વર્ષ 2007થી સંયુક્ત રાષ્ટ્રસંઘે બીજી ઓક્ટોબરે આવતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસની ગાંધીજીએ શાંતિ અને અહિંસા માટે આપેલા યોગદાન માટે ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે શું કરીએ છીએ અને આપણે શું કરવા સક્ષમ છીએ. આ બે મુદ્દાઓ વચ્ચેનું અંતર મહાત્મા ગાંધી આપણને શીખવે છે.
આંતરરાષ્ટ્રીય અહિંસા દિને હું દરેકને વિનંતી કરૂ છું કે, વ્યક્તિ વચ્ચેની ખાઈ દૂર કરવા અને આપણાં સારાં ભવિષ્યના નિર્માણ કરવા પ્રયાસો કરવા જોઈએ.
રાષ્ટ્રસંઘના ઠરાવ મુજબ આંતરરાષ્ટ્રીય અહિંસા દિને શિક્ષણ અને લોકજાગૃતી વડે અહિંસાનો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચાડવો જરૂરી છે.
આ ઠરાવ અહિંસાની પ્રસ્તુતતાનો જ સ્વીકાર કરે છે તથા શાંતિ, સહિષ્ણુતા, સમજણ અને અહિંસાની સંસ્કૃતિ વિકસાવવા ઉપર ભાર મૂકે છે.
મુક્તિ અને સ્વાતંત્ર્ય માટે લડત આપનાર અગ્રણીઓ માટે ગાંધીજીના વિચારો અને આદર્શો આજે પણ પ્રેરણા આપે છે.
ગયા વર્ષે ન્યૂયોર્કે ટાઇમ્સે અહિંસા દિને પ્રકાશિત કરેલા લેખમાં નેલ્સન મંડેલાએ, મહાત્મા ગાંધીજીને પવિત્ર યોદ્ધા ગણાવ્યા હતા. તેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હોવાનું જણાવ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું હતું કે, સમાજમાં રહેલી વિરોધાભાશષની ઊંડી ખાઈમાં પુલ બનીને બે અલગ વિચારધારાને જોડવાની આગવી ક્ષમતા મહાત્મા ગાંધીજીમાં હતી.
તેમણે મહાન વૈજ્ઞાનિક અર્લ્બટ આઈન્સ્ટાઇનનું વિખ્યાત વાક્ય ટાંકીને તેની સાથે સંમતિ જાહેર કરી હતી. આઇન્સ્ટાઇને જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીઓ ભાગ્યેજ એવું સ્વીકારશે કે હાડ – ચામડાનો આવો દેહધારી માણસ આપણા પૃથ્વી ઉપર હતો.
પૃથ્વી ઉપર હિંસા અને વિગ્રહનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે ગાંધીજીના વિચારો આજે વધારે પ્રસ્તુત છે.
ગાંધીજીના વિચારો માત્ર રાજકીટ હેતુ માટેના નથી, પણ વર્તમાન સમાજમાં મજબૂત બનેલા ગ્રાહકવાદ તથા ભૌતિકસુખવાદની પકડમાંથી માનવજાતિના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય તેવા છે.
ગાંધીજીએ વ્યક્તિગત તથા વ્યવસાયિક જીવનમાં ચારિત્ર્ય અને નીતીમત્તાને કેન્દ્રમાં રાખવા ઉપર ભાર મૂક્યો હતો.
તેઓ સત્ય અને અહિંસાનો માત્ર પ્રચાર નહોતા કરતા પણ પોતાના જીવનમાં આ સિદ્ધાંતોનું નિષ્ઠાથી પાલન કરતાં હતા.
ગાંધીજીના અહિંસારૂપી સિદ્ધાંતનું સીધું પ્રતિબિંબ આપણને સત્યાગ્રહની સંકલ્પનામાં જોવા મળે છે.
વર્ષ 1907માં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતી સામેની લડતમાં આ સિદ્ધાંતનો ઉદય થયો હતો.
આજ બાબતને તેમણે ભારતની આઝાદીની ચળવળમાં પણ ઉપયોગ કર્યો હતો.
તેમણે વિશ્વને બતાવી દીધુ કે, હિંસક માર્ગની સરખામણીએ સત્ય-અહિંસા અને પ્રેમ દ્વારા વધુ શક્તિ ઉત્પન્ન કરી શકાય છે.
સમગ્ર વિશ્વમાં અહિંસાની શકિતને રાજકીય કૃતિમાં પરીવર્તીત કરનાર ગાંધીજી કદાચ એકમાત્ર નેતા હશે. દક્ષિણ આફ્રિકામાં થયેલા વ્યકિતગત તથા રાજકીય જીવનના અનુભવો અને તેમણે કરેલા પ્રયોગોએ ગાંધીજીને ભારતની આઝાદીની ચળવળમાં નવો અધ્યાય લખવાની શકિત આપી.
વર્ષ ૧૯૦૯ માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા ખાતેની જેલમાં ગાંધીજી ત્રણ માસ રહયા હતા. આ સમયગાળામાં તેમણે ઉપનીષદો, બાઇબલ, જોન રસ્કીનનું લખાણ, લીઓ ટોલસ્ટોપની કૃતીઓનો ઉંડો અભ્યાસ કર્યો હતો.
આ બધાનો ઉંડો પ્રભાવ ગાંધીજીના જીવન તથા સિધ્ધાંતો ઉપર દેખાય છે. ગાંધીજી સમગ્ર રીતે વૈશ્વિક સ્નેહ તથા અહિંસાનો મુખ્ય સ્રોત હતા.
ગાંધીજીએ બતાવી આપ્યું હતું કે ઘણી વ્યકિતઓ ધ્વારા કરાતી અહિંસક કૃતિ જો પવિત્ર હદયથી કરવામાં આવે તો તેનામાં હિંસાનો પણ નાશ કરવાની ક્ષમતા હોય છે. તેઓએ કહયું કે અહિંસા એ દુર્બળ વ્યકિતનું સાધન નથી. તેમના શાંતી અને અહિંસાના વિચારો આશા અને પ્રગતિ માટે પથદર્શક ગણાવી શકાય.
રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે શું કરીએ છીએ અને આપણે શું કરવા સક્ષમ છીએ. આ બે મુદ્દાઓ વચ્ચેનું અંતર મહાત્મા ગાંધી આપણને શીખવે છે.
આંતરરાષ્ટ્રીય અહિંસા દિને હું દરેકને વિનંતી કરૂ છું કે, વ્યક્તિ વચ્ચેની ખાઈ દૂર કરવા અને આપણાં સારાં ભવિષ્યના નિર્માણ કરવા પ્રયાસો કરવા જોઈએ.
રાષ્ટ્રસંઘના ઠરાવ મુજબ આંતરરાષ્ટ્રીય અહિંસા દિને શિક્ષણ અને લોકજાગૃતી વડે અહિંસાનો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચાડવો જરૂરી છે.
આ ઠરાવ અહિંસાની પ્રસ્તુતતાનો જ સ્વીકાર કરે છે તથા શાંતિ, સહિષ્ણુતા, સમજણ અને અહિંસાની સંસ્કૃતિ વિકસાવવા ઉપર ભાર મૂકે છે.
મુક્તિ અને સ્વાતંત્ર્ય માટે લડત આપનાર અગ્રણીઓ માટે ગાંધીજીના વિચારો અને આદર્શો આજે પણ પ્રેરણા આપે છે.
ગયા વર્ષે ન્યૂયોર્કે ટાઇમ્સે અહિંસા દિને પ્રકાશિત કરેલા લેખમાં નેલ્સન મંડેલાએ, મહાત્મા ગાંધીજીને પવિત્ર યોદ્ધા ગણાવ્યા હતા. તેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હોવાનું જણાવ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું હતું કે, સમાજમાં રહેલી વિરોધાભાશષની ઊંડી ખાઈમાં પુલ બનીને બે અલગ વિચારધારાને જોડવાની આગવી ક્ષમતા મહાત્મા ગાંધીજીમાં હતી.
તેમણે મહાન વૈજ્ઞાનિક અર્લ્બટ આઈન્સ્ટાઇનનું વિખ્યાત વાક્ય ટાંકીને તેની સાથે સંમતિ જાહેર કરી હતી. આઇન્સ્ટાઇને જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીઓ ભાગ્યેજ એવું સ્વીકારશે કે હાડ – ચામડાનો આવો દેહધારી માણસ આપણા પૃથ્વી ઉપર હતો.
પૃથ્વી ઉપર હિંસા અને વિગ્રહનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે ગાંધીજીના વિચારો આજે વધારે પ્રસ્તુત છે.
ગાંધીજીના વિચારો માત્ર રાજકીટ હેતુ માટેના નથી, પણ વર્તમાન સમાજમાં મજબૂત બનેલા ગ્રાહકવાદ તથા ભૌતિકસુખવાદની પકડમાંથી માનવજાતિના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય તેવા છે.
ગાંધીજીએ વ્યક્તિગત તથા વ્યવસાયિક જીવનમાં ચારિત્ર્ય અને નીતીમત્તાને કેન્દ્રમાં રાખવા ઉપર ભાર મૂક્યો હતો.
તેઓ સત્ય અને અહિંસાનો માત્ર પ્રચાર નહોતા કરતા પણ પોતાના જીવનમાં આ સિદ્ધાંતોનું નિષ્ઠાથી પાલન કરતાં હતા.
ગાંધીજીના અહિંસારૂપી સિદ્ધાંતનું સીધું પ્રતિબિંબ આપણને સત્યાગ્રહની સંકલ્પનામાં જોવા મળે છે.
વર્ષ 1907માં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતી સામેની લડતમાં આ સિદ્ધાંતનો ઉદય થયો હતો.
આજ બાબતને તેમણે ભારતની આઝાદીની ચળવળમાં પણ ઉપયોગ કર્યો હતો.
તેમણે વિશ્વને બતાવી દીધુ કે, હિંસક માર્ગની સરખામણીએ સત્ય-અહિંસા અને પ્રેમ દ્વારા વધુ શક્તિ ઉત્પન્ન કરી શકાય છે.
સમગ્ર વિશ્વમાં અહિંસાની શકિતને રાજકીય કૃતિમાં પરીવર્તીત કરનાર ગાંધીજી કદાચ એકમાત્ર નેતા હશે. દક્ષિણ આફ્રિકામાં થયેલા વ્યકિતગત તથા રાજકીય જીવનના અનુભવો અને તેમણે કરેલા પ્રયોગોએ ગાંધીજીને ભારતની આઝાદીની ચળવળમાં નવો અધ્યાય લખવાની શકિત આપી.
વર્ષ ૧૯૦૯ માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા ખાતેની જેલમાં ગાંધીજી ત્રણ માસ રહયા હતા. આ સમયગાળામાં તેમણે ઉપનીષદો, બાઇબલ, જોન રસ્કીનનું લખાણ, લીઓ ટોલસ્ટોપની કૃતીઓનો ઉંડો અભ્યાસ કર્યો હતો.
આ બધાનો ઉંડો પ્રભાવ ગાંધીજીના જીવન તથા સિધ્ધાંતો ઉપર દેખાય છે. ગાંધીજી સમગ્ર રીતે વૈશ્વિક સ્નેહ તથા અહિંસાનો મુખ્ય સ્રોત હતા.
ગાંધીજીએ બતાવી આપ્યું હતું કે ઘણી વ્યકિતઓ ધ્વારા કરાતી અહિંસક કૃતિ જો પવિત્ર હદયથી કરવામાં આવે તો તેનામાં હિંસાનો પણ નાશ કરવાની ક્ષમતા હોય છે. તેઓએ કહયું કે અહિંસા એ દુર્બળ વ્યકિતનું સાધન નથી. તેમના શાંતી અને અહિંસાના વિચારો આશા અને પ્રગતિ માટે પથદર્શક ગણાવી શકાય.
Comments
Post a Comment