Skip to main content

કોવિડ કાળમાં ઇસરોએ છોડેલા પ્રથમ ઉપગ્રહ વિષય પર સમીક્ષા

કોવિડ રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિમાં ઇસરોએ 2020 નો તેનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રમાંથી છોડાયેલા પ્રથ્વી અવલોકનના EOS-01 ઉપગ્રહ સાથે ત્રણ દેશોના નવ વ્યવસાયિક ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મૂકાયા છે. આ વિદેશી ઉપગ્રહોમાં લીથુનીયાના પ્રાયોગિક ઉપગ્રહ, લક્સમબર્ગના ચાર દરિયાઈ એપ્લીકેશન ઉપગ્રહ, અમેરિકાના ચાર રીમોટ સેન્સિંગ ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

ઇસરોના PSLV—C-49 લોન્ચ વ્હીક્લથી મદદથી આ તમામ ઉપગ્રહો તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં તરતા મૂકાયા છે. ગતવર્ષે 11 ડિસેમ્બરે ઇસરોએ PSLV-C-48 લોન્ચ રોકેટની મદદથી પૃથ્વી અવલોકનના ઉપગ્રહને અવકાશમાં તરતો મુકાયા બાદ ઇસરો દ્વારા આ પ્રથમ ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપિત કરાયો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ઇસરોએ સંચાર ઉપગ્રહ GSAT-30 અવકાશમાં તરતો મોકાયો હતો પણ તે ફ્રેન્ચ ગુનીયાના એરિયન રોકેટથી અવકાશમાં મોકલયો હતો. ત્યારબાદ કોરોના રોગચાળાના પગલે ઉપગ્રહ છોડવાનું આયોજન ખોરવાઈ ગયું હતું. ઇસરોએ 2020 – 2021 માં 20થી વધુ ઉપગ્રહ છોડવાની યોજના બનાવી હતી, જેમાં આદિત્ય L1, ગગનયાન તથા પૃથ્વી અવલોકનના કેટલાંક ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

630 કિલો વજનના EOS-01 પૃથ્વી અવલોકન ઉપગ્રહથી કૃષિ, જંગલો અને આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ મળશે. EOS-01 તમામ વાતાવરણમાં કામ કરી શકતું રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે તે RISAT-2B અને RISAT-2BR1 ઉપગ્રહો સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત તે સરહદ પર દેખરેખ રાખવામાં ઘુસણખોરોને અટકાવવામાં તથા આતંક વિરોધી કાર્યવાહીમાં મદદરૂપ થશે.

ઇસરોના વડા ડોક્ટર કે. સિવાને આ મિશનને ખાસ ગણાવ્યું છે. કારણ કે, હાલની કોરોનાની પરિસ્થિતિમાં પણ દરેક એન્જિનિયર, વૈજ્ઞાનિકો તથા કર્મચારીઓએ કેન્દ્ર અને લેબમાં આવી કાર્ય કર્યું છે. જોકે તમામ પ્રક્રિયા દરમિયાન તેઓની સુરક્ષા અને આરોગ્યનું વિશેષ ધ્યાન રખાયું હતું. આ સફલ પ્રક્ષેપણથી PSLV- રોકેટની વિશ્વસનિયતા વધુ એકવાર પ્રસ્થાપિત થઈ છે. કુલ 51 લોન્ચમાંથી PSLV- માત્ર ત્રણ વખત નિષ્ફળ નીવડ્યું છે. બાકી 48 વખત તેના દ્વારા સફળપૂવર્ક પ્રક્ષેપણ કરાયું છે. PSLV દ્વારા 2008 માં ભારતના પ્રથમ ચંદ્ર અભિયાન, ચંદ્રયાન-1 અને 2013 માં મંગળ મિશન માટેના મંગળ ઉપગ્રહ પણ સફળતાપૂર્વક તરતા મૂકાયા હતા.

PSLV ના સફળ અભિયાનોને જોતાં ઇસરો છેલ્લાં કેટલાંક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોના ઉપગ્રહને લોન્ચ કરવાની સુવિધા આપી રહ્યું છે. અત્યાર સુધીમાં PSLV ની મદદથી 27 લોન્ચ દ્વારા 33 દેશોના 319 વિદેશી ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકાયા છે. આ દેશોમાં Algeria, Argentina, Austria, Belgium, Canada, Denmark, France, Germany, Indonesia, Israel, Italy, Japan, Lithuania, Luxembourg, The Netherlands, Republic of Korea, Singapore, Switzerland, Turkey, United Kingdom, the United States નો સમાવેશ થાય છે. ઉપગ્રહ લોન્ચની વધતી જતી માંગને પહોંચી વળવા ઇસરોએ ઉપગ્રહના એસેમ્બલિંગ, ઇન્ટીગ્રેશન અને ટેસ્ટિંગ માટે ત્રણ ખાનગી કંપની સાથે કરાર કર્યા છે. આનાથી ખાનગી ઉદ્યોગો દ્વારા ઉપગ્રહ વિકસવાવાનો માર્ગ ખૂલ્લો થશે. હાલમાં ઇસરો દર વર્ષે 12થી 18 ઉપગ્રહ વિકસાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઇસરો હવે ભારતની ધરતી પરથી ભારતીયોને લઈ અવકાશ જતા ઉપગ્રહ માટેની તૈયારીઓ કરી રહ્યું છે. 2022 માં ભારતના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પૂર્વે પ્રથમ ભારતીય ક્રૂ અવકાશમાં જાય તેવું આયોજન કરાયું છે.

ઇસરોએ અત્યાર સુધી મેળવેલી સફળતા જોતાં આ ધ્યેય પણ સિધ્ધ થશે તેવી ખાતરી છે.

લેખક – બીમન બાસુ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...