ભારતની યુરોપના જે દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી છે, તેવા જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની મુલાકાત વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ તાજેતરમાં લીધી હતી. કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિ તથા સરહદે ભારત-ચીન વચ્ચે ઊભા થયેલા તણાવને ધ્યાનમાં લેતા, શ્રી શ્રૃંગલાએ 29મી ઓક્ટોબરથી 4થી નવેમ્બર દરમિયાન ત્રણ યુરોપીયન દેશોની લીધેલીમુલાકાત મહત્વ ધારણ કરે છે. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની સાથે સાથે વેપાર અને મૂડીરોકાણમાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. આ મુલાકાતમાં ભારતની સંરક્ષણ વ્યવસ્થા વધુ આધુનિક બનાવીને તેના આધુનિકીકરણમાં મદદ કરનાર ફ્રાન્સને અગ્રતા આપવામાં આવી.
ચીન સાથેનો તણાવ વધ્યો છે. એ વખતે ફ્રાન્સે ભારતને અદ્યતન યુદ્ધવિમાન રફેલ આપતા ભારતની પ્રહાર શક્તિમાં વધારો થયો છે. પેરીસ ખાતે IFRI માં બૌદ્ધિકોની બેઠકમાં શ્રી શ્રૃંગલાએ કોવિડ પછીની પરિસ્થિતિમાં ભારતની વિદેશનીતી અંગે જાણકારી આપી હતી. એવી જ રીતે કોવિડ રોગચાળો ફેલાતા સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થતાં વાજબી ભાવે ગુણવત્તાવાળા તબીબી ઉપકરણો અનેદવા ઉદ્યોગને કેવી રીતે બળ મળ્યું તેની વિગતો શ્રી શ્રૃંગલાએ આપી હતી. ભારતની દૃષ્ટિએ જોતાભારતે અગાઉથી નિયમ આધારિત જાગતિક વ્યવસ્થા અને બહુસ્તરીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની હંમેશા તરફેણ કરી છે. શ્રી શ્રૃંગલાની ફ્રાન્સની મુલાકાત પહેલા ત્યાં આતંકવાદી હુમલો થયો હતો.
ભારતે આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. યુરોપ મુલાકાતના બીજા તબક્કામાં શ્રી શ્રૃંગલાએ જર્મનીની મુલાકાત લીધી હતી. તેમણે જર્મનીના ચાન્સેલર માર્કેલના સલામતી સલાહકાર જેનહેકરને મળીને, જર્મનીએ તાજેતરમાં જાહેર કરેલી હિન્દ-પ્રશાંત વ્યૂહરચના અને ભારતના અભિગમ સાથે તેમાં જોવા મળતી સમાનતા અંગે શ્રી શ્રૃંગલાએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે બહુસ્તરીય સંસ્થાઓમાં સુધારા અંગે પણ ચર્ચા કરી હતી. જર્મની દર બે વર્ષે સરકારના સ્તરે સીધી વાતચીત હાથ ધરે છે તેવા જુજ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જર્મની ભારતનો યુરોપીય સંઘનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. જર્મનીનીહિન્દપ્રશાંત વ્યૂહરચનામાં તેની વિદેશનીતીમાં સલામતીનું પાસું ઉમેરાયું છે. ભારત અને જર્મની જી-4 દેશોના સભ્યો તરીકે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં સુધારા હાથ ધરવા સઘન પ્રયાસો કરી રહ્યા છે.
આવતા વર્ષે ભારત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદનું સભ્ય બનવાનું છે ત્યારે ભારત અને જર્મની વચ્ચે યોજાયેલી આ મંત્રણા આગવું મહત્વ ધારણ કરે છે. વિદેશ યાત્રાના છેલ્લા તબક્કામાં શ્રી શ્રૃંગલાએ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી. ઇંગ્લેન્ડ યુરોપીય સંઘમાંથી બહાર નિકળ્યું હોવાથી ભારત તેની સાથેના દ્વિપક્ષીય અને આર્થિક ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. શ્રી શ્રૃંગલાએ ઇંગ્લેન્ડના રાજદ્વારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા ઉપરાંત બૌદ્ધિકોની પરિષદોમાં ભારતના હિન્દપ્રશાંત અભિગમ બાબતે જાણકારી આપી હતી. તેમણે ચાર મુદ્દાઓને સંબોધનમાં મહત્વ આપ્યું હતું.
આ મુદ્દાઓ આ મુજબ છે. 1) હિન્દ પ્રશાંત વિસ્તારનુંમહત્વ અને ભારતે વિદેશ મંત્રાલય અંતર્ગત હિન્દ પ્રશાંત વિસ્તાર માટે શરૂ કરેલું એકમ. 2) આ ક્ષેત્રમાં હિત ધરાવતાં બધા જ લાગતા વળગતાઓ માટે નિયમ આધારિત વ્યવસ્થા 3) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં જાહેર કરેલ સાગર સિદ્ધાંત અને એ અંતર્ગત સંબંધિત વિસ્તારના બધા જ દેશોનો સર્વગ્રાહી વિકાસ થાય તેવો ભારતનો અભિગમ.4) ભારતે તેના મિત્ર દેશોને સંરક્ષણ અથવા આપત્તિના સમયે માનવતાના ધોરણે સહાય આપવાની કરેલી કામગીરી. કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં મોટાભાગની બેઠકો વીડિયો કોન્ફરન્સીંગની માધ્યમથી યોજાઈ રહી છે ત્યારેશ્રી શ્રૃંગલાએ યુરોપના ત્રણ દેશોની લીધેલી પ્રત્યક્ષ મુલાકાતે ફ્રાન્સ, જર્મનીઅને ઇંગ્લેન્ડ સાથેના વ્યૂહાત્મક સંબંધો અને સમીકરણોને નવું બળ મળ્યું છે..
Comments
Post a Comment