Skip to main content

ભારત અને મ્યાનમારના મજબૂત બનતા સંબંધો અંગે સમીક્ષા

ભારતે અપનાવેલી પાડોશી દેશો પહેલાં તેમજ પૂર્વના દેશો તરફની નીતિના આધારે ભારત મ્યાનમાર સરકારના ટોચના અધિકારીઓ અને સેનાના અધિકારીઓ સાથે સારા સંબંધોને અગ્રતા આપી રહ્યું છે. આના ભાગરૂપે જ આર્થિક અને સલામતી બાબતોના સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિ છતાં લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણે અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મ્યાનમારની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતોએ તાજેતરના વર્ષોમાં બંધાયેલા અને મજબૂત બનતા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડી હતી. બંને દેશોએ આર્થિક અને સલામતી ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે પ્રાદેશિક સ્તરે ઉપયોગી આશિયાન અને બીમસ્ટેક જેવા સંગઠનોમાં સહકાર વધારવાની શરૂઆત કરી છે. 

ભારત અને મ્યાનમાર બંને દેશો આતંકવાદની સમસ્યાથી પીડાય છે. એ બાબત ધ્યાનમાં લેતાં વિદેશ સચિવની મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે. મ્યાનમારના અગ્રણીઓએ પણ ભારતના અધિકારીઓની આ મુલાકાતને મહત્વ આપ્યું હતું. મ્યાનમારના કાઉન્સિલર ડો આંગ સાન સૂકી, અને સલામતી સેવાના વડા જનરલ મીન ઓન્ગ હેલિંગે ભારતથી આવેલા બંને અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો વધુ આગળના સ્તરે લઈ જવાની ચર્ચા કરી હતી.

બંને દેશોના અધિકારીઓએ મ્યાનમારમાં વિવિધ ક્ષેત્રમાં માળખાકીય સુવિધા વિકાસની યોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત આશરે દોઢ અબજ અમેરિકી ડોલરની કિંમતે આ પ્રોજેક્ટો મ્યાનમારમાં હાથ ધરી રહ્યું છે. કોલકાતાને મ્યાનમાર દ્વારા બેંગકોક સુધી જોડવાનો તેમજ કલદાન મલ્ટિમોડેલ ટ્રાન્ઝીટ ટ્રાન્સપોર્ટ આ બે મહત્વની યોજનાઓનો સમાવેશ થાય છે. 

આ બંને પ્રોજેક્ટો પૂરા થતાં ભારત અને મ્યાનમારના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે. બંને પક્ષોએ રખાઈન રાજ્ય વિકાસ કાર્યક્રમમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત વખતે વિદેશ સચિવ શ્રૃંગલાએ સોફ્ટવેર વિકાસ માટેનું કેન્દ્ર અને તાલિમ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું.

બંને દેશોએ સરહદે સલામતી અને સ્થિરતા જાળવી રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ બંને દેશોએ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પોતાની જમીન ઉપર ચાલવા નહીં દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વિવિધ બળવાખોર જૂથોના બાવીસ જણાને મ્યાનમારે ભારતને સોંપ્યા હતા. આ બાબતની ભારતે પ્રશંસા કરી હતી. વિદેશ સચિવ અને સેનાના વડાએ પાડોશી દેશને મદદરૂપ થવા કોવિડ સામેની લડતમાં ઉપયોગી ત્રણ હજાર, રેમડેસિવીરનો જથ્થો મ્યાનમારને સોંપ્યો હતો. આ દવા મ્યાનમારમાં કોરોનાથી અસરગ્રસ્તોને સારવારમાં ઉપયોગી નિવડશે. 

વિદેશ સચિવે કોવિડની રસી જ્યારે પણ ઉપલબ્ધ થશે ત્યારે મ્યાનમારને આપવામાં અગ્રતા અપાશે તેમ સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશને વિસ્થાપિત થયેલા લોકો પોતાના મૂળ સ્થાને પાછા ફરે તે હેતુથી આર્થિક અને માલસામાન સ્વરૂપે મદદ કરી રહ્યો છે. ભારત અને મ્યાનમારે તાજેતરના વર્ષોમાં ઉર્જા ક્ષેત્રે પોતાના સંબંધો મજબૂત બનાવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત ફેબ્રુઆરી માસમાં મ્યાનમારની મુલાકાત લીધી હતી ત્યારે બંને દેશોએ પેટ્રોલિયમ પદાર્થો બાબતે સહકાર કરવાની સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોએ ઊર્જા ક્ષેત્રના સહકારને માર્ગદર્શન આપવા સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી છે. જેની બેઠક આ વર્ષે જૂન માસમાં યોજાઈ ગઈ. સરહદ પારનો વેપાર મજબૂત બનાવવા ભારતે મિઝોરમ અને મ્યાનમાર વચ્ચે 20 લાખ અમેરિકી ડોલરના અનુદાનથી હાટ બ્રીજ બનાવવાની જાહેરાત કરી છે.




લેખક : રણજીત કુમાર વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...