Skip to main content

પુલવામા હૂમલામાં પોતાની ભૂમિકાનો પાકિસ્તાને કરેલા સ્વીકાર અંગે સમીક્ષા



ગત 29મી ઓક્ટોબરે પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીના ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સાદિકે સંસદમાં કબુલ કર્યું હતું કે, ભારત હુમલો કરશે તેવા ભયના કારણે પાકિસ્તાનની ઇમરાન સરકારે ગત પહેલી માર્ચ 2019ના રોજ ભારતીય હવાઈદળના ધરપકડ કરાયેલા અધિકારી અભિનંદનને મુક્ત કર્યો હતો.

આ બનાવ પહેલાં વિપક્ષો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાએ કપાળ ઉપર પરસેવા સાથે અને ધ્રૂજતા અવાજે વિપક્ષી નેતાઓને વિનંતી કરી હતી કે, પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો તેઓ વિરોધ ન કરે.

શ્રી ઐયાઝ વરિષ્ઠ રાજકારણી છે અને પોતાના શબ્દો સમજી વિચારીને બોલે છે. આમ છતાં સરકાર સામે પડેલા વિપક્ષી નેતા તરીકે સંસદમાં તેમણે કરેલા વિધાનોનો હેતુ સરકાર તથા પાક. સેનાની પ્રતિષ્ઠા ઉપર હુમલો કરવાનો હતો.

આ બધી જ બાબતો પાકિસ્તાનના રાજકીય ક્ષિતીજ ઉપર ધેરાઈ રહેલા વાદળોનો સંકેત કરે છે. શ્રી ઐયાઝના નિવેદનથી ભારતની મોદી સરકારના વલણ અને વિચારને નવું બળ મળ્યું છે, એ વાત નક્કી છે.

પાકિસ્તાન સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના મંત્રી ફવાદ ચૌધરીએ પોતાની સરકાર દ્વારા ભારત સામે લેવાયેલા પગલાંઓની વિગતો આપતાં અજાણતા જ કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો આપણા સરકાર દ્વારા અપાયેલો જવાબ તરીકે ઓળખાવ્યો હતો.

બીજા શબ્દોમાં કહીએ તો ઐયાઝે કરેલા આ નિવેદનથી પાકિસ્તાન સરકાર આતંકનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે, તેવા આક્ષેપને સત્ય ઠરાવ્યો છે. આના લીધે આ નિવેદનને ભારતના પ્રસાર માધ્યમોએ તેને બહોળી પ્રસિધ્ધિ આપતા મોદી સરકારની રાજકીય વિશ્વસનિયતામાં વધારો કર્યો છે, તથા પાકિસ્તાન આતંકવાદને પોષે છે તેવા દાવાને સમર્થન મળ્યું છે.

બીજા દિવસે પોતાના નિવેદન અંગે સ્પષ્ટીકરણ આપતા શ્રી ઐયાઝે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની મુલકી સરકારે અભિનંદનને શા માટે મુક્ત કરવામાં આવ્યો તે બાબતે વિપક્ષને જાણ કરી ન હતી.

તેમણે પોતાના નિવેદન અંગે બચાવ કરવા એમ પણ ઉમેર્યું હતું કે, બાલાકોટના બનાવના પ્રતિભાવમાં પાકિસ્તાન સરકારે આપેલા પ્રતિભાવની તેઓ જાણ કરી રહ્યા હતા અને તેમણે ભારતમાં થતી આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન સરકારનો હાથ હોવાની બાબત નકારી કાઢી હતી.

દરમિયાન પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે જવાબદારીપૂર્વક લીધેલો અને પરિપકવ નિર્ણય હતો. પાકિસ્તાનના સમૂહ પ્રસાર માધ્યમોમાં પણ આ સમગ્ર ઘટનાનું રસપ્રદ રીતે અહેવાલ લેખન થયું હતું.

ટોક શો માં ઐયાઝે પાકિસ્તાનના શત્રૂ દેશને તેમની આક્રમક વ્યૂહરચના અંગે હર્ષ વ્યક્ત કરવા માટે આપેલી તકના મુદ્દે તેમની કડક શબ્દોમાં ટીકા કરાઈ હતી. ભારત વિરોધી લાગણીને પાકિસ્તાનમાં રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવવામાં આવે છે, તેથી પાકિસ્તાનના પ્રસાર માધ્યમોના મોટાભાગના એન્કરોએ પાકિસ્તાનના આ નિર્ણયને ખોટી રીતે રજુ કરવાનો આક્ષેપ ઐયાઝ સામે કર્યો હતો. ઘણાં એન્કરોએ ફવાદના નિવેદનને બેજવાબદાર અને કમનસીબ નિવેદન ગણાવીને તેને ખાસ મહત્વ આપ્યું નહતું.

પાકિસ્તાનમાં હાલ રાજકીય વિવાદ સર્જાયો છે અને વર્તમાન પાકિસ્તાન સરકાર તેની લોકપ્રિયતા ગુમાવી ચૂકી છે. અત્યાર સુધી વેરવિખેર વિપક્ષ હવે સંગઠીત થતો જણાય છે. અત્યાર સુધી પાકિસ્તાનની સેના ઇમરાન ખાન સરકારને સમર્થન આપતી હતી તે હવે સરકારની નીતિની ટીકા કરવા લાગી છે. અત્યાર સુધી સેના અને પાકિસ્તાન સરકાર વચ્ચે સધાયેલું સંતુલન દબાણ હેઠળ છે.

પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ સુધરશે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. પાકિસ્તાની નાગરિકોને ઇમરાન સરકારમાં વિશ્વાસ રહ્યો નથી. પાકિસ્તાની પ્રસાર માધ્યમોને સંકેત ગણાવીએ તો અત્યાર સુધી પાકિસ્તાનની ઇમરાન સરકારના સમર્થક એવા એન્કરો સરકારની ટીકા કરવા લાગ્યા છે.અત્યારની પરિસ્થિતિમાં જો ચૂંટણી યોજાય તો નવાઝ શરીફનો પક્ષ સરળતાથી ચૂંટણી જીતી શકે છે. જાહેર જીવનમાં એવી વાત ચાલી રહી છે કે, પાકિસ્તાનની સેના, પાકિસ્તાનના રાજકીય ક્ષિતીજે લોકોના વિચારોમાં થઈ રહેલા પરિવર્તનથી અજાણ છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...