Skip to main content

રીયાધે યોજેલી જી-વીસ દેશોની વાર્ષિક બેઠક અંગે સમીક્ષા

સાઉદી અરેબીયાએ ગયા અઠવાડીયે જી-વીસ દેશોની શિખર બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં થયેલી ચર્ચાએ એ બાબત પુરવાર કરી હતી. કે, 21મી સદીમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે, તેમજ આ સદીના સંભવીત પડકારોને પહોંચી વળવા માટે બહુસ્તરીય રીતે તથા સંકલન સાધીને સહિયારા પ્રયાસો કરવાની તાતી જરૂર છે. એટલું જ નહીં પણ આપણી પૃથ્વીની સલામતી ધ્યાનમાં લેતા વિકાસ સાધવા માટે બધા જ લોકોને અધિકાર સંપન્ન બનાવવા જરૂરી છે.

વિશ્વમાં કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા આ વખતની જી-વીસ દેશોની શિખર બેઠક વિડિયોના માધ્યમથી યોજાઇ હતી.

આ વર્ષે ગત માર્ચમાં યોજાયેલી જી-વીસ દેશોની અસાધારણ બેઠક બાદ કોવિડના સંક્રમણને ટાળવા આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા વૈશ્વિક સ્તરે આરોગ્ય સેવા વધારવા આર્થિક સહાય, રસી બનાવવી જેવી કામગીરીમાં જી-વીસ સંગઠનના સભ્ય દેશોએ કરેલા પ્રયાસોને આ વખતની બેઠકમાં બિરદાવવામાં આવ્યા હતા.

આ વખતની જી-વીસ દેશોની બેઠકમાં ભારત જેવા દેશોએ બધા લોકોને વાજબી ભાવે અને સમાનતાના ધોરણે કોવિડની રસી મળે તે જોવા કરેલી દરખાસ્તને શરતી મંજુરી મળી હતી. આના લીધે કોવેક્સ સુવિધાની જેમ રસીની બૌદ્ધિક સંપદાને સ્વૈચ્છિક રીતે લાયસન્સની શકયતાની તક મળી છે.

જો કે આ પ્રકારે રસીનો લાભ અન્યને આપતી વખતે બૌદ્ધિક સંપદાના અધિકાર જાળવવાની જી-વીસ સંગઠનની પ્રતિબદ્ધતાની નીતિ જાળવવાનો પણ નિર્ણય લેવાયો છે. બેઠકમાં નોંધ લેવાઇ હતી કે, કોવિડના પગલે અર્થતંત્ર ઉપર થઇ રહેલી અસરને ઓછી કરવા જી-વીસ દેશોએ કરેલા પ્રયાસો પાછળ 11 ટ્રિલીયન ડોલરનો ખર્ચ થયો છે. 

આમાં ભારતે GDPના દસ ટકા જેટલા ખર્ચની ફાળવણીનો પણ સમાવેશ થાય છે. કોવિડના રોગચાળાના પગલે કેટલાક દેશોએ આરોગ્ય ક્ષેત્રે નિયંત્રીત પગલાં ફરીથી અમલમાં મૂકયા છે. 

ભારતે તાજેતરમાં બહુસ્તરીય સુધારાની તરફેણ કરી છે. જી-વીસની બેઠકમાં આ પ્રયાસોનો સ્વીકાર કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા WHOને વધુ કાર્યક્ષમ બનાવવા વિશ્વ સમુદાયના સાથ સહકારમાં પ્રયાસ કરાવીને દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય વેપારમાં 85 ટકા હિસ્સો ધરાવતા જી-વીસ દેશોએ તેમના બજારો ખુલ્લા રાખવાનો તથા વિશ્વ વેપાર સંસ્થા WHOમાં પણ સુધારો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આંતરરાષ્ટ્રીય નાંણા ભંડોળ IMFના વહિવટમાં સુધારો કરવા અને આ કામગીરીની 15મી ડિસેમ્બર 2023ના રોજ સમીક્ષા કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-વીસ દેશોની બેઠકમાં સંબોધન કરતી વખતે કોવિડે વિશ્વ સામે ઉભા કરેલા પડકારને બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે કોવિડ પછીના સમયગાળામાં વૈશ્વિકસ્તરે પ્રતિભાઓની સૂચી બનાવવી વહિવટમાં પારદર્શકતા, પૃથ્વીના સંસાધનોના ઉપયોગ કરતી વખતે ટ્રસ્ટીપણાની ભાવના તથા ટેકનોલોજીના લાભ સમાજના બધા જ વર્ગો સુધી પહોંચે – આ ચાર માપદંડોના આધારે નવો વૈશ્વિક સૂચકાંક નિર્ધારીત કરવાનો અનુરોધ કર્યો.

શ્રી મોદીએ કહ્યું કે, માથાદીઠ કાર્બન ફૂટપ્રીન્ટના આધારે તૈયાર કરાયેલો આ સૂચકાંક નવા વિશ્વનો પાયો બનશે. બેઠકના બીજા દિવસે પ્રધાનમંત્રીએ આબોહવામાં પરિવર્તનના મુદ્દા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જી-વીસ દેશોને અપીલ કરી હતી.

પેરીસ સમજૂતી હેઠળ નિર્ધારીત કામગીરી નિર્ધારીત સમય કરતા વહેલી પૂર્ણ કરવી 88 દેશોના સભ્ય દેશોવાળા આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા જૂથની રચના જેવા પગલાઓને ભારતે પર્યાવરણના રક્ષણની ચિંતા સાથે લેવાયેલા પગલાં તરીકે ઓળખાવ્યા છે.

આ બેઠકમાં સંપર્કની મહત્વની ભૂમિકા ડિજીટલ ટેકનોલોજી અને રોગચાળાને નાબૂદ કરવાની નીતિ મજબૂત બનાવવી જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી.

ભારતે જી-વીસ સંગઠનનું વર્ચ્યુઅલ સચિવાલય તૈયાર કરવા પોતાની પાસેના IT ક્ષેત્રના કુશળ માનવબળની મદદ આપવાની તત્પરતા બતાવી. આગામી 2021માં જી-વીસ દેશોની બેઠક ઇટાલીના અધ્યક્ષપદે યોજાશે.




લેખક– રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભૂતપૂર્વ પ્રતિનિધિ અશોકકુમાર મુખરજી

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...