ગત 29મી ઓક્ટોબરે પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીના ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સાદિકે સંસદમાં કબુલ કર્યું હતું કે, ભારત હુમલો કરશે તેવા ભયના કારણે પાકિસ્તાનની ઇમરાન સરકારે ગત પહેલી માર્ચ 2019ના રોજ ભારતીય હવાઈદળના ધરપકડ કરાયેલા અધિકારી અભિનંદનને મુક્ત કર્યો હતો.
આ બનાવ પહેલાં વિપક્ષો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાએ કપાળ ઉપર પરસેવા સાથે અને ધ્રૂજતા અવાજે વિપક્ષી નેતાઓને વિનંતી કરી હતી કે, પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો તેઓ વિરોધ ન કરે.
શ્રી ઐયાઝ વરિષ્ઠ રાજકારણી છે અને પોતાના શબ્દો સમજી વિચારીને બોલે છે. આમ છતાં સરકાર સામે પડેલા વિપક્ષી નેતા તરીકે સંસદમાં તેમણે કરેલા વિધાનોનો હેતુ સરકાર તથા પાક. સેનાની પ્રતિષ્ઠા ઉપર હુમલો કરવાનો હતો.
આ બધી જ બાબતો પાકિસ્તાનના રાજકીય ક્ષિતીજ ઉપર ધેરાઈ રહેલા વાદળોનો સંકેત કરે છે. શ્રી ઐયાઝના નિવેદનથી ભારતની મોદી સરકારના વલણ અને વિચારને નવું બળ મળ્યું છે, એ વાત નક્કી છે.
પાકિસ્તાન સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના મંત્રી ફવાદ ચૌધરીએ પોતાની સરકાર દ્વારા ભારત સામે લેવાયેલા પગલાંઓની વિગતો આપતાં અજાણતા જ કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો આપણા સરકાર દ્વારા અપાયેલો જવાબ તરીકે ઓળખાવ્યો હતો.
બીજા શબ્દોમાં કહીએ તો ઐયાઝે કરેલા આ નિવેદનથી પાકિસ્તાન સરકાર આતંકનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે, તેવા આક્ષેપને સત્ય ઠરાવ્યો છે. આના લીધે આ નિવેદનને ભારતના પ્રસાર માધ્યમોએ તેને બહોળી પ્રસિધ્ધિ આપતા મોદી સરકારની રાજકીય વિશ્વસનિયતામાં વધારો કર્યો છે, તથા પાકિસ્તાન આતંકવાદને પોષે છે તેવા દાવાને સમર્થન મળ્યું છે.
બીજા દિવસે પોતાના નિવેદન અંગે સ્પષ્ટીકરણ આપતા શ્રી ઐયાઝે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની મુલકી સરકારે અભિનંદનને શા માટે મુક્ત કરવામાં આવ્યો તે બાબતે વિપક્ષને જાણ કરી ન હતી.
તેમણે પોતાના નિવેદન અંગે બચાવ કરવા એમ પણ ઉમેર્યું હતું કે, બાલાકોટના બનાવના પ્રતિભાવમાં પાકિસ્તાન સરકારે આપેલા પ્રતિભાવની તેઓ જાણ કરી રહ્યા હતા અને તેમણે ભારતમાં થતી આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન સરકારનો હાથ હોવાની બાબત નકારી કાઢી હતી.
દરમિયાન પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે જવાબદારીપૂર્વક લીધેલો અને પરિપકવ નિર્ણય હતો. પાકિસ્તાનના સમૂહ પ્રસાર માધ્યમોમાં પણ આ સમગ્ર ઘટનાનું રસપ્રદ રીતે અહેવાલ લેખન થયું હતું.
ટોક શો માં ઐયાઝે પાકિસ્તાનના શત્રૂ દેશને તેમની આક્રમક વ્યૂહરચના અંગે હર્ષ વ્યક્ત કરવા માટે આપેલી તકના મુદ્દે તેમની કડક શબ્દોમાં ટીકા કરાઈ હતી. ભારત વિરોધી લાગણીને પાકિસ્તાનમાં રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવવામાં આવે છે, તેથી પાકિસ્તાનના પ્રસાર માધ્યમોના મોટાભાગના એન્કરોએ પાકિસ્તાનના આ નિર્ણયને ખોટી રીતે રજુ કરવાનો આક્ષેપ ઐયાઝ સામે કર્યો હતો. ઘણાં એન્કરોએ ફવાદના નિવેદનને બેજવાબદાર અને કમનસીબ નિવેદન ગણાવીને તેને ખાસ મહત્વ આપ્યું નહતું.
પાકિસ્તાનમાં હાલ રાજકીય વિવાદ સર્જાયો છે અને વર્તમાન પાકિસ્તાન સરકાર તેની લોકપ્રિયતા ગુમાવી ચૂકી છે. અત્યાર સુધી વેરવિખેર વિપક્ષ હવે સંગઠીત થતો જણાય છે. અત્યાર સુધી પાકિસ્તાનની સેના ઇમરાન ખાન સરકારને સમર્થન આપતી હતી તે હવે સરકારની નીતિની ટીકા કરવા લાગી છે. અત્યાર સુધી સેના અને પાકિસ્તાન સરકાર વચ્ચે સધાયેલું સંતુલન દબાણ હેઠળ છે.
પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ સુધરશે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. પાકિસ્તાની નાગરિકોને ઇમરાન સરકારમાં વિશ્વાસ રહ્યો નથી. પાકિસ્તાની પ્રસાર માધ્યમોને સંકેત ગણાવીએ તો અત્યાર સુધી પાકિસ્તાનની ઇમરાન સરકારના સમર્થક એવા એન્કરો સરકારની ટીકા કરવા લાગ્યા છે.અત્યારની પરિસ્થિતિમાં જો ચૂંટણી યોજાય તો નવાઝ શરીફનો પક્ષ સરળતાથી ચૂંટણી જીતી શકે છે. જાહેર જીવનમાં એવી વાત ચાલી રહી છે કે, પાકિસ્તાનની સેના, પાકિસ્તાનના રાજકીય ક્ષિતીજે લોકોના વિચારોમાં થઈ રહેલા પરિવર્તનથી અજાણ છે.
Comments
Post a Comment