Skip to main content

ભારતે ગીલગીટ અને બાલ્ટિસ્તાનમાં પરિવર્તન કરવાના પાકિસ્તાનના પ્રયાસોને મક્કમતાથી ફગાવી દીધા એ અંગે સમીક્ષા

પહેલી નવેમ્બર 2020 ના રોજ પાકિસ્તાને બાલ્ટિસ્તાનને પ્રાંતીય દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી આ વિસ્તાર ઉત્તરીય વિસ્તાર તરીકે જાણીતો હતો. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે અને બળજબરીપૂર્વક કબજો મેળવેલા કાશ્મીરનો આ એક ભાગ છે. ભારતે પાકિસ્તાને સંબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાનું જણાવીને આ બાબતનો વિરોધ કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાકિસ્તાન હસ્તકના ભારતના પ્રદેશમાં કોઈપણ પ્રકારના ફેરફારનો ભારત વિરોધ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દરજ્જાના ફેરફાર કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી અને આ ક્ષેત્રમાં તેના દ્વારા કરાયેલા માનવ અધિકાર ભંગના કિસ્સાઓને છૂપાવવા માટે પાકિસ્તાને આ પગલું લીધું છે. પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને કહેવાતા ગીલગીટ – બાલ્ટિસ્તાન આ બધો જ પ્રદેશ ભારતનું અભિભાજ્ય અંગ છે.

ગીલગીટ અને બાલ્ટિસ્તાન આ જમ્મુ અને કાશ્મીરનો ઊંચાઈવાળો વિસ્તાર છે અને પાકિસ્તાન અને ચીનને જોડતો તે એક માત્ર પ્રદેશ છે. ગીલગીટ અને બાલ્ટિસ્તાન ધારાસભાની ચૂંટણી 15મી નવેમ્બરે યોજાવાની છે તે પહેલાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇનરાન ખાને ગત પહેલી નવેમ્બરે આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

આ અગાઉ ગીલગીટ અને બાલ્ટિસ્તાન ધારાસભાની ચૂંટણી 2015 માં યોજાઈ હતી. જોકે આ વિસ્તારને પાકિસ્તાનના સંઘીય રાજકીય માળખામાં કોઈ સ્થાન મળતું નથી. આથી જ ગીલગીટ અને બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનો પ્રાંત તરીકે જાહેર કરતાં પહેલાં પાકિસ્તાનના બંધારણમાં ફેરફાર કરવો જરૂરી છે.

ગીલગીટ બાસ્ટિસ્તાનની ચૂંટણી અગાઉ 18મી ઓગસ્ટે યોજાવાની હતી. કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. વ્યૂહાત્મક રીતે મહત્વના ગીલગીટ બાલ્ટિસ્તાનની લોક વસતી 12 લાખની છે.

ચીન અને પાકિસ્તાનના આર્થિક કોરિડોરની 65 અબજ ડોલરની યોજનામાં આ પ્રદેશ કેન્દ્રમાં છે. ચીને આ પ્રદેશમાં માળખાકીય સુવિધા માટે મોટું રોકાણ કર્યું છે. ચીન આ પ્રદેશમાં તેના પ્રમુખ જીનપિંગનો મહત્વાકાંક્ષી બેલ્ટ રોડ પ્રોજેક્ટ આગળ ધપાવવા માંગે છે. આ પ્રોજેક્ટમાં પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શીનજીયાંગ પ્રાંત સાથે સીધું જોડાણ આપવામાં આવશે.

ગીલગીટ અને બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનો પ્રાંત તરીકે ગણાવીને પાકિસ્તાન ચીનના રોકાણને સુરક્ષિત બનાવવા માંગે છે. પાકિસ્તાનની સેનાના સમર્થનથી ઇમરાન ખાનનો તેહરીક – એ – ઇન્સાફ પક્ષ ગીલગીટ બાલ્ટિસ્તાનની ચૂંટણીમાં વિજય મેળવવા ઇચ્છે છે. ભારતે શરૂઆતથી જ આ પ્રદેશ ભારતનો હોવાનો દાવો મક્કમતાથી કર્યો છે. પાકિસ્તાનમાં અને પાકિસ્તાન હસ્તક કાશ્મીરમાં ઘણા લોકોએ ગીલગીટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...