Skip to main content

નાણાંકીય કાર્યવાહી દળે પાકિસ્તાને શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત્ રાખ્યું

નાણાંકીય કાર્યવાહી દળ FATFની ગયા અઠવાડિયે મળેલી સમાપન બેઠકે પાકિસ્તાનને ફેબ્રુઆરી-2021 સુધી શંકાસ્પદ દેશોની યાદીમાં ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રસંઘે જાહેર કરેલા વ્યક્તિગત આતંકવાદ અને આતંકવાદી સંગઠનો સામે સર્વગ્રાહી પગલા લેવામાં પાકિસ્તાનની સતત નિષ્ફળતાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આતંકવાદી સંગઠનો સાથે તેનો વર્ષો જુનું જોડાણ કાપી નાખવા પાકિસ્તાન હજી પણ આનાકાની કરી રહ્યું છે. તે જ રીતે આવા સંગઠનોને પુરા પડાતા નાણાં અને તેમની હિમાયત કરતા લોકો પર અસરકારક નિયંત્રણ કરવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ ગયું છે, તેના કારણે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં મુક્તપણે કામગીરી કરી રહ્યા છે અને તેમને આસરો પણ મળી રહ્યો છે. પાકિસ્તાનની આ નિષ્ફળતાના કારણે આવા સંગઠનોનું માળખું વિસ્તારવાની સાથે કાળા નાણાં પણ તેમને મળી રહ્યા છે.

પેરીસ સ્થિત FATFની ઓનલાઈન સમાપન બેઠકના અંતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ અગાઉ પાકિસ્તાન સમક્ષ યાદીમાંથી બહાર નિકળવા માટે 27 શરતો મુકી હતી, જેમાંથી પાકિસ્તાન 21 જ પુરી કરી શક્યું છે. પરિણામે તે તેની છાપ વધુ સુધારે નહીં ત્યા સુધી તેને શંકાસ્પદ દેશોની યાદીમાં જ રાખવાનું નક્કી કરાયું છે.

FATFના અધ્યક્ષ માર્કસ પ્લેયરે નોંધ્યું હતું કે, પાકિસ્તાનમાં થોડો સુધારો થયો છે પરંતુ હજી તેણે ઘણું કરવાનું બાકી છે. શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત્ રહેવાના કારણે પાકિસ્તાન માટે મોટી મુશ્કેલીએ છે કે, તેને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ તરફથી મળતી મદદથી વંચીત રહેવું પડશે.

1989માં સ્થાપવામાં આવેલા આ આંતરરાષ્ટ્રીય સંગઠન FATFના હાલ 39 સભ્યો છે. આ સંસ્થા ત્રાસવાદીઓને પુરા પડાતા નાણાં અને કાળુ નાણું ઉભુ કરતી પ્રવૃત્તિઓ સામે પગલા લે છે. ભારત પણ FATFનું સભ્ય છે અને તેની પ્રાદેશીક શાખા એશિયા પેસિફિક જૂથનું પણ સભ્ય છે. નોંધપાત્ર બાબત એ છે કે, ભારત પાકિસ્તાન સામે પગલા લેવા વિશ્વ સમુદાયને સતત આગ્રહ કરી રહ્યું છે.

ભારત આવા ત્રાસવાદી જૂથો અને ભારતીય ઉપખંડમાં અશાંતિ ઉભી કરતા સંગઠનો સામે સતત વિરોધ નોંધાવી રહ્યું છે.

પાકિસ્તાન માત્ર ભારત સામે જ નહીં પરંતુ પડોશના વિસ્તારો ખાસ કરીને અફઘાનિસ્તાનમાં પણ ત્રાસવાદી પ્રવૃત્તિને પોષવા સતત પ્રયાસો કરતું રહ્યું છે અને તે તેની શાસકીય નીતિના એક ઉપકરણ તરીકે જ ઉપયોગ કરી રહ્યું છે. ત્રાસવાદી જૂથો અને તેમના છુપા સાથીદારોને પાકિસ્તાન સતત ટેકો આપી રહ્યું છે. પરિણામે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થિરતા અને વ્યવસ્થા સ્થાપવાના સાથી દળોના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે, તેના કારણે જ અમેરિકા, યુકે, જર્મની અને ફ્રાન્સ જેવા શક્તિશાળી દેશોએ પણ પાકિસ્તાન સામે કડક અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે પાકિસ્તાન હજુ પણ ત્રાસવાદી જૂથોને તે તેમને પુરા પડાતાં નાણાંને રોકવામાં ખુલ્લી આનાકાની કરી રહ્યું છે.

આ કારણે આતંકીઓને ભંડોળ પુરુ પાડવાની તથા આતંકી જૂથોને આશરો આપવા અંગે પાકિસ્તાનની શંકાસ્પદ ભૂમિકા અંગે FATFના સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ. તાજેતરની બેઠકમાં પાકિસ્તાનને માત્ર ત્રણ દેશો ચીન, તુર્કી અને મલેશીયાનું સમર્થન મળ્યું હતું. આ દેશોના સમર્થનને કારણે પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જતા બચ્યું હતું.

પાકિસ્તાનને 2018માં ગ્રે-લિસ્ટમાં મુકાયું હતું અને તેને 2019 ઓક્ટોબર સુધીમાં આતંક વિરોધી કામગીરી માટે 27 મુદ્દાની કાર્ય યોજના અપાઈ હતી.

પાકિસ્તાને આમાંથી 13 મુદ્દા પર કામગીરી કરી હોવાનું જણાવ્યું છે અને બાકી મુદ્દા પર કાર્ય કરવા વધુ ચાર મહિનાનો સમય માંગ્યો હતો. કોવિડ 19ના પગલે જાન્યુઆરી 2020માં યોજાનાર બેઠક મુલતવી રહી અને પાકિસ્તાનને વધુ 4 મહિનાનો સમય મળી ગયો, તેમ છતાં પાકિસ્તાન FATFની શરતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું.

આતંકવાદને સમર્થન પાકિસ્તાનની વ્યવસ્થાનો ભિન્ન ભાગ બની ચુક્યું છે અને આ માળખુ બદલવાના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પગલાં બિનઅસરકારક સાબિત થયા છે. પાકિસ્તાન દ્વારા તમામ 27 શરતો પૂરી કરાશે ત્યારે જ FATFની ટીમ પાકિસ્તાનની મુલાકાત લઈ તેની ખરાઈ કરશે.

પાકિસ્તાનનું અર્થતંત્ર લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ-IMFએ તાજેતરમાં કડક શરતો સાથે પાકિસ્તાનને સહાય આપી છે.

ઈમરાન ખાન પાકિસ્તાનની લશ્કરને ખુશ રાખવાના અને અર્થતંત્રમાં સુધારા વચ્ચે સમતોલ જાળવવાના સંદિગ્ધ પ્રયાસો કરી રહ્યા છે. જો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સહાય મળતી રહે તેવી આશા રાખવી હોય તો તેણે આતંકવાદને પુરા પડાતા નાણાં માટેના તમામ માર્ગોને અસરકારક રીતે બંધ કરી તેની શરણ હેઠળ ઉછરતા આતંકવાદના મૂળ તથા સ્ત્રોતોને સંપૂર્ણ નાબૂદ કરવા પડશે.



ભરત રાજગોર, નીકિતા શાહ, જતિન કામદાર

લેખક – ડૉ.પ્રિયંકાસિંઘ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...