છે. પાકિસ્તાન દ્વારા તમામ 27 શરતો પૂરી કરાશે ત્યારે જ FATFની ટીમ પાકિસ્તાનની મુલાકાત લઈ તેની ખરાઈ કરશે.
પાકિસ્તાનનું અર્થતંત્ર લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ-IMFએ તાજેતરમાં કડક શરતો સાથે પાકિસ્તાનને સહાય આપી છે.
ઈમરાન ખાન પાકિસ્તાનની લશ્કરને ખુશ રાખવાના અને અર્થતંત્રમાં સુધારા વચ્ચે સમતોલ જાળવવાના સંદિગ્ધ પ્રયાસો કરી રહ્યા છે. જો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સહાય મળતી રહે તેવી આશા રાખવી હોય તો તેણે આતંકવાદને પુરા પડાતા નાણાં માટેના તમામ માર્ગોને અસરકારક રીતે બંધ કરી તેની શરણ હેઠળ ઉછરતા આતંકવાદના મૂળ તથા સ્ત્રોતોને સંપૂર્ણ નાબૂદ કરવા પડશે.
ભરત રાજગોર, નીકિતા શાહ, જતિન કામદાર
લેખક – ડૉ.પ્રિયંકાસિંઘ
આતંકવાદી સંગઠનો સાથે તેનો વર્ષો જુનું જોડાણ કાપી નાખવા પાકિસ્તાન હજી પણ આનાકાની કરી રહ્યું છે. તે જ રીતે આવા સંગઠનોને પુરા પડાતા નાણાં અને તેમની હિમાયત કરતા લોકો પર અસરકારક નિયંત્રણ કરવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ ગયું છે, તેના કારણે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં મુક્તપણે કામગીરી કરી રહ્યા છે અને તેમને આસરો પણ મળી રહ્યો છે. પાકિસ્તાનની આ નિષ્ફળતાના કારણે આવા સંગઠનોનું માળખું વિસ્તારવાની સાથે કાળા નાણાં પણ તેમને મળી રહ્યા છે.
પેરીસ સ્થિત FATFની ઓનલાઈન સમાપન બેઠકના અંતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ અગાઉ પાકિસ્તાન સમક્ષ યાદીમાંથી બહાર નિકળવા માટે 27 શરતો મુકી હતી, જેમાંથી પાકિસ્તાન 21 જ પુરી કરી શક્યું છે. પરિણામે તે તેની છાપ વધુ સુધારે નહીં ત્યા સુધી તેને શંકાસ્પદ દેશોની યાદીમાં જ રાખવાનું નક્કી કરાયું છે.
FATFના અધ્યક્ષ માર્કસ પ્લેયરે નોંધ્યું હતું કે, પાકિસ્તાનમાં થોડો સુધારો થયો છે પરંતુ હજી તેણે ઘણું કરવાનું બાકી છે. શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત્ રહેવાના કારણે પાકિસ્તાન માટે મોટી મુશ્કેલીએ છે કે, તેને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ તરફથી મળતી મદદથી વંચીત રહેવું પડશે.
1989માં સ્થાપવામાં આવેલા આ આંતરરાષ્ટ્રીય સંગઠન FATFના હાલ 39 સભ્યો છે. આ સંસ્થા ત્રાસવાદીઓને પુરા પડાતા નાણાં અને કાળુ નાણું ઉભુ કરતી પ્રવૃત્તિઓ સામે પગલા લે છે. ભારત પણ FATFનું સભ્ય છે અને તેની પ્રાદેશીક શાખા એશિયા પેસિફિક જૂથનું પણ સભ્ય છે. નોંધપાત્ર બાબત એ છે કે, ભારત પાકિસ્તાન સામે પગલા લેવા વિશ્વ સમુદાયને સતત આગ્રહ કરી રહ્યું છે.
ભારત આવા ત્રાસવાદી જૂથો અને ભારતીય ઉપખંડમાં અશાંતિ ઉભી કરતા સંગઠનો સામે સતત વિરોધ નોંધાવી રહ્યું છે.
પાકિસ્તાન માત્ર ભારત સામે જ નહીં પરંતુ પડોશના વિસ્તારો ખાસ કરીને અફઘાનિસ્તાનમાં પણ ત્રાસવાદી પ્રવૃત્તિને પોષવા સતત પ્રયાસો કરતું રહ્યું છે અને તે તેની શાસકીય નીતિના એક ઉપકરણ તરીકે જ ઉપયોગ કરી રહ્યું છે. ત્રાસવાદી જૂથો અને તેમના છુપા સાથીદારોને પાકિસ્તાન સતત ટેકો આપી રહ્યું છે. પરિણામે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થિરતા અને વ્યવસ્થા સ્થાપવાના સાથી દળોના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે, તેના કારણે જ અમેરિકા, યુકે, જર્મની અને ફ્રાન્સ જેવા શક્તિશાળી દેશોએ પણ પાકિસ્તાન સામે કડક અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે પાકિસ્તાન હજુ પણ ત્રાસવાદી જૂથોને તે તેમને પુરા પડાતાં નાણાંને રોકવામાં ખુલ્લી આનાકાની કરી રહ્યું છે.
આ કારણે આતંકીઓને ભંડોળ પુરુ પાડવાની તથા આતંકી જૂથોને આશરો આપવા અંગે પાકિસ્તાનની શંકાસ્પદ ભૂમિકા અંગે FATFના સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ. તાજેતરની બેઠકમાં પાકિસ્તાનને માત્ર ત્રણ દેશો ચીન, તુર્કી અને મલેશીયાનું સમર્થન મળ્યું હતું. આ દેશોના સમર્થનને કારણે પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જતા બચ્યું હતું.
પાકિસ્તાનને 2018માં ગ્રે-લિસ્ટમાં મુકાયું હતું અને તેને 2019 ઓક્ટોબર સુધીમાં આતંક વિરોધી કામગીરી માટે 27 મુદ્દાની કાર્ય યોજના અપાઈ હતી.
પાકિસ્તાને આમાંથી 13 મુદ્દા પર કામગીરી કરી હોવાનું જણાવ્યું છે અને બાકી મુદ્દા પર કાર્ય કરવા વધુ ચાર મહિનાનો સમય માંગ્યો હતો. કોવિડ 19ના પગલે જાન્યુઆરી 2020માં યોજાનાર બેઠક મુલતવી રહી અને પાકિસ્તાનને વધુ 4 મહિનાનો સમય મળી ગયો, તેમ છતાં પાકિસ્તાન FATFની શરતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું.
આતંકવાદને સમર્થન પાકિસ્તાનની વ્યવસ્થાનો ભિન્ન ભાગ બની ચુક્યું છે અને આ માળખુ બદલવાના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પગલાં બિનઅસરકારક સાબિત થયા છે. પાકિસ્તાન દ્વારા તમામ 27 શરતો પૂરી કરાશે ત્યારે જ FATFની ટીમ પાકિસ્તાનની મુલાકાત લઈ તેની ખરાઈ કરશે.
પાકિસ્તાનનું અર્થતંત્ર લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ-IMFએ તાજેતરમાં કડક શરતો સાથે પાકિસ્તાનને સહાય આપી છે.
ઈમરાન ખાન પાકિસ્તાનની લશ્કરને ખુશ રાખવાના અને અર્થતંત્રમાં સુધારા વચ્ચે સમતોલ જાળવવાના સંદિગ્ધ પ્રયાસો કરી રહ્યા છે. જો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સહાય મળતી રહે તેવી આશા રાખવી હોય તો તેણે આતંકવાદને પુરા પડાતા નાણાં માટેના તમામ માર્ગોને અસરકારક રીતે બંધ કરી તેની શરણ હેઠળ ઉછરતા આતંકવાદના મૂળ તથા સ્ત્રોતોને સંપૂર્ણ નાબૂદ કરવા પડશે.
ભરત રાજગોર, નીકિતા શાહ, જતિન કામદાર
લેખક – ડૉ.પ્રિયંકાસિંઘ
Comments
Post a Comment